SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૭-૬૮ કમબેડ તેમના ઘેર પહોંચાડવામાં આવશે એમ જાહેર કરવામાં આવ્યું. પછી છેલ્લા અઢી કે ત્રણ માસ દરમિયાન એવાળાના સેફા કમ-બેડ. ખરીદનાર ગ્રાહકોમાંથી પાંચ નસીબવત્તા નંબરોની ચીઠ્ઠી શેઠ માણેકલાલ ચુનીલાલના વરદ હરત ખેંચવામાં આવી અને આ દરેકને હજાર હજાર રૂપિયાની કિંમતનું ફરનીચર ભેટ આપવામાં આવ્યું. આમ ઇનામની વહેંચણી પુરી થયા બાદ સભાસંચાલકની વિનંતિ થતાં અતિથિવિશેષ શ્રી ભારદે બોલવા ઊભા થયા. તેમણે બેલવાનું શરૂ કર્યું ન કર્યું એવામાં પંપથી સુવાસિત જળને છંટકાવ કરવાવાળે મંચ ઉપર ચૈતરફ ધુમવા લાગ્યું અને સુગંધી જળનાં છાંટણાં કરવા લાગ્યા, જેથી સંભવ છે કે નારાજ થઇને ભારદજીએ પિતાનું વક્તવ્ય એકદમ ટૂંકું કરી નાખ્યું જ તેમની બાબતમાં સામાન્ય રીતે બનતું નથી.) અથવા તે એકાએક બંધ કરી દીધું. - પછી સંચાલકના આહાહન મુજબ મંચ ઉપર બેઠેલા મહાનુભાવન વકતવ્ય ક્રમસર શરૂ થયાં. આગળ ચાલતાં ભાષણ કરવાની વિનતિ કરતાં જીવરાજ ભાણજી શાહને બદલે ભાણજી જીવરાજ શાહનું નામ ઉચ્ચારવામાં આવ્યું અને પ્રેક્ષકોમાં હસાહસનું મેજે ફરી વળ્યું. સદભાગ્યે જીવરાજભાઇ પ્રસંગાનુરૂ૫ કશું ન બેલતાં “આ ભાષણે બંધ કરો અને હવે પછી જે કાંઇ દેખાડવાનું હોય તે દેખાડે” એમ કહીને બેસી ગયા અને મંચ ઉપરને મેળાવડે એકાએક ખતમ થયો. અને અમે પણ છૂટકારાને દમ ખેં .. - ત્યારબાદ લોકનૃત્યો આવ્યાં અને પ્રેક્ષકોએ મનોરંજન અનુભવ્યું. અનુક્રમે હોળીનું નૃત્ય આવ્યું એટલે બહુ મોડું થવાથી (લગભગ ૧૦-૧૫) વાગ્યે હું ઊઠીને ઘર તરફ રવાના થયો, પણ પાછળ રહેનારા અન્ય મિત્રો ને પૂછતાં માલુમ પડ્યું કે મૃત્યે પૂરાં થયાં બાદ સભાગારના રીલ્વીંગ સ્ટેજની બીજી બાજુ આગળ લાવવામાં આવી હતી અને જેમ આગળના વિભાગમાં દીવાનખાનાની વિશિષ્ટ રચના દેખાડવામાં આવી હતી તે આ ભાગમાં એરોવાળાની શયનગૃહને લગતી વિશિષ્ટ રચના પ્રેક્ષકો સમક્ષ રજુ કરવામાં આવી હતી અને આ રીતે આ સમારંભ અથવા જલસે લગભગ રાત્રીના ૧૧ વાગ્યે ખતમ કરવામાં આવ્યો હતો. અહિ એ ઉમેરવું અપ્રસ્તુત નહિ લેખોય કે આ બન્ને સમા રંભનું વિગતવાર વર્ણન-તેમાં કોણે કોણે હાજરી આપી હતી તેના વિગતવાર ઉલ્લેખ સાથે-સમારંભ પછીના દિવસોએ પ્રગટ થયેલ જન્મભૂમિ, જનશકિત અને મુંબઈ સમાચારમાં ઘણી મોટી જગ્યા રોકીને શ્રી બાબુભાઇ એરોવાળા તરફથી જાહેર ખબરના ભાવે પ્રગટ કરવામાં આવ્યાં હતાં. આ આટલું લાંબુ વિવેચને રજૂ કરવાનો આશય એ છે કે એક સામાન્ય માણસની vanity-અહંતા–અને પોતાના વ્યવસાયની જાહેરાત કરવાની વૃત્તિ તેને કયાં સુધી લઇ જાય છે, કારણ કે ઉપરના વર્ણનથી કોઇને પણ સ્પષ્ટ થયું હોવું જોઇએ કે વિદ્યાર્થીઓને ઇનામ આપવાના ઓઠા નીચે આ બધી એક પ્રકારની જાહેરાતની અને સ્વપ્રચારની લીલા હતી. અને આવાં ઔચિત્યવિહોણાં પ્રતિષ્ઠાપ્રદર્શનમાં સમજ અને વિવેકશીલ લેખાતા લોકો કેવી રીતે ખેંચાય છે તેને પ્રબુદ્ધ જીવનના વાચકોને કાંઇક ખ્યાલ આવે. હું અને મારી જેવા અનેક ત્યાં ગયા હતા તે ખરા, પણ જવો બાદ, આવામાં કયાં ભરાઇ પડ્યા એવી મુંઝવણ અનુભવવા લાગ્યા હતા. આવા જલરામાં ભાગ લઇને-સાથ પુરાવીને અમે અમારી જાતને બેવકુફ પુરવાર કરી–આવા કાંઇક ભાન સાથે અમે પાછા ફર્યા હતા. અમે તે પ્રેક્ષકવર્ગમાં હતા, પણ વધારે દયનીય સ્થિતિ મંચ ઉપર બેઠેલા એ મહાનુભાવોની હતી કે જેમના નસીબે આ વિવેક વિહોણા નાટકમાં સક્રિય ભાગ ભજવવાનું આવ્યું હતું. અથવા તે દેવમૂતિ માફક ઉચ્ચ આસન શોભાવવાનું આ યું હતું. શ્રી નાયકે આ સમારંભમાં મુખ્ય સ્થાને સ્વીકારવાની હા કહી હતી કે કેમ તે વિષે શંકા સેવાઇ રહી છે, પણ ખરેખર હા કહી હોય તો તેમના માટે અને શ્રી ભારદે જવા વર્ષોથી જાહેર જીવનમાં પળાટાયલા મહાનુભાવ માટે પ્રશ્ન થાય છે કે આવા સમારંભમાં ભાગ લેવાની હા ભણતા પહેલાં આ નિમંત્રણ આપનાર વ્યકિત કોણ છે, શા માટે તે બોલાવે છે, તેમની આગળ ધરવામાં આવતા હેતુ પાછળ બીજો કોઇ હેતુ છે કે નહિ તેને તેમણે જરા ઉંડાણથી વિચાર સરખે પણ કર્યો નહિ હોય? આજ સુધીમાં અનેક સભાઓ, સંમેલને અને સમારંભ જોયાં, પણ અનૌચિત્યની અને કઢંગાપણાની પરાકાણ સમા આ સમારંભની તોલે આવે એ બીજો કોઈ સમારંભ જોયાનું યાદ આવતું નથી. - પરમાનંદ => અપંગ બહેને દાખવેલી પ્રતિભાનું અભિનન્દન શ્રી મુંબઇ જૈન યુવક સંઘનાં ઉપક્રમે, વર્ષોથી નેત્રહીન થયેલ ખૂબ વાંચન કર્યું અને તેઓનાં શબ્દોમાં કહું તે, “જ્યોતિને ભણાવતાં અને તાજેતરમાં એમ.એ.ના બીજા વર્ગમાં ઉત્તીર્ણ થયેલ કુ. મને કેટલો બધો લાભ મળ્ય-હું કેટલું બધું જાણી શકી?” જ્યોતિ પારેખને અભિનન્દન આપવાને એક મેળાવડો શનિવાર, જ્યોતિને ઉત્તરોત્તર વિકાસ એ આપણા બધાના ગૌરવને તા. ૬-૭-'૧૮ સાંજના ૬-૦૦ વાગે મૉડર્ન સ્કૂલના પ્રિન્સિપાલ વિષય છે–વળી, આજના સમયની પણ બલિહારી છે કે પચાસ વર્ષ શ્રી રમણ વકીલનાં પ્રમુખપદે-મૉડર્ન સ્કૂલનાં હૅલમાં–જવામાં પહેલાં અંધને માટે આટલી બધી સગવડતા આપણે કલ્પી શકતા આવ્યો હતો. આ પ્રસંગે સારી સંખ્યામાં ભાઇ-બહેને ઉપસ્થિત ન હતા, આજે ભણવાની અને વ્યવસાયની એટલી બધી તકો છે કે થયાં હતાં. એસ. એન. ડી.ટી. કૅલેજના પ્રિન્સિપાલ શ્રી ફાટસાહેબ કેટલાંયનાં જીવન ખંડિત થતાં અટકી ગયાં છે. બહેન જ્યોતિ આપણી તેમ જ બ્લાઇન્ડ એસોસિએશનનાં ડેવલેપમેન્ટ ઑફિસર ડે. મોટી આશા છે. તેઓ એમનાં જીવનમાં નિરાશા ન લાવતાં આગળ ને રાજેન્દ્ર વ્યાસ ખાસ નિમંત્રણથી ઉપસ્થિત હતાં. ' આગળ વધે એવી શુભભાવના હું પ્રગટ કરું છું.” શરૂઆતમાં શ્રીમતી રમાબહેન ઝવેરીએ “પ્રેમળ જ્યોતિ તારો સંઘના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈએ એમના વિવેચનમાં કહ્યું: દાખવી મુજ જીવનપંથ ઉજાળ” ગીત ગાયું હતું-ત્યારબાદ સંઘના જ્યોતિનું સન્માન કરીએ છીએ ત્યારે આપણી સમક્ષ સહેજે વિશ્વઉપપ્રમુખ શ્રી પરમાનંદભાઈએ એમનાં પ્રાસ્તાવિક વિવેચનમાં કહ્યું : વિખ્યાત હેલન કેલરને વિચાર આવે છે. અને આપણને વિચારતા કરે છે કે “આજનો અભિનંદન સમારંભ અખા પ્રકાર છે, આપણે એક વ્યકિતને પુરુષાર્થ શું નથી કરી શકતો? હેલન કેલર અંધઆપણા હૃદયને આનંદ પ્રકટ કરવા-જાતિને અભિનન્દન આપવા બધીર-મૂંગા-હતાં, છતાં એમના વ્યકિતત્વને અદ્ભુત વિકાસ અને એને આશીર્વાદ આપવા ભેગા થયા છીએ. જ્યોતિ આ જ સ્કૂલમાં થયો–એનામાં જે જ્ઞાન પ્રકટ થયું એને આપણે વિચાર કરીએ તે ભણતી હતી. ઘરે અકસ્માતમાં આંખે ગઇ–આમ છતાં સ્કૂલનાં આપણને જરૂર લાગે કે જે જ્ઞાનની જ્યોતિ પ્રકટે છે એનું ઉગમપ્રિન્સિપાલ શ્રી રમણ વકીલની પ્રેરણા અને માર્ગદર્શન નીચે એણે સ્થાન જુદું જ છે. ઈન્દ્રિય તે માત્ર સાધન છે; જ્યારે ચેતના એ એસ. એસ. સી. પાસ કરી-કૅલેજમાં દાખલ થઇ, ત્યાં બી. એ.ની જુદી જ વસ્તુ છે. વળી જીવનનાં માંગલ્ય ઉપર જો શ્રદ્ધા ન હોય પરીક્ષા સંગીત સાથે પાસ કરી–અને પછી એમ. એ. ની પરીક્ષા તે આવી વિષમ સ્થિતિ આવે ત્યારે તે વ્યકિત પુરુષાર્થ કરી સશીએલજી લઈને પાસ કરી. આ રીતે બહેન જ્યોતિએ એક શકતી નથી. નેવું વર્ષની ઉંમરે પણ પંડિત સુખલાલજીને મેં કદિ અસાધારણ વિક્રમ સાધ્યું છે એમ કહેવામાં જરા પણ અત્યુકિત નિરાશ નથી જોયા. માણસની આત્માની ચેતના બુદ્ધિ અને મનથી નથી. જતિને ભણવામાં તેનાં માતા-પિતા તથા કુટુંબીજનેએ પણ પર છે. મન અને બુદ્ધિ એનું સાધન જ છે. પ્રેસીડેન્ટ રૂઝવેલ્ટ ખૂબ જ મદદ કરી છે. આનંદની વાત તો એ છે કે એના અપંગ હતા પણ આ અપંગતાએ એમને આત્મિક શકિત અને માતુશ્રી જેમાં માંડ ત્રણ ચોપડી ભણ્યા હશે; તેમણે જ્યોતિ માટે પુરુષાર્થની તક આપી. આપણને ય પુરુષાર્થ માટે પ્રેરણા આવી વ્યકિત
SR No.525953
Book TitlePrabuddha Jivan 1968 Year 29 Ank 17 to 24 and Year 30 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1968
Total Pages268
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy