________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૪-૬૫
આ એક જાણબુજ બેદરકારી છે–Deliberate Negligence છે. ડુમરામાં ચંદ્ર પ્રભુ સાગરનું દેરાસર છે. આ દેરાસરની કારીગરી અને સ્થાપત્ય ભારે આકર્ષક છે. આ મંદિરનાં દર્શન કરીને અમે જખૌ તરફ રવાના થયા.
*
જખૌ જતાં અમે ‘કોઠારા ' રોકાયા. કોઠારામાં શાંતિનાથજી મહારાજનું દેરાસર છે. આ દેરાસર ઘણું જ મોટું અને સુંદર છે. આ દેરાસર જોઈને બધાંને ખૂબ આનંદ થયો.
*
કોઠારા પહેલા સૂથરી ગામ આવે છે પરંતુ સમયસર જૌ પહોંચ!શે નહિં એમ વિચારીને અમારાં કાર્યક્રમમાં અહિં રોકાવાનું હોવા છતાં અમારે તે પડતું મૂકવું પડેલું. કોઠારા પછી અમે નળીયા ગયા. નળીયા
અહિં અમને તાલુકા વિકાસ અધિકારી વિગેરેના પરિચય કરાવવામાં આવ્યો – અમારું આતિથ્ય કરવા માટે મુંબઈથી ખાસ કચ્છ આવેલ મુંબઈના જાણીતા સમાજસેવિકા માનબાઈ પણ અહિં અમને મળ્યા – તાલુકા પંચાયતનાં પ્રમુખ શ્રી જેઠાલાલભાઈએ સૌના સત્કાર કર્યો અને સૌને ચાહ- બિસ્કીટ આપવામાં આવ્યા. રાંધના સભ્યોના વ્યકિતગત પરિચય મેં સૌને કરાવ્યો. ત્યારબાદ શ્રી પરમાનંદભાઈએ જૈન યુવક સંઘનો ઈતિહાસ ટૂંકમાં કહ્યો અને સંઘની વિવિધ પ્રવૃત્તિઓનો ખ્યાલ આપ્યો, અને ત્યાર પછી શ્રી વિદરાય વારાએ કચ્છના જવલંત ઈતિહાસ એમની રસાળ શૈલીમાં કહી સંભળાવ્યો, જેનો સાર નીચે મુજબ હતો :
“કચ્છનો પ્રદેશ ખેતીપ્રધાન દેશ છે. ઘણીવાર દુષ્કાળની અસર નીચે આવી જાય છે. આથી અહિંના લોકોએ બહારનું ક્ષેત્ર શોધ્યું છે. અહિં પંચતીર્થી છે. અમારા દેશને અવ્યવ સ્થિત રાજકીય માનસમાંથી પસાર થવું પડયું છે. સૌથી પ્રથમ કચ્છી પ્રજાકીય પરિષદ સ્વ. યુસફ મહેરઅલીના પ્રમુખપદે મળેલી. એ પરિષદના છેલ્લા કાળ હતો. પછી અમારો દેશ ગાંધીજીની અસર નીચે આવ્યો. ૧૯૪૭ પછી ૧૯૪૮માં વ્યવસ્થિત રીતે કોંગ્રેસ અહિં આવી. આજે અમે ગુજરાતની અંદર જિલ્લા તરીકે જ છીએ. અમારે ત્યાં ૨૩-૨૪ હાઈસ્કૂલો છે. ૩ થી ૪ એકેડેમીક હાઈસ્કૂલ છે. આજે કચ્છ થોડું બહાર આવતું જાય છે. અમે Development Stageમાંથી પસાર થઈ રહ્યા છીએ. અહિં લોકોનાં દિલમાં પ્રેમ છે. ગામડાનું ખડતલ જીવન અહિં છે. પંચાયત રાજ્ય દ્વારા ગામડે ગામડે શાળા પહોંચી ગઈ ગઈ છે. અમારે ત્યાં નાની બચત યોજના ગુજરાતમાં સારો લક્ષ્યાંક લઈ જાય છે. શૂરાઓ, સંતો અને સતીઓનું આ
ધામ છે.
‘કચ્છના કલાકારો પુસ્તક, જેના લેખક દુલેરાય કરાણી છે-આ પુસ્તક વાંચી જવા આપને ભલામણ છે. કચ્છની ભાષાને લિપિ નથી, પણ ભાષાની અંદર પ્રેમના ધોધ છે. ભાષામાં નાન્યતર જાતિ નથી. ભાષામાં જ્યાં સુધી એક અક્ષરમાં સમજાવી શકાય ત્યાં સુધી બે અક્ષરો ન વાપરવા એવા ભાષાના ભાવ છે. દાખલા તરીકે પુત્રવધૂને ‘નાં’ ગાયને ‘ગા’ અને દોડવાને ‘દો’ કહે છે. અહિં ભરતકામ ઘણું સારું થાય છે. ઊનના વેપાર પણ સારો છે. કચ્છના માણસ સાદે છે. રોટલા - છાશ ખાનારો છે. અહિં રેતી છે. દરિયા છે, વાડી છે, હવા છે, અને ભૂજિયા ડુંગર પણ છે. અહિં હિંદુ મુસલમાનનો પ્રશ્ન જ નથી. દેશમાં કોમ હુલ્લડો થયા છે, પણ અમે કોમી હુલ્લડ કર્યા નથી. બલકે, અહિં મુસલમાનો શીતળામાતાને માને છે. અને હિંદુઓ હાજીપીર જાય છે અને તાબૂતમાં ફાળા પણ આપે છે. ગુજરાત - સૌરાષ્ટ્ર કરતાં મુસલમાનની ટકાવારી અમારે ત્યાં વધારે છે. કહેવાય છે અમારે ત્યાં એક મુસલમાન ફોજદાર થઈ ગયો અને તેણે મુસલમાન સંસ્કૃતિ અહિં આવતી રોકી આને અમારા ઈતિહાસને પાને કચ્છનાં ક્રોમવેલ' કહ્યો છે.
3
૨૫૯
નળીયા – ગામ, અબડાસા તાલુકાનું મુખ્ય ગામ છે. અમારે ત્યાં ખેડૂતો જાગ્યા છે– આયર કોમ પણ જાગી છે. જાડેજા, ભાઈઓ પણ આગળ આવી રહ્યા છે. આ ગામમાં શ્રી પાંડુરંગ શાસ્ત્રીએ “ તત્ત્વ – ભાવના ’ નામની સંસ્થા ચાલુ કરી છે. આ સંસ્થા સાંસ્કૃતિક વિચારો ગામમાં ફેલાવે છે.
.. અંતમાં આભારવિધિ થઈ, રાત પડી ગઈ હતી. સૌ જખૌ તરફ જવા રવાના થયાં..
જખૌ – એટલે કચ્છના પશ્ચિમ વિભાગનો છેડો. આ એક બંદર પણ છે. અહિંથી મીઠું પરદેશમાં ચઢે છે. અમે ગયા ત્યારે જાપાનની એક સ્ટીમર મીઠું લેવા આવી હતી. જો સાલ્વટ વર્કસનાં શ્રી ઝવેરભાઈએ સૌને શીરા - પૂરીનું ભાજન કરાવ્યું. અને ભેજન બાદ જખૌ ગામ જે જખૌ બંદરેથી દસ-બાર માઈલ દૂર છે ત્યાં અમારી મંડળીને લઈ જવામાં આવી. ઠંડી વાતી હતી–સર્વત્ર અંધકાર હતો. ગામમાં ઈલેકટ્રીક બત્તી ન હતી. વેરકાકાની જીપ સાથે હતી એટલે સામાન ફેરવવામાં ઠીક મદદરૂપ થઈ. રાતે બધા ગોદડાં ઓઢીને સૂઈ ગયા. સવારે ઊઠીને નિત્યકર્મ પતાવ્યા બાદ, ત્યાં ભગવાન મહાવીર સ્વામીનું એક ભારે ભવ્ય મંદિર છે ત્યાં બધે ફરીને દર્શન કર્યાં અને પછી વેરકાકાને ઘેર ગયા. ત્યાં તેમણે કચ્છના જે ખાસ નાસ્તો કહેવાય – રોટલા, ઘરની ભેંસનું ચાકખું ઘી, છાશ અને ચા–ના પેટ ભરીને નાસ્તો કરાવીને અમને ખૂબ સંતુષ્ઠ કર્યા અને ત્યાર બાદ અહિંથી અમારી સવારી નારાયણ સરોવર તરફ ઊપડી.
બહેન માનબાઈ જેએ નળિયાથી અમારી સાથે હતા અને જેમણે જખૌના સાલ્ટ વર્કર્સ ઉપર અમારા ચિત્ર ભાજનની વ્યવસ્થા કરી હતી અને જખૌમાં પણ અમારા માટે જેમણે શ્રી ઝવેરકાકા સાથે મળીને બધી ગાઠવણ કરી હતી તેઓ જખૌથી અમારાથી છૂટા પડયા. તે બહેનની આટલી બધી માયાળુ લાગણી માટે તેમને અમે જેટલા આભાર માનીએ તેટલા ઓછા છે.
અપૂર્ણ
ચીમનલાલ જે. શાહ
આજે લેાકેા શું ચાહે છે?
પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ થયેલી ઉપધાન અને આચાર્ય પદવી– પ્રદાન સમારંભની વિગતો વાંચીને ધર્મશાસ્ત્રવિશારદ શ્રી સૂરજચંદ્ર ડાંગી મેોટી સાદડીથી પોતાના એક પત્રમાં લખે છે કે, “આજે લોકો ‘પ્રસિદ્ધિ’ ચાહે છે, ‘સિદ્ધિ’ નથી ચાહતા, ‘પ્રદર્શન'ની પાછળ છે, ‘દર્શન’ની પાછળ નહિ, આજે ‘નમો સિદ્ધાણં'ના સ્થાન ઉપર ‘તમે પ્રસિદ્ધાણં’ બાલવું વધારે ઠીક થશે.”
ખા ટીકા આજની પરિસ્થિતિને, હું ધારું છું કે, યથાર્થપણે રજૂ કરે છે. પરમાનંદ
શ્રી કિસનસિંહ ચાવડાના વાર્તાલાપ
શ્રી. સુ'બઇ જૈન યુવક સઘના ઉપએ તા. ૬૪-૬૫ મગળવારના રોજ સાંજના ૬-૧૫ વાગ્યે નીચે જણાવેલ સ્થળે જાણીતા ચિંતક અને વિવેચક શ્રી કિસનસિંહ ચાવડાના વાર્તાલાપ ગોઠવવામાં આવ્યા છે. આ વાર્તાલાપમાં રસ ધરાવતા ભાઇબહેને ભાગ લઈ શકે છે,
સ્થળઃ શ્રી રસિકલાલ મેાહનલાલ ઝવેરીનુ’ નિવાસ સ્થાન,
કુલચ'દ નિવાસ, ૩ માળે, ચોપાટી સી ફેઇસ. શ્રી ચીમનલાલ ચકુભાઇ શાહનું વ્યાખ્યાન
શ્રી મુંબઈ જૈન યુવક સઘના ઉપક્રમે સધના કાર્યાલયમાં તા. ૧૦-૪-૬૪ શનિવારના રાજ સાંજના ૬-૧૫ વાગ્યે રાષ્ટ્રીય તેમ જ આંતરરાષ્ટ્રીય રાજકારણની સમક્ષા એ વિષય ઉપર શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહુ નહેર વ્યાખ્યાન આપો.
મત્રી, મુબઈ જૈન યુવક સધ