SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ REGD. No. B*4266 વાર્ષિક લવાજમ રૂા. ૪ પ્રબુદ્ધ જૈનનુ નવસંસ્કરણ વર્ષ ૨૭ : એક ૧૪ (૧ પ્રબુદ્ધ જીવન શ્રી મુબઇ જૈન યુવક સ’ઘનું' પાક્ષિક મુખપત્ર છૂટક નકલ ૨૫ પૈસા મુબઇ, નવેમ્બર ૧૬, ૧૯૬૫, મગળવાર આફ્રિકા માટે શિલિગ ૮ તંત્રી; પરમાનંદકુંવરજી કાપડિયા અદ્યતન આક્રમણ—પ્રતિઆક્રમણના સંદર્ભમાં અહિંસાવિચાર ‘આણુવ્રત’ નામના દિલ્હીથી પ્રગટ થતા પાક્ષિક પત્રમાં મુનિશ્રી રૂપચંદ્રજીએ નીચેની વિચારભૂમિકા ઉપર આજના આક્રમણપ્રતિઆક્રમણના સંદર્ભમાં જાહેર ચર્ચા માટે અહિંસાવિષયક પાંચ પ્રશ્ના રજુ કર્યા છે. તેમણે રજુ કરેલી વિચારભૂમિકા આ મુજબ છે:— વર્તમાન ભારત - પાકિસ્તાન યુદ્ધના સંદર્ભમાં સને ૧૯૬૨ની સાલમાં દિલ્હીમાં ભરવામાં આવેલા અણુશસ્ત્રવિરોધી સંમેલનનું સ્મરણ થઈ રહ્યું છે. આ સંમેલનના અધ્યક્ષ ચક્રવર્તી રાજગોપાલાચાર્ય હતા અને તત્કાલીન રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ તથા પ્રધાનમંત્રી સર્વે એ આ સંમેલનમાં ભાગ લીધા હતા. આ સંમેલનમાં પ્રસ્તાવિત કરવામાં આવેલાં અનેક સૂચનાના આશય એ હતો કે ભારતે સ્વેચ્છાથી એકાંગી નિ:શસ્ત્રીકરણ જાહેર કરવું જોઈએ અને શસ્ત્રોના પરિત્યાગ કરવા જોઇએ, જે દ્રારા વિશ્વને પ્રેરણા મળી શકે. એ સંમેલનમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે ભારત પેતાની સેનાને નિ:શસ્ત્ર કરીને અહિંસક બનાવી દે અને ચીન તથા પાકિસ્તાન સાથેના પોતાના સીમા- વિવાદનો પ્રશ્ન ફૈસલા માટે પંચને સોંપી દે. મહાત્મા ગાંધીએ પણ એમ જ કહ્યું હતું કે મારે એવી સ્વાધીનતા નથી જોઈતી કે જેમાં એક પણ વ્યકિતની ખૂન ખરાબી થાય. વર્તમાન સમયની સાથે ભારતના ચિન્તને એક નવા આકાર ધારણ કર્યો છે. ખરેખર પોતાની આત્મસુરક્ષા માટે જ, પણ ભારતે શસ્ત્ર તથા સેનાને આશ્રય લીધો છે. શકિતના ઉત્તર શકિત વહેં આપીને તેણે સમસ્ત વિશ્વને દેખાડી આપ્યું છે કે તેના પંચશીલ, નિશસ્ત્રીરણ તથા અહિંસાના સિદ્ધાન્તોની ભૂમિકામાં કાયરતા અથવા કલીબતા નથી, પરંતુ શાંતિપ્રિયતા તથા માનવતા અને પ્રેમ છે. આમ છતાં પણ આ સિદ્ધાન્તોને કોઈ અનુચિત લાભ ઉઠાવવાના પ્રયત્ન કરે તો તેના ઉત્તર ભારત શકિતથી પણ આપી જાણે છે. હવે પ્રશ્ન એ છે કે અહિંસા, પંચશીલ તથા નિશસ્ત્રીકરણને લગતાં એ સૂચનાનું શું થયું? અધિક સંભવ છે કે શકિતવિસ્તારની ચિન્તામાં ભારતને અણુબૉંબ નિર્માણ કરવા તરફ ઝૂકવું પડે. જો આમ બને તે અહિંસાનિષ્ટ નીતિઓ તથા રાષ્ટ્રોની આસ્થા ઉપર શું બહુ મેટા પ્રહાર નહિ પડે? આ પ્રસંગે મને એ આવશ્યક લાગે છે કે અહિંસાવાદી લાક અહિંસાનું એક વાર ફરીથી સૂક્ષ્મ વિશ્લેષણ કરે અને એના આલાકમાં વર્તમાન સ્થિતિએ અંગે ઉત્પન્ન થતાં પ્રશ્નોનું સમાધાન આપે. આમ જણાવીને તેમણે જે પાંચ પ્રશ્નો જાહેર ચર્ચા માટે રજુ કર્યા છે તે પ્રશ્ન તેને લગતા ઉત્તરા સાથે ક્રમસર નીચે આપવામાં આવે છે: પ્રશ્નાત્તરા પ્રશ્ન: ૧: વર્તમાન સંઘર્ષના કાળમાં જ ભારત સરકારે ‘શકિતને ઉત્તર શકિતથી આપવામાં આવશે' આવી નીતિ અખત્યાર કરેલી હોવાના કારણે, આપણે શું અહિંસાના પરાજય સ્વીકારી લેવા રહ્યો ? ઉત્તર : પ્રસ્તુત પરિસ્થિતિમાં અહિંસાના જયુ - પરાજયનો પ્રશ્નજ ઉપસ્થિત થતા નથી, કારણ કે પાકિસ્તાનના હિંસક આક્રમણ સામે ભારતે પણ હિંસક પ્રતિઆક્રમણ જ અખત્યાર કર્યું છે, કોઈ અહિંસક પ્રતિકારનો તેણે વિચાર જ કર્યો નથી, પ્રસ્તુત પરિસ્થિતિમાં વસ્તુત: અહિંસા પરાજિત નહિ પણ નિર્વાસિત બની છે. બાકી વાસ્તવિક જીવનમાં હિંસા સામે અહિંસા અવારનવાર ટકરાતી હોય છેઅને આમ જ્યારે જ્યારે બને છે ત્યારે ત્યારે અહિંસા કદિ વિયી તે કદિ પરાજિત બનતી રહી છે. વળી માનવી જીવન મોટા ભાગે નાની મેોટી હિંસા ઉપર નિર્ભર હોવાથી ‘બહુજનહિતાય, બહુજનસુખાય. નાની હિંસાનો આશ્રય લઈને મેટી હિંસાનું નિવારણ કરવામાં આવે એ પણ એક દૃષ્ટિએ અહિંસાનો જ વિજ્ય લેખાવા ઘટે. બાકી એમાં કોઈ શક નથી કે હિંસા અને અહિંસા વચ્ચેના આ સનાતન દુદુમાં જેટલા પ્રમાણમાં હિંસા પરાજિત બનશે અને અહિંસા વિજ્યી નિવડતી જશે તેટલા પ્રમાણમાં માનવીજીવનમાં સુખ, શાન્તિ અને સ્વાસ્થ્યને વધારે પ્રતિષ્ઠા તેમ જ સ્થાયીત્વ મળતાં રહેશે. પ્રશ્ન: ૨: શું અહિંસા જીવન - રક્ષાની જવાબદારીને પહોંચી વળી શકે ખરી? ' ઉત્તર : ‘જીવો જીવસ્ય જીવનમ ' આ પ્રકૃતિના નિયમ છે. ‘જીવા અને જીવવા દ્યો.' એ માનવસંસ્કૃતિનો નિયમ છે અને તેથી પેાતાનું જીવન ટકાવવા માટે બને તેટલી એછી હિંસા કરવી એવા આચાર માનવસંસ્કૃતિ અંગે ઉપર દર્શાવેલ નિયમ ઉપરથી ફલિત થાય છે. આ નિયમ જેટલા પ્રમાણમાં અમલી બને તેટલા પ્રમાણમાં જીવનરક્ષા અહિંસા ઉપર નિર્ભર બની ગણાય. પ્રશ્ન: ૩: શકિતને સફળ પ્રતિકાર શું શકિત જ છે? અહિંસા નહિ ? ઉત્તર: શકિતનો પ્રતિકાર બે રીતે થઈ શકે છે: (૧) હિંસા વડે એટલે કે શકિત વ. પણ આવા પ્રતિકાર સફળ થાય કે નિષ્ફળ થાય તે પણ તેમાંથી સમયાન્તરે નવું આક્રમણ જન્મ પામે છે અને તેને પાછા પ્રતિકાર કરવાના રહે છે. આમ આક્રમણ અને પ્રતિઆક્રમણની અનિવાર્ય પરંપરા ઊભી થાય છે. (૨) અહિંસક પ્રતિકાર વર્તે. આ પ્રતિકાર બે પ્રકારના હોય છે. વૈયકિતક અને સામુદાયિક અમુક અનિષ્ટના સંદર્ભમાં વૈયકિતક પ્રતિકાર વ્યકિતને સ્વધર્મ રૂપે પ્રાપ્ત થાય છે, અને તેથી તેના પ્રતિકાર ફનિરપેક્ષ હાય છે. આમ છતાં બાહ્ય પરિણામની દષ્ટિએ તેની સફળતાનો આધાર તે પ્રતિકાર કેવા પ્રત્યાઘાતા પેદા કરે છે તેના ઉપર રહે છે. કોઈ પણ રાજ્યની અંદર પેદા થયેલ અનિષ્ટને નાબુદ કરવા માટે અમુક સંયોગામાં સામુદાયિક પ્રતિકારની વ્યવહારૂ યોજના વિચારી શકાય, એટલું જ નહિ પણ, અમલી પણ બનાવી શકાય અને તે સફળતાને પણ પ્રાપ્ત કરે. પણ આન્તરરાષ્ટ્રીય સંઘર્ષની ટોકટીમાં હજુ આવા કોઈ સામુદાયિક અહિંસક પ્રતિકારની વ્યવહારૂ ચાજના વિચારવામાં આવી નથી, એટલે તે આજે શકય લાગતી નથી. પ્રશ્ન : ૪: રાષ્ટ્રની પ્રાદેશિક અખંડિત અને પ્રભુસત્તાની સુરક્ષા માટે અહિંસાની પાસે કેવા કેવા ઉપાયો છે? ઉત્તર : પરસર વાટાઘાટ, લવાદી, જે દેશ સાથે ઘર્ષણ પેદા થયું હોય તેની સાથે અસહકાર—આવા કેટલાક અહિંસાત્મક
SR No.525950
Book TitlePrabuddha Jivan 1965 Year 26 Ank 17 to 24 and Year 27 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1965
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy