SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન તા. ૧-૪-૯૫ લડતમાં તે હિંસા અવ્યવહારુ છે, તેમ જ અનૈતિક અથવા તો નીતિવિરોધી પણ છે જ. તે અનેક કારણાસર અવ્યવહારુ છે; તેમાંનું મોટામાં મોટું કારણ એ છે કે આપણા ઘણાએ હરીફો આપણે હિંસાત્મક ચળવળ ચલાવીએ એવું જ ઈચ્છતા હોય છે કે જેથી હુલ્લડ દબાવી દેવાના ઓઠા હેઠળ તેઓ અનેક નિર્દોષ મનુષ્યોના સંહાર કરી શકે છે. મને બરાબર યાદ છે કે આલ્બામામાં બરમીંગહામમાં જે જાહેર સલામતીના રખેવાળ હતા તે કમિશનર કોનર જેને સૌ આખલા’ના નામથી ઓળખતું હતું તે જ્યારે નિગ્રો કોમની બાજુ પરથી કોઈ પથ્થર ફેંકતું ત્યારે ખૂબ રાજી થતો; પણ જ્યારે આપણે અહિંસક બની રહેતા ત્યારે તે હંમેશાં નારાજ થતા. તે હિંસા સામે કામ કેમ લેવું તે જાણતો, પણ અહિંસાનો સામનો કરવાનું તે જાણતો નહોતો. વળી હિંસા અવ્યવહારુ છે, કારણ કે આંખની સામે આંખ લેવાની જૂની ફિલસૂફીનું પરિણામ સર્વ કોઈને આંધળા બનાવે છે. આમ આ રીત સદંતર ખોટી છે. વળી આ રીત નીતિવિરોધી પણ છે. તે નીતિની વિરુદ્ધ એટલા માટે છે કે તે એક દુષિત ચક્ર છે જે સર્વ કોઈના વિનાશમાં પરિણમે છે. તે રીત ખોટી છે, કારણ કે તે રીત પ્રતિપક્ષીમાં પલટો લાવવાને બદલે તેને નાબૂદ કરવા તરફ જ ઢળે છે. તે રીત ખોટી છે, કારણ કે તેથી વિવિધ વલણા વચ્ચે સમન્વય સાધવાને બદલે અમુક એક જ વલણને પ્રતિષ્ઠિત કરવા માગે છે. આમ, આપણી બરમીંગ્ઝામમાં વસતી .તેમ જ અન્ય સ્થળોએ વસતી કોમેાએ જે સહન કર્યું છે તે દુ:ખદ બીના સ્વીકારવા છતાં, હું હજી પણ માનું છું કે, સ્વતંત્રતા અને ન્યાય માટેની લડતમાં નિગ્રો માટે અહિંસા જ એક માત્ર અમોઘ શસ્ત્ર છે. જો આપણી લડતમાં હિંસા વાપરવા માટેની લાલચને આપણે તાબે થઈશું તો આપણી હવે પછીની પેઢીને લાંબા કાળ સુધી તીવ્ર કડવાશભર્યા ઘૂંટડા ભરવા પડશે. એક ત્રીજી રીત પણ છે અને એ છે અહિંસક પ્રતિકારની, રીત. હું માનું છું કે આજના પરિવર્તનના તંગદિલીભર્યા સમયમાં આપણને આ જ રીત સાચી માર્ગદર્શક બનશે. આપણે જૂની પરિસ્થિતિમાંથી નવી પરિસ્થિતિમાં પ્રવેશ કરી રહ્યા છીએ. નવા યુગના જન્મકાળની અનિવાર્ય પ્રસૂતિવેદના અને અનિવાર્ય દુ:ખો આપણે સહન કરવાં પડશે. પરંતુ હું માનું છું કે નવા યુગના આદર્શો, ધ્યેયો અને સિદ્ધાંતાની સ્થાપના કરવા માટે અહિંસા જ એકમાત્ર રીત છે. હવે આપણે આ ફિલસુફી અને તેમાં રહેલ પાયાના વિચારને સમજીએ. અહિંસા વિષે આપણે અનેકવાર વાતો કરીએ છીએ અને સાંભળીએ છીએ, છતાં ઘણીયે વાર આપણે તેના હાર્દને સમજવામાં ગાથું ખાઈ જઈએ છીએ. પહેલું તો મારે એ જણાવવાનું છે કે અહિંસાની ફિલસુફી એવી અપેક્ષા રાખે છે કે આપણે યોજીએ છીએ તે સાધના પણ આપણે મેળવવા માગતા સાધ્યો જેટલાં જ પવિત્ર હાવાં જોઈએ, સાધન અને સાધ્યનો સુમેળ હોવા જ જોઈએ. સાધન અને સાધ્ય અવિભાજ્ય છે. સાધન એ બની રહેલ આદર્શનું પ્રતિનિધિ છે. અને ઈતિહાસના લાંબા ગાળામાં ખંડનાત્મક સાધન કદીયે મંડનાત્મક પરિણામ લાવી શકે નહિ. નીતિવરોધી સાધન વડે કદી નીતિની સ્થાપના થાય નહિ અને તેથી જ અહિંસા વિચાર એમ પ્રતિપાદિત કરે છે કે સાધન અને સાધ્ય બંને વચ્ચે સુમેળ હોવા જ જોઈએ, અહિંસા એ નૈતિક સાધનો દ્વારા સાત્વિક પરિણામની અવિરામ ખાજ છે. અહિંસા વિષે ધ્યાનમાં લેવાયાગ્ય બીજી બાબત એ છે કે પ્રતિપક્ષીને દુ:ખ પહોંચાડવાનું ધ્યેય કદી કોઈનું પણ હોઈ શકે નહિ. ભારતીય વિચારણામાં તેઓ આ વિચારને ‘અહિંસા’–કોઈને દુ:ખ ન પહોંચાડવું—એવું નામ આપે છે. અહિંસક શિસ્ત અને અહિંસક ફિલસૂફીના પાયામાં આ વસ્તુ રહેલી છે, અને એને બે બાજુ છે. પહેલી એ કે તમે બાહ્ય શારીરિક હિંસા કરવાથી દૂર રહો. અહિંસક આંદોલનમાં ભાગ લેવા તૈયાર થનાર દરેક ને આપણે એક ૨૫ બાબત એ કહીએ છીએ કે તમારે શારીરિક બળની સામે થવાનું નથી, તેને સામનો કરવાનો નથી. તમને મારવામાં આવે તો પણ તમારે તે બળની સામે બળનો ઉપયોગ કરવાના નથી. તમારે સામને કર્યા વગર માર ખાવા માટે તૈયાર રહેવું જોઈશે. આ રીતે અહિંસા એમ સૂચવે છે કે બાહ્ય શારીરિક હિંસામાં સામેલ થવાના તેની હરીફાઈમાં ઊતરવાના—તમારે સ્પષ્ટ ઈન્કાર કરવા. એમાંથી સાથે સાથે એ પણ ફલિત થાય છે કે તમારે તમારા શત્રુને ધિક્કારવાની ના પાડવાના ધ્યેય તરફ સતત પ્રગતિ કરવાની રહે છે. તમારે સતત એ દિશા તરફ પ્રગતિ કરવાની છે કે જ્યાં તમે આખરે તમારા શત્રુને અંતરથી ચાહતા થા. ઘણાયે લોકો આ પ્રકારની વિચારણા અંગે મુંઝવણ અનુભવે છે. તેઓ મને વારંવાર પૂછે છે: ‘તમારા શત્રુને ચાહા' એમ તમે કહા છે ત્યારે તમે શું કહેવા માગેા છે? એક દિવસ પ્રવચન પછી એક જણે મને પૂછ્યું, ‘હું અહિંસાની પદ્ધતિ સુધી વિચારી શકું છું અને હું જોઈ શકું છું કે તે ઉત્તમ યુકિત અને ઉત્તમ સાધન છે એ તમારી વાત સાચી છે, પણ જ્યારે તમે આ ચાહવાની વાત કરો છે ત્યારે તે મારી સમજમાં નથી આવતું.’ તો તમારે સમજવું જોઈએ અને સ્વીકારવું જોઈએ કે આ ‘પ્રેમવાદ’ અહિંસાના કેન્દ્રસ્થાને બિરાજે છે. પ્રેમ એ અહિંસાની ઉત્કૃષ્ટતમ અભિવ્યકિત છે, જો કે ઘણાયે લાકો આ ‘પ્રેમ’ વિષે ગેરસમજણ ધરાવે છે. તેઓ એવું માને છે કે જ્યારે તમે પ્રેમની વાત કરો છે ત્યારે તમે વ્યકિતગત હોય એ પ્રકારની એક લાગણીની – વ્યકિતગત સ્નેહભર્યા સંવેદનનીવાત કરો છે. પણ આમ કહેવું અથવા અપેક્ષા રાખવી એ નરી મૂર્ખતા છે એમ કબૂલ કરવામાં હું સૌથી આગળ આવીશ. તમારા સત્તાધારી પ્રતિપક્ષીઓને લાગણીપૂર્વક ચાહો એમ કચડાયેલાઓને કહેવું એ તદ્ન વાહિયાત વાત છે; એમ કરવું મુશ્કેલ એ લગભગ અશકય છે. આથી જ્યારે હું આ ‘પ્રેમવાદ’વિષે શું કહેવા માગું છું તે સમજાવવાના પ્રયત્ન કરું છું ત્યારે હું ગ્રીક ભાષા તરફ વળું છું. ગ્રીક ભાષામાં ‘Agape' કરીને એક શબ્દ છે. ‘Agape ’ શબ્દ સૌન્દર્યયુકત કે રોમાંચપ્રેરક પ્રેમ કરતાં કંઈક વધુ ગહન છે. તે મિત્રતાથી પણ કંઈક વધુ અર્થસૂચન કરે છે. Agape ' એટલે સર્વ માનવીઓ અંગે સમજણભરી, સર્જનાત્મક સર્વોદયલક્ષી અને સદ્ભાવભરી, કલ્યાણકારી વિચારણા છે. તે એ જાતને પ્રેમપ્રવાહ છે જે બદલાની આશા રાખતો નથી. ધર્મશાસ્ત્રકારો કહે છે તે મુજબ એ મનુષ્યના હૃદયમાં કામ કરતો ઈશ્વરનો પ્રેમ છે. જ્યારે મનુષ્ય આ કક્ષા ઉપરથી પ્રેમ કરવા સમર્થ બને છે ત્યારે તે દરેક માણસ પ્રત્યે સમભાવપૂર્વકના પ્રેમ અનુભવે છે. તે માણસ તેને ગમે છે એટલા માટે નહિ, તેના માર્ગ તેને આકર્ષક લાગે છે એટલા માટે નહિ, પણ ઈશ્વર તેને પ્રેમ કરે છે એટલા માટે તે પણ તેના પ્રત્યે સદ્ભાવ –પ્રેમ દાખવે છે. તે એવી કક્ષાએ પહોંચે છે જ્યાં તે મનુષ્યના અનિષ્ટ કાર્યને વખોડવા છતાં તે અનિષ્ટ કાર્યના કરનારને ચાહે છે. આ હંમેશનું એક ધ્યેય છે અને આ ધ્યેયસિદ્ધિને શકય બનાવવા માટે જો કોઈ યોગ્ય સંધર્ષપદ્ધતિ રજૂ કરવામાં આવે તો તે ખૂબ જ ઈચ્છવાયોગ્ય છે, કેમકે હવે આપણે જોઈશું કે ધિક્કાર એક ભારે ભયાનક વસ્તુ છે. તે ધિક્કાર કરનારને માટે પણ ધિક્કારિત વ્યકિત જેટલા જ હાનિકારક છે. એ ખરેખર અદ્ભુત છે કે અન્યાયી દોષયુકત પ્રથાની સામે નિશ્ચયાત્મક વૃત્તિથી ખડા થવું અને છતાં પ્રતિપક્ષી પ્રત્યે સદ્ભાવ દાખવવા, આવી કોઈ સંઘર્ષપદ્ધતિ પ્રાપ્ત થવી એને હું એક મોટું સદ્ભાગ્ય લેખું છું. આથી તમે ભેદનીતિને ધિક્કારવા છતાં અને તમારી રાઘળી શકિતથી તેની સામે થવા છતાં તમે ભાનભૂલેલી વ્યકિત માટે સમજદારીપૂર્વકની સદ્ભાવયુકત ચાહના જાળવી શકવાની કક્ષાએ પહોંચા છે. --અપૂર્ણ અનુવાદિકા : મૂળ અંગ્રેજી : ડૉ. માર્ટીન લ્યુથર કીંગ ડૉ. શારદાબહેન ગોરડિયા,
SR No.525950
Book TitlePrabuddha Jivan 1965 Year 26 Ank 17 to 24 and Year 27 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1965
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy