________________
૧પ૦
*
પ્રબુદ્ધ જીવન
હતી, ૧-૧ર-૫
પણ એમની જન્મસિદ્ધ સરળતા, અને તીક્ષણ દષ્ટિએ એમને પંથાતીત બનાવ્યા છે. તેઓ જેટલા પ્રમાણમાં જૈન સાહિત્ય આદિનું પરિશીલન કરતા રહ્યા છે, તેટલા જ પ્રમાણમાં બૌદ્ધ અને કેટલીક વૈદિક પરંપરાઓનું પરિશીલન કરતા આવ્યા છે. તેઓ સંસ્કૃત, પાલિ, પ્રાકૃત, ગુજરાતી, હિંદી, બંગાળી અને મરાઠી આદિ ભારતીય ભાષાઓમાં લખાયેલા પ્રાચીન અને નવીન વાડમયનું સતત અવગાહન કરતા રહ્યા છે. અંગ્રેજીમાં તેમણે પુષ્કળ સાહિત્ય વાંરયું છે, અને હજી પણ તેમને તે યજ્ઞ અખંડપણે ચાલે છે. આને લીધે મારી જેવાને
જ્યારે જ્યારે શાસ્ત્રીય વિષયો કે રેજો વિષે જિજ્ઞાસા થાય ત્યારે ત્યારે શ્રી દલસુખભાઈનું વિશાળ વાંચન અને લેખની રસ્મૃતિ એક વિશ્વકોષની ગરજ સારે છે.”
પ્રસ્તુત પુસ્તકમાં સંગ્રહિત કરેલા લેખેના વિષય અંગે નિર્દેશ કરતાં પં. સુખલાલજી જણાવે છે કે, “અનુક્રમ અને અન્તર્ગત મથાળાં ઉપરથી લેખને ધૂળ પરિચય તો થઈ જાય છે પણ દરેક લેખના વિષયની ચર્ચાને ગ્ય રીતે સમજવી હોય તો તે માટે વાંચકે પોતે જ ધીરજપૂર્વક એનું આકલન કરવું જોઈએ. જ્યારે કેઈ લેખક કોઈ એક વાડાની બહારની તટસ્થ દષ્ટિથી લખવા કે બોલવા પ્રયત્ન કરે છે, ત્યારે તેને અનેક મુશ્કેલીઓને સામને કર પડે છે. વાચકોમાં જેઓ પંથગત સંસ્કારના હોય તેઓને કેટલુંક ન પણ સમજાય, અને સમજાય તે કેટલુંક રુચે પણ નહિ. બીજા કેટલાક વાચકો વિશાળ દષ્ટિવાળા હોય તો એમને એમ પણ લાગવાને સંભવ ખરો કે આ બધું નિરૂપણ પંથેની આસપાસ ચાલે છે. વળી, કેટલાક વગર અભ્યાસે પણ, એવી ઉતાવળી પ્રકૃતિના હોય છે કે તેમને શાસ્ત્ર, ધર્મ, પંથ આદિની વાત અને ચર્ચાઓ અસામયિક લાગે છે. પણ આ લખાણો બે દષ્ટિએ લખાયેલાં છે. એક તો જેઓ ખરા જિજ્ઞાસુ હોય, છતાં પંથ કે વાડાની સાંકડી ગલીમાંથી બહાર નીકળી ગયા હોય, તેમને તેમની જિજ્ઞાસા સંતોષાય અને તેમની દષ્ટિ વિશાળ બને એ દષ્ટિથી; બીજી દષ્ટિ એ છે કે જેઓ જિજ્ઞાસુ હોય, ઉદાર દષ્ટિથી વાંચવા-સમજવાની વૃત્તિવાળા હોય, પણ એક યા બીજે કારણે તેઓ ઈતિહાસ અને શાસ્ત્રીય વહેણાથી વિશેષ પરિચત ન હોય તેમને એના આધાર પૂરા પાડવા અને તેનું અર્થઘટન પિતાને સમજાયું હોય તે રીતે તેની સમક્ષ રજુ કરવું.”
ઉપર સૂચવેલ દષ્ટિએ, પં. સુખલાલજી જણાવે છે તેમ, પ્રસ્તુત લેખસંગ્રહ જૈન કે જૈનેતર દરેકને વિશેષ માર્ગદર્શક અને જિજ્ઞાસાપ્રેરક થઈ પડશે એમ નિ:શંક લાગે છે. તેથી શ્રી જગમેહનદાસ કોરા સમારકે પુસ્તકમાળા દ્વારા આવા પુસ્તકનું પ્રકાશન કરવામાં આવ્યું છે એ નિર્વિવાદપણે સમયસરનું લાગે છે.
આ પુસ્તકનું સંપાદન શ્રી રતિલાલ દીપરાંદ દેસાઈએ કહ્યું છે, ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય (ગાંધી રસ્તે, અમદાવાદ) તેનું પ્રાપ્તિસ્થાન છે. કિંમત રૂા. ૧-૫૦ છે.
“હળવું ગાંભીર્ય * આ લેખસંગ્રહના લેખક શ્રી ચીનુભાઈ ભોગીલાલ પટવા પિતાના નિવેદનમાં જણાવે છે તે મુજબ આ હળવું ગાંભીર્ય તેમના હળવા નિબંધોને છઠ્ઠો સંગ્રહ છે. તે અગાઉના (૧) “પાન સેપારી,’ (૨) “ફિલસુફિયાણી', (૩) “ચાલ, સજોડે સુખી થઈએ,’ (૪) “અમે અને તમે', અને (૫) સાથે બેસીને વાંચીએ” મળીને આ પ્રકારનું ૧૭૦ ૦ પાના જેટલું સાહિત્ય ગ્રંથસ્થ થયું છે. “ફિલસૂફ” ઉપનામે ગુજરાત સમાચાર’ માં વીશેક વર્ષોથી લખાતી તેમની ‘પાન સેપારી ’ નામની કટારામાંથી મહદ્ અંશે આ સંગ્રહ સંકલિત કરવામાં આવ્યો છે, જે કે થોડાંક લેખ આકાશવાણી વાર્તાલાપ અને અન્ય સામયિકોમાંથી પસંદ કરવામાં આવ્યાં છે.
શ્રી ચીનુભાઈની લેખિનીને વિનેદ અને કટાક્ષ સહજપણે વરેલ છે. જીવનની નાની ઘટનાઓમાંથી તેઓ અવનવે વિનેદ તારવીને વાચકોના મનનું રંજન કરી શકે છે અને કટાક્ષો વડે સામાજિક ઘટનાઓને વેધક બનાવી શકે છે. આ લેખસંગ્રહની દરેક લેખ હળવે વિનેદ અને ગંભીર સૂચનના વાણાતાણામાંથી નિર્માણ કરવામાં આવેલું એક મર્મગ્રાહી સર્જન છે. કોઈ ઉપવનના એક ખંડમાંથી
બીજા ખંડમાં અને ત્યાંથી ત્રીજા ખંડમાં કરવામાં આવતા સ્વૈરવિહાર જેવું રસપ્રદ વાચન આ લેખસંગ્રહ પૂરું પાડે છે. આપણે ત્યાં વિનેદ અને હાસ્યરસ ઉપર સ્વામિત્વ ધરાવતા લેખકો ગણ્યાંગાંઠયા - છે. આ લેખકોમાં શ્રી ચીનુભાઈ પટવા અગ્રસ્થાને છે.
આ લેખસંગ્રહની કિંમત રૂા. ૫-૫૦ છે. અને પ્રકાશક રવાણી પ્રકાશન ગૃહ છે. ઠેકાણું : ટિળક માર્ગ, અમદાવાદ,
“લોકશાહીનું સ્વરૂપ આ નાની પુસ્તિકાના લેખક છે શ્રી પુરુષોત્તમ ગણેશ માવવળકર, જેએ શેઠ લાલભાઈ દલપતભાઈ આર્ટસ કૅલેજના પ્રિન્સીપાલ છે. આ પુસ્તિકામાં ભાઈ પુરુષોત્તમે લોકશાહીનું સ્વરૂપ સાદી, સરળ, પ્રવાહી ગુજરાતીમાં બહુ જ સુંદર રીતે રજૂ કર્યું છે અને લેકશાહી સાથે જોડાયેલા અટપટા પ્રશ્નોને પણ સિદ્ધ લેખિનીના બળ વડે સહેજ સુગમ બનાવ્યા છે. આપણે ત્યાં પારવિનાના લોકશાહી પંડિતો છે અને એમ છતાં તેઓ લેકશાહીમાં કશું જ સમજતા હોતા નથી. આવી અધકચરી સમજણ ચોતરફ પ્રવર્તે છે. આવી પરિસ્થિતિમાં બહુ લાંબુ નહિ, બહુ ટુંકું નહિ અને જરૂરી સર્વ મુદ્દાઓને આવરી લેતું- એવું આ સુશ્લિષ્ટ નિરૂપણ અત્યંત આવકારદાયક છે. આ માટે ભાઈ પુરત્તમને અનેક ધન્યવાદ ઘટે છે. આ પુસ્તિકાનું લખાણ જેટલું ઉોધક છે તેટલું જ કાચું અને ભૂલથી ભરેલું તેનું મુદ્રણ છે. આ દેષ લેખકનો નથી પણ જ્ઞાન - કૌશલ્ય પ્રકાશન શ્રેણીના પ્રકાશકોને છે. એ શ્રેણીની આ ૨૩-૨૪' એમ સમીલિત પુસ્તિકા છે. તેનું ઠેકાણું છે ૧૩, સ્નેહકુંજ, એકસાઈઝ ચેકી, આંબાવાડી, અમદાવાદ - ૬, છે. કિંમત ૮૦ પૈસા છે.
પરણ્યાનંદ સ ા સમાચાર
સાપુતારા પર્યટન શ્રી મુંબઈ જૈન યુવક સંધ તરફથી સંધના સભ્યો અને તેમના કુટુંબીજને માટે નાસિક નજીક, પણ ગુજરાત રાજ્યમાં દરિયાની સપાટીથી લગભગ ૩૫૦૦ ફીટની ઉંચાઈએ આવેલ સાપુતારા નામના હીલ સ્ટેશનનું ડિસેમ્બર તા. ૧૮ અને ૧૯ શનિ-રવિ એમ બે દિવસનું પર્યટન ગોઠવવામાં આવેલું છે. આ પર્યટનમાં જોડાનાર ભાઈબહેનેને તા. ૧૭ મી ડિસેમ્બર શુકવાર રાત્રિના ૧૧-૧૦ વાગ્યે વિકટોરિયા ટર્મીન્સથી ઉપડતી ભૂસાવળ પેસેન્જ.માં નાસિક લઈ જવામાં આવશે અને ત્યાંથી બસમાં સાપુતારા પહોંચાડવામાં આવશે. એ જ રીતે ડિસેમ્બર તા. ૧૯ મી રવિવાર સાંજના ચાર વાગ્યે સાપુતારાથી નીકળીને નાસિક થઈને સેમવાર સવારના સાડા પાંચ વાગ્યે મુંબઈ પાછા ફરવાનું રહેશે.
આ પ્રવાસમાં જોડાનાર ભાઈ - બહેનએ વ્યકિત દીઠ રૂા. ૪૦) અને ૧૨ વર્ષથી નીચેના બાળકો માટે રૂ. ૩૦) ભરવાના રહેશે. પ્રવાસમાં જોડાનારે બને તેટલું નાનું બેડીંગ તથા ટૅ સાથે લાવવાની રહેશે. આ પર્યટન માત્ર ૪૦ પ્રવાસીઓ માટે વિચારવામાં આવ્યું છે તેથી સંધના જે સભ્યોને આ પર્યટનમાં જોડાવાની ઈચ્છા હોય તેમણે સંધના કાર્યાલયમાં જરૂરી રકમ સત્વર ભરી જવા વિનંતી છે !
સંઘના સભ્યોને આગ્રહભરી વિનંતિ
ઈ. સ. ૧૯૬૫નું ચાલુ વર્ષ હવે પૂરું થવા આવ્યું છે, આમ છતાં પણ સંઘના ઘણાં સભ્યોનાં લવાજમ હજુ સુધી વસુલ થયાં નથી. આ સંબંધમાં તેમને એક અલગ યાદી પોસ્ટકાર્ડ દ્વારા પાઠવવામાં આવી છે. એના અનુસંધાનમાં જણાવવાનું કે જે સભ્યનાં લવાજમ હજુ વસુલ થયાં ન હોય તેઓ સંઘના કાર્યાલયમાં પિતાનાં લવાજમ સત્વર ભરીને અમારા કાર્યમાં સરળતા કરી આપે
મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ
પરમાનંદ કુંવરજી કાપડિયા
તંત્રી, પ્રબુદ્ધ જીવન જૂનો ટે. નં. ૭૪૮૭૦ નવો ટે. નં. ૭૫૪૮૭૬