________________
ra
સુખ જીવન
હતા. એ દિવસેામાં અસહકારને લગતા ત્રિવિધ કાર્યક્રમમાં એક કાર્યક્રમ હતા એ વખતે ઉભા કરવામાં આવેલ તિલક સ્વરાજ્ય ફંડ માટે નક્કી કરેલા એક કરોડના લક્ષ્યાંકને એક વર્ષની અંદર પહોંચીવળવાનો. આ ફંડફાળા માટે ગાંધીજી મુંબઈ આવ્યા હતા. વેલજીભાઈ ગાંધીજીના પરિચયમાં એ વખતે આવી ચુક્યા હતા અને તેમને ગાંધીજી સારી રીતે જાણતા હતા. તેથી સૌથી પહેલાં ગાંધીજી વેલજીભાઈ પાસે પહોંચ્યા અને તિલક સ્વરાજ્ય ફંડમાં યોગ્ય રકમ ભરવા ગાંધીજીએ અનુરોધ કર્યો. વેલજીભાઈએ ગાંધીજીના હાથમાં કોરો ચેક મૂકી દીધા. ગાંધીજીએ તેમાં રૂા. ૫૧૦૦૦નો આંકડો ભર્યો. વેલજીભાઈએ ગાંધીજીની આ માંગણી હસતા મોઢે, પ્રફ લ્લિત વદને, જાણેકે જીવનની અપૂર્વ ધન્યતા અનુભવતા હોય એમ સ્વીકારી લીધી. પછી તે મુંબઈ ખાતે તિલક સ્વરાજ્ય ફંડમાં ધનનો વરસાદ વરસ્યા, એ દિવસોનો હું સાક્ષી છું. ગાંધીજી પાસે મણિભુવનમાં જવાનું મને અવારનવાર બનતું અને વેલજીભાઈને ગાંધીજી પાસે બેઠેલા અને વાતો કરતા-ચર્ચા વિચારણા કરતા મેં ઘણીવાર જોયેલા, સાંભળેલા. એ વખતે વેલજીભાઈ જુવાન હતા. તેમની આકૃતિ તા મનોહર હતી, પણ સાથે સાથે તેમાં અનુપમ સૌમ્યતાનાં દર્શન થતાં હતાં. ત્યાર બાદ તેમણે અનેક દાન કર્યા છે, અનેક પ્રકારની રાષ્ટ્રસેવા કરી છે, અનેક સંસ્થાઓનાં સંચાલન કર્યાં છે અને આમ પેાતાના લાંબા જીવનને પૂરા અર્થમાં સાર્થક અને સેવાસમૃદ્ધ બનાવ્યું છે.
તા. ૧૬-૧૨-૬૫
બાંબે વેજીટેરિયન સાસાયટી તરફથી તા. ૧૧-૧૧-૬૫ ના રાજભગની સમાજની સુવર્ણ મહાત્સવ સમિતિના મંત્રી ઉપર પાઠવવામાં આવ્યો હતા, જેનો અમને ખ્યાલ છે ત્યાં સુધી આજ સુધીમાં કોઈ જવાબ આપવામાં આવ્યા નથી.
જેવા અને વેલજીભાઈ
જે સમાજને ગારધનભાઈ જેવા પુણ્યપુરુષો પ્રાપ્ત થયા છે એ સમાજની ધન્યતા, આશાસ્પદતા કાંઈ નાનીસૂની ન ગણાય. તેમનામાંથી આજની અને ભવિષ્યની પેઢીઓ સેવાની અને સમ્યક ચારિત્ર્યની પ્રેરણા લે અને જે સેવાપ્રવાહને તેમણે વહેતો રાખ્યો છે તે પ્રવાહને સતત વહેતે અને વેગવન્તો રાખે એવી આપણી શુભેચ્છા અને પ્રાર્થના હો! ભગિનીસમાજે યોજેલા ખાદ્ય વસ્તુઓના પ્રદર્શનમાં આમિયમિશ્ર વાનીઓ
આપણા દેશ કે જે નિરામિષઆહારના એક મહાન પુરસ્કર્તા લેખાય છે ત્યાં આ બાબતના આગ્રહ દિન પ્રતિ દિન હળવા બનતા જાય છે એ આજની અતિ કમનસીબ અને દુ:ખદ વાસ્તવિકતા છે. રાષ્ટ્રીય મહાસત્તાના છેલ્લા અધિવેશન પ્રસંગે પણ પહેલી જ વાર માંસાહારી પ્રતિનિધિઓને માંસાહાર પૂરો પાડવાની સૌથી પહેલી વાર વ્યવસ્થા કરવામાં આવી હતી. અને એ હકીકત ત્યાર બાદ ભારે ચર્ચાસ્પદ બની હતી. આ જ માર્ગે અને આ જ વિચારસરણી ઉપર ભગની સમાજે પણ પહેલી વાર માંસાહારસમર્થક પગલાં માંડયા છે, જે અતિ ચનીય છે. ખાનપાનની બાબતમાં દરેક વ્યકિત તથા દરેક સંસ્થા સ્વતંત્ર છે, પણ નિરામિષઆહાર ભારતીય સંસ્કૃતિનું એક મહત્ત્વનું અંગ છે અને જેના દિલમાં ભારતીય સંસ્કૃતિનું મૂલ્ય અને ગૌરવ છે તેણે—પછી તે વ્યકિત હોય કે સંસ્થા હોય---ભારતીય સંસ્કૃતિના આ મહત્ત્વના અંગની ઉપેક્ષા કરવી ન જ ઘટે. આપણે આશા રાખીએ કે ભિંગની સમાજના સૂત્રધારો આ બાબતના વધારે ગંભીરતાપૂર્વક અને ઊંડાણથી વિચાર કરશે અને હવે પછીનાં આયોજનામાં આવી ક્ષતિના તેઓ ભાગ નહિ બને.
અનાજની કટોકટીના સસંદર્ભમાં મુંબઈના જૈન સમાજે શરૂ કરેલું સ્તુત્યુ આંદોલન
મુંબઈના ભગની સમાજ સુવર્ણ મહાત્સવના અનુસંધાનમાં તા. ૧૨ નવેમ્બરથી ૨૧મી નવેમ્બર સુધી વનિતા વિશ્રામના હાલમાં ધી ટાઈમ એન્ડ ટેલન્ટ્સ કલબ તરફથી આનંદબજારને મળતું ભિન્ન ભિન્ન ખાદ્યવસ્તુઓનું એક પ્રદર્શન demonstration ભરવામાં આવ્યું હતું. આને લગતા કાર્યક્રમની વિગતો તપાસતા માલુમ પડે છે કે આ પ્રદર્શનમાં રજુ કરવામાં આવેલી અને પ્રેક્ષકોને પીરસવામાં આવેલી વાનીઓમાં કેટલીક વાનીઓ આમિય તથા ઈંડામાંથી બનાવવામાં આવી હતી. આ સંબંધમાં પૂછપરછ કરતાં જવાબદાર વ્યકિતઓ તરફથી એવા જવાબ મળતા કે નિંગની સમાજ માત્ર નિરામિષ આહારીઓની સૌંસ્થા નથી.
આજે આખા દેશ સામે જે અસાધારણ અનેં કટોકટી ઝઝુમી રહી છે તેને પહોંચી વળવા, હળવી બનાવવા અનેક દિશાએથી વિવિધ પ્રયત્ન થઈ રહ્યા છે. તેમાંના એક પ્રયત્ન દર અઠવાડિયાના સમવારે સાંજનું ભાજન નહિ લેવાની પ્રતિજ્ઞા લેવા લેવરાવવા અંગે આરંભાયેલ સામુદાયિક આંદોલન છે. આ પ્રયત્નના અનુસંધાનમાં જણાવતાં આનંદ થાય છે કે જૈન સમાજ પણ આ બાબતમાં જાગૃત થયો છે, એટલું જ નહિ પણ, જૈન સમાજના ધર્મગુરુઓ, આચાર્યો, મુનિવરો જેઓ આજ સુધી આવી બાબતમાં ઉદાસીનતા સેવતા જોવામાં આવતા હતા. તેઓ પણ આ ટાણે સમયની માંગને પીછાણીને ઉપર જણાવેલ પ્રયત્નમાં અગ્રભાગ લઇ રહેલ છે. મળેલી ખબર મુજબ દિલ્હી ખાતે આચાર્ય તુલસીએ અઠવાડીએ એક ટકના ભાજનત્યાગના પ્રતિજ્ઞાપત્ર ઉપર સહી લેવાની ઝુંબેશ શરૂ કરી છે અને તેમાં લગભગ ૫૦,૦૦૦ સહીઓ લેવાઈ ચૂકી છે. મુંબઈ ખાતે પણ મોટા ભાગે જૈન શ્વે. મૂ. આગેવાનોની બનેલી શ્રી રાષ્ટ્રીય સહકાર જૈન સમિતિ તા. ૭-૧૧-૬૫ના રોજ ઊભી કરવામાં આવી છે અને તેને મુંબઈમાં વસતા શ્વે. મૂ. સમાજના આગેવાન આચાર્ય અને મુનિવરોના પૂરો ટેકો છે. આ સંસ્થાના
સભાએ નીચે મુજબના ઠરાવ પસાર કર્યો છે:—
ઉપરની હકીકત અને તેના આ જવાબ પરસ્પર સંગત છે એમ જ ઉપક્રમે તા. ૨૧-૧૧-૬૫ ના રોજ બોલાવવામાં આવેલી જૈનોની જાહેર તો કહી શકાય નહિ, પણ ભગની સમાજ કે જેના સભ્યો બહુધા નિરામિષઆહારી છે અને જેને મહાત્મા ગાંધીના અનેક વાર આશીર્વાદ મળ્યા છે તે સંસ્થાના નિરામિષ આહાર ઉપર આગ્રહ હોવા જોઈએ અને વ્યકિતગત રીતે કોઈ પણ સભ્ય વ્યકિત માંસાહાર કરતી હાય તો પણ તેના ખાનપાનને લગતા સર્વ જાહેર આયોજનામાં સૌ કોઈ સભ્યો એક્સરખા લાભ લઈ શકે એવી એટલે નિરામિષ વાનીઆના જ પ્રબંધ હોવા ઘટે એવી અપેક્ષા આપણે ધરાવીએ એ તન સ્વાભાવિક છે. આ રીતે વિચારતાં અમારી સંસ્થા ‘cosmopolitan' છે, સર્વ વર્ગોનું પ્રાતનિધિત્વ ધરાવે છે એવા ખ્યાલ આગળ ધરીને તેના કાર્યવાહકો નિરામિષ આહારના વિચારને બાજુએ મૂકીને ચાલે એ કોઈ પણ રીતે યોગ્ય નથી લાગતું.
ભિગની સમાજે ખાનપાનની વાનીઓ અંગે ઉપર જણાવેલ જે નવું પ્રસ્થાન કર્યું છે તે સામે સખ્ત વાંધો ઉઠાવતા એક પત્ર
“આજ તા. ૨૧-૧૧-૬૫ રવિવારના રોજ બપોરના ત્રણ વાગતાં શ્રી નેમિનાથ જૈન ઉપાશ્રાય – પાયધુની – મુંબઈ ખાતે પ. પૂ. આ. શ્રી. વિજયપ્રતાપસૂરીશ્વરજી મહારાજ, ૫.પૂ. આ. શ્રી વિજ્યધર્મસૂરીશ્વરજી મહારાજ, પ. પૂ. મુનિરાજશ્રી યશે.વિજયજી મહારાજ, પ. પૂ. પ્રવર્તક મુનિરાજશ્રી જ્યાનંદવિજયજી મહારાજ આદિની નિશ્રામાં મળેલી જૈનાની આ જાહેરસભા વર્તમાન કાળે યુદ્ધ તથા અનાજની અછત અંગે રાષ્ટ્રમાં વ્યાપેલી કટોકટીને ચિંતાની નજરે નિહાળે છે અને તેના નિવારણ અર્થે ભારતના મહાઅમાત્ય સર્વશ્રી લાલબહાદુર શાસ્ત્રીએ જનતાને પેાતાની પાસેનું સુવર્ણ, લાન તરીકે આપવાની તથા અઠવાડિયામાં એક ટૅક અનાજ છેાડવાની જે હાકલ કરી છે, તેને હાર્દિક ટેકો આપે છે. અને સમસ્ત ભારતવર્ષના જૈન સંઘ, જૈન સરથાઓ