SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૧૨-૬૮ પ્રબુદ્ધ જીવન વિશ્વરૂપ ઉદારતાની પ્રતિષ્ઠા થઈ. શ્રી કૃષ્ણપ્રેમના શિષ્યોમાં હિંદુઓ ઉપરાંત ક્રિશ્ચિયન, મુસલમાન અને પારસીઓએ પણ પ્રવેશ લીધા. એટલે એમની જીવનસાધનાએ સમૂળી ક્રાંતિ સરજી. અંતરપથની સાધના એ કોઈ દેશ, ધર્મ, જાતિ કે સંપ્રદાયની મિલકત નથી. અધ્યાત્મ એ સર્વ ધર્મોનું ગોત્ર છે અને પ્રત્યેક અભીપ્સ માનવ એના અધિકારી છે એવું અનુભવદર્શન સ્થપાયું. શ્રી રોનાલ્ડ નિકસનમાંથી ધીરે ધીરે ી કૃષ્ણપ્રેમનું સ્વરૂપ પામતા માણસ છેલ્લા પંદર વર્ષોમાં, કેટલી ઝડપી ગતિથી જીવનના રસાયણવેત્તા, અંતરજીવનના મરમી અને સહજપ્રેમનો અપૂર્વ ભકત બની ગયો એ નવજન્મની નિરૂપમ લીલા છટાના જેમણે દર્શન કર્યા છે, એ જીવન આવિર્ભાવના જે સાક્ષી રહ્યા છે તેઓને એમના એ સ્વરૂપન અનુભવ થયો છે. ઈન્દ્રિયગત જીવનના લોખંડનો કાટ ઉતારીને આત્મગત જીવનનું સુવર્ણ, પ્રેમના કેવા અદ્ભુત કિમિયાથી આ મરમીએ નીપજાવ્યું એ આખી કથા રહસ્યમય અને રોમાંચક છે. અમૂર્તના મૂર્તરૂપ શ્રી દિલીપકુમાર રોય શ્રી કૃષ્ણપ્રેમનું છેલ્લા પંદર વર્ષોમાં થએલું અદ્ભુત સમૂળું રૂપાન્તર સાક્ષાત કરી શકયા હાત તો એમના ✩ આવા પ્રેમ તમે કરી (અનેક વિટંબણાઓ પર વિજય મેળવતા એક સ્ત્રીના જવલંત થયેલી–અંગ્રેજી કથાનો અનુવાદ.) અમેરિકામાં આવેલા મેસેચ્યુસેટ રાજયના વાલ્દામ ગામમાં બનેલી આ વાત છે. સમય હતો ૧૯૫૦ની શરૂઆતના. નાના એવા ઘરમાં રહેતી એડીથ ટેઈલર, આજુબાજુના રહેવાસીઓમાં પેાતાને ખૂબ જ નસીબદાર ગણતી. પેાતાના સુખ માટે સદા તેનું દિલ ગૌરવ અનુભવતું. કાર્લ સાથે તેના લગ્ન થયાને ત્રેવીસ ત્રેવીસ વર્ષ વીત્યા હોવા છતાં, આજે પણ કાર્યના આગમનના પગરવ સાથે તાલ મિલાવતા તેના અંતરને ઊર્મિ-ધબકાર એવા જ તાજો, એવા જ સ્નેહસભર હતા. કાલે પણ એક સાચા પતિ તરીકેના બધા જ પ્રેમ પત્નીને આપ્યો હતો. ગર્વન્મેન્ટ ગેાડાઉનમાં કાર્લી નોકરી કરતા હતા અને કામસર જ્યારે જ્યારે તેને બહારગામ જવાનું બનતું ત્યારે રાજ પત્નીને પત્ર લખતા અને જ્યાં જાય ત્યાંથી કાંઈ ને કાંઈ નાની સરખી ભેટ પણ તેને મોકલતા. ૧૯૫૦ના ફેબ્રુ આરીમાં કાર્લને એકીનાવા (જાપાન)ના નવા ગર્વન્મેન્ટ ગોડાઉનમાં થાડા મહિના માટે જવું પડયું. સ્થળ ઘણું દૂર હતું અને બંનેને લાંબા સમય જુદાં રહેવાનું હતું. આ ગાળા દરમિયાન પતિ તરફથી એડીથને કાંઈ ભેટ ન મળી એટલે તેણે માન્યું કે ઘણા સમયથી પેાતાની માલિકીનું ઘર હોવાના જે મનેરથા બંનેએ સેવ્યા હતા તેને માટે કાર્લ કદાચ પૈસા બચાવતા હશે. લાંબા વસમા દિવસે પસાર કરતી એકલવાઈ એડીશ પતિના આગમનની પ્રતીક્ષા કરી રહી. કાર્લ પત્રમાં જણાવતા, ‘હવે તે! ત્રણ અઠવાડિયામાં જ આવીશ, બીજે મહિને વળી, “બીજો એક મહીના જ અને બીજો મહીના વીતતાં વળી, “બે મહીના થોડું વધારે,” અને આમ કરતાં ખાસ્સું એક વર્ષ વીતી ગયું. હવે તો કાર્લના પત્ર આવતા પણ ઓછા થતા ગયા અને ભેટ-બક્ષિસ પણ ધીમે ધીમે બંધ થઈ ગઈ. એડીથને એની તો કોઈ ઝંખના નહોતી, પણ ટપાલખર્ચને પહોંચી વળવા પુરતી કાંઈક નજીવી રકમ મળે તે સારું એમ તેના દિલમાં થઈ આવતું. આમ કેટલાક દિવસા વીત્યા બાદ એક દિવસ કાર્બન પત્ર આવ્યો: પ્રિય એડીથ, મને લાગે છે કે હવે આપણે કશી જ લેવાદેવા નથી એમ તને સીધી રીતે કહી દેવું એ વધારે સારો માર્ગ છે............... ' એડીથ શાન્તિથી સાફા પર બેસી ગઈ. કાલે મેકસીકો પત્ર લખી છૂટાછેડાની પરવાનગી મેળવી લઈ એઈકો નામની જાપાની ૧૭૭ ચરિત્રાલેખનમાં નવું તેજ, નવું ઊંડાણ અને નવું સામર્થ્ય આવી શકયું હાત. શ્રી કૃષ્ણપ્રેમના જીવનની વિભૂતિનું ઓજસ કંઈક અંશે આ પુસ્તકમાં શ્રીમતી ગટ્ટુ ઈમરસેનના આમુખમાં ઊતરી શક્યું છે. અને એનું કારણ શ્રીમતી સેન છેક શ્રી કૃષ્ણપ્રેમના દેહવિલય સુધી છેલ્લા પાંત્રીસ વર્ષથી એમના સમાગમમાં રહ્યાં હતાં અને એમની મિત્રતા અને એમના સ્નેહના પાત્ર બની રહ્યા હતાં. શ્રી કૃષ્ણપ્રેમના અવસાન પછી એક મિત્રે લખ્યું હતું કે, “મારે મન શ્રી કૃષ્ણપ્રેમ અમૂર્તના મૂર્તરૂપ હતા; સમર્પણનું દેહધારી સ્વરૂપ હતા” જેમને એમના ચરણમાં બેસવાનું ભાગ્ય મળ્યું છે તેઓ આ વચનને વિવેક નહીં માને. પેાતાની અનુભૂતિ લેખે સ્વીકારશે. આવા દેહધારી વિભૂતિશીલ ભકત અને મરમી મહાપુરૂષ, આ કળિયુગના મધ્યાન્હ, આપણી આંખ આગળ, અને આપણી ધરતીની ધૂળમાં જ જીવી ગયા એ હકીકત માનવને માટે આશા અને આસ્થા આપનારી બની રહેશે. લિ. કિશનસિંહના સ્નેહસ્મરણ (લેખકના શ્રી ઉમાશંકર જોષી ઉપરના પત્ર જે તા. ૨૩-૬-૬૮ના ગુજરાત સમાચારમાં પ્રગટ થયેલ તે સાભાર ઉષ્કૃત ) શક્યા હાત ખરા? ✩ પતિપ્રેમ દાખવતી-૨૩ જુલાઈ ૧૯૬૬ના રીડર્સ ડાયજેસ્ટમાં પ્રગટ નોકરડી સાથે લગ્ન કરી લીધું હતું. નવી પત્ની ૧૯ વર્ષની હતી. જ્યારે એડીથ ૪૮ વર્ષની હતી. મારે જો વાર્તા લખવાની હોત તો તો તેને ઘટનાપ્રવાહ આ રીતે જ કદાચ આગળ વહેત કે ત્યકતા પત્ની આ પ્રકારના છૂટાછેડા સામે જરુર વાંધો ઊઠાવે, પેાતાના પતિ તથા જે સ્રીએ તેના સુખી સંસારને બરબાદ કરી નાખ્યો તેના પર વેરભાવ રાખે, પણ હું કોઈ વાર્તા લખતા નથી. આ તે એક સત્ય ઘટનાનું વર્ણન છે. એડીથના અંતરમાં કાર્લ માટે જરા જેટલી પણ ધિક્કારની લાગણી ન જન્મી. બનવાજોગ છે કે તેણે પોતાના પતિને એટલી દઢતાથી ચાહ્યો હતો કે તેમ કરવું જાણે તેને માટે તદૃન અશકય હતું. આખી વસ્તુસ્થિતિને તે પામી શકી. બિચારો એકલવાયો આદમી અને એકબીજાની સતત સંપર્ક. અજાણી જુવાન છેકરીના ગેરલાભ લઈ નીચું જોવા જેવું કાંઈ પણ બને એ કરતાં પોતાની સાથે છૂટાછેડા લઈ તેની સાથે લગ્ન કરી લીધા એ એક રીતે તે તેણે ઠીક જ કર્યું કહેવાય. આશ્ચર્ય તો એડીથને એક જ વાત માટે થયું—કાર્લ તેને ચાહતા બંધ થઈ ગયો હતો! હશે ! ગમે ત્યારે પણ એક દિવસ તેના પ્રિયતમ જરૂર ઘેર પાછા આવશે; અને આશાના આ એક માત્ર દોરને શ્રદ્ધાથી વળગી એડીથ જીવી રહી. પતિના નવા સંસાર સાથે પેાતાને સંપર્કમાં રહેવા દેવા માટે એડીથે કાર્લને લખ્યું. થેડા રામય પછી એઈકાને બાળક આવ્યાના સમાચાર આવ્યા. ૧૯૫૧માં મેરિયાનો જન્મ થયો અને ૧૯૫૩માં હેલન આવી. એડીથે ખુશી થઈ બંને છોકરીએ માટે ભેટ મેાકલી. પેાતાને સંસાર સૂના થઈ ગયા હતા, છતાં પણ એડીથ પત્ર લખવાનું ભૂલી નહીં. કાર્લ પ્રત્યુત્તર આપતો કે હેલનને દાંત આવતા હતા, એઈકોનું અંગ્રેજી સુધરી રહ્યું હતું, કાર્બનું વજન ઘટી ગયું હતું વગેરે... એક દિવસ ચિંતાજનક સમાચાર આવ્યા, કાર્યની તબિયત લથડી હતી. ફેફસાનું કેન્સર એને મૃત્યુ ભણી ખેંચી રહ્યું હતું. છેલ્લા છેલ્લા પત્રમાં તે એડીથ સ્પષ્ટ જોઈ શકી કે કાર્લને પોતાના માટે તે ખાસ ચિંતા નહોતી થતી; પણ ભવિષ્યમાં બે છેકરીઓનું અને એઈકોનું શું થશે તેની ચિંતા રાતદિવસ તેને સતાવતી. બંને છોકરીઓને અમેરિકાની કોઈ સ્કૂલમાં ભણવા મોકલવા કાર્લ પૈસા બચાવવા ઘણી કોશિશ કરતા, પણ દવાદારૂનો જ એટલા ભારે ખર્ચ થતા કે બધું તેમાં જ તણાઈ જતું, જીવનના અંતિમ દિવસેમાં શું કરવાથી કાર્લના જીવને શાન્તિ રહે એના એડીથ વિચાર કરી રહી. તેણે કાર્બને લખ્યું કે એઈકાને જો
SR No.525953
Book TitlePrabuddha Jivan 1968 Year 29 Ank 17 to 24 and Year 30 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1968
Total Pages268
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy