________________
૧૨
પ્રભુ
ત્યાગ કરવામાં ન આવે તે તેમાંથી. માનવજાતના વિનાશ જ સંભવે. આવી વિચિત્ર પરિસ્થિતિમાં આપણી આશા બે આધ્યાત્મિક બñાના સંગમ ઉપર બાંધી શકાય. (૧) રક્ષણવંચિત પ્રજાજનોની સામુદાયિક, કતલપર્યંત નીચે ઉતરી. ગયેલ યુદ્ધની. અસ્વીકાર્યતા અંગે નૈતિક સભાનતા અને (૨), 'માનવજાતના ટકાવ અને તંત્રવૈજ્ઞાનિક. યુદ્ધ વચ્ચેની અસંગતતાનું બુદ્ધિપૂર્વકનું જ્ઞાન.
r
પ્રશ્ન એક જ છે: આને અસરકારક બનાવવા આપણી પાસે પુરતો સમય છે? અત્યારની પરિસ્થિતિ અતિ અસ્થાયી છે, અને તેના સ્વરૂપના કારણે જ દિન પર દિન તે વધારે ભયકારક બનતી જાય છે. કોઈ એક વ્યકિત કે તંત્રની નિષ્ફળતા, કોઈ નેતાના આંધળા જુસ્સા, જનસમુદાયનીવિચારસરણી - વિષયક કે રાષ્ટ્રવિષયક ભ્રમણા કોઈ પણ ક્ષણે . ધડાકો કરી નાખે. વિચાર અને કાર્યમાં પરિવર્તન પેદા થાય તે પહેલાં કદાચ આવા ભયંકર વિનાશમાંથી આપણે બચી ન શકીએ.
પણ આપણે આશા રાખવી જોઈએ. આશા બે પ્રકારની છે: સારા. હવામાનની કે લાટરી જીતવાની કોઈ આશા રાખે તો શું થાય છે એના પર. એ વ્યક્તિગત કે સમુદાયગત આશાની કોઈ અસર પડતી નથી. ધારો કે સારા હવામાનને બદલે વરસાદ પડયો અથવા તો આપણને લેટરીમાં કાંઈ ન મળ્યું, તે આપણે એ પરિણામને—એ વાસ્તવિકતાને—મુંગા મોઢે સ્વીકારવી જ રહી. પણ પ્રજાના સહઅસ્તિત્ત્વમાં, ખાસ કરીને રાજકારણમાં, આશા એ ભારે ચાલક (moving) બળ છે. જો આપણે આશા રાખીએ તો એ આશા પરિપૂર્ણ કરવા આપણે ક્રિયાશીલ બની પ્રવૃત્તિ આદરીખે. આજે દુનિયા પર જામેલ અનીતિમત્તા અને ગેરવ્યાજબીપણા (unreasonableness) સામેની લડતમાં આપણે થાકવું ન જોઈએ. કોઈ રાજંપુરુષ કે તત્ત્વજ્ઞાની નહીં પણ એક વ્યવહારૂ બુદ્ધિવાળા મહાન દાકતર નાબેલ-પારિતોષિક-વિજેતા ગરહાર્ડ ડોમાકનાં વચનો ટાંકવાનું મન થાય છે: (ડોમાગ્યુંની કેમોથેરાપીની શોધાએ લાખા માણસોની. તાંદુરસ્તી સાચવી છે અને લાખા જીંદગીઓને મેાતના મેોંમાંથી ઉગારી છે)
"What is really important. in this world? That, we individuals get along with each other, try to understand and help each other as best we can: For us physicians. that is: natural. Why should'if not also be possible for ta: people Don't tell me this be ütopia Every discovery was considered utopian:"
“આ દુનિયામાં ખરેખર શું મહત્ત્વનું છે? આપણે બધાં એક બીજાને જેટલા વધારે બને તેટલા સમજવા અને મદદ કરવા પ્રયત્ન કરીએ.. અમે દાકતરોને માટે તો આ સ્વાભાવિક છે. બીજાઓ માટે એ કેમ શક્ય બને? એ યુટોપિયા છે એમ મને ન કહેશેા. દરેક શોધને એક વખત યુટોપિયન ગણવામાં આવતી હતી.”
તેમણે આગળ વધીને એમ પણ કહ્યું છે કે, “આપણે બીજાની તાકાત ઉપર આધાર શા માટે રાખવા જોઈએ? આપણે એમ વતી ને ધણું સહન કર્યું છે અને એમાંથી આપણે હવે કાંઈક ધડો લેવા જોઈએ, પણ જૂની વિચારપરંપરા અને આચારવ્યવહારને વળગી રહેવું આપણને ગમે છે; એથી પણ વધારે ગમે છે. પોતાની જાત અંગે સ્વતંત્ર રીતે વિચારવાને બદલે અને પરસ્પર વિનાશના સ્થાને સમાધાનીના માર્ગ શોધવાને બદલે જુલ્મી શાસકોને અને વિકૃત માનસ ધરાવતા તંત્રવાહકોને તાબે થવાનું, અનુરવાનું.”
• આ અસંદિગ્ધ કથન છે. આ શબ્દો છે માનવીની જીદગી બચાવનાર' અને એ માટે પોતાનાં સર્વ જ્ઞાન અને શકિતનો જીંદગીભર અન્યના કલ્યાણ અર્થે ઉપયોગ કરનાર ગેરહાર્ડ ડામાગ્યુંના. દુનિયાના દરેક દેશના પ્રત્યેક શહેરીની ફરજ અત્યારે ચાલી રહેલું `બગ અટ કાવવાની છે. આજે કોલેરા કે પ્લેગના જંતુઓનો આપણને ભયરૂપ નથી, પણ રાજપુરૂષોની પર પરાગત ( cynical ) વિચારણા, જનસમુદાયની બેપરવાઈ, અને વિજ્ઞાનીઓનું પોતાની જવાબદારી
જીવન
તા. ૧૬-૧-૧૫
માંથી-છટકવું. આ આપણા માટે ભારે જોખમરૂપ છે. વિજ્ઞાનીઓએ જે કર્યું છે તે હવે પાછું ખેંચી લેવાય એમ નથી. જ્ઞાનદીપ બુઝાવી ન શકાય. યંત્રવિજ્ઞાનને પણ પોતાના નિયમો હોય છે. પણ વિજ્ઞાનીએએ, પાંતાના જ્ઞાન અંગે તેમને જે માનમરતબા મળે છે તેના ઉપયેગ કરીને, રાજપુરુષોને પોતાની શકિત બતાવવી જોઈએ, જેથી એ વર્ગ ગેરવ્યાજબીપણુ' છેડી દે અને માનવતામાં પાછાં આવે. આપણે બધાંએ સરકારી જાઠાણાં અને અન્યાયી આક્રમણા સામે લડત આપવી જોઈએ. ન્યુકલીઅર હથિયારો સામે શેલ્ટરો અને કટોકટીના નિયમો અસ્તિત્ત્વમાં છે એવા પોકળ વિધાન સામે અવાજ ઉઠાવવા જોઈએ. સાંકડી દષ્ટિના દેશપ્રેમ સામે, સત્તાના શોખ સામે લડત આપવી જોઈએ. હજી આશા છે. આપણા જમાનાના આ દર્દી સામે લડત ચલાવીએ તે એ આશા કોઈ દિવસ સાયી નીવડશે. મૂળ અંગ્રેજી :
અનુવાદક: ડા, નૃસિંહ મૂળજી શાહ
શ્રી મૅક્સ બૉર્ન
સમાસ
સઘ સમાચાર
સ્વ. નાથાલાલ પારેખ અંગે શાકસભા
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, ભારત જૈન મ ્ડ,મંડળ તથા સંયુકત જૈન વિદ્યાર્થીગૃહના સંયુકત આશ્રય નીચે સંઘના કાર્યાલયમાં શુક્રવાર, તા. ૮/૧/૬૫ના રોજ સાંજના સમયે શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહના પ્રમુખપણા નીચે એક શૈકસભા બોલાવવામાં આવી હતી. આ સભામાં ત્રણે સંસ્થાના પ્રમુખ કાર્યકર્તાઓ તેમ જ કેટલાક સભ્યો ઉપસ્થિત થયા હતા. સ્વ. નાથાલાલભાઈને અંજલિ આપતાં શ્રી રિષભદાસજી રાંકા, શ્રી ગુલાબચંદ તલકચંદ, શ્રી ચંપકલાલ ચીમનલાલ તથા શ્રી પરમાનંદકુંવરજી કાપડિયાએ પ્રસંગોચિત વિવરણ કર્યું હતું અને શ્રી નાથાલાલભાઈના ઉદાત્ત વ્યકિતત્વના ભિન્ન ભિન્ન પાસાઓની રજૂઆત કરી હતી. પ્રમુખસ્થાનેથી શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે શ્રી નાથાલાલભાઈના અર્થસભર જીવનના વિગતથી પરિચય આપતાં જણાવ્યું હતું કે શ્રી નાથાલાલભાઈ જન્મથી વૈષ્ણવ હતા, પણ પછીથી જૈન ધર્મ તરફ ઢળ્યા હતા. ત્યાર બાદ પ્રમુખસ્થાનેથી નીચે મુજબના શાકપ્રસ્તાવ રજૂ કરવામાં
આવ્યો હતો.
શોકપ્રસ્તાવ
“આ સભા શ્રી નાથાલાલભાઈ પારેખના તાજેતરમાં નીપજેલા અવસાન બદલ ઊંડા શાકની લાગણી વ્યકત કરે છે. શ્રી નાથાલાલભાઈ મુંબઈના અગ્રગણ્ય નાગરિક હતા, મુંબઈની પ્રાંતિક મહાસભા સમિતિના ક્રિયાશીલ કાર્યકર્તા હતા, મહારાષ્ટ્રની વિધાનપરિષદના સભ્ય હતા, શ્રી મુંબઈ જૈન યુવક સંઘની તથા સંયુકત જૈન વિદ્યાર્થીગૃહની કાર્યવાહક સમિતિના સભ્ય હતા તથા ભારત જૈન મહામંડળના આજીવન સભ્ય હતા, અને કોમી તેમ જ બીતકોમી અનેક સંસ્થાઓના આધારસ્તંભ હતા. તેઓ શૂન્ય સ્થિતિમાંથી ઊંચે આવ્યા હતા અને તેથી શૂન્ય સમા નીચેના વર્ગો માટે ઊંડી હમદર્દી ધરાવતા હતા. તેમનામાં અસાધારણ ઉદારતા, સરલતા અને નમ્રતા હતી, તેમના અવસાનથી અનેક સંસ્થાઓએ એક ઉદાત્ત કાર્યકર્તા ગુમાવ્યો છે. આ સભા તેમને અંતરની અંજલિ આપે છે અને તેમનાં કુટુંબીજનોને ઊંડી સહાનુભૂતિ પાઠવે છે.”
આ પ્રસ્તાવ સર્વ સભાજને એ ઊભા થઈને પસાર કર્યો હતો. નેફાના અનુભવ અને અહિંસક સરક્ષણ વિચાર
શ્રી મુંબઈ જૈન યુવક સંઘના આશ્રયનીચે સંઘના કાર્યાલય (૪૫ ૪૭, ધનજી સ્ટ્રીટ),માં જાન્યુઆરી માસની તારીખ, ૨૧, ગુરુવાર સાંજના છ વાગ્યે, ભારત ઉપર ચીની આક્રમણ થયું એ અરસામાં નફા વિસ્તારમાં જેમણે પ્રવાસ કર્યો હતો એવાં અને વર્ષોથી દહેશુ' બાજુ આદિવાસી વિભાગમાં સેવાકાર્ય કરી રહેલાં. પતિ-પત્ની શ્રી વસંત નારગેાળકર અને શ્રીમતી કુસુમ તાઈના નેફા વિસ્તારના અનુભવા તેમ જ Nonviolent Defence' ‘અહિંસક સંરક્ષણ વિચાર'ઉપર વાર્તાલાપ ગોઠવવામાં આવ્યા છે. આ રસપ્રદ તેમ જ સાહસસભર વાર્તાલાપમાં ભાગ લેવા સંઘના સભ્યોને, તેમ જ જિજ્ઞાસુ ભાઈબહેનોને નિમંત્રણ છે.