SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૯/ પ્રયુ જીવન યંત્રવિજ્ઞાન (ગતાંકથી ઢાલુ) મંત્રવિજ્ઞાનના પ્રભાવ તળે યુદ્ધમાં જોડાયેલા પક્ષા બીનલશ્કરી (સિવિલિયન) પ્રજાના જાણીબુઝીને રીંહાર કરવા સુધી પહેરયા છે અને એને ન્યાયી ગણાવે છે. છેલ્લાં ત્રણ મહાયુદ્ધોમાં મરેલા બીનલશ્કરી પ્રજાના અને સૈનિકોના આંકડા પર દષ્ટિપાત કરીએ. આ ત્રણે યુદ્ધોમાં પરમાણુશસ્ત્રો વપરાયા નહતા. પ્રથમ યુદ્ધમાં લગભગ ૧૦૦ લાખ માણસો માર્યા ગયા હતા. આમાંથી ૯૫ ટકા સૈનિકો અને માત્ર પાંચ ટકા સિવિલિયન પ્રજાના હતા. બીજા યુદ્ધમાં ૫૦૦ લાખ માણસાએ જાન ગુમાવ્યા, જેમાં પર ટકા સૈનિકો અને ૪૮ ટકા પ્રજાના માણસાનું પ્રમાણ હતું. કોરિઆમાં યુદ્ધ દરમિયાન, ૯૦ ટકા મરેલાંઓમાં ૮૪ ટકા પ્રજાજનો હતા અને માત્ર ૧૬ ટકા જ સૈનિકો હતા. રાજકરણના ન્યાયી સાધન તરીકે યુદ્ધને ગણનાર સ્ત્રીબાળક અને દેશના રક્ષણ ખાતર વીર તરીકે મૃત્યુના પર પરાગત વિચારોને વળગી રહેનાર – સૌને ભાન થવું જોઈએ કે આ આંકડા પરીઓની વાતા નથી અને એવી સુંદરતા પણ તેમાં નથી. પરમાણુશસ્ત્રોએ આ બાબતને, સૌને સ્પષ્ટ થાય એ રીતે, પરાકાષ્ટાએ પહોંચાડી છે. એ .વખત (૧૯૩૯ - ૧૯૪૫)ના ગાળામાં જે વ્યક્તિ પરમાણુાંજન પર સંશાધન કરી રહી હતી. એમને દોષ ન દઈ શકાય. યુરેનિયમ-પરમાણુજનની શોધ હિટલરના જર્મનીમાં થઈ અને જેની સામે પ્રતિકાર ન થઈ શકે એવું કોઈ પણ શસ્ત્ર ખિલવવામાં નાઝીઓ પાછી પાની નહીં કરે એ ધારી લેવામાં મુશ્કેલી નથી. એટલે આનો પ્રતિકાર કરવો જ રહ્યો. પણ જયારે અમેરિકામાં પ્રથમ પરમાણુ બોમ્બ વાપરવા માટે તૈયાર થયા ત્યારે હિટલરનું જર્મની તાબે થઈ ચૂક્યું હતું, અને જાપાન તેના છેલ્લા શ્વાસ ભરી રહ્યું હતું અને રાજદ્રારી વ્યવહાર દ્વારા સંધિ માટે કહેણ મોકલાઈ ચૂક્યું હતું. અમેરિકાના લશ્કરી વડાઓએ, ખાસ કરીને ન્યુકલીઅર શકત યોજનાના વડા જનરલ ગ્રોન્સે માત્ર તાત્કાલિક લશ્કરી ફાયદાનો વિચાર કર્યો. જાપાન ઉપર હુમલા કર્યા સિવાય જાપાન શરણાગતિએ આવે તે કેટલી બધી જીંદગી બચી જાય એવી ગણતરી કરી! પણ કેટલા મેોટા પ્રમાણમાં જાપાનના લોકોની જાનહાનિ થશે તેના વિચાર સરખો પણ કરવામાં ન આવ્યો. જનરલ ગ્રોવ્સ પેાતાની ‘સિદ્ધિ’નું પ્રદર્શન કરવાના સંતોષનો ભાગ આપવા માગતા ન હતા: દુનિયાને તે ધાક બેસાડવા માગતા હતા. જે વિજ્ઞાનીઓએ પરમાણુબામ્બ સિદ્ધ કર્યો હતા એમને પણ પૂછવાનું તેણે મુનાસીબ ગણ્યું નહીં. આ વિજ્ઞાનીઓમાં એક સમૂહ એવા હતા, જેણે પરમાણુ બોમ્બ જાપાન પર ફેંકવાથી થનાર લાંબા ગાળાની અસરની આગાહી કરી હતી અને ફ઼ાક અહેવાલ તરીકે ઓળખાતા ખરીતામાં તેમણે સરકારને આની ચેતવણી પણ આપી હતી. પેાતાને સસાહ આપવા નીમેલી સમિતિએ પ્રમુખ ટ્રૂમેનને ઉલટો નિર્ણય જણાવ્યા હતા. આમાં કેટલાક નામાંકિત ભૌતિક વિજ્ઞાની હતા. અને આખરે ઔચિત્યની સીમા ઓળંગીને સમગ્ર માનવજાતના વિનાશની જેમાં શકયતા રહેલી છે તેવા ઢોળાવવાળા માર્ગે સરકવાનો આ સત્તાઓએ નિર્ણય લીધા. વિશ્વયા ામિવૃત્તિ િિાંત: રાજુલ: આના જેવું કાંઈ થયું. પછી શું થયું એનો ટૂંકામાં નિર્દેશ કરી જઉં. પરમાણુ યંત્રવિજ્ઞાનને અ ંતરરાષ્ટ્રીય પાયા પર મૂકવાના પ્રયાસ નિષ્ફળ થયા; રશિયાએ ધાર્યા કરતાં વધારે ઝડપથી અમેરિકાની આ બાબતમાં આગેવાની પાછી પાડી: હાઈડ્રેટજન બોમ્બની અમેરિકાની શોધની રશિયએ તુર્ત જ નકલ કરી; બે મેટી સત્તાઓ વચ્ચે હરીફાઈ, અવકાશ સંશાધનના બુરખા નીચે આંતરખંડીય બાલાસ્ટીક શસ્ત્રોની ખિલવણી. પરિણામે, અનેક વાર માનવજાતનું નિકંદન કરી શકે એટલા ન્યુક્લીઅર શસ્ત્રો આ બંને મોટી સત્તાઓ આજે ધરાવે છે. હોડમાં ૨૧ અને યુદ્ધે શું છે એ રાજપુરૂષો બરાબર સમજે છે. ત્રાસની તુલા (balance of terror ) સાચવવા યુકિતપ્રયુકિત કરે છે. પણ તુલા અસ્થાયી છે. વધતા જતા નૈતિક પક્ષઘાતને લીધે લોકો ભય તરફ બેદરકાર બન્યા છે. રાજગુરુષો વધારે cynical—પરિણામ નિરપેક્ષ વૃતિવાળા–થયા છે અને વારેવારે તુલાને સરખું રાખવા સાહસા ખેડે છે—થાડા વખત પૂર્વે કમુબાની ટોકટીમાં થયું હતું તેમ, આશા રાખવા જેવું શું રહ્યું છે? પરમાણુના જોખમ અંગે માનવતને આપવામાં આવતી સાથી સમજણ દ્રારા દુનિયાના બાવ થઈ શકશે એમ આશા રાખી શકાય? માનવજાતનું જૂનું સ્વપ્ન માનવ- - જાતને બચાવી શકે એવી એક જ બાબત છે. આ સ્વપ્ન છે વિશ્વશાંતિ અને વિશ્વસ્થાનું. યુટેપીંગ જેવા કાલ્પનિક સ્વર્ગ જેવું આ સ્વપ્ન કદિ પણ મૂર્ત બ-ની ન શકે એમ માનવામાં આવતું હતું. એવી માન્યતા પ્રવર્તતી હતી કે, માનવ સ્વભાવ બદલાય નહીં એવા છે. અને અત્યાર સુધી યુદ્ધો થતાં આવ્યાં છે તેમ હંમેશા યુદ્ધ થતાં જ રહેવાનાં છે. પણ આજે આમ વિયારી કે સ્વીકારી ન જ શકાય, નાની બનેલી દુનિ યામાં વિશ્વશાંતિ હવે યુટોપિયા–કેવળ કાલ્પનિક બાબત નથી, પણ માનવજાતને ટવા માટે અનિવાર્ય એવી આવશ્યકતાનું રૂપ તેણે ધારણ કર્યું છે. આ વિચારના વધારે ને વધારે સ્વીકાર થતો જાય છે. આનું તાત્કાલિક પરિણામ રાજકારણના પક્ષઘાતમાં આવ્યું છે. છેલ્લા ઉપાય તરીકે યુદ્ધપૂર્વકનું બળ વાપર્યા વિના રાજકીય ધ્યેય સિદ્ધ કરવાની કે.ઈ સયેટ રીત હજી સુધી શોધાઈ નથી, અનેક ડાહ્યા માણસો આ સમસ્યાનો વિચાર કરી રહ્યા છે. અને મને ખાત્રી છે કે, જો પુરતો સમય આપવામાં આવે તો તેનું .. નિરાકરણ શોધી શકાય. આ અપેક્ષા મારા લાંબા જીવનના અનુભવા પર મંડાયેલી છે. આજે એવી અનેક બાબત છે, જે મારી જુવાનીના દિવસેામાં યુટોપિયન કેવળ કાલ્પનિક લેખાતી. ભૌતિક વિજ્ઞાન, પરમાણુ વિજ્ઞાન અને ઈલેકટ્રેન વિજ્ઞાનને લગતું મારું સંશાધન ક્ષેત્ર એ વખતે પ્રારભિક દશામાં હતું. આજે કુળની-પદાર્થ રચનાની-ઊંડી સમજ આપણને પ્રાપ્ત થઈ છે. એટલા આપણે આગળ વધ્યા છીએ. આજે એ ક્ષેત્રમાં જે વ્યવહારિક ઉપયોગા આપણે રોજ-બ-રોજના જીવનમાં લાગુ પાડયા છે તેની વાત એ વખતે કેઈએ કરી હોત તો તે હાસ્યાપદ થાત. એ વખતે આમાબાઈલ (મેટર), એરોપ્લેન, વાયરલેસ, રોડિયો, ટાકી સિનેમા, ટેલિવિઝન, મેટા પાયા પર ઔદ્યોગિક ઉત્પાદન વગેરે વગેરે કાંઈ નહેાતું. આજે આ બધું સામાન્ય બની ગયું છે. મારા યૌવન કાળ પછી આ બધું અસ્તિત્ત્વમાં આવ્યું છે અને તેણે માનવીના જીવનમાં અનેક મહત્ત્વપૂર્ણ આર્થિક અને સામાજિક ફેરફારો નિર્માણ કર્યા છે. આ ક્રાંતિ એટલી ઊંડી અને મૂળભૂત છે કે ઇતિહાસના દશ હજાર વર્ષો દરમિયાન આવી કોઈ ક્રાન્તિ નજરે પડતી નથી. અર્ધ - જાગીરી રાજ્યો. આજે સમાજવાદી પ્રજાસત્તાક બન્યાં છે: હબસી જાતિઓનાં ‘ટોળાં’. આધુનિક બંધારણવાળા રાજ્યો તરીકે વ્યવસ્થિત થઈ ગયાં છે. અવકાશમાં સંશાધન શરૂ થયું છે અને અવકાશયાત્રીઓની અતિ સાહસભરી અને અતિ ખર્ચાળ યોજનાખાથી કે.ઈના પેટનું પાણી હલતું નથી. “રાજકીય, આર્થિક અને વિશ્વાસણીવિષયક સંઘર્ષો માત્ર બળ અને યુદ્ધ વડે જ પતાવી શકાય?" આ સવાલના જવાબ માટે અત્યારે તા માનવસ્વભાવની અપરિવર્તનશીલતાની દલીલ આગળ ધરવામાં આવે છે: “આ હંમેશાં આ પ્રમાણે છે; માટે એ હમેશાં એ પ્રમાણે થવાનું.” મોટા સ્થાને બેઠેલા રાજગુરૂષો અને તત્ત્વજ્ઞાનીઓ પણ આવી જ વાત કરે છે. છતાં આવી વિચારણા અને તદ્દન બેલુંદી લાગે છે. આ વિચારણા અને માનસિક વલણનો જો
SR No.525950
Book TitlePrabuddha Jivan 1965 Year 26 Ank 17 to 24 and Year 27 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1965
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy