________________
૧૭૮
પ્રબુદ્ધ જીવન
વાંધા ન હોય તે પેતે બંને છેકરીઓને વાલ્લામમાં રાખી ઉછેરશે! કાર્બના મૃત્યુ પછી કેટલાક મહિના સુધી તે એઈકાએ બાળકોને ન મેાલ્યા. નાના ભૂલકાં હવે તે તેનું સર્વસ્વ હતાં છતાં, એ બાળકોને પોતે નિરાશા, નિર્ધનતા અને વ્યગ્રતામાં આપી પણ શું શકવાની હતી ? આખરે નવેમ્બર ૧૯૫૬માં તેણે બંને છેકરીઓને તેમની ‘વહાલી એડીથ માસી' પાસે રવાના કરી દીધી.
૫૪ વર્ષની ઉંમરે પહોંચ્યા પછી ત્રણ વર્ષની ને પાંચ વર્ષની છેકરીઓની મા બનવાનું એડીથને માટે થોડું અઘરું તો હતું. કાર્બની હયાતિ દરમિયાન થોડું ઘણુ અંગ્રેજી બાળકો શીખ્યા હતા તે તદ્દન ભૂલાઈ ગયું હતું. પણ એડીથ બંને પાસે પાછા જલદી જલદી અંગ્રેજી શીખી ગયા. તેમની આંખમાં નવે. ચમકારો આવ્યો અને ચહેરા પર સ્વાસ્થયની સુરખી પ્રગટવા લાગી. છેલ્લા છ વર્ષ પછી એડીથને પણ કામ પરથી જલદી ઘેર પહોંચી જવાની જરુર ઊભી થઈ. ખાવાઈ ગયેલા સુખની સૌરભ વળી જીવનમાં ફેલાવા લાગી.
ભાંગીતૂટી અંગ્રેજીમાં એઈકોના પત્રા જ્યારે આવતા ત્યારે પાછી એડીથના દિલમાં ઉદાસીનતા છવાઈ જતી. “માસી, બાળકો શું કરે છે? રડતાં તો નથી ને ? મને બધી હકીકત લખજો...' પોતે જે કપરા અનુભવમાંથી પસાર થઈ હતી તે એકાકી જીવનની યાતના એડીથ સમજી શકે તેમ હતું. છેકરીઓની માને પણ બેાલાવી લેવાના તેણે નિશ્ચય કરી લીધો, પરંતુ એઈકો પાસે જાપાનનું નાગરિકત્વ હતું અને પરદેશી કચેરી પાસેથી જલદી પરવાનગી મળે તેમ નહાતું; કારણ કે અમેરિકા જનારા ઉમેદવારોનું લિસ્ટ ઠીક ઠીક લાંબુ હતું. તેમાં એને વારો તો કયારેય આવે. આ બાબતમાં કાંઈક મદદ કરવા એડીથે મને લખ્યું એટલે મે મારા છાપામાં આખા અહેવાલ પ્રગટ કર્યો અને પછી તા લોકોએ ભારે સહાનુભૂતિ બતાવી અને સરકારને આ માટે અરજી કરવી શરુ કરી દીધી અને ૧૯૫૭ના ઓગસ્ટમાં એઈકોને અમેરિકા જવાની પરવાનગી મળી ગઈ.
ન્યુયોર્કના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર વિમાન ઊતર્યું ત્યારે ક્ષણભર એડીથના મનમાં ભયની કંપારી આવી ગઈ. તેને પોતાની જ જાણે બીક લાગી. જે સ્ત્રીએ તેના કાર્યને છીનવી લીધા તેના પ્રત્યે કયાંક તેના અંતરમાં ઘૃણાની લાગણી ન ઉદભવે! પ્લેનના ઉતારૂઓમાં
(ઉપર જણાવેલ સૂત્ર અંગે આજથી પચાસ વર્ષ પહેલાં યોજાયેલી એક ચર્ચાના તા. ૧-૧૧-૬૮ના પ્રબુદ્ધ જીવનમાં જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેના અનુસંધાનમાં પ્રસ્તુત સૂત્રનું સમર્થન કરતાં સ્વ. મેાતીચંદ ગૌરધરલાલ કાપડિયાએ કરેલી રજૂઆત નીચે આપવામાં આવે છે. –તંત્રી)
આ અતિ પ્રચલિત થયેલા સૂત્રનો અર્થ સ્પષ્ટ છે. એના અંતરમાં રહેલ તત્ત્વ પર વિચારણા કરવા યોગ્ય છે, અને જે એ તત્ત્વ પર વિચાર કરતા નથી તેઓ ઉપરઉપરથી વસ્તુસ્વરૂપની કલ્પના કરી શુદ્ધપણા તરફ ખ્યાલ ખેંચી જઈ આ અતિ વ્યવહારુ સૂત્રને નિષ્ફળ કરે છે. આપણે આ વસ્તુ પર વિચારણા કરવા માટે પ્રથમ મનુષ્યો જે કાર્યો કરે છે અને આચરણ કરે છે તે પર નજર નાખી જઈએ.
આપણે વસ્તુવિચારણા કરવા માટે એ સ્પષ્ટ કરવાની જરૂર છે કે ઉપર જણાવેલી સૂત્રક્રિયા અને આચાર બન્નેને લાગુ પડે છે. ક્રિયામાં ધર્માનુષ્ઠાન અથવા કોઈપણ કાર્યના સમાવેશ થાય છે. હિન્દુ ધર્મની દષ્ટિએ જોઈએ તે તેમાં હોમ, હવન, પિતૃતર્પણ, સંધ્યા, ગાયત્રી આદિના સમાવેશ થાય છે. જૈન ધર્મની દષ્ટિએ એમાં આવશ્યક, પેસહ, પૂજા, પ્રભાવના આદિના સમાવેશ થાય છે. મુસલમાનની દષ્ટિએ તેમાં નમાજ પઢવી વિગેરે ધર્મક્રિયાના સમાવેશ થાય છે. કરણીય શબ્દમાં આવી રીતે સ્થૂલ ક્રિયાનો સમાવેશ થાય છે.
તા. ૧૬-૧૨-૬૮
છેલ્લી વ્યકિત એક યુવતી હતી. એવી કે પાતળી અને નાજુક હતી કે પહેલાં તે એડીથે તેને કોઈ નાની છોકરી જ ધારી લીધી. સીડીના કઠેડો પકડી તે ત્યાંને ત્યાં જ ગભરાયેલી મનોદશામાં ઊભી રહી ગઈ હતી.
આચારમાં વર્તનનો સમાવેશ થાય છે. ચારિત્ર – વર્તન – વર્તણુક એ સર્વનો સમાવેશ માત્તરીય શબ્દમાં થાય છે. સત્યવચન, પ્રમાણિક વ્યવહાર, સરળતા, ક્ષમા, સૌજન્ય એ સર્વ આચારના વિષય છે.
“એઈકા !” એડીથે ધીમેથી બાલાવી અને છેકરી સડસડાટ સીડી ઊતરી એડીથને વળગી પડી. પોતાના આલિંગનમાં એઈકાને સ્નેહની ઉષ્મા આપતા એડીથના મનમાં એક વિચાર ઝબકી ગયા. “કાર્લ પાછા આવે એ માટે મેં પ્રભુને ઘણી ઘણી પ્રાર્થના કરી. આજે એ ખરેખર ઘેર આવ્યો છે-બે નાનાં નિર્દોષ બાળકો તથા તેણે
જેને ચાહી હતી તે સ્ત્રીની પ્રતિકૃતિરૂપે પરમપિતા ! આ સ્ત્રીને ચાહવાનું પણ મને બળ આપ!'
તા. કે. સાત વર્ષ વહી ગયા પછી આ વાત સૌથી પહેલા Guide-postમાં પ્રગટ થયેલી, આજે એડીથ, એઈકો અને બંને છોકરીઓ વાલ્લ્લામમાં સાથે જ રહે છે. છેકરીઓ બંને મેટી થઈ ગઈ છે. મેરિયા સ્કૂલમાં ભણે છે અને હેલન, બેલેટની બેાસ્ટન સ્કૂલમાં ભણાવે છે. એડીથે ‘મમતાળુ મા’નું બંનેના હૃદયમાં સ્થાન મેળવી લીધું છે, એઈકો હવે સુંદર છટાદાર અંગ્રેજી બાલી શકે છે અને આ વર્ષે પોતાના કુટુંબીઓને મળવાં જાપાન જવા વિચારે છે. એડીથ લખે છે, “જેને હું અપાર પ્રેમ કરતી હતી તે વ્યકિતને ત વિધિએ મારી પાસેથી છીનવી લીધી, પણ બદલામાં મને બીજી ત્રણ વ્યકતિઓ આપી! હું કુદરતના કેટલો આભાર માનું !” અનુવાદક : સૌ. શારદાબહેન બાબુભાઈ શાહ
મૂળ અંગ્રેજી: શ્રી બોંબ કોન્સીડાઈન
ચષિ શુદ્ધ, લાકવિરુદ્ધ, નાકરણીય, નાચરણીયમ્
શ્રી મણિલાલ માકમચંદ શાહ સાર્વજનિક વાચનાલય અને પુસ્તકાલય
ગાંધી જન્મશતાબ્દી પ્રસંગે નવજીવન ટ્રસ્ટ તરફથી ગાંધીજીના જીવન પ્રસંગાને આવરી લેતા ૬ દળદાર ગ્રંથા અંગ્રેજીમાં પ્રગટ થયા છે અને આ ગ્રંથ આપણા પુસ્તકાલયનાં ગાંધી–વિભાગમાં વસાવવામાં આવ્યા છે. આ સુંદર પુસ્તકોના ઉપયોગ સંઘના સભ્યો કરે એવી વિનંતી છે. એક ગ્રંથ રૂા. ૧૫ ડિપોઝીટ મૂકવાથી વાંચવા મળી શકશે.
મંત્રીઓ
પ્રત્યેક મનુષ્ય જે કાંઈ કાર્ય કરે છે, વ્યવહાર ચલાવે છે, વર્તન કરે છે, બાલે છે અને વિચારણા કરે છે, તેમાં મુખ્ય બે તત્ત્વ પર ખાસ ધ્યાન રાખવાનું છે. એક તેના કાર્ય, વ્યવહાર, વર્તન, ભાષણ અને વિચારની તેના પેાતાના આત્માને કેવી અને કેટલી અસર થાય છે અને બીજું તેના કાર્યાદિની આજુબાજુના સંબંધીઓને, કોમને, દેશને અને મનુષ્ય જાતિને અથવા સમસ્ત પ્રાણીવર્ગને કેવી અસર થાય છે, દરેક ક્રિયા અને વર્તન તરફ આવી રીતે Intrinsic એટલે આંતરસ્વરૂપને અંગે અને Extrinsic એટલે બાહ્ય અસરને અંગે જે હેતુઓ ઉપસ્થિત થાય અને કાર્ય તરફ પ્રેરણા કરે તે ખાસ વિચારવા યોગ્ય ગણી શકાય.
આ હકીકતને આપણે જરા વધારે સ્પષ્ટ રીતે વિચારીએ. આ પ્રાણીને દાખલા તરીકે ખાટકીના ધંધા કરવાની અથવા સ્વતંત્ર રાજ્ય અમલ સ્થાપન કરવાની ઈચ્છા થઈ તે તે કાર્ય કરવા યોગ્ય છે કે નહિ તેને માટે તેણે બે પ્રકારના વિચાર કરવા જોઈએ. આત્માની ઉત્ક્રાન્તિ કરવામાં તેને કેવી સ્થિતિ પ્રાપ્ત થશે તે વિચારવું જોઈએ. પ્રત્યેક પ્રાણીની ફરજ છે કે આ લોકમાં ધનસંપત્તિ પ્રાપ્ત કરવા સાથે પોતાના ચેતનની પ્રગતિ થાય તે માટે તેણે વારંવાર વિચારણા કરવી જોઈએ. ખસૂસ કરીને તેણે એવું કોઈ કાર્ય બની શકે ત્યાં સુધી ન કરવું જોઈએ કે જેથી એની આત્મિક પ્રગતિ થતી અટકી જાય અથવા એથી વધારે વધીને કહીએ તે ખાસ કરીને તેણે એવું તે કોઈ પણ કાર્ય ન જ કરવું જોઈએ કે જેથી એની પ્રશ્ચાત ગતિ થાય, અપક્રાન્તિ થાય અને તે આગળ વધતો હતો તેને બદલે પાછળ હઠતા થાય. આથી કોઈપણ વ્યાપારની પોતાના આંતરજીવનને કેવી અસર થશે. તેના વિચાર તેણે ખાસ કરવા જૉઈએ. જો માત્ર તે એટલા જ વિચાર કરે કે તેની