________________
તા. ૧૬-૪-૯૫
અમારાથી અહીં તેટલે સમય ખાટી થઈ શકાય તેમ નહોતું, કારણ કે અહીંથી અમારે કોટેશ્વર મહાદેવ જવું હતું અને ત્યાંથી બસના ત્રણ-ચાર કલાકના માર્ગ ઉપર આવેલ માતાના મઢે પહોંચવું હતું. આમ હોવાથી ભગવાનનાં દર્શનથી અમે વંચિત રહ્યાં. એમ છતાં આસપાસ બધે ફર્યા, મંદિરને અડીને પથરાયેલું નારાયણ સરોવર જોયું. સરોવરનાં પાણી બંધિયાર હોઈને ગંદા હતાં, છતાં એમાં ભકતજનોને ભાવથી અને આનંદથી અમે ન્હાતાંધાતાં જોયાં, અને શ્રાદ્ધાની અંધશ્રાદ્ધાની લોકમાનસ ઉપર કેટલી મજબૂત પકડ છે તેના વિચાર આવતાં આશ્ચર્ય તેમ જ ખિન્નતા અનુભવી. સંભવ છે કે આ સરોવર એક વખત ઘણું વિશાળ હશે. કહેવાય છે કે આ સરોવર સિંધુ નદી અને અરબ્બી સમુદ્રના સંગમ ઉપર આવ્યું હતું, પણ સમયના વહેવા સાથે જાતજાતના ભૌગોલિક ફેરફારોના પરિણામે આજે તો આ સરોવર સરોવર પણ નથી રહ્યું, પણ ચેમાસા દરમિયાન આસપાસનાં વહેણાનાં પાણીથી ભરાતું લાગતું નાનું સરખું તળાવ બની ગયું છે. આમ છતાં પણ આ સરોવરને એક યાત્રાનું ધામ ગણવામાં આવે છે અને દેશના ખૂણેખૂણેથી યાત્રાળુઓ અહિં આવીને જીવનની ધન્યતા અનુભવે છે.
શ્રી રામસિંહજી રાઠોડે કચ્છને લગતી વિપુલ માહિતી આપતા ‘કચ્છનું સંસ્કૃતિ દર્શન’ એ નામના એક સચિત્ર અને અભ્યાસપૂર્ણ ગ્રંથ લખ્યો છે. તે ગ્રંથમાં નારાયણ સરોવરનું પૌરાણિક તેમ ઐતિહાસિક મહત્ત્વ દાખવતી કેટલીક વિગતો આપી છે તેમાંથી અહિં નીચે થોડી તારવણી આપું છું. આશા રાખું છું કે નારાયણ સરોવરની મહત્તા સમજવા માટે આ તારવણી ઉપયોગી થશે.
પ્રબુદ્ધ જીવન
હિંદુ ધર્મશાસ્ત્રોએ ભારતમાં પાંચ પવિત્ર સરોવરો ગણાવ્યાં છે. ઉત્તરે કૈલાસ, દક્ષિણમાં પંપા, પૂર્વે ભૂવનેશ્વરમાં બિંદુ, પશ્ચિમે નારાયણ અને મધ્યમાં પુષ્કર. શ્રીમદ્ભાગવત માં નારાયણ સરોવરને મહિમા આ રીતે ગાયા છે:
तत्र नारायणसरस् तीर्थं सिन्धुसमुद्रयोः । संगमो यत्र सुमहन् मुनि सिद्धनिषेवितम् ॥ દક્ષપ્રજાપતિએ દશ હજાર પુત્રો ઉત્પન્ન કર્યાં. હર્યશ્વ નામના આ ભાઈઓને દક્ષે પ્રજા ઉત્પન્ન કરવાની પ્રેરણા આપી ત્યારે તેઓએ પશ્ચિમ દિશામાં પ્રયાણ કર્યું. પશ્ચિમે જ્યાં મુનિઓ અને સિદ્ધોએ સેવેલા એવા સિંધુ નદી અને સમુદ્રનો સંગમ થાય છે ત્યાં તેમણે નારાયણતીર્થમાં તપ આદર્યું.
સિંધુનાં મુખા દિવસે દિવસે પશ્ચિમ તરફ ખસતાં ગયાં છે. એ સમયે સિંધુનું એક મુખ્ય મુખ કચ્છની કોરી નાળમાં હતું. ઈ. સ. પૂર્વે ૩૨૫માં સિકંદરે સિંધનું એ પૂર્વમુખ તપાસ્યું ત્યારે ત્યાં “ક્ષીરસાગર કાંઠે આવેલા મીઠા મેરામણ જેવા આ મહાસરોવરને તીરે આવ્યા”ના ઉલ્લેખ તેણે પ્રવાસનોંધમાં કર્યો છે. શ્રીમદ્ ભાગવતમાં નારાયણ સરોવરના ઉલ્લેખ સહિતની ઉપર કહી તે કથા તે પછીના રચાયલા બ્રહ્મવૈવર્તમાં પણ આવેલી છે અને વાયુ, વિષ્ણુ વગેરે અન્ય પુરાણામાં પણ તે કહેલી છે. ભાગવતના રચનાકાળ નવમા શતક લગભગના મનાય છે. જેને તીરે વિષ્ણુના આદિનારાયણ સ્વરૂપનું અનાદિકાળથી પૂજન થાય છે એ નારાયણ સરોવર તેા એ રચાયા પૂર્વે કયારનું યે તેની પ્રસિધ્ધિની ટોચે પહોંચ્યું હશે. હજારેક વર્ષ પહેલાં જયારે સિન્ધુનું વહન ખસતું ખસનું વિશેષ પશ્ચિમમાં ગયું ત્યારે આ સરોવરને પણ અસર થઈ. તે ફીટયું હશે. અને પછી તો બગડતે બગડતે તે આજના જેવું માત્ર સ્થાનિકનાં નાળાંઓથી ભરાતું નાનું એક સરાણ જેવું સ્મરણાવશેષ રહ્ય લાગે છે.
કોટેશ્વર મહાદેવ
(3)
૨૦૯
મંદિર બાંધવામાં આવ્યું છે અને આ મંદિરમાં પ્રવેશ કરતાં કોઈ જૂના તીર્થાધામમાં આપણે આવી ચડયા હાઈએ એવા ભાસ થાય છે. મંદિરના ગર્ભાદ્રારમાં શંકરનું વિશાળ કદનું લિંગ છે. વચ્ચેના મંડપમાં કળાના ઉત્તમ નમુના રૂપ પીત્તળનો એક વિશાળકાય પોઠીયા છે. જમીનની અણી દરિયામાં જાય તેને ભૂશિર કહે છે. આવી ભૂશિરના પહોળા ભાગ ઉપર ઊંચાણમાં આ મંદિર આવેલું હોઈને આ મંદિરમાંથી સમુદ્રનું ભારે અદ્ભુત દશ્ય નજરે પડેછે. ભૂશિરને છેડે પણ એક નાનું સરખું દેવાલય દ્રષ્ટિગોચર થાય છે અને દૂર દૂર સિંધની ભૂમિને પણ દ્રષ્ટિ સ્પર્શે છે. સાંજના સમય હતો; સૂર્યના હળવા બનતા જતા તડકા મધુર લાગતા હતા અને સામે દેખાતું વિરાટ દ્રષ્ય આંખોને તેમ જ મનને ભરી દેતું હતું. અહિં મંદિરના એક ખુણે ઊભા રહીને જોયા જ કરીએ એવી ઉત્સુકતા અને પ્રસન્નતા ચિત્ત અનુભવી રહ્યું હતું. આ કોટેશ્વર મહાદેવની સ્થાપના સાથે દશ માથાવાળા રાવણની એક ભારે રોચક કથા જોડાયલી છે. એ કથા વાસ્તવિક છેએમ સમજીને નહિ પણ આ ધર્મસ્થાનકની ગરિમાને એ કથા કલ્પના પ્રત્યક્ષ કરે છે અને સાથે સાથે એક પરમ જીવનસત્ય રજૂ કરે છે એમ સમજીને કચ્છનું સંસ્કૃતિદર્શનમાંથી નીચે ઉષ્કૃત કરવાને હું લલચાઉ છું. કચ્છના એક પશ્ચિમ કાંઠે-પાકિસ્તાનની તદ્ન નજીક અને કરાંચીની બરોબર સામે ‘કોરી નાળ’ના નાકા ઉપર આવેલું હિંદનું એક માત્ર બંદર કોટેશ્વર વિશિષ્ટ ભૌગાલિક સ્થાન ધરાવે છે એ ઘણાના ખ્યાલ બહાર હશે. આજે આવું મહત્ત્વનું સ્થાન ધરાવતું એ સ્થાન લોકોમાં એક પુરાણાકત ધામ ગણાય છે. એની માહાત્મ્યકથા એવી કહેવાય છે કે, દશાનન રાવણે કૈલાસમાં તપ આદર્યું, રાવણની ભકિતથી પ્રસન્ન થઈ કલાસપતિ શિવે તેને મોં માગ્યો વર માગવા કહ્યું. રાવણે તો “સદા શિવભકિત કરતા રહું” એટલું જ ઈચ્છું, છતાં શિવે પ્રસન્નતાથી પોતાની આધ્યાત્મિક શકિતની પ્રતિષ્ઠા કરેલું લિંગ તેને આપ્યું. આવી સબળ શંકરશકિત મેળવી રાવણ અજરામર બની જશે એ ભયના માર્યા દેવા કંપી ઊઠયા અને રાવણ પાસેથી કોઈ પણ રીતે એ લિંગ પડાવી લેવાના છળ રમ્યો.
આ નારાયણ સરોવરને નમન કરીને અમે અહિંથી એકાદ માઈલ દૂર આવેલા કોટેશ્વર મહાદેવના અલૈાકિક સ્થળે પહેોંચ્યા. કચ્છની વાયવ્ય દિશાના ખુણે ઊંચાણમાં આવેલા સ્થળ ઉપર આ
રાવણને માર્ગે બ્રહ્મા ગાયનું રૂપ લઈને એક કીચડભર્યા ખાડામાં પડી તડફડવા લાગ્યા. અન્ય દેવતાઓએ દોરડાંથી ખેચી ગાયને ઉગારતા હોવાનો દેખાવ કર્યાં. દેવાની બેહાલ સ્થિતિ અને ગાયની દયામણી હાલત જોઈ રાવણને અનુકંપા થઈ. તેના જમણા હાથમાં લિંગ હાઈ, તે માત્ર ડાબા હાથે દોરડું ખેંચવા લાગ્યો. આ પ્રયત્નમાં નિષ્ફળ જતાં રાવણ ડોળ કરનારમાં ખપ્યા અને હાંસીપાત્ર બન્યો. આથી તેનું હૃદય ઉકળી ઉઠયું અને જમણા હાથમાંનું લિંગ ધરતી પર રાખી બન્ને હાથે ગાયને ખાડામાંથી ખેંચી કાઢો. દરમિયાનમાં ધરતી પર મુકાયેલું લિંગ વીશકિતથી તેને કોટિ લિંગરૂપે દેખાયું ! રાવણને લગતી આ કથામાંથી નીતરતું જીવનસત્ય આ મુજબ છે. રાવણે અપૂર્વ ભકિત દ્વારા મહાદેવને પ્રસન્ન કરીને શિવલિંગ પ્રાપ્ત કર્યું અને અજરામર બની ગયાની નિશ્ચિન્તતા અનુભવી, પણ વિધિાનર્માણને કોઈ પણ માનવીનું આવું કોઈ અજરામરત્વ કાર્દ સંમત હોતું નથી. અને પોતાને બવ બાજુએથી સહીસલામત— secureમાનનાર માનવીના હાથે જ વિધાતા એવી ભૂલ કરાવે છે કે તેનું અજરામરત્વ–Complete security and immunity from old agc and death—તેના હાથમાંથી સરી જાય છે. આ ઉપરથી ‘હુ હવે બધી રીતે secure છું”, સહીસલામત છું એવું માનવીનું અભિમાન એ કેવળ ભ્રમ અને જ્ઞાન છે અને જન્મના ક્રમમાં જરા અને મૃત્યુ એ જ સત્ય અને વાસ્તવિકતા છે અને દીનતા, નમ્રતા એ જ સાચી જીવનવૃત્તિ છે– આવા બાધ ઉપરની પુરાણકથામાંથી આપણને પ્રાપ્ત થાય છે.
લિંગમાંથી પોતાનું મૂળ આણેલું લિંગ કર્યું તે પિછાનવાનો રાવણને કોયડો થઈ પડયા. છેવટે તેમાંનું એક લિંગ પોતાનું માની લેતાં બીજા લિંગસ્વરૂપે અદશ્ય બની ગયાં. પણ રાવણનું માનેલું લિંગ ત્યાં જ ધરતી સાથે જડાઈને સ્થાપિત થઈ ગયું. આ રીતે લિંગને પોતાથી અલગ કરીને ધરતી પર મૂકતાં રાવણે મેળવેલી અજરામર શકિત ગુમાવી, રુદ્રના રોષ ન ઉતરે તે માટે બધા દેવાએ