SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુ જીવન 卐 યંત્રવિજ્ઞાન અને યુદ્ધ 5 [ પ્રોફેસર મેક્ષબાર્ન એક અગ્રગણ્ય પરમાણુવિજ્ઞાની છે. પરમાણુની રચના અંગે તેમનું સંશોધન જાણીતું છે. પ્રોફેસર મેક્ષબાર્ન લોકભાગ્ય ભાષામાં વિજ્ઞાનના એક અચ્છા લેખક છે. તેમણે પોતાના પુત્રને પરમાણુવિજ્ઞાન સમજાવવા Restless Universe નામનું પુસ્તક લખ્યું છે, જેમાં વિષયનું નિરૂપણ એટલું સરળ છેકે, સૌ કોઈ સમજી શકે. તેમાં આપેલા ચિત્રાની ગાઠવણ એવી રીતે કરી છે કે પાનાં ફરવા એટલે સિનેમાની માફક ચિત્રોની પરંપરા દેખાય. તા. ૧-૧-૧૫ બુલેટીન ઑફ ધી એમિક સાયન્ટીસ્ટ્સના તાજેતરના અંકમાં આવેલા તેમના આ લેખ Technology and war'' પરમાયુગની વિષમતાઓના ખ્યાલ આપે છે. આ બુલેટીન દુનિયાના અગ્રગણ્ય વિજ્ઞાનીઓ ચલાવે છે અને તેમાં પરમાણ્યુગમાં વિજ્ઞાનીઆની જવાબદારી, વિજ્ઞાન અને સમાજ એવા વિષયો પર નિષ્ણાતો લખે છે. ભૌતિક વિજ્ઞાનના સાહિત્યમાં ‘આશા’ શબ્દ ભાગ્યે જ જૐ છે. ભૌતિક વિજ્ઞાનના સંશોધનલેખ પ્રયોગના આયોજનથી યા અમુક ધારણા પર રચાયેલ ઉપસિદ્ધાંતથી શરૂ થાય છે. છતાં, વિજ્ઞાની તરીકે મારી લાંબી કારકિર્દીના અનુભવોને યાદ કરૂં છું તે એક અવિસ્મરણીય બાબત તરી આવે છે: સંશાધનના કાર્યમાં મેં જે પરિણામની અપેક્ષા રાખી હોય તેથી કાંઈક જુદું પરિણામ આવે ત્યારે નિરાશાનો અનુભવ થાય અને નિરાશા ત્યારે જ સંભવે જ્યારે કોઈ અમુક આશા રાખવામાં આવી હોય. વિજ્ઞાનને લગતા કોઈ પણ વિષય જીવનથી તદન અલગ હોઈ શકતા નથી. અત્યન્ત અનાસક્ત વિજ્ઞાનશાસ્ત્રી આખરે માનવી તો છે જ. પેાતાનું કાર્ય સાચી દિશામાં બરાબર ચાલી રહ્યું છે, પોતાની અન્ત: પ્રેરણા સાચી પુરવાર થાય છે, અને પોતાનું નામ પ્રસિદ્ધિમાં આવે છે એ જોવાનું એને ગમે છે. જ્ઞાનપ્રાપ્તિની ઉત્કંઠાની સાથેાસાથ આવી આશા – અપેક્ષા એના કાર્યના હેતુરૂપ અસ્તિત્વમાં હોય જ છે. છેલ્લા દશકામાં વસ્તુલક્ષી જ્ઞાન અને અમુક ધ્યેયપૂર્વકની જ્ઞાનાપાસના વચ્ચેનું સ્પષ્ટ ભિન્નીકરણ વિજ્ઞાને ભૂંસી નાખ્યું છે, નાશ કર્યું છે. વિજ્ઞાનના કાર્યમાં અને તેની નીતિમાં ફેરફાર થયા છે. મારા જમાનામાં માનવામાં આવતા જ્ઞાનને ખાતર જ્ઞાનના જૂને આદર્શ સાચવી રાખવા એ મુશ્કેલીભર્યું બન્યું છે. સત્યની શોધ એક આદરણીય ઈષ્ટ પ્રવૃત્તિ છે, એટલે કાંઇ પણ અનિષ્ટ એમાંથી પરિલૂમી ન જ શકે એવી વિજ્ઞાનીઓને ખાત્રી હતી. આ સુંદર સ્વપ્નમાંથી દુનિયાના બનાવોએ તેમને જાગૃત કર્યા છે. કુંભકર્ણ નિદ્રામાં માઢેલા ઉંઘણસીઓ પણ ઝબકી ઉઠયા, જ્યારે ૧૯૪૫ના ઑગસ્ટમાં જાપાન પર પ્રથમ પરમાણુ બૉમ્બ ઝીંકવામાં આવ્યું. ત્યાર બાદ અમને સમજાયું કે અમારા સંશાધનનાં પરિણામે દ્વારા અમે માનવજીવન સાથે, તેના અર્થશાસ્ત્ર અને રાજકારણ સાથે, રાજ્યોમાં ચાલતી સત્તાની સામાજિક લડત સાથે સંકળાયેલા છીએ, એટલે અમારી જવાબદારી મોટી છે. મારા મત પ્રમાણે, પરમાણુ બૉમ્બ એ વિજ્ઞાન વિકાસનું છેલ્લું સીમાચિહન છે કે જ્યાંથી હવે કદાચ અંતિમ, ભયંકર હોનારત તરફ જતી ટોટી સમીપ આપણે ગતિ કરી રહ્યા છીએ. આ અટકાવવાની કોઈ પણ ‘આશા’ અત્યારની પરિસ્થિતિ સર્જનાર બનાવોની સાચી સમજણ પર અવલંબે છે. તાત્ત્વિક દ્રષ્ટિએ આ આશાના પ્રશ્નની ગહન ચર્ચાઆલાચના કરવી એ મારૂં કામ નથી. હું તે। મારા પોતાના અનુભવો કહી શકું અને એ કઈ અપેક્ષાઓ તરફ આપણને દોરે છે એ જણાવી શકું. કેટલાક દષ્ટાંત આપીને હું એ બતાવવા માગું છું કે, યુદ્ધને વિજ્ઞાન લાગુ પાડીને નૈતિક બંધનાના કેવી રીતે ક્રમે ક્રમે નાશ કરવામાં આવ્યા અને આજની નિયંત્રણવિહીન - બંધનરહિત પરિસ્થિતિ કેવી રીતે ઊભી કરવામાં આવી. આમાંથી હવે એ જ દિશામાં આગળ વધવાપણું છે જ નહિ; માત્ર અટકવાનું છે અને પાછા ફરવાનું છે. આપણા માથા ઉપર ઝઝુમતી ટોક્ટીમાંથી બચવાની આપણે તાજ આશા રાખી શકીએ તેમ છે. ૧૯૯ યુદ્ધમાં આધુનિક યંત્રવિજ્ઞાનના હિસ્સા હું નિશાળમાં ઈતિહાસના પાઠોમાંથી શીખ્યા હતા. દાખલા તરીકે, ૧૮૬૬ માં પ્રશીયન લશ્કરને ઓસ્ટ્રિયા સામે જીત મેળવવામાં નીડલ ગને (needle gun) કેવી રીતે મદદ કરી. બીજી બાજુએ ઉત્તમ પ્રકારની ચાસેપેટ (chassepot) શસ્ત્રસામગ્રી હોવા છતાં ૧૮૭૦-૧૮૭૧ નું યુદ્ધ ટ્રાન્સે ગુમાવ્યું. આ દર્શાવે છે કે, એ વખતે યુદ્ધમાં યંત્રવિજ્ઞાનમાં ચડિયાતાપશુ' ખૂબ અગત્યનું ગણાતું, પણ નિર્ણયાત્મક નહાનું બનતું. તેમાં રહેલી નૈતિક આપત્તિનું જોખમ સ્વીકારવામાં આવતું અને યુદ્ધમાં માનવતાના વિચાર રેડ ક્રોસ દ્વારા તેમજ અમુક પ્રકારના શસ્ત્રોના નિષેધ, બીનલશ્કરી (સિવિલિયન) પ્રજાનું રક્ષણ વગેરે અંગે જીનિવા કેન્વેન્શન દ્વારા વ્યકત થયો હતો. પ્રથમ યુદ્ધમાં પરિસ્થિતિએ જુદો વળાંક લીધો. લડાઈ જૂની રીતે એટલે કે લશ્કરી કૂચા, વ્યૂહરચના અને મરચા પર ઝપાઝપીએથી શરૂ થઈ. પણ તુરત એ પ્રકાર મૂળભૂત રીતે બદલાઈ ગયો. યુદ્ધ મારા સ્થાયી બન્યો. ખાઈએનું યુદ્ધ વિકાસ પામ્યું. યાંત્રિક તાપમારા દ્વારા મારચામાંથી નીકળી જવાના પ્રયત્નો વારવાર થવા લાગ્યા. સૈનિકની બહાદુરી એક કોTM પડી રહી. સૈનિક તોપમારાનું નિશાન— તાપાનું ખાદ્ય-વધારે ને વધારે બનતો ગયો. તાપના યંત્રવિજ્ઞાને પૂરા પાડેલા અતિમાનુષ ( Superhuman ) બળ વડે સૈનિક વિનાશના નિશાનની ચીજવસ્તુ જેવો બની ગયો. ઉદ્યોગની ખીલવણી અને દેશની ટેકનોલાજીકલ શેાધાની શકિત યુદ્ધનું નિર્ણયાત્મક અંગ બની બેઠું. બર્લિનની લશ્કરી સત્તાના એક સભ્ય તરીકે આ યંત્રવિકાસમાં મેં પણ થોડો ભાગ લીધા હતા. . કહેવાતા ધ્વનિમાપન (Sound ranging) પર મે' અન્ય ભૌતિક વિજ્ઞાનીઓની સાથે કામ કર્યું હતું. જુદી જુદી અવલાકન-જગ્યાએએથી તાપ ફટ–ફાયરીંગ થાય ત્યારે—અવાજ સાંભળવાની ક્ષણ માપીને દુશ્મનની તાપ કર્યાં છે તે શોધવાની આ રીત હતી. આ નાની બાબતને લગતું આયોજન પણ આખરે ઔદ્યોગિક પરિસ્થિતિ પર આધાર રાખતું હતું. આ રીતને બરાબર અસરકારક બનાવવા માટે ચેકસ સમય માપવાના સાધનાની અમે સત્તાવાળાઓ પાસે માગણી કરી હતી. પણ તેની ના પાડવામાં આવી હતી. કારણ કે તત્કાલીન ઉદ્યોગ આ કામ માટે સમય અને સાધનો આપી શકે એમ ન હતા. ઈંગ્લાંડમાં આથી ઉલટું બન્યું. બ્રિટીશરોએ આ બાબતમાં કોઈ પણ ન્હાનું કાઢીને કરકસર કરી નહિ. ‘દેશાભિમાન’ના પ્રચારથી જેના મનમાં મુંઝવણ પેદા ન થઈ હોય એવા તટસ્થ અવલોકનકારને આ યુદ્ધ અંગે જે દષ્ટિબિંદુ લાધ્યું તે આ હતું; દેશના ટેકનોલાજી અને કાચા માલ બુરા પાડવાની શકિત પર યુદ્ધના નિર્ણય થાય છે અને તેમાં દેશના યુવાન બકરાંની માફકઘેટાંની માફક—વધેરાય છે. આ મને અતિ અનીતિમય અને માનવતાવિહારૢ લાગ્યું અને સમજાવા લાગ્યું કે, હવેથી યુદ્ધમાં શૌર્ય કે બહાદુરી નહીં, પણ તંત્રવિજ્ઞાન ટૅકનાલાજી નિર્ણયાત્મક બને છે, અને માનવસમાજમાં ટેકનોલાજી ઉપર અને શારીરિક સામાર્થ્ય ઉપર નિર્ભર એવું યુદ્ધ એ બે વચ્ચે હવે કોઇ મેળ રહ્યો નથી. આ સમજાવવા ૧૯૧૪-૧૮ ના પ્રથમ યુદ્ધમાંથી બે અનુભ વા ટાકું બંને મહાન જર્મન રસાયણવિદ ટ્રિટ્ઝ હેબરના નામ સાથે
SR No.525950
Book TitlePrabuddha Jivan 1965 Year 26 Ank 17 to 24 and Year 27 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1965
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy