________________
તા. ૧૬-૫-૧૫
પ્રકી
નવા બે જે. પી. સભ્યોને અભિનંદન, ધન્યવાદ!
પ્રમુખ જીવન
નોંધ
પહેલી મે ૧૯૬૫ના મહારાષ્ટ્ર દિનનિમિત્તે મુંબઈ રાજ્ય તરફથી નવાજે. પી.ની જે યાદી તાજેતરમાં બહાર પાડવામાં આવી છે. તેમાં શ્રી મુંબઈ જૈન યુવક સંઘના બે સભ્યોનો સમાવેશ થાય છે: (૧) શ્રી દામજી વેલજી શાહ તથા (૨) શ્રી ધીરૂભાઈ ગુલાબચંદ કાપડિયા. શ્રી દામજીભાઈ સંધની કાર્યવાહક
સમિતિના વર્ષો—જૂના સભ્ય છે, વીશા પ્રીન્ટરીના તથા મુકેશ મેડીકલ સ્ટોર્સના ભાગી દાર, કાગદી મરચન્ટસ એસાસીએશનના ઉપપ્રમુખ તથા શ્રી. દામજી વેલજી શાહ એક જાહેર સામાજિક કાર્યકર છે.
સંઘદ્રારા ગયા ફેબ્રુઆરી માસમાં યોજાયલા કચ્છનો પ્રવાસ, જેનું વર્ણન કટકે કટકે પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ થઈ રહ્યું
છે તેની સફળતા શ્રી દામજી ભાઈના અસાધારણ ઉત્સાહ, ઉમળકા અને અણીશુદ્ધ એવા આયોજનને આભારી છે.
અને બીજા જે, પી. શ્રી ધીરૂભાઈ મુંબઈના પ્રોગ્રેસીવ ગ્રુપના બહુ જૂના કાર્યકર્તા, ભૂતપૂર્વ મંત્રી અને ત્યાર બાદ પ્રમુખ, ઈન્ડિયન મરચસ ચેંબર એન્ડ બૂરોની કમીટીના સભ્ય, અને ઈમસ ઈન્ડિયા કોર્પોરેશનના માલિક છે, મુંબઈ શહેરના તેઓ એક અગ્રગણ્ય નાગરિક છે. આ બન્ને શ્રી ધીરૂભાઈ ગુલાબચંદ કાપડીઆ સભ્યાનું મુંબઈ સરકારે આ રીતે બહુમાન કર્યું અને એક નાગરિક તરીકેની તેમને નવી જ જવાબદારી સોંપી તે માટે મુંબઈ જૈન યુવક સંધના તેમને હાર્દિક અભિનંદન છે. આ કારણે તેમના હાથે મુંબઈ શહેરની તથા સમાજની વધારે ને વધારે સેવા થતી રહેશે એવી આશા પ્રદર્શિત કરવામાં આવે છે. જયોતિષશાસ્ત્ર અને મારારજીભાઈ
તાજેતરમાં પ્રગટ થયેલા માન્યવર શ્રી મારારજીભાઈના એક લેખમાં જયોતિષશાસ્ત્ર અંગે પાતાનું શું વલણ છે એ બાબતનું વિવરણ કરતાં તેઓ જણાવે કે :–
“જ્યોતિષ વિષે મારી કમજોરી હોવાની પાયા વગરની વાતની ચર્ચા કરીએ. કર્મ બ્રહ્માંડનું નિયંત્રણ કરે છે એ વાતમાં મને ઊંડી શ્રદ્ધા છે અને આથી જ્યોતિષને એક વિજ્ઞાન તરીકે હું માનું છું. પરંતુ હું એટલી હદ સુધી દાવા કરવા માગતો નથી કે જ્યોતિષને વ્યવસાય કરતા લોકો સંપૂર્ણ સાચી ભવિષ્યવાણી કરી શકે છે. ચોક્કસ આગાહી કરવી ખરેખર શકય છે, પરંતુ વિસ્મય પમાડે તેવા મનોરંજન સિવાય તેની કોઈ કિંમત હશે કે કેમ તે વિષે મને શંકા છે.
“વ્યકિતનું પ્રારબ્ધ એ તેણે ગતજન્મમાં કરેલા કર્મોનો કુલ સરવાળા છે. કર્મના આ ગતિશીલ કાનૂનમાં જો તમે માનતા હો તો તમારે એ વાતના સ્વીકાર કરવા પડશે કે માનવીનું ભાવિ પરિવર્તનશીલ અને અનિવાર્ય છે. આધુનિક પદાર્થવિજ્ઞાન પણ જણાવે છે કે આઘાત અને પ્રત્યાઘાતો સરખા અને પરસ્પરવરોધી છે. દુનિયામાં કોઈ વસ્તુનો નાશ થતો નથી પરંતુ એના સ્વરૂપમાં કે મૂલ્યમાં જ પરિવર્તન થાય છે, આથી કોઈ સમર્થ જ્યોતિષી પણ કોઈ વ્યકિતનું ભાવિ અગાઉથી ભાખી શકે એ વાત તાર્કિક લાગે છે.
“આમ છતાં પ્રશ્ન એ છે કે આવતી કાલે શું બનવાનું છે તેનું અગાઉથી જ્ઞાન હોવાનો કોઈ અર્થ છે ખરો? અનિષ્ટની આગાહીથી વ્યકિતમાં માત્ર અકારણ ભય જ ઊભા થાય છે, અને તેની શકિતઓ શિથિલ થઈ જાય છે. ખ્યાલમાં રાખો કે આ વ્યવસાયમાં રહેલા ટીડા જોષી વારંવાર ખોટી આગાહીઓ કરે છે અને વહેમ પેદા કરે છે.
આથી આ બાબતમાં મે` મારે માટે એક સખ્ત નિયમ બનાવ્યો છે કે ભાવિ વિષે કોઈ જ્યોતિષીને મારે કોઈ પણ પ્રશ્ન પૂછવા નહીં કે મારા વિષે કોઈ આગાહી કરવા કહેવું નહીં અને ગમે તે સંજોગામાં પૈસા કે પ્રમાણપત્ર જેવી દાન-દક્ષિણા આપવી નહીં.
“અલબત્ત, જ્યોતિષનું જ્ઞાન ધરાવવાના દાવા કરતી કોઈ પણ વ્યકિતને મળવાનો હું ઈન્કાર કરતો નથી, પરંતુ જ્યારે તેઓ જે કહેતા હોય તે સાંભળતી વખતે હું તેમની પાસેથી કોઈ મુહૂર્તોની માગણી કરતા નથી. અનિષ્ટોને નિવારવા માટે હું તેમની પાસેથી ‘ઈલાજો’ માગતો નથી. હકીકતમાં મારાં આચરણો નક્કી કરવા માટે હું તેમની આગાહીની મારી જાત પર જરા સરખી પણ અસર પડવા દેતો નથી. મારી દષ્ટિએ જ્યોતિષમાં શ્રદ્ધા ધરાવતા કોઈને માટે પણ આ યોગ્ય માર્ગદર્શન પૂરું પાડે છે.
“આમ છતાં, જ્યોતિષીઓને હું મારા અંગત સંલાહકારો તરીકે રાખું છું તે નિંદનીય અફવાના હું દઢતાથી ઈન્કાર કરવા માગું છું.”
આ નિવેદનમાં શ્રી મારારજીભાઈ જે કાંઈ જણાવે છે તેની પ્રામાણિકતા વિષે આપણે જરૂર અન્યથા ન વિચારીએ, એમ છતાં મેરારજીભાઈ આપણા દેશના એક અગ્રગણ્ય રાજપુરુષ છે; તેઓ શું કરે છે, અને કેમ વર્તે છે તે ઉપરથી અનૅકલાકો માર્ગદર્શનજીવનદર્શન- મેળવે છે અને શ્રી મારારજીભાઈને ત્યાં અવારનવાર જોષીએ આવે જાય છે અને તેમની હસ્તરેખા અને કુંડલી ઉપરથી તેમની સાથે ચર્ચાવાર્તા કરે છે એ હકીકત છે. એ સાથે એ પણ હકીકત છે કે જોષીઓનું કોઈને પણ ત્યાં જવું આવવું તે તેના ભૂતકાળની કે વર્તમાનકાળની જાણકારી આપવા માટે નથી હોતું, કારણ કે તે તો સૌ કોઈ જાણતું જ હોય છે, પણ ભવિષ્ય કે જે વિષે આપણે સૌ અંધારામાં છીએ તે વિષે પ્રકાશ પાડવાના હેતુથી જ જોષીઓનું તેને ત્યાં આવવું જવું થતું હોય છે. જ્યોતિષશાસ્ત્ર પણ એક સાયન્સ છે, વિજ્ઞાન છે આમ કહેવા—વિચારવાની આજે ફેશન ચાલે છે, પણ જ્યોતિષશાસ્ત્ર ખરેખર એક વિજ્ઞાન છે, સાયન્સ છે, ← Pseudo Religion માફક Pseudo Science—અધકચરું વિજ્ઞાન છે એ એક સવાલ છે. વળી જ્યોતિષશાસ્ત્ર વૈજ્ઞાનિક દષ્ટિએ કેટલું આધાર રાખવા લાયક છે એ પ્રશ્નની તાત્ત્વિક ચર્ચા જોષીઓ અને આવા મહાનુભાવાના મીલન વખતે થતી હાય એવું મેં તો ભાગ્યે જ જાણ્યું છે. જેમ કોઈ હજામ પોતાના વ્યવસાય અંગે આપણા ઘરમાં પ્રવેશ કરે એટલે તેણે હજામત કરવા માટે અને આપણે હજામત કરાવવા માટે તૈયાર થવાનું હાય છે, તેમ જોશી આવે એટલે ઉપલબ્ધ સામગ્રી દ્વારા કર્યાગ્રહ કયા ઘરમાં છે અને ક્યા ગ્રહના કયા ઘરમાંથી ઉદય યા અસ્ત સંભવિત છે અને તેની આપણા ભાવિ જીવન ઉપર શી અસર સંભવે છે તે જ વિષય
5