________________
૧૫૪
પ્રબુદ્ધ જીવન
૧-૧૨-૬૫
રાજા' નામની એક પુત્રી હતી. તે કૃષણપ્રેમથી દીક્ષિત બનીને સંન્યા- સિની થઈ હતી. તે પણ થોડા સમય બાદ અવસાન પામી. કૃષ્ણપ્રેમને એક અંગ્રેજ મિત્ર હતા. તેમનું નામ એલેકઝાંડર. તેઓ આઈ. એમ. એસ. અને સિવિલ સર્જન હતા. તેમણે કૃષ્ણપ્રેમ પાસે દીક્ષા લઈને સંન્યાસ ધારણ કર્યો હતો અને કૃષ્ણપ્રેમની સાથે રહેતા હતા. ગરીબ જનતાની તેઓ ખૂબ વૈદકીય સેવા કરતા હતા. તેઓ દયા અને કરણાની મૂર્તિ સમા હતા અને પહાડી લોકોને એક મહાન આશીર્વાદરૂપ હતા. તેઓ પણ સાત વરસ પહેલા અવસાન પામ્યાં હતા. કૃષ્ણપ્રેમ પાસે બીજા એક અંગ્રેજ યુવક હતા. તેમણે કૃષ્ણપ્રેમ પાસે દીક્ષા લીધી હતી અને તેમને ‘માધવશિષ” નામ આપવામાં આવ્યું હતું. આજે તેઓ ગુરુવિનાના એકલવાયા બની ગયા છે.
કૃષ્ણપ્રેમ ભકિતયોગ તરફ ખૂબ ઢળેલા હતા, પણ સાથે ઉચ્ચ કોટીના વિજ્ઞાન અને ફિસૂફ હતા. તેમણે અંગ્રેજીમાં લખેલ ગ્રંથે - “ગ ઓફ ભગવદગીતા', “યોગ ઓફ કઠ ઉપનિષદ’ સર્ચ ફેર ટૂથ', અને ઈનીશિપેશન અટુ યોગ’–આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે. હિંદી તેઓ બહુ સરસ અને સરળપણે બોલી શકતા હતા. તેમના પરલોકગમનથી માત્ર ભારતને જ નહિ પણ આખી દુનિયાને એક ઉચ્ચ કોટિના સન્તપુરુષની ખોટ પડી છે.
સ્વામીજી અને કિસનસિંહ ચાવડા પ્રબુદ્ધ જીવનના વાચકોને તા. ૧૬-૪-૧૯૬૫ ના અંકમાં પ્રગટ થયેલો શ્રી કિસનસિંહ ચાવડા સાથે વાર્તાલાપ યાદ હશે. થોડા વર્ષ પહેલાં ભાઈ કિસનસિહ લંડન હતા એ દરમિયાન ઉપર જણાવેલ
સ્વામી કૃષ્ણપ્રેમના તાત્ત્વિક ગ્રંથો તેમના વાંચવામાં આવ્યા અને તેથી તેઓ અત્યંત પ્રભાવિત બન્યા, ભારત પાછા ફર્યા બાદ, તેઓ વહેલામાં વહેલી તકે મીરલા સ્વામી કૃષણપ્રેમના સાન્નિધ્યમાં પહોંચી ગયા
અને ત્યાર બાદ છેલ્લાં ત્રણ ચાર વર્ષથી તેઓ વર્ષને મેટો ભાગ - તેમના સહવાસમાં જ પસાર કરતા રહ્યા છે અને કૃષ્ણપ્રેમને ગુરુપદે
સ્થાપીને અધ્યાત્મની ઉપાસના કરતા રહ્યા છે. ઉપર જણાવેલ વાર્તાલાપ દરમિયાન તેમણે પોતાના આ જીવનપરિવર્તનને લગતા કેટલાક અનુભવો રજૂ કર્યા હતા અને સ્વામી કૃષ્ણપ્રેમના અદ્ભુત વ્યકિતત્વને વિસ્તારથી પરિચય કરાવ્યો હતો.
તેમના તરફથી જ જાણવા મળેલું કે સ્વામીજીની તબિયત કેટલાક સમયથી સારી રહેતી નથી અને તેથી તેમને નૈનીતાલ લઈ જવામાં આવ્યા. અનુમાન થાય છે કે નૈનીતાલ જવા બાદ સ્વામીજીની તબિયત ઉત્તરોત્તર લથડતી રહી હશે, જેના પરિણામે ગઈ તા. ૧૩મી નવેમ્બરે તેમને દેહાંત થયો. પિતાના જીવનના અનન્ય અવલંબન તરીકે ભાઈ સિનસિંહે જે ગુરૂવર્યને સ્વીકાર કરેલો તેમના આ પરલોકગમનથી ભાઈ કિસસિંહની મનોવ્યથાને પાર રહ્યો નહિ હોય! તેમના વિષે આપણી ઊંડા દિલની સહાનુભુતિ હો!
જન્મથી અંગ્રેજ અને ખ્રિસ્તી ધર્મના અનુયાયી તે સંપૂર્ણપણે ભારતીય અને હિન્દુ બની જાય એ નાનાસરખા જીવનપલટો ન ગણાય. સ્વામી કૃષ્ણપ્રેમ આ કોટિની ક્રાતિશીલ વ્યકિત હતા. આવા સંત કોટિના આત્માને, તેમના આ ઉર્ધ્વલકપ્રયાણ પ્રસંગે, આપણાં અનેક અભિવન્દન હો!
પરમાનંદ વિષયસચિ
પ્રકીર્ણ નોંધ :: ‘તૂફાન” શબ્દ વિરપષ્ટતા, પરમાનંદ ૧૪૭ દિલ્હી ખાતે મળેલી જેન એકતા – વિચાર પરિષદ, કલકત્તા ખાતે શરૂ કરવામાં અાવેલ પશુબલિનિષેધક આંદોલન કયાં સુધી પહોંચ્યું?, શ્રી. મહાવીર જૈન વિદ્યાલયને મળેલું રૂ. ૨૫,૦૦૦ નું દાન. થોડાંક અવલોકન
પરમાનંદ ૧૪૯ મહાપ્રસ્થાનના પથ પર -૧
પ્રબોધ સન્યાલ ૧૫૧ - સંતપુરુષ સદ્ગત સ્વામી કૃષ્ણપ્રેમ
પરમાનંદ ૧૫૩ અઘતન આક્રમણ-પ્રતિઆક્રમણના શ્રી જમનાલાલ જૈન ૧૫૪
સંદર્ભમાં અહિંસા વિચાર . બે કરુણા પ્રેરક સત્ય ઘટના ! હરીશભાઈ વ્યાસ ૧૫૬
1 ભીમસી કાકુ ચારણ
અધતન આક્રમણ-પ્રતિઆક્રમણના સંદર્ભમાં
અહિં સાવિચાર [‘અણુવ્રત' પાક્ષિકમાં મુનિ રૂપચંદજીએ ઉપસ્થિત કરેલા પાંચ પ્રશ્નો અંગે મારી તરફના તથા મુનિ નથમલજીના ઉત્તરો “પ્રબુદ્ધ જીવન’ના ગતાંકમાં પ્રગટ કરવામાં આવ્યા છે. એ જ પાંચ પ્રશ્નને ધ્યાનમાં રાખીને શ્રી જમનાલાલ જૈને કરેલું વિવેચન તા. ૧-૧૧-૬૫ ના અણુવ્રતમાં પ્રગટ થયું છે. આ વિવેચન અહિંસાને લગતી વિચારણાને વધારે વિશદરૂપમાં રજૂ કરતું હોઈને તેને અનુવાદ નીચે આપવામાં આવે છે. સામાન્ય લોકોના ચિંતનમાં હિંસા-અહિંસાના વિષય અંગે ખૂબ જ અસ્પષ્ટતા અને ગૂંચવાડો જોવામાં આવે છે, જે દૂર કરવા માટે અને આવા જટિલ વિષય અંગે સ્પષ્ટ માર્ગદર્શન પ્રાપ્ત કરવા માટે આવાં વિવેચનની-તર્કબદ્ધ રજૂઆતની–ખૂબ જ ઉપયોગીતા છે. પરમાનંદ]
મુનિશ્રી રૂપચંદજીએ આક્રમણ–પ્રતિઆક્રમણના સંદર્ભમાં પાંચ પ્રશ્ન ઉઠાવ્યા છે. પાંચે પ્રશ્નો પરસ્પર સંબંધિત અને એકબીજાના, પૂરક છે. મારી સમજ પ્રમાણે એ પ્રશ્નોને સાર એ છે કે કોઈ દેશ અન્ય દેશ ઉપર આક્રમણ કરે છે તે દેશ તેને કેવી રીતે સામને કરે કે જેથી દેશની રક્ષા થઈ શકે અને અહિંસાની પ્રતિષ્ઠા પણ જળવાઈ રહે.
૧. હજારો વર્ષો થયાં અહિંસાના વિકાસમાં આરોહ-અવરોહ આવ્યા કર્યા છે. ગાંધીજીની પહેલાં અહિંસા વ્યકિતગત સાધનાની વસ્તુ રહી. તેની સાધના માટે સાધકોએ કઠણમાં કઠણ અને અસાધ્ય કહેવાય એવા પ્રયોગો કર્યા છે. ગમે તેવા અસહ્ય આક્રમણ અને પ્રહારોને તેમણે સમભાવે સહન કર્યા છે. એક “ઊંહકાર પણ કર્યો નથી, એટલું જ નહિ પણ, આક્રમણકાર ઉપર સમભાવ રાખ્યો છે. પરંતુ સામાજિક કે રાજકીય હેતુસર સામૂહિક અહિંસાને પ્રયોગ તો ગાંધીજીના યુગમાં થયો. અંગ્રેજ સકાર સાથે અસહકાર કરવામાં એવી અહિંસાને પ્રયોગ કર્યો એટલું જ નહીં પણ, રચનાત્મક પ્રવૃત્તિઓમાં પણ સામૂહિક અહિંસાના પ્રયોગો થયા.
૨. ગાંધીજીના આ અહિંસાના પ્રયોગો સામાજિક અને રાષ્ટ્રીય દ્રષ્ટિએ મહત્ત્વપૂર્ણ હતા અને બીજા અનેક દેશોએ પણ એવા પ્રયોગ અપનાવ્યા છે. પરંતુ કોઈ પણ સમગ્ર રાષ્ટ્રમાં કે એક આખા સમુદાયમાં એવી અહિંસા જીવનધર્મ બની શકી નથી. આજે પણ અહિસા વ્યકિતગત સાધનાની જ ચીજ બની રહી છે. સત્તા અને શાસનમાં અહિંસાને પ્રતિષ્ઠિત કરવાના પ્રયત્નો થયા, પણ તે અમુક મર્યાદામાં જ.
૩. અહિંસાધર્મી શાસ્ત્રોમાં ચાર પ્રકારની હિંસાનું વર્ણન છે. ગૃહસ્થને માટે કેવળ સંકલ્પી હિંસાના ત્યાગનું વિધાન છે. ઉદ્યોગી, આરંભી કે પ્રતિકારની હિંસાને ત્યાગ તે કરી શકતા નથી એ નિર્દેશ પણ છે. અગર જો ગૃહસ્થ પિતાની મર્યાદાને ત્યાગ કરી મુનિની મર્યાદાઓ સ્વીકારવા જાય તે તે ગૃહસ્થધર્મથી પતીત થઈ જવાને. આ પ્રમાણે રાષ્ટ્ર અને સમાજે પણ અમુક મર્યાદાઓ સ્વીકારવી રહી. એ સ્પષ્ટ છે કે એક ગૃહસ્થને જે હિંસાની છૂટ હોઈ શકે તેના કરતાં સત્તા, રાષ્ટ્ર કે સમાજે અધિક છૂટ લેવી પડે. એમ ન થાય તો રાષ્ટ્ર છિન્નભિન્ન થઈ જાય.
૪. ગૃહસ્થને અનિવાર્ય રીતે જે હિંસા સ્વીકારવી પડે છે તે હિંસા-અહિંસા તો બની ને જ શકે, પરંતુ ગૃહસ્થાશ્રમની જવાબદારી તેના કરતાં પણ વધારે મોટી છે. પરિવારના રક્ષણની અને પોષણની જવાબદારીમાં રાષ્ટ્રનું હિતાહિત પણ સમાયેલું છે. ગૃહસ્થાશ્રમની જેમ રાષ્ટ્રરક્ષાની જવાબદારી પણ મહત્ત્વની છે. રાષ્ટ્ર નહીં હોય તો સમાજ કે વ્યકિત કોઈ નહીં હોય. એવી જવાબદારી વિનાનું જો કોઈ રાષ્ટ્ર હશે કે નહિ તેનું કોઈ વ્યકિતત્વ હોય કે નહીં કે તેને ધર્મ હોય.
૫. રાષ્ટ્ર પાસે એક પ્રકારની સત્તા છે અને તે સત્તાના રક્ષણ