________________
૨૫૮
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૪-૬૫
અમારું સામૈયું કર્યું. અમને ગામમાં વાજતેગાજતે ફેરવીને જૈન મંદિરે લઈ ગયા. ત્યાં અમે દર્શન કર્યા અને પછી બાજુએ આવેલી ભોજનશાળામાં અમારે ભારે ઉમળકાભર્યું આતિથ્ય થયું. ત્યાર બાદ ગામની કેટલીક સંસ્થાઓ જેવા અમે નીકળ્યા. ‘ગોધરો' માં કલ્યાણજી ઠાકરશી સંચાલિત કન્યા છાત્રાલય ચાલે છે. અહિં ૬૫ બહેને રહે છે. ગૃહમાતા 'પાનબાઈ ઠક્કર છે.
અહિં શ્રી ધનજીભાઈ કેશવજીએ સુંદર હાઈસ્કૂલ બંધાવી છે. જેમાં સહશિક્ષણ અપાય છે અને વિશાળ જગ્યા છે. શ્રી ભેદા સર્વોદય કેન્દ્ર પણ અહિ જ છે. જેમાં સુંદર સૂત્ર લખ્યું છે: “બહુજન હિતાય – બહુજન સુખાય.” અહિ શ્રી કેશવજી લખમશી ભેદા સાર્વજનિક દવાખાનું પણ છે. શ્રી ભાણજી કેશવજી ભેદા વિદ્યાલય પણ છે. દવાખાનામાં પ્રસૂતિગૃહ અને પ્રતીક્ષાગૃહ પણ છે. બાલ સંસ્કાર કટિર, વિરામ કુટિર પણ આ જગ્યામાં ઊભી કરવામાં આવી છે. આ બધી સખાવતો શ્રી ભાણજી કેશવજી ભેદા અને તેમનાં કુટુંબીજનોની છે અને એનું ઉદ્ઘાટન મુંબઈ દ્વિભાષી રાજયનાં મુખ્ય પ્રધાન શ્રી યશવંતરાવ ચવ્હાણે તા.૯-૨-૧૯૫૮ નાં રોજ કરેલું. આ સખાવતેના કમ્પાઉન્ડનું પ્રવેશદ્વાર કલાત્મક છે. સાંચીના રસ્તુપની યાદ દેવરાવે છે. આ બધું જોઈને અમારી સ્વારી હૂમરા તરફ ઊપડી.
જાનિક દવાખા પ્રસૂતિગૃહ આ જગ્યા
ભાદા અને
અને તેની શરૂઆત ૧૩ વિદ્યાર્થીઓથી કરવામાં આવી હતી. આજે આ સંસ્થામાં પાંચ શિક્ષકો અને ૧૩૨ છાત્રો છે જેમાં, ૫૬ સ્થાનિક છે. આ સંસ્થામાં એક બાજુએ નાનું સરખું એક જિનાલય પણ છે. આ સંસ્થામાં રોકાયેલા મુખ્ય પંડિતજીએ અમને બધે ફેરવ્યા અને સંસ્થાની પ્રવૃત્તિ અંગે જરૂરી સમજૂતી આપી. કચ્છ જેવા આપણાથી અલાયદા જેવા લાગતા દેશમાં એક ખૂણે તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠની કલ્પના સાથે આવી એક શિક્ષણસંસ્થા હોય – એ હકીકત જ આપણને આનંદ અને ગૌરવ આપે તેવી છે. મેં તે આ સંસ્થાનું નામ જ, આ બાજુએ આવતાં, પહેલી વાર જ સાંભળ્યું
અને સંસ્થા જોઈને ઊંડી પ્રસન્નતા અનુભવી. - આ તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠ અંગે વિશેષમાં જણાવવાનું કે આ વિદ્યાપીઠમાં જૈન ધાર્મિક અભ્યાસ કરાવવા ઉપરાંત વારાણસેય (બનારસનું) સંસ્કૃત વિશ્વવિદ્યાલય, મુંબઈનું ભારતીય વિદ્યાભવન અને અમદાવાદની બૃહદ્ ગુજરાત સંસ્કૃત પરિષદ સંચાલિત પ્રાથમાં, પૂર્વ મધ્યમા, ઉત્તર મધ્યમા, શાસ્ત્રી અને આચાર્ય સુધીની પરીક્ષાઓ માટેનો અભ્યાસ કરાવવાની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. આ પરીક્ષાઓને અનુક્રમે આઠમું ધોરણ, મેટ્રીક, ઈન્ટર, બી. એ, અને એમ. એ.ની સમકક્ષ તરીકે સરકારે માન્ય કરેલ છે. આ ઉપરાંત આ વિદ્યાપીઠને હિન્દી ભાષાના અભ્યાસ અંગે વર્ધાની રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિના કવિદ’ સુધી અભ્યાસ કરાવવા માટેના કેન્દ્ર તરીકે સ્વીકારવામાં આવેલ છે. આ સંસ્થામાં પાંચમું ધોરણ પસાર કરેલા જૈન વિદ્યાર્થીને દાખલ કરવામાં આવે છે અને કશું પણ - વળતર લીધા સિવાય ભજન પુસ્તકો વગેરેની સગવડ આપવામાં આવે છે. '
મેરાઉ' ગામ અમારી મંડળીમાંનાં શ્રી જેઠાલાલભાઈનું ગામ હતું અને એમની ખાસ વિનંતિથી જ અમારું અહિનું રોકાણ વિચારાયું હતું. તેમનાં ઘેર ચાહ-મઠના ખાખરા – ચીકી – સેવગાંઠિયા અને ગળ્યા સાટાને નાસ્તો કરાવવામાં આવ્યો. શ્રી જેઠાલાલભાઈના દાદા ૯૮ વર્ષના છે. પિતાશ્રી પણ હયાત છે. એમનાં અમે દર્શન કર્યાં.
ગોધરે મેરાઉથી બસ ઊપડી. વચમાં તળાવ તથા શીતળા માતાનું મંદિર આવ્યું, પણ તે અમે ચાલુ બસમાં જ જોયું અને અમારી બસ ગોધરો' ગામ આવીને ઊભી. અહિં પણ ત્યાંના જૈન ભાઈ બહેનોએ ======= = = - કહન = - -
મરા બસમાંથી લાયજા, માયક, દેઢીયા, સાંભરાઈ અને હાલાપર ગામ જોયા. આમાનાં ઘણાખરા ગામમાં દેરાસર છે. હવે લગભગ ૧-૦ વાગવા આવ્યો હતો અને ડૂમરા’ દેખાયું. ડૂમરામાં કલ્યાણજી ઠાકરસી એન્ડ સન્સ - કચ્છી વિશા ઓશવાળ જૈન બાળાશ્રમ છે. શ્રી હંસરાજભાઈએ પરમાનંદભાઈને સુતરની આંટી પહેરાવી સ્વાગત કર્યું. વિદ્યાર્થીઓએ બંન્ડ વગાડી સલામી આપી. આ બાળાશ્રમમાં ૧૫૮ વિદ્યાર્થીઓ છે અને આ સંસ્થાનું ઉદ્ઘાટન ર્ડો. જીવરાજમહેતાને હાથે થયું છે. અહિ અમે મિષ્ટાન્નનું ભજન કર્યું. થોડો સમય આરામ કર્યો અને ગામની એક મોટી હૉસ્પિટલ જોવા ઊપડયા. આ હોસ્પિટલ શ્રી રતનશી મુલજીએ રૂા. ૩ લાખનાં ખર્ચે બંધાવી સરકારને અર્પણ કરી છે. પરંતુ દુ:ખની વાત એ છે કે અહિં એક પણ ર્ડોકટર નથી અને હોસ્પિટલ ખુદ નિરાધાર જેવી, નિર્જીવઊભી છે. અહિંના કાર્યકરોનું કહેવું છે કે આપણા રાજદ્વારી પક્ષની
: સૌs - Eઝ
=
--
૨
1 15.
-
7
-
-
બન્ય
- -
—
/
-
--
—
''''1''ના
લેખ
મ...
ભજ
બાનમ
કસ જા.
નગ્ના
મy
વી.
"
-
ક
નો અર7
O
આ કચછના નકશામાં આપેલી માંડવીથી શરૂ થતી ––– આ પ્રકારની રેખા અમારા પ્રવાસની રેખા સૂચવે છે. કચ્છ માંડવી, અબડાસા, લખપત, નખત્રાણા, ભૂજ, બની, અંજાર, ભચાઉ અને રાપર એમ ૯ તાલુકામાં વહેંચાયેલું છે. તેમાંના ભચાઉ અને રાપરને વાગડ કહે છે. આ વાગડ સિવાયના બાકીના ભાગને અમારા પ્રવાસમાં આવરી લેવામાં આવ્યો હતો. પ્રવાસવર્ણન સાથે નકશી જોતાં
રહેતાં અમારા પ્રવાજાસ્થળની માહિતી મળી શકશે.