________________
તા. ૧-૫-૧૫
પ્રબુદ્ધ જીવન
માહિતીપૂર્ણ વિવરણ કર્યું હતું તેમાં પ્રેમજીભાઈના વિવેચને મહત્ત્વપૂર્ણ પુરવણી કરી અને તેથી અમે સૌ ખૂબ પ્રભાવિત બન્યા. તેમને તેમ જ કચ્છમિત્રના કાર્યકરોને હાર્દિક આભાર માનતાં કચ્છના તૂટતા જતાં ગામડા તરફ મેં તેમનું ધ્યાન ખેંચ્યું અને તેમને નાના ઉદ્યોગો દ્વારા સજીવન કરવા અનુરોધ કર્યો.
કલમમંડળની સભામાં ત્યાર બાદ એ જ મકાનમાં બીજે માળે શી પરમાનંદભાઈને અનુલક્ષીને સ્થાનિક કલમ મંડળ તરફથી એક સભા યોજવામાં આવી હતી ત્યાં અમે ગયા. પ્રારંભમાં શ્રી પ્રાણગિરિ ગૌસ્વામીએ કચ્છની શૌર્યગાથાઓને વણી લેવું સ્વરચિત કચ્છી કાવ્ય સંભળાવીને સૌનાં દિલનું રંજન કર્યું. ત્યાર બાદ કલમ મંડળના પ્રમુખ અને જાણીતા સાહિત્યકાર શ્રી રસિકલાલ જોષીએ હાથે કાંતેલા સુતરની આંટીથી શ્રી પરમાનંદભાઈનું સ્વાગત કર્યું અને તેમની ઉજજવળ સાહિત્યસેવા અને કારકિર્દીનો આછો પરિચય આપ્યો.
ત્યાર બાદ શ્રી પરમાનંદભાઈએ એકત્ર થયેલા સાહિત્ય રસિક મિત્રોને ઉદેશીને સાહિત્ય સર્જન અંગેના પિતાના વિચારો રજુ કર્યા. તેમણે જણાવ્યું કે “મારે મન લેખન અક શિલ્પનું નિર્માણ છે. એક શિલ્પકાર ટાંકણાં મારી મારીને અથાગ પરિશ્રમ પછી જેમ એક સુંદર કળામૂર્તિ તૈયાર કરે છે તેમ સાહિત્યકારે પણ ઊંડા ચિંતન અને પૂરેપૂરી સાધના કરીને સાહિત્ય સર્જન કરવું જોઈએ અને એ રીતે સર્જાયેલું સાહિત્ય જ ચિરંજીવ સાહિત્ય બની શકે છે.”
પોતે કઈ રીતે લખે છે તેને ખ્યાલ આપતાં તેમણે જણાવ્યું કે, “અક્ષરની ઉપાસના સાથે મારું જીવન જોડાયેલું છે, પરંતુ હું મને પોતાને સાહિત્યકાર માનતો નથી. પ્રબુદ્ધ જીવનના સંપાદન સાથે હું ૨૬ વર્ષથી જોડાયેલ છું, છતાં હું હંમેશા મને પિતાને વિદ્યાર્થી જ લેખું છું. નવું નવું જાણવાની, સમજવાની તીવ્ર આકાંક્ષા હું હંમેશાં સેવતો રહ્યો છું. જીવનને સીધું સ્વત: સમજવાનો મારો પ્રયત્ન રહ્યો છે. વિચારને મનની અંદર પૂરેપૂરો આકાર મળે પછી જ તેને શબ્દબદ્ધ કરવો એવો મેં આગ્રહ સેવ્યો છે. જે વિષય કે વસ્તુ પરત્વે મનમાં urge-અન્ત:પ્રેરણા - અનુભિવાય નહિ તે વિષય ઉપર હું કદાપિ લખતા નથી. જે કોઈ વસ્તુ મનમાં આવે છે તે ઘણી વખત લાંબા સમય સુધી મનમાં ઘોળાયા કરે છે અને પછી જ્યારે વસ્તુવિચારને સ્પષ્ટ આકાર મળે છે ત્યારે લેખિની કાગળ ઉપર આપોઆપ સરકવા લાગે છે અને પછી તો .જ્યાં સુધી તે વિચારને પૂરો શબ્દાકાર અપાય નહિ ત્યાં સુધી હું એક પ્રકારની બેચેની અનુભવું છું. પહેલાં વિચાર પાછળ મન દોડે છે; પછી વિચાર મનને મજબૂતપણે પકડે છે અને જ્યાં સુધી તે પૂરેપૂરો શબ્દમૂર્ત ન થાય ત્યાં સુધી તેની પકડ છુટતી નથી. કોઈ પણ લખાણ તૈયાર કરવા પાછળ કેટલો સમય જાય છે તેનો કોઈ હિસાબ રહેતો નથી, પણ વિચારને અપાયેલ શબ્દાકાર મનને પૂરો સંતોષ ન આપે ત્યાં સુધી તેને મઠારવાનું ચાલ્યા જ કરે છે. આ લેખનપ્રવૃત્તિ મારા માટે 'સ્વાન્તઃ સુખાય’ રહી છે. તે દ્વારા આત્માની અભિવ્યકિતને આનંદ હું અનુભવું છું.”
એમણે વિશેષમાં જણાવ્યું કે “જેને સાર લેખક બનવું હોય, જેને ઉચ્ચ કક્ષાનું સાહિત્યસર્જન કરવું હોય, તેણે સાહિત્યની પૂરેપૂરી ઉપાસના કરવી જોઈએ. સાહિત્યના ક્ષેત્રમાં સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે અખંડ ચિંતન, વાચન અને પરિશ્રમ સિવાય કોઈ સાદો સીધે રાજમાર્ગ છે જ નહિ.”
આજના સાહિત્યક્ષેત્રે જે કેટલાક છીછરા પ્રવાહો વહેતા થયા છે તેને ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે “સમાજમાં ભેગવિલાસ અને ભૌતિકવાદ તરફ વધતા જતા મેહનું પણ કદાચ એ પરિણામ હોઈ શકે છે. એમ છતાં લોકોને હલકી કોટિનું સાહિત્ય જોઈએ છીએ એટલે એ પ્રકારનું સાહિત્ય પીરસતા રહેવું એ તે સાહિત્યશકિતને કેવળ વ્યભિચાર છે. આવી વૃત્તિ અને પ્રવૃત્તિ સાચા સાહિત્યકારને ન શોભે. ઊંચી કક્ષાનું અને સાત્વિક સાહિત્યનું નિર્માણ કરવું એ જ સાચા સાહિત્યકારનો ધર્મ છે.”
આભારનિવેદન સાથે આ સભા પૂરી થઈ અને રાત્રીના ૧૧
વાગ્યા લગભગ અમે સૌ અમારા નિવાસસ્થાને આવ્યાં અને રાત્રી સુખરૂપ નિદ્રામાં પસાર કરી.
ગુરૂવાર, તા, ૧૧-૨-૫
ખાવડા સવારે સૌને નાસ્તામાં ભૂજના પ્રખ્યાત પકવાને ચાહની સાથે આપવામાં આવ્યા. તે પતાવીને સૌએ બસમાં સ્થાન લીધું. શ્રી મગનભાઈએ આગલી રાતે જ સૂચના આપી હતી “કોઈએ નાવાનું નથી. કેમકે તમે પાછા ફરશો ત્યારે ધૂળ ધૂળથી ભરાઈ ગયા હશે અને આવીને નાવું જ પડશે.” એટલે અમે ફકત નાસ્તો કરીને જ બસમાં બેઠા. આજે અમારે ભુજની ઉત્તરે આવેલા બન્ની - ખાવડા તરફ જવાનું હતું. અમારી સાથે “
કચ્છમિત્રવાળા જમનાદાસભાઈ અને ‘જન્મભૂમિ'ના ખબરપત્રી નરભેરામ સદાવ્રતી પણ જોડાયા હતા. ખાવડા એ બન્ની પ્રદેશનું છેલ્લું ગામ છે. અહિંથી પાંચ સાત માઈલ છોડીને રણ શરૂ થાય છે. રણ અમને દેખાતું હતું. આઘેથી બરફનો પર્વત અમે જોતા હોઈએ એવું લાગતું હતું. આજે તાપ અનુભવાતો હતો. ‘ખાવડા” ના લુહાણા ભાઈઓએ અમારું સ્વાગત કર્યું. ખાવડા ૧૭૦૦ ની વસ્તીવાળું ગામ છે. લુહાણા ભાઈઓ શેડો ઘણે વેપાર કરે છે. જીવનની જરૂરિયાતો મોટે ભાગે ભુજથી લાવે છે. ભણતર સાત ધોરણ સુધીનું છે. ગ્રામસેવક શ્રી હિમાંશુ જોષીએ અહિની પરિસ્થિતિનો ખ્યાલ આપ્યો. અહિં પાણીનું એક મોટું ટાંકે બાંધવામાં આવ્યું છે જે ૧૫૦૦ ફટ દૂરના કુવામાંથી મીઠું પાણી ખેંચી લાવે છે અને આ પાણી સ્થાનિક લોકોને મળે છે. અહિથી થોડે જ દૂર છાડબેટ છે જ્યાં આપણું સૈન્ય - સરહદનું રક્ષણ કરે છે. છાડબેટ ૧૯૫૬માં પાકિસ્તાને લઈ લીધેલા પણ પાછળથી આપણે મેળવી લીધેલ. અહિં અમે ગામમાંથી મેસુબ લીધો. મેસુબ અહિનો વખણાય છે.
અહિંથી ઉપડવાની તૈયારી કરતા હતા એવામાં કેટલાક ઊંટવાળા આવી ચઢયા. આ ઊંટો ઉપર શણગારેલી બેઠકો હતી. આ ઊંટવાળા
એ અમને ઊંટની સવારી માણવા નિમંત્રણ આપ્યું. એટલે અમારામાંના ઘણા ખરાં ભાઈ-બહેનએ કદાચ જીંદગીમાં પહેલીવાર પાંચ પાંચ દશદશ મીનીટ માટે આ ઊંટોની સવારીને લાભ લીધે. લગભગ મધ્યાહૂનો સમય હતો. અહિંથી હજુ ૧૪ માઈલ પાછા જઈને અમારે ભાજન કરવાનું હતું, એમ છતાં અમે ન ઊંટોને છોડીએ; ન અમને ઊંટ છોડે. માંડ માંડ બૂમો પાડીને બધાંને બસમાં બેસાડયાં. આ રીતે આ ઊંટોની સવારી અમારા મનમાં મધર સ્મરણ રૂપે જડાઈ ગઈ.
બન્ની પ્રદેશ: ભિન્ડીયાર જો કે અમે ભૂજથી નીકળ્યા ત્યારે બન્ની પ્રદેશમાં થઈને કચ્છના ઉત્તર સીમાડા પર આવેલા ખાવડા ગામે ગયા હતા, પણ અમારે કાર્યક્રમ આ બન્ની પ્રદેશમાં આવેલા ભિન્ડીયારા ગામમાં પાછા ફરતાં રોકાવાને હતો. આ ભિન્ડીયારા, ખાવડાથી ૧૪ માઈલ લગભગ એના એ જ માર્ગ ઉપર પણ જરાક બાજુએ આવેલું છે. અહિં વસતા માલધારી લોકો જેઓ જાતના મુસલમાન છે, તેમને મળવાનું પ્રેમજીભાઈએ અમારા માટે ગોઠવ્યું હતું. અહિ અમારા માટે વન ભજનને પ્રબંધ કરવામાં આવ્યો હતો.
શ્રી પ્રેમજીભાઈએ એમના વકતવ્યમાં જણાવ્યું હતું તેમ આ બન્ની પ્રદેશ કચ્છના ઉત્તર ભાગમાં આવ્યો છે. તેને અડકીને કચ્છનું રણ પથરાયેલું છે. આ પ્રદેશ ૬૨૪ ચોરસ માઈલનું ક્ષેત્રફળ ધરાવે છે અને આ આખે ચરિયાણ પ્રદેશ છે. ભારતભરમાં આવડો મોટો ચરિયાણ પ્રદેશ અન્ય કોઈપણ રાજ્યમાં નથી. અહિં મોટા ભાગે માલધારીઓ વસે છે, અને કેવળ પશુઉછેરને તેમને વ્યવસાય છે. આ પ્રદેશમાં વૃક્ષો બહુ જ ઓછાં છે અને જમીન ઉપર મોટા ભાગે ઘાસ ઉગે છે જેના ઉપર અહિં વસતા ઢોરોનું પોષણ થાય છે. " અમે ભિન્ડીયારા પહોંરયા એટલે ત્યાં એકઠા થયેલા માલધારી લોકોએ અમારું સ્વાગત કર્યું અને ઝાડના છાંયડા નીચે અમારા માટે બીછાવેલા ખાટલા નાંખી રાખ્યા હતા જ્યાં તેમણે અમને બહુ ભાવપૂર્વક બેસાડ્યા અને પછી તેઓ અમારી સામે ટોળું મળીને જમીન ઉપરબેઠા. આ માલધારી ભાઈઓને પોશાક રંગીન અને વૈવિધ્યથી સુન્દર લાગતો હતો. માથે મોટી પાઘડીઓ, મોઢા ઉપર મોટી મોટી દાઢી અને
નાક ઘ
મ
- કમ
— -
- - - - -