SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૦ મળી ત્યાં કોટિલિંગેશ્વરની પ્રતિષ્ઠા કરી. ત્યારથી કચ્છનું કોટિલિંગેશ્વર કોટેશ્વરના નામથી પ્રસિદ્ધ થઈ યાત્રાનું મહાધામ બન્યું. આ પુરાણોલ્લેખ પછી સ્નુઆન—ચુંઆંગ Hiuan Tsang (જેને સામાન્ય રીતે હ્યુએનત્સંગ કહે છે તે ) નામના જાણીતા ચીની મુસાફરની પ્રાચીન પ્રવાસપેાથીમાં કોરીનાળનાં કાંઠે આવેલા કોટેશ્વર બંદરના નિર્દેશ કરવામાં આવ્યો છે. એમાં સિંધુનાં મુખ પાસે, મહાર્ણવને કાંઠે, આશરે પાંચેક માઈલનાં ઘેરાવામાં આવેલું, કહી આ બંદરનું નામ, ‘કાઇત—શ—યલ’ એવું ચીનીમાં અપભ્રંશ પામેલું નામ શ્યુઆન ગુઆડ આપે છે. તેમાં પાંચ હજાર સાધુઆના એશી મઠો હોવાનું તે લખે છે. આ વસાહતના મધ્ય ભાગે શિલ્પસમૃદ્ધ મહેશ મંદિર અને બીજા બાર દેવાલયો હોવાના નિર્દેશ પણ તે કરે છે અને ત્યાં ભભૂતિ ચાળી રહેતા શૈવમાર્ગીઓ પૂજનઅર્ચન કરતા એમ જણાવે છે. પ્રબુદ્ધ જીવન આ મંદિરના પાઠીયા વિષે તથા જીર્ણોદ્ધાર વિષે એમ જાણવા મળે છે કે રાએળશ્રી દેશળજી માટાઓ (૧૭૧૮--૧૭૪૧) કોટેશ્વર મહાદેવને મોટો મજાનો પિત્તળનો પોઠિયો બનાવ્યો, ત્યારે તેમની રાણી મહાકુંવરે નીલકંઠ મહાદેવના જીર્ણોદ્ધાર કરાવ્યા. ઉપરાંત ત્યાં અન્ય સમારકામ સુંદરજી શેઠ અને જેઠા શિવજીએ પણ કરાવેલાં છે. આ સ્થાન–પુરાણી ભવ્યતા સાચવતું કોટેશ્વરનું ઊંચું દેવાલય—દરિયામાંથી દૂર દેખાઈ સાગરખેડૂઓના હૈયાને હામ આપે છે, જમાનાનાં ઝેર ગળે ઉતારી મહાકાળ નીલકંઠ, કોટેશ્વરના ધર્મસાગરના ઓઢ પછી આવવાની ભરતીની પ્રતીક્ષા કરતા, સમુદ્રના નીલવારિથી વીંટળાતા જે ખખડધજ શિવાલયમાં ધ્યાનરત છે એ ફુડદા ઉપર પહોંચતાં ત્યાંની પુરાતન પવિત્રતાનો ભાવ હ્રદયમાં ધબકે છે. આ નીલકંઠના ફડદે પહેલાં તપસ્વીઓ અને યાત્રીઓ ભરેલાં વહાણા ઠલવાતાં, તપસ્વીએ ઝંખે છે એવી એ ભૂમિ આજે નિર્જન બની છે. પણ જયાં સિંધુના મીઠાં મહેરામણના માહક સમુદ્રસંગમ થતા એ કોટેશ્વરની ‘કોરીનાળ’નું કુદરતી સૌંદર્ય તે હજુયે આજે પણ શાંતિની દીક્ષા દેતું દિવ્ય દર્શન આપી મનને પ્રસન્ન કરે છે. માતાને મડ કોટેશ્વરને કોટિ કોટિ વંદન કરી અમારા સંઘ માતાના મઢ તરફ ઉપડયો, જ્યાં અમારું રાત્રિભાજન અને રાત્રિ-રોકાણ હતું. રાતે ૮-૦૦ વાગે અમે માતાના મઢમાં પહેોંચી ગયા—ગામમાં ઈલેકટ્રીક બત્તી ન હતી. દરવાજામાંથી અમારી બસ પસાર ન થઈ શકી એટલે ગામની ભાગાળે દરવાજા બહાર અમે બસ ઊભી કરી– અહીં પહોંચતાં પહેલાં અમારી બસ થોડીક ભૂલી પડી હતી. પરંતુ ત્યાં સામેથી જ અમારી પાયલેટ કારમાં બેઠેલા મગનભાઈ અમારી શોધખોળ કરતા આવી લાગ્યા અને અમને માતાના મઢમાં પહોંચાડયા. માતાનાં મઢ એ રાજ્યની કૂળદેવીનું ગામ છે. અહીં મહંતજાગીરદાર રહે છે. મંદિર પણ છે. અહીં જાગીરદારને ત્યાં અમે ખીચડી રોટલાને ન્યાય આપ્યો. ઠંડી ઠીક-ઠીક હતી. ભાજન બાદ કેટલાક ભાઈ-બહેન, ગામમાં નટના ખેલ ચાલતા હતા તે જોવા ગયા. કેટલાક સૂઈ ગયા. બુધવાર તા. ૧૦–૨-૬૫ માતાના મઢનાં મંદિરમાં વહેલી પ્રભાતે ચાઘડીયા - શરણાઈ - નગારા વાગ્યા. આ સ્થળ પવિત્ર છે અને અહિનું પ્રભાત મંગલ પ્રભાત છે એવું અનુભવાયું. સવારે બધાએ નાહી લીધું. ચાહ પીધી. સાથે લાવેલા નાસ્તાને ન્યાય આપ્યો અને હીંગળાજ માતાના મંદિરમાં તથા આશાપુરાનાં મંદિરમાં દર્શન કરી સૌએ બસમાં જગ્યા લીધી. આશાપુરાનો ધૂપ વખણાય છે એવું કહેતાં કેટલાકે ધૂપ લીધા પણ પાછળથી આ ધૂપે એમના કપડા જ કાળા કાળા કર્યા અને એ કાળા કોલસાને ફેંકી દીધા. Cl. 25-8-4 કચ્છ કડવા પાટીદાર સમાજની બોર્ડિ ંગમાં અમારે ભાજન લેવાનું હતું. અમે લગભગ ૧૧ વાગે પહોંચી ગયા હતા. અહિં નખત્રાણામાં અમારું સ્વાગત અહિંના જાણીતા કૉંગ્રેસ કાર્યકર શ્રી જુગતરામભાઈ રાવળે કર્યું. અહિંની બોર્ડિંગના ગૃહપતિ શ્રી હીરજીભાઈ ઠક્કર હતા. સમય હતો એટલે નખત્રાણા ગામમાં ગયા. ત્યાં ખાદીભંડાર જોયો. દેરાસરમાં પણ ગયા. ત્યાં દિવાલે પર પટનાં સુંદર ચિત્રો દોરવામાં આવ્યા હતા. બજારમાંથી એક મિત્રે પેાલૈયા લીધા. અમે બોર્ડિગમાં પાછા ફર્યા. અહિં અમારા મિત્રે પોપૈયો ભાંગ્યો અને એની લ્હાણ કરી. છાલ બોર્ડિંગના કમ્પાઉન્ડમાં નાખી. અમારા અજિતભાઈ આથી ચીઢાઈ ગયા - અને છાલ એમની જ પાસે ઉપડાવી ડબ્બામાં નંખાવી સ્વચ્છતાનો તેમને પાઠ શીખડાવ્યો. એક પંગતે લાડવાનું મિષ્ટાન્ન જમ્યા - લાડવા તા એટલા સ્વાદિષ્ટ હતા કે દાઢે લાગી ગયા. નખત્રાણા અમારે માતાના મઢથી નખત્રાણા જવાનું હતું. નખત્રાણા મેટું શહેર લાગ્યું - હવે અમારો ગામડાના પ્રવાસ થોડો ઘણા પૂરા થયા હતા - શહેર આવે એટલે ડામરનાં પહેાળા પાકા રસ્તા આવે. સુંદર માળવાળા મકાનો આવે. એટલે ચાર દિવસથી જોવા નહાતા મળતાં એવાં મકાનો હવે જોવાં મળ્યાં - આથી આનંદ થયો. નખત્રાણામાં ભાજન બાદ વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ રાખવામાં આવ્યા. શરૂઆતમાં શ્રી હીરજીભાઈએ કહ્યું કે, “જેએસ યાત્રા કરી આવે તેમનાં દર્શન કરવા એ પણ એક પુણ્યનું કામ છે.” શ્રી. પરમાનંદભાઈએ અમારી યાત્રાના ઉદ્દેશ સમજાવ્યો. શ્રી તનસુખભાઈએ કચ્છના પ્રવાસ મીઠો રહ્યો છે એમ કહ્યું. મેં આભારદર્શન કર્યું. ભૂજ તરફ હવે ૩-૦ વાગ્યા હતાં. સૌ બસમાં બેઠા. બસે ભૂજ ભણી પ્રયાણ કર્યું, જ્યાં અમારું રાત્રિભજન - અને રાત્રિ રોકાણ હતું. રસ્તામાં અમે ‘જખ્ખદેવ' ના દર્શન કર્યા. અહિં એક ૧૦૦૦ વરસ પહેલાની પુરાણકથા એવી છે કે લાખા ફ્ લાણીનો ભત્રીજો ખુવરાક્રૂ૨ હતા અને સવાર નામની કોમને ખૂબ સતાવતા હતા– અને કોઈ બહારનાએ આવી આ ખુવરા ઉપર તીર છેડયું અને પૂંવરાનું મૃત્યુ થયું. બહારના કોઈ સફેદ માણસે કૂંવાને માર્યો એટલે તેને જખદેવ કહેવામાં આવે છે. અહિં સફેદ ઘોડા ઉપર અસ્વાર હોય એ જાતના સંખ્યાબંધ પૂતળાઓ મૂકવામાં આવ્યા છે. અહિં પુંઅરેશ્વર મંદિર પણ છે. આ શિવમંદિરનું શિલ્પસ્થાપત્ય ૧૦૦૦ વર્ષ પહેલાનાં શિલ્પસ્થાપત્યનો ખ્યાલ આપે છે. કહેવાય છે કે પુંવરાએ પેાતાની રાણી રાજેંને ખૂશ કરવા આ શિવમંદિર બંધાવ્યું હતું. વચમાં દેશલપર ગામડું આવ્યું - ત્યાં છાપરીમાં બધાએ ચાહન પીધી. સાંજે ૬-૦ નો સમય થયો - મોટું શહેર દેખાવા લાગ્યું. આ જ હતું કચ્છની રાજધાની ભુજ. ડોસાજીની ધર્મશાળા પાસે કચ્છમિત્રના વ્યવસ્થાપક જમનાદાસભાઈ, ‘જન્મભૂમિ'વાળા સદાવ્રતીભાઈ અને કચ્છમિત્રનાં તંત્રી શ્રી ઝુમખલાલ મહેતા હાજર હતાં. ધર્મશાળામાં સૌ ગોઠવાયા. હાથપગ ધોઈ ગામમાં વાણીયાની ભાજનશાળામાં અમારે માટે ભાજનની વ્યવસ્થા થઈ હતી. - ત્યાં રોટલી દાળભાત શાક ખાવાની બધાને મજા આવી - રોટલી આજે ઘણા દિવસે મળતી હતી એટલે ભાજન વધારે મીઠું લાગ્યું. ચીમનલાલ જેઠાલાલ શાહ અપૂર્ણ વિષયસૂચિ શ્રી કિસનસિંહ ચાવડાના વાર્તાલાપ સુકી ધરતીનાં મીઠાં સ્મરણા: ૩ જૈન સમાજ અને આચાર્ય રજનીશજી ભાષાવિષયક કટોકટી ભાષા વિષયક કોંગ્રેસ કારોબારીના પ્રસ્તાવ પ્રકીર્ણ નોંધ: ભાવનગરના લોકપ્રિય નરેશના અકાળ સ્વર્ગવાસ, ગાંધીજી વિષે ભાવનગર નરેશના યાદગાર પત્ર, ઉપધાન સમાર’ભ અંગે થોડા ખુલાસા, આપણા અધ:પતનની પરાકાષ્ટા, અહિંસક પ્રતિકાર પૃષ્ઠ ૨૬૭ પરમાનંદ ચીમનલાલ જેઠાલાલ શાહ ૨૬૮ પરમાનંદ ૨૭૧ ડૉ. કનૈયાલાલ મા. મુનશી ૨૭૨ પરમાનંદ પરમાનંદી ૨૭૪ ૨૭૪ ડા. શારદાબહેન ગારડીઆ ૨૭૭
SR No.525950
Book TitlePrabuddha Jivan 1965 Year 26 Ank 17 to 24 and Year 27 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1965
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy