________________
તા. ૧-૨-૧૫
પ્રભુ જીવન
પશુબલિ નિષેધ કાની
પ્રગતિ
[મુનિ સંતબાલજીએ ગયા વર્ષનું ચાર્તુમાસ કરવા કલકત્તામાં પ્રવેશ કર્યો ત્યારથી તેમણે કલકત્તાના સુપ્રસિદ્ધ કાલી માતાના મંદિર સમક્ષ વર્ષોથી અપાઇ રહેલાં નિર્દોષ પશુઓનાં બલિદાનની પ્રથા અટકાવવા માટે નાબુદ કરવા માટે—એક ભગીરથ પ્રયત્ન શરૂ કર્યો છે. વર્ષાની ટેવના પરિણામે સામાન્ય લોકો માંસાહારને જલ્દિ ન છેડે એ સમજી શકાય એવું છે, પણ આ પશુહિંસાને ધર્મ સાથે જોડવામાં આવે તે સર્વ જીવાને સમાન ભાવે જોવાલેખવાનો વિચાર જેના પાયામાં રહેલા છે એવા ધર્મતત્ત્વને તો કેવળ દ્રોહ કરવા બરોબર છે—આ સત્ય સાદું સીધું હોવા છતાં લાંબા કાળથી ચાલતી પશુબલિપ્રથાથી ટેવાયલી બંગાળી પ્રજાના દિલમાં ઉતરતું નથી. તે આ ધામિક લેખાતી માન્યતામાં રહેલી અધર્મમયતા તેમના ધ્યાન ઉપર લાવવા માટે મુનિ સન્તબાલજીએ ઉપાડેલી પ્રવૃત્તિ આજ સુધીમાં કયાં સુધી પહોંચી છે તેને આપણી બાજુના લોકોને ખ્યાલ આવે તે હેતુથી જરૂરી વિગતપૂર્વકનું લખાણ મોકલી આપવા મે તેમને વિનંતિ કરેલી. તેના પરિણામે મુનિ સંતબાલજીના સહકાર્યકર્તા મુનિ નેમિચંદ્રજીએ લખી મોકલેલી નોંધ નીચે પ્રગટ કરવામાં આવે છે. પરમાનંદ ]
આ કાર્ય ઉપાડવા પહેલાંની પરિસ્થિતિ બંગાલમાં લગભગ ૭૦૦ વરસથી કાલીમાતા કે દુર્ગામાતા આગળ ધર્મને નામે પશુબલિ આપવાની ક્રૂ૨ પ્રથા ચાલુ થઇ છેએમ કહેવાય છે. ત્યાર પછી એને અટકાવવા માટે અનેક મહાનુભાવા તરફથી પ્રયત્નો થયા છે. આજથી લગભગ ૪૦૦ વર્ષ પહેલાં ચૈતન્ય મહાપ્રભુ થયા હતા. તેમણે ભકિતમાર્ગના પ્રચાર દ્વારા બંગાળમાં પ્રવર્તતા માંસાહાર અને પશુબલિના વિરોધ કરી લોકોને વૈષ્ણવી સાત્ત્વિક ભકિત તરફ વાળ્યાં હતાં. ત્યાર પછી રાજા રામમોહનરાયે પણ તે જમાનામાં પ્રચલિત કુપ્રથાનો વિરોધ કરી બ્રહ્મોસમાજ દ્વારા નિરંજન નિરાકાર ભગવદ્ભકિતનો પ્રચાર કર્યો હતો. રવીન્દ્રનાથ ઠાકુર તો પશુબલિના કટ્ટર વિરોધી હતા. તેમણે ‘વિસર્જન’ અને ‘રાજિષ’ નાટકો દ્વારા બંગાલી પ્રજાને જગન્માતા કાલીદેવી આગળ પશુબલિ પ્રથાથી દૂર રહેવાની પ્રેરણા આપી હતી. ગિરીશ ઘોષે ‘બુદ્ધદેવ’ નામનું એક નાટક લખ્યું છે, જેમાં પશુબલિ સામે તીવ્ર વિરોધ દર્શાવ્યો છે. પોતાના કુટુંબમાં પણ પશુબલિદાન તેમણે બંધ કર્યું છે. એમનાં નાટકો જોઇને ઘણા વિચારક બંગાલીજનોએ પશુબિલ પ્રથા બંધ કરી છે. શ્રી વનમાળીભાઈ આર્યસમાજીએ લગભગ ૩૦-૩૨ વરસથી પશુબિલ અને માંસાહાર વગેરે છેડાવવા માટે ઠેર-ઠેર પાસ્ટો, સૂત્રોચ્ચારણ વગેરે દ્વારા, ખાસ કરીને કાલીઘાટ ઉપર, પ્રયત્ન કર્યો છે. કેટલાક પંડાઓને સમજાવ્યા પણ છે. ત્યાર પછી શ્રી રામચન્દ્ર શર્માએ પશુબલિ નિવારણ નિમિત્તે કાલીઘાટ ઉપર ૩૨ ઉપવાસ પણ કર્યા છે; તેની ભારે અસર થઈ હતી. રવિન્દ્રનાથ ઠાકુરે પણ તેમને અભિનંદન આપ્યાં હતાં. શ્રી પ્રબુદ્ધનાથ ચેટરજી વગેરેએ સનાતનધર્મસભા દ્રારા પ્રકાશિત પશુબિલિનરોધપત્રકો ઉપર બંગાલીજનોની સહી પણ શરૂ કરાવી હતી. શ્રી ધર્મચન્દ્રજી સરાવગીના પિતા બૈજનાથજીએ પણ કાલીટે પલ કમિટીના પંડાઓને આ બંધ કરવા માટે સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. અને મહાત્મા ગાંધીજીના દીનબંધુ એંડ્રયુ જ ઉપરના પત્રમાં કલકત્તામાં થતા પશુબલિદાન અંગે પ્રક્ટ કરેલ તેમની અન્તર્વ્યથા જણાઇ આવે છે. છેલ્લે છેલ્લે એનિમલ વેલફેર બોર્ડના ચેરમેન શ્રીમતી રૂકિમણીદેવી એર ડેલે પશુબલિ નિવારણ માટે પ્રયત્ન કરીને દક્ષિણભારતના ચાર સ્થળે તે પ્રથા કાયદાથી બંધ કરાવેલ છે અને કલકત્તામાં પણ બંધ કરાવવા માટે પ્રયત્ન કરેલ છે. આ અંગે સરકારે તપાસ કમિટી નીમી હતી. તેના રિપોર્ટમાં કાયદાથી આ પશુબિલ બંધ કરવાની ભલામણ કરેલ છે, પરંતુ કોઈ કારણસર તે વખતે આ બંધ ન થયું. મુંબઈની જીવદયા મંડળીએ પણ પ્રયત્નમાં સહયોગ આપેલ છે.
G
હું આ રીતે કાર્ય ઉપાડયા પહેલાં જે જે બળાએ કામ કર્યું છે તેના પરિણામે એમ માનવામાં આવે છે કે ૯૦ ટકા લોકો પશુબિલ કરવામાં હૃદયથી ઇચ્છતા નથી. પરંતુ તે લોકોનું સંકલન નથી; એટલે જાહેર રીતે તેઓ આ પ્રથાનો વિરોધ કરતા નથી. દિલ્હી ચાતુર્મારામાં જ મ. ગાંધીજીના પ્રેરક પત્રને લીધે કલકત્તામાં કાલીમંદિરે થતા પશુવધને અટકાવવા માટે પૂ. મુનિશ્રી સંતબાલજીને
૨૨૫
વિચાર આવેલા અને આગ્રામાં પણ તે વખતે વિરાજતા કવિરત્ન ઉપાધ્યાયી અમરચંદ્રજી સાથે આ અંગે વિચારવિમર્શ થયેલ. તેથી તેમને ખાત્રી થઇ કે આ પ્રશ્ન લોકો કહે છે એટલા જટિલ નથી; વિવેક અને ધૈર્યથી ઉપાડવા જોઇએ. કાર્યની શરૂઆત
ચાતુર્માસ માટે ભવાનીપુર (કલકત્તા) આવવાની સાથે પૂ. મુનિશ્રી સંતબાલજીએ આ પ્રશ્ન ઉપાડયા અને પોતાના મંગલ પ્રવેશના પ્રવચનમાં જ તેને માખરાનું સ્થાન આપ્યું.
અનિષ્ટ જેટલું ઊંડું હોય, તેને કાઢવા માટે તેટલી જ ધીરજ, ખંત, ઊંડાણ અને વિવેકથી પ્રયત્ન કરવા જોઇએ, એ દષ્ટિએ આ પ્રશ્નમાં ચારે બાજુથી કામ થવું જોઈએ અને તે પણ પદ્ધતિસર થવું જોઇએ એમ લાગ્યું. પહેલાં તો એ માટે જુદા જુદા લોકોનો સંપર્ક સાધીને આ વસ્તુનો ઊંડો પરિચય અને એના નિવારણ માટે ક્યા ક્યા પગલાં લેવાં ઘટે એ અંગે વિચારવિમર્શ કરવામાં આવ્યો. એમાં મુખ્યત્વે રામાપ્રસાદ મુખરજી, ચારુચદ્ર ભંડારી, શ્રી ભકિતવિલાસતીર્થ, આચાર્ય પ્રાણકિશોર ગોસ્વામી, શારદામઠનાં બે સંન્યાસિની, જ્યોતિષચન્દ્ર ઘોષ, સ્વામી રંગનાથાનન્દ, શ્રી મોહનલાલ લલ્લુચંદ શાહ, શ્રી ગુલાબચંદભાઈ મેઘાણી, લીલાધરભાઈ કામાણી, પ્રાણજીવન ગાંધી, રસિકભાઈ દોશી વગેરેનાં નામા ઉલ્લેખનીય છે. સૌના સૂર લગભગ એવા જ હતો કે સર્વપ્રથમ બંગાલી લોકોનો વધારેમાં વધારે સંપર્ક કરવા જોઇએ.
પહેલું પગલું
સંપર્કના કામને સક્રિય રીતે વેગ આપવા માટે ક્લાના બધા જૈન સંપ્રદાયાના ખાસ ખાસ આગેવાનોની એક સભા તા. ૪-૮-૬૪ના રોજ બેલાવવામાં આવી, જેમાં આ કામ માટે એક સમિતિ રચવાનું અને જુદાં જુદાં કાર્યોનું વિભાજન કરી જે તે યોગ્ય કાર્યકરોને તે કામ સોંપવાનું વિચારવામાં આવ્યું, તેમ જ બંગાલીજનોનો નિટ સંપર્ક સધાય એવી પ્રવૃત્તિઓ હાથ ધરવાનું નક્કી કરવામાં આવ્યું. આને માટે એમ પણ વિચારાયું કે કાલીઘાટ વિભાગમાં કોઈ સ્થળ મળી જાય તો ત્યાં માતૃસમાજની એક શાખા ખાલવામાં આવે અને તે સાથે માતાની સાચી ઉપાસના શી રીતે થાય એ વસ્તુ ધીમે ધીમે બંગાલી બહેનોને સમજાવવામાં આવે તે ધાર્યું કાર્ય વધારે સરળ થાય. ફરી પાછી તા. ૯-૮-૬૪ના રોજ સવારે જૈન ભવનમાં અહિંસાપ્રેમી સર્વ ધર્મોના ખાસ ખાસ લોકોની એક સભા રાખવામાં આવી, જેમાં શ્રી માનકરજી પણ હાજર હતા. ‘પૃશુબલિનિષેધક સમિતિ' આ કામને આગળ ધપાવવા માટે રચાઇ, બપારે કેટલાક બંગાલી ભાઈઓની એક મીટિંગ પણ આ કામ અંગે વિચારવિમર્શ કરવા બાલાવવામાં આવી હતી. તેમાં એમ વિચારાયું કે સંપર્ક સર્વત મુખી હાવા જોઇએ. (૧) એક બાજુ વિચારક અને સુધારક બંગાલીજનોના સંપર્ક, (૨) બીજી બાજુથી પંડિત લોકોના સંપર્ક, (૩) ત્રીજી બાજુથી રાજકીય કે અર્ધરાજકીય પક્ષના લોકોનો સંપર્ક અને (૪) આમજનતાનો સંપર્ક. આ બધાના સંપર્ક માટે આચાર્ય પ્રાણકિશાર ગોસ્વામી દ્વારા જે પંડિત, વિચારકો અને રાજકીય