________________
૨૧૮
પ્રબુદ્ધ જીવન
ટોસ્ટ વિધિ થઈ ચૂકયો હતો એમ ચર્ચિલને જણાવવામાં આવ્યું ત્યારે એ ટોસ્ટવિધિ ફરીથી કરવાના ચર્ચિલે આગ્રહ કર્યો હતો, અને આ ટોસ્ટની દરખારત ચર્ચિલે પોતે કરી હતી.” (નેહરુએ આ બાબત ત્યાર બાદ તરતમાં જ સ્વીટ્ઝર્લેન્ડમાં આવેલા બર્ગનોક ખાતે મળેલી હિંદી. એલચીખાતાંઓના વડાઓની સભામાં જણાવી હતી. )
“અને છેવટે ઑસ્ટ્રેલિયાના મુખ્ય પ્રધાન શ્રી મેન્ડીઝ મને વોશિંગ્ટનમાં મળેલા ત્યારે તેમણે નીચેના બનાવ જણાવ્યા હતા. લંડન ખાતે એક ખાનગી ભાજન પ્રસંગે મેન્ડીઝ અને ચિલ એકઠા થયા હતા અને એ દરમિયાન, કોઈએ નેહરુ વિષે કાંઈ ઘસાતી ટીકા કરી. ચર્ચીલ આ સંભાળી ગયા અને તે અંગે પેાતાની નાખુશી દર્શાવી. તેમણે એ વખતે કહેલું કે, “ નહેરુ સાથે મને અનેક મતભેદો છે, એમ છતાં પણ, હું જાણું છું એવા બહુ ઘોડા માનવીઓમનાં નેહરુ એક છે કે જેમણે વૈર અને ભય ઉપર વિજય મેળવ્યું છે.
"
“આ ત્રણ બનાવા એક મહાન અંગ્રેજનું Ingrained Costitutonalism--બંધારણને આધીન રહીને આચરવાના આગ્રહ ધરાવતા માનસનું અને સાથે સાથે એવી મહાનુભાવતાનું આપણને દર્શન કરાવે છે કે જે બર્કના કહેવા મુજબ મોટા ભાગે Truest Wisdom – ઉત્કૃષ્ટ કોટિની પ્રજ્ઞા—ના જ એક પ્રકાર હોય છે. ” હિંદી સામે આ તોફાનો, આ શહીદી શા માટે ?
જ્યારે પ્રજાસત્તાક દિને હિન્દી ભાષા સંઘ સરકારની સત્તાવાર ભાષાના પદે આરૂઢ બની રહી છે ત્યારે દક્ષિણ ભાર.માં ખાસ કરીને મદ્રાસ બાજુએ તોફાનો થયાં છે અને હિન્દી ભાષાના કહેવાતા શાસન સામે ત્યાંના દ્રાવીડ મુનેત્રકળગમ પક્ષ તરફથી હિંસક સામના કરવામાં આવ્યા છે, એટલું જ નહિ પણ, બે સ્વયંસેવકોએ આ બાબતને જ આગળ ધરીને શરીર ઉપર ધાસલેટ છાંટીને આત્મઘાત કર્યો છે. આ બધું જાણીને–સાંભળીને–ભારે આઘાત તેમજ આશ્ચર્ય થાય છે અને આ બધાં તોફાનો અને આ બધી શહીદી શેના માટે એવા પ્રશ્ન થાય છે.
આ બધાં પાછળ કોઈ સિદ્ધાતના સવાલ હાત, કોઈ મહાન મૂલ્યની રક્ષાના પ્રશ્ન હેત તે આપણે માની લેત કે તે ખાતર જે કાંઇ થયું છે તેમાં કાંઈક વ્યાજબીપણું હશે. પણ જે હિંદી ભાષાના ભારતના અનેક અંગ-ઉપાંગાને જોડનાર એક કડી તરીકે વિચાર કરવામાં તેમ જ સ્વીકાર કરવામાં આવ્યા છે, અને જે દ્નારા એકતાનું અમૃત મેળવવાની આશા સેવાઇ રહી છે તે જ હિંદી સામે આવા ઉકળાટ, આવો ખળભળાટ આવી શહીદી પેદા થાય તો એમ જ સમજવું રહ્યું કે વિધિ આપણા માટે વક્ર બની રહેલ છે..
દક્ષિણ ભારતમાં એક પૂર્વગ્રહ પેદા થયા છે, કેટલાક સમયથી પાષાતે રહ્યો છે. સમગ્ર ભારતની અપેક્ષાએ દક્ષિણ ભારતે અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ પ્રાપ્ત કરવામાં વર્ષોથી પહેલ કરી છે અને તેને લીધે ભારતના ઉચ્ચ કક્ષાના રાજ્યાધિકારો ઉપર જ્યાં ત્યાં દક્ષિણભારતના લોકો આજે સુપ્રતિષ્ઠિત બનેલા જોવામાં આવે છે. હવે જો હિંદી ભાષા ભારત સરકારની સત્તાવાર ભાષા બને તો હિંદીભાષીઓનું પ્રભુત્વ વધે અને પેાતાને અંગ્રેજીભાષી લેખતા એવા મદ્રાસીઓનું પ્રભુત્ત્વ ઘટે—આવી દહેશતે દક્ષિણ ભારતના ચિત્તને ઘેરી લીધું છે અને આ બધાં તોફાનો એ વિકૃત મનોદશાના આવીર્ભાવ છે. આનો અર્થ એ થાય છે કે અમારે અંગ્રેજી ભાષાની હાંગીરી જોઇએ છીએ., હિંદી ભાષાની નહિ, કારણ કે અંગ્રેજી ભાષાની જંહાંગીરી પાછળ અમારું સ્વાર્થ રહેલા છે. આથી વધારે પાટા દેશદ્રોહની કલ્પના થઈ શકતી નથી.
આ ભૂમિકા ઉપરથી જ્યારે હિંદી ભાષા સામેના સંઘર્ષનો વિચાર કરવામાં આવે છે ત્યારે ચિત્ત ભારે ગ્લાનિ અનુભવે છે અને દેશનું ભાવિ ભારે બિહામણું લાગે છે. આ બધું એમ સૂચવે છે કે આપણે હવે સમગ્ર ભારતનો વિચાર કરી શકતા જ નથી. જેવી રીતે અનાજની છતવાળાં રાજ્યો અનાજની અછત ધરાવતાં રાજ્યોને અનાજ આપવાની આના કાની કરે છે તેવી રીતે હિંદી ભાષા સરકારની-રાજ્યની-સત્તાવાર ભાષા બને તે સમગ્ર ભારતની દષ્ટિએ ગમે તેટલું આવકારપાત્ર હોય તો પણ
તા. ૧૨-૧૫
અમારા અદ્યતન સ્વાર્થ સાથે એ બંધબેસતું નથી તો અમને હિંદી ન ખપે તે ન જ ખપે—આવું હિંદીવિરોધી દક્ષિણવાસીઓનું માનસ દેખાય છે.
અને આ આદાલનને ભારતના ભીમપતામહ જેવા શ્રી ચક્રવર્તી રાજગાપાલાચાર્યના ટેકો છે, અનુમોદન છે એમ માલુમ પડે છે ત્યારે હવે એમ જ માનવું રહ્યું કે, વાડે વેલાને ગળવા માંડયા છે, સંગઠિત ભારતના દિવસો હવે ગણ્યાંગાંઠમાં રહ્યા છે, અરાજકતાની આંધી આવી રહી છે અને ભારત છિન્નભિન્ન થવાની કટોકટી તરફ ધસી રહ્યું છે. ઈશ્વર ભુલેલાંને સાચું ભાન કરાવે અને આ દુર્ગતિના ગર્ભમાં ડૂબતા આપ સર્વને ઉગાર!
ગુજરાતના કળાગુરુ શ્રી રવિશંકર મ. રાવળનું તથા શેઠ ગોરધનદાસ ભગવાનદાસનું ભારત સરકારે કરેલું બહુમાન
જણાવતાં આનંદ થાય છે કે, દેશની વિશિષ્ટ સેવા અને જીવનના વિવિધ ક્ષેત્રાએ નોંધવા લાયક કામગીરી બજાવવા બદલ ભારતના ૧૫મા પ્રજાસત્તાક દિને રાષ્ટ્રપતિએ પદ્મવિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રીના પુરસ્કારોની જે લહાણી કરી છે તેમાં આપણામાંના ઘણાને પરિચિત એવી બે વ્યક્તિઓનો સમાવેશ થાય છે. એક ગુજરાતના કળાગુરુ શ્રી રવિશંકર મ. રાવળ અને બીજા શેઠ ગોરધનદાસ ભગવાનદાસ . શ્રી રવિશંકર રાવળ માત્ર ઉચ્ચ કોટિના કળાકાર છે, એટલું જ નહિ પણ, તેમની દ્રારા ગુજરાતમાં ચિત્રકળાના ક્ષેત્રમાં નવનિર્માણનો યુગ સરજાયો છે અને તેમની પ્રેરણા અને માર્ગદર્શન નીચે અનેક કળાકારો પેદા થયા છે. આવી એક વિશિષ્ટ કોટિની વ્યક્તિને પદ્મશ્રીનો ઇલ્કાબ આપીને ભારત સરકારે ગુજરાતની ચિત્રકળાનું બહુમાન કર્યું છે. આવી જ રીતે મુંબઈના સર હરકીસનદાસ હારિપટલના સંચાલન સાથે જેમનું આજ સુધીનું જીવન અર્પિત થયેલું છે, અને તેના સર્વતામુખી વિકાસ સાથે જેમના ખંડ કર્મયોગ જોડાયેલા છે એવા શ્રી ગેારધનદાસભાઈને પણ પદ્મશ્રીથી નવાજીને ભારત સરકારે યોગ્ય વ્યકિતની યોગ્ય રીતે કદર કરી છે. આ માટે આ બન્ને વ્યક્તિવિશેષને આપ સર્વનાં હાર્દિક અભિનદન ઘટું છે.. જૈન કેળવણી મંડળના પાંચ લાખનો લક્ષ્યાંક સિદ્ધ થવા બદલ અભિનંદન
મુંબઈના જૈન કેળવણી મંડળ સંચાલિત શ્રી રતનબાઈ કેશવજી ખેતાણી સ્થાનકવાસી જૈન ગર્લ્સ હાઈસ્કૂલ માટે સ્વતંત્ર મકાન ઊભું કરવા માટે તા. ૨૪-૧-૬૫ના રોજ સન્મુખાનંદ હાલમાં ‘પિંજરનું પંખી’ એ નામની નૃત્યનાટિકાનો કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા. આ પ્રસંગના સંમેલનમાં મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન શ્રી શાન્તિલાલ શાહ પ્રમુખસ્થાને બીરાજ્યા હતા. પ્રસ્તુત કેળવણી મંડળના કાર્યકર્તાઓના શુભ પ્રયાસથી સાડા ત્રણ લાખ એકઠા કરવામાં આવ્યા હતા, બીજા એક લાખનાં દાના આ નૃત્યનાટિકા પ્રસંગે જાહેર કરવામાં આવ્યા હતાં અને બીજા સવા લાખનું દાન તરતમાં નકકી થવાનો સંભવ છે એમ જણાવવામાં આવ્યું હતું. આમ શુભ પ્રયાસની આવી સ્તુત્ય સફળતા માટે જૈન કેળવણી મંડળના કાર્યકરોને અને ખાસ કરીને એ મંડળના મંત્રીશ્રીએ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ તથા શ્રીદુર્લભજી કેશવજી ખેતાણીને અનેક ધન્યવાદ ઘટે છે. પરમાનંદ
પૃષ્ઠ
વિષયસૂચિ
તથા
પ્રકીર્ણ નોંધ : બાપુજીની ભવિષ્ય વાણી, ચિલ અને નહેરુ, હિંદી સામે આ તફાનો ? આ શહિદી શા માટે? ગુજરાતના કળાગુરુ શ્રી રવિશંકર મ. રાવળ શેઠ ગારધનદાસ ભગવાનદાસનું ભારત સરકારે કરેલું બહુમાન, જૈન કેળવણી મંડળના પાંચ લાખનો લક્ષ્યાંક સિદ્ધ થવા બદલ અભિનંદન
જૈન સમાજને ઉદ્દેશીને કરવામાં આવેલાં ત્રણ સૂચને ઉદાત્ત વાણીના અદ્ભુત નમૂનો વિરલ માનવ વિભૂતિ સર વિસ્ટન ચંચલ
ભારતે બાબ બનાવવા કે નહિ ?
માયા?
વૃદ્ધત્વ
પશુ બલિ નિષેધ કાર્યની પ્રગતિ
પરમાનંદ
આચાર્ય તુલસી પ્રેસિડેન્ટ જોન્સન
ટાઈમ્સ ઓફ ઈન્ડિયા અલાસ્ટેર બુશને ગીતા પરીખ
ગીતા પરીખ
મુનિ નેમિચંદ્ર
૨૧૭
૨૧૯
૨૨૦
૨૨૧
૨૨ ૨૨૪
૨૨૪
૨૨૫