________________
તા. ૧૬-૧૨-૫
પ્રબુદ્ધ જીવન
૧૬૩
તથા જન જનતાને વિનંતી કરે છે કે આ બંને બાબતમાં બની શકે તેટલો વધારે સક્રિય સાથ આપો.
- વિશેષમાં હાલની કટોકટીને ધ્યાનમાં લઈને કાળાં બજારને ઉત્તેજન આપવું નહિ, ખેાટે સંગ્રહ કર નહિ, જમણવાર બંધ રાખવા, અનાજનો બગાડ થવા દે નહિ, પાણીને વપરાશ મર્યાદિત કરો, બેટા ખર્ચ કરવા નહિ તથા ખાદ્ય અંગે બને તેટલો સંયમ કેળવી ઉપવાસ, આયંબિલ, એકાશન, ઉછુંદરી વ્રત તેમ જ જપ આદિની યથાશકિત આરાધના કરવી.”
અને આ ઠરાવ અનુસાર પ્રસ્તુત સમિતિના કાર્યકર્તાઓએ મુનિ શ્રી યશોવિજ્યજીના નેતૃત્વ નીચે જોરદાર ઝુંબેશ શરૂ કરી છે, અને આને લગતા પ્રતિજ્ઞાપત્રો ઉપર સહીઓ લેવાનું શરૂ કર્યું છે. અને ત્રણ મહિનાની અંદર એક લાખ સહીએ એકઠી કરવાને મને રથ તેમણે જાહેર કર્યો છે. આ રાષ્ટ્રીય સહકાર જૈન સમિતિનું પાયધુનિ ઉપર ગુલાલવાડીના નાકે આવેલ શ્રી જૈન . કૅ ન્સની ઑફિસમાં કાર્યાલય રાખવામાં આવ્યું છે અને શ્રી માણેકલાલ ચુનીલાલ શાહ આ સમિતિના પ્રમુખ છે, અને શ્રી યંતીલાલ રતનચંદ શાહ, શ્રી ધીરજલાલ ટેકરશી શાહ, શ્રી મુકિતલાલ વીરવાડીઆ તથા શ્રી. પન્નાલાલ બી. શાહ આ સમિતિના મંત્રી છે.
આ સમિતિએ છાપેલાં પ્રતિજ્ઞાપત્રોમાં નીચે જણાવેલ પાંચ પ્રકારની પ્રતિજ્ઞાઓ ઉપર સહીઓ લેવામાં આવે છે:
૧. અઠવાડિયે બે અથવા એક ટંકનું અનાજ છાડવું.
૨. અઠવાડિયે બે અથવા એક વાર આયંબિલ કરવું. * ૩. અઠવાડિયે બે અથવા એક એકાશન - એકટાણું કરવું. ૪. ચાલુ પહેરવાનાં કપડાં એકાંતરે ધવરાવવા.
૫. આઠમ ચૌદશે કે સપ્તાહમાં કોઈ પણ એક દિવસે કે મહિનામાં કુલ ચાર દિવસ કપડાં ધોવડાવવા નહિ.
આમાંની પહેલી ત્રણ પ્રતિજ્ઞા અનાજને લગતી અને વિકલ્પાત્મક છે. એ મુજબ પછીની બે પાણીના ઉપયોગને લગતી અને વિકલ્પાત્મક છે. અનાજની કટોકટીના સંદર્ભમાં પાણીના ઉપગને લગતી પ્રતિજ્ઞાઓ એટલી જરૂરી કે પ્રસ્તુત નથી. આ પ્રવૃત્તિને બને તેટલે ટેકો આપવો તે દરેક દેશવાસીની ફરજ છે..
જૈન ધર્મગુરુઓ આજ સુધી આવી દેશવ્યાપી બાબતોને સાંસારિક અને સામાજિક લેખીને તેથી અલગ રહેતા હતા. આજે આવી અલગતા છોડીને તેએ અદ્યતન કટોક્ટીમાં સમાજને માર્ગદર્શન જનહિ, પણ જરૂરી પ્રવૃત્તિનું સક્રિય સંચાલન કરવાને ઉઘુ કત થયા છે. આ તેમનામાં જાગૃત થયેલી social consciousness-સામાજિક . સભાનપણાની - ઘાતક છે. આ નવી જાગૃતિ અને ક્રિયાશીલતા સર્વ પ્રકારે અભિનંદનીય અને આવકારપાત્ર છે. ૮૦ વર્ષની સીમાને વટાવી ચૂકેલા કાકાસાહેબ કાલેલકરને વંદન-અભિનંદ, '
પૂજ્ય કાકાસાહેબ કાલેલકર જેમના નામથી પ્રબુદ્ધ જીવનના વાચકો સુપરિચિત છે, તેમણે તાજેતરમાં તા. ૧-૧૨-૬૫ બુધવારના રોજ ૮૦ વર્ષ પુરાં કરીને ૮૧માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. આ શુભ અવસરને લક્ષમાં લઈને તેમના જન્મદિને રાષ્ટ્રપતિ ભવનમાં ભારતના રાષ્ટ્રપતિ તથા ઉપરાષ્ટ્રપતિ તરફથી માસાહેબનું બહુમાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સેંકડો નરનારીઓ ઉપસ્થિત થયાં હતાં. ર્ડો. રાધાકૃષ્ણને કાકાસાહેબનું અભિવાદન કરતાં તેમને એક સમદ્ધિતિ માનવી તરીકે વર્ણવ્યા હતા અને જણાવ્યું હતું કે, “કાકાસાહેબ એક મહાન કેળવણીકાર છે અને તેઓ પિતાનું આ ધર્મકાર્ય મીશનરીની • તમન્નાથી આજ સુધી એકસરખું ચલાવી રહ્યા છે. આજે આપણને
જરૂર છે આન્તરરાષ્ટ્રીય કલ્યાણકર્તાઓની અને નહિ કે આન્તરરાષ્ટ્રીય ગુંડાની, અને કાકાસાહેબ જેવી વ્યકિતએ જ આ ક્યા
વાદને દશે અસરકારક રીતે દુનિયામાં ચોતરફ પહોંચાડી શકે તેમ છે.ડૅ. ઝાકીરહુસેને કાકાસાહેબની બે પ્રકારની સિદ્ધિઓને - એક સંનિષ્ઠ કેળવણીકાર તરીકેની અને બીજી હિંદુસ્તાનીના પ્રખર પુરસ્કત તરીકેની સિદ્ધિઓને ઉલ્લેખ કર્યા બાદ જણાવ્યું હતું કે “આજે બે પ્રકારના કેવળણીકારે જોવામાં આવે છે – એક વ્યવસાયી કેળવણીકારઅને બીજા નિ:સ્વાર્થ નિષ્ઠાપૂર્વકની સેવાને જીવનકાર્ય તરીકે સ્વીકાર : નાર કેળવણીકાર. આમાં કાકાસાહેબ બીજી કક્ષાના કેળવણીકાર છે.” આગળ ચાલતાં રાષ્ટ્રપતિએ હિંદુસ્તાનીને વેગ આપવાના તેમના પ્રયત્નોના વખાણ કરતાં જણાવ્યું હતું કે “જો હિંદીને જનતાની ભાષા બનાવવી હોય તે તે સાદી અને હળવી હિંદી હોવી જોઈએ. આવી સાદી હિંદીને બદલે જો આપણે કઠણ- સંસ્કૃતપ્રચુર–હિંદીને પ્રચાર - કરીશું તો તે કદિ પણ લોક-આદરને પાત્ર નહિ બને.” આ જ મુદ્દાને વિસ્તાર કરતાં કાકાસાહેબે પોતાના આભારનિવેદનમાં જણાવ્યું હતું. ' કે “હિંદીને આમપ્રજાના વિચારો વ્યકત કરવાનું આપણે સર્વવ્યાપી માધ્યમ બનાવવું હશે તે આપણે અંગ્રેજી ભાષાના અનેક શબ્દોને આજની હિંદીમાં અપનાવવા પડશે.” ત્યાર બાદ પોતાના નિવેદનના અન્તભાગમાં તેમણે જણાવ્યું હતું કે “મેં મારું આજ સુધીનું જીવન પ્રજાની–રાષ્ટ્રની સેવામાં વ્યતીત કર્યું છે અને હવે પછીના અવશેષ વર્ષે પણ એ જ પ્રમાણે રાષ્ટ્રની સેવામાં સમર્પિત કરવાની ભાવના હું ધરાવું છું.” આમ કહેતાં કહેતાં લાગણીઓના દબાણ નીચે કલસાહેબનું હૈયું ભરાઈ આવ્યું હતું અને તેમનો કંઠ રૂંધાઈ ગયું હતું.
અન્તમાં ડં. રાધાકૃષ્ણને સસ્તું સાહિત્ય મંડળ દિલ્હી તરફથી પ્રગટ કરવામાં આવેલ કાકાસાહેબના જીવન અને સિદ્ધિઓને રજુ કરતા “સંસ્કૃતિ કા પરિવ્રાજક” નામના પુસ્તકની નકલ અને શ્રી. માધવપ્રસાદે લખેલ “ગાંધીયન પેટીઆર્ક” એ નામના કાકાસાહેબના જીવનવૃત્તાન્તની નકલ કાકાસાહેબને અર્પણ કરી હતી. . , ' , ,
કાકાસાહેબને પ્રથમ પરિશ્ય, આજથી ૫૩ કે ૧૪ વર્ષ પહેલાં - તેઓ વડોદરામાં રહેતા હતા તે દરમિયાન, સ્વામી આનંદ દ્વારા મને થયેલ. ત્યાર પછી આજ સુધી તેમની સાથે મારે એકસરખે અતૂટ ગ્નેહભર્યો સંબંધ રહ્યો છે. આપણા વિશાળ સમાજમાં કાકાસાહેબ સાથે સરખાવી શકાય એવી વ્યકિતએ મળવી બહુ મુશ્કેલ છે. ૮૦ વર્ષ સુધીનું આયુષ્ય બહુ ઓછી વ્યકિતઓને પ્રાપ્ત થાય છે. એમાં પણ, માત્ર કાને ઓછું સંભળાય છે એટલી ત્રુટિ બાદ કરે તે આ ઉમ્મરે તેમની બધી ઈન્દ્રિયો સાબુત છે; સતત પ્રવાસક્ષમ એવી તેમની શારીરિક તાકાત છે. પ્રવાસ તો તેમને ચાલુ જ હોય છે. દુનિયાના લગભગ બધા Mડે તેમણે નજરે નિહાળ્યા છે. પાક્ષિક‘મંગળ પ્રભાત'નું તેઓ સંપાદન કરે છે, એટલું જ નહિ, તે માટે તેઓ પુષ્કળ લખતા હોય છે. વાર્તાલાપમાં એની એ તેજસ્વીતાને અનુભવ થાય છે. વિનોબાજીને તેમ જ તેમને આપણે જંગમ વિદ્યાપીઠ કહી શકીએ.
જ્યારે તેમને મળવાનું અને ત્યારે અખંડ વાર્તાલાપ ચાલે અને તેમની પાસેથી કાંઈ ને કાંઈ નવું જાણવા–સમજવાનું મળે જ મળે. એ રીતે તેઓ સદા નિત્યનૂતન રહ્યા છે. ગાંધીજીના ગણ્યાગાંઠયા અન્તવાસીઓમાં તેઓ સૌથી વયોવૃદ્ધ અને જ્ઞાનવૃદ્ધ પુરુષ છે. તેમને જોતાં અને તેમનાં શબ્દાર્થનાં વિશ્લેષણ અને તાત્ત્વિક વિવેચને સાંજcળતાં પાણિીપંતજલિ યાદ આવે. આવી વિભૂતિ આપણી વચ્ચે હજુ પણ ફરતી હતી અને દેશના એક ખૂણેથી અન્ય ખૂણે વિચરતી છે–એ આપણા દેશના અહોભાગ્ય છે. તેઓ પીવાય તેટલું પી લ્ય એ પ્રકારની વહેતી જ્ઞાનગંગા છે. અનુભવ અને અવકનની તેઓ ખાણ છે. તેઓ અવશેષ જીવન આરોગ્યપૂર્વક થતીત કરે 'એવી શુભેચ્છા અને પ્રાર્થના સાથે આ ૮૧મી જન્મજયંતી પ્રસંગે આપણાં પણ તેમને અનેક અભિનંદન અને વંદન છે ! '
- ' “પરમ રાંદ