SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ પ્રબુદ્ધ જીવન ઈતિહાસનો પ્રવાહ અને બાધા આર ંભમાં શ્રી દર્શકે સમજાવ્યું કે, સંસ્કૃતિ માનવ માટે છે, ઈતર જીવકોટી માટે નથી; સંસ્કૃતિ આનુવંશિક ( hereditary) નથી, અધિગત ( acquired ) છે. જે સંસ્કૃતિ પેાતાની સામે ઉપસ્થિત થતાં પ્રતિબળાને સામના કરે તે સંસ્કૃતિ જીવન્ત કહેવાય. એ સામનો કરવામાં એને જય મળે કે પરાજ્ય મળે કે પછી એ પ્રતિબળા સાથે સમાધાન કરે એ બહુ મહત્ત્વના પ્રશ્ન નથી. એવા સામનો ન કરે અને આત્મસંરક્ષણની વૃત્તિથી સંકુચિતતાને અપનાવે ત્યારે સંસ્કૃતિ સ્મૃતપ્રાય થઈ છે એમ માનવું જોઈએ. અને જે સંસ્કૃતિ સમાજના કેપ્રજાના નીચલા થરા સુધી પહોંચી હોય તે જ સંસ્કૃતિ સાચા અર્થમાં સંસ્કૃતિ કહેવાય. શ્રી દર્શકે તે પછી ભારતીય ઈતિહાસ અને સંસ્કૃતિનું નિરૂપણ કરતાં કહ્યું કે, ભારતીય સંસ્કૃતિ ધર્મ કે અધ્યાત્મપ્રધાન છે. (ધર્માર્થધામ ) ધર્મના પાયા ઉપર જ સાંસારિક સિદ્ધિ અને ઉપયોગાની ઈમારત ચણાવી જોઈએ એવી ભાવના ભારતીય સંસ્કૃતિઓ સ્વીકારી છે. ઈતિહાસની દષ્ટિએ ભારતીય સંસ્કૃતિના બે વિભાગ પાડી શકાય: પહેલા વેદકાળથી કે મેહન્જો દડો સંસ્કૃતિથી માંડીને છેક ઈસ્લામના આગમન સુધીના ઈ. સ. ૧૩૦૦ સુધીન ગાળા: બીજો, વિભાગ મુસ્લીમ આગમનથી માંડીને આજ સુધીના. લગભગ ૩૫૦૦ વર્ષના પહેલા ગાળામાં વ્હેલું ( challenge) (પ્રતિબળ) આર્યોએ અહીંના આદિવાસી દાસા ઉપર કરેલું આક્રમણ આ સંસ્કૃતિ - સંઘર્ષમાં આર્યોએ દસ્યુ સંસ્કૃતિના અંશા . પોતામાં સ્વીકાર્યા અને દસ્તુઓને વર્ણવ્યવસ્થામાં સ્થાન આપ્યું, પણ કોઈ પણ સંસ્કૃતિનાં પ્રતિબળા ( challenge ) અભ્યન્તર હોય, બ્રાહ્ય ન હોય ત્યારે જ એની જીવન્તતા અને શકિતનું માપ નીકળે છે. એવાં આભ્યન્તર પ્રતિબળામાનું એક તે ક્ષત્રિય વિશ્વામિત્રે બ્રાહ્મણત્વના પેાતાના અધિકારની સ્થાપના માટે કરેલું આહ્વાન; બીજું, વૈદિક દેવતાઓ અને યજ્ઞની પ્રણાલી સામે શ્રી કૃષ્ણે કરેલા પડકાર; અને ત્રીજું, જીવનમાંથી હિંસાને દૂર કરવાના અને ભૂતમાત્ર પ્રત્યે કરુણાવૃત્તિ સેવવાના આદેશ આપનાર બુદ્ધનું આહ્વાન. આ ત્રણેય વ્યકિતઓ સમાજના ઉપલા થરમાં જન્મી હતી. આ આહ્વાના ભારતીય સંસ્કૃતિ ઝીલી શકી અને આવશ્યક ફેરફારો કરીને એ જીવતી રહી શકી. તે પછીના પુરાણ - કાળમાં ભારતમાં ગ્રીક, શક, હૂણ, વગેરે અનેક પરદેશી જાતિઓ આવી. ભારતીય સંસ્કૃતિએ આ નવાં બળાને પાતામાં સમાવી લીધાં. પણ ઈસ્લામના આગમન સમયે ભારતીય સંસ્કૃતિ જડ અને સંકુચિત બની ગઈ હતી. નવાં પ્રતિબળાના સામનો કરવાને બદલે કેવળ આત્મસંરક્ષણને લક્ષ્ય માની બેઠી હતી. પૂર્વ બંગાળમાં નીચલા વર્ણના લોકોએ મુસલમાન ધર્મ સ્વીકાર્યો, હિંદુ ધમે તેઓ ગૌરવ સાથે જીવી શકે એવી વ્યવસ્થા કરી આપવા ના પાડી. છત્રપતિ શિવાજી જેણે રાષ્ટ્રના સ્વાતંત્ર્યને શકય બનાવ્યું હતું, તેના અભિષેક કરવાની બ્રાહ્મણાએ ના પાડી હતી. પેશ્વાઓને યુદ્ધમાં સહાયતા કરનાર મરાઠાઓએ યજ્ઞોપવિતનો અધિકાર માગ્યો હતો, પણ બ્રાહ્મણાએ એ માગણી નકારી હતી! આજે ભારતીય સંસ્કૃતિએ દષ્ટિની વિશાળતા કેળવવી પડશે, સંતાઓ શીખવેલી ‘હરિના જન તો બધા સરખા એ ભાવના સ્વીકારવી પડશે; રાષ્ટ્રના સંરક્ષણ માટે દરિયાઈ રક્ષાની વ્યવસ્થા કરવી પડશે અને સવિશેષ તે શબ્દ પ્રમાણને પ્રાધાન્ય આપવાને બદાલે બુદ્ધિને પ્રાધાન્ય આપીને વૈજ્ઞાનિક દષ્ટિ કેળવવી પડશે. વિજ્ઞાન અને જીવનમૂલ્યોને હિતાવહ સમન્વય સાધવા પડશે. શ્રી વસન્તરાવ નારગાળકરે વિજ્ઞાન અને અધ્યાત્મ વિષે બોલતાં કહ્યું કે, આજની પેઠે મધ્યકાલીન યુરોપમાં પણ એવી માન્યતા હતી કે વિજ્ઞાન ધર્મનું અધ્યાત્મનું વિરોધી છે. યુરોપમાં ચર્ચ અને વિજ્ઞાન વચ્ચે જાગેલા સંઘર્ષમાં ઘણા વૈજ્ઞાનિકોને સહન પણ કરવું પડ્યું હતું. ભારત પ્રધાનપણૅ અધ્યાત્મવાદી રહ્યું છે. છતાં વિજ્ઞાનમાં પણ આપણે એટલા જ રસ લઈએ છીએ. માનવીના સાચા વિકાસ તો બાહ્ય ભૌતિક સિદ્ધિઓની સાથે ઋષિઓએ દર્શાવેલી અધ્યાત્મિક સિદ્ધિઓના સમન્વયમાંસદિયની ભાવનામાં-વિશ્વમાનવની ભાવનામાં રહેલા છે. આ વ્યાખ્યાનોમાં, સવિશેષ તો શ્રી દર્શકનાં વ્યાખ્યાનોમાં, સ્પષ્ટપણે તરી આવતો મુદ્દો એ હતા કે ભારતીય સમાજ કે સંસ્કૃતિએ, ચાલુ પરિસ્થિતિમાં આવતાં પરિવર્તન જે જે પ્રશ્નો કે કોયડાઓ ઊભા કરે તે તે પ્રશ્નો કે કોયડાઓનું નિરાકરણ કરવાના પ્રયત્ન કર્યા કર્યા છે; જ્યારે એ પ્રતિબળાનો પ્રતીકાર કે નિરાકરણ કરવાને બદલે તેણે જડ અને સંકુચિત વૃત્તિ ધારણ કરી ત્યારે તેની પ્રગતિ તો અટકી જ; ઊલટું જડતા વધતાં સમગ્ર જીવન રુંધાવા માંડયું. અહીં આપણી સમક્ષ પ્રશ્ન ઊઠે છે: સમાજ કે વ્યક્તિએ જીવન માટે પરિસ્થિતિને અનુકુળ થતા રહેવું જોઈએ એ સ્વીકાર્યા પછી પણ જીવન એટલે શું? સમાજ અથવા દેશનું જીવન કેવળ આર્થિક કે રાજકીય કે ભૌતિક પ્રગતિમાં ભાગ્યે જ સમાપ્ત થતું મનાય. • ઈતિહાસને પાને અનેક સમાજો અને સંસ્કૃતિઓની ચડતી પડતીનાં વર્ણન વાંચીએ છીએ. કેટલીક સંસ્કૃતિઓ તેા નામશેષ બની ગઈ છે : કેટલીકનું લાંબા કાળ પછી પુનર્જીવન કરાયું છે. કેવળ ભારતીય સંસ્કૃતિ કે વ્યાપક અર્થમાં લઈએ તે ભારતીય સમાજનું રૂપ બદલાયા કર્યું છે, છતાં સ્વરૂપ—એનું અન્તસ્તત્ત્વ તો અસ્ખલિત અને અવિકૃત રહ્યું છે એમ કહી શકાય. આનું કારણ સ્વામી શ્રી રંગનાથાનંદજીએ તથા શ્રી દર્શકે જણાવ્યું હતું તેમ ભારતીય સંસ્કૃતિના કેન્દ્રમાં અધ્યાત્મ ( Sprituality ) રહ્યું છે. સ્વામી રંગનાથાનંદજીએ ગ્રીક સંસ્કૃતિની સામાજિક— રાજકીય ( Socio-political ) ભાવનાની પ્રધાનતાના નિર્દેશ ર્યાં હતા : ગ્રીક સંસ્કૃતિએ આ બંને ક્ષેત્રામાં ખૂબ પ્રગતિ કરી હતી અને પેાતાનું વર્ચસ જમાવ્યું હતું. પણ તેમાં આધ્યાત્મિક દૃષ્ટિનો અભાવ હોવાથી સમય જતાં એ હ્રાસ પામી. ભારતીય સંસ્કૃતિ અધ્યાત્મપ્રધાન રહી છે તેને પરિણામે ભારતીય વ્યક્તિ તેમ જ સમષ્ટિની આધ્યાત્મિક જવાબદારી તેમજ આધ્યાત્મિક પ્રગતિ-બંને સચવાઈ શકયાં છે. સમાજ પણ તે તો વ્યકિતઓના સમુદાયરૂપ છે અને વ્યકિતની શકિત-અશકિત અને વિકાસ કે જડતા ઉપર જ સમાજનાં વિકાસ અને સામર્થ્ય કે જડતા અને અશકિત આવાંબેલાં છે. અપૂર્ણ અધ્યાપક ગૌરીપ્રસાદ ઝાલા શ્રી અમદાવાદ જૈન યુવક સંધના ઉપક્રમે યેાજાયેલી ર્યુષણ વ્યાખ્યાનમાળાના કાર્યક્રમ શ્રી ઉમાશંકર જોશી ઈશાવાસ્ય : અમૃત જીવનનું ઉપનિષદ આચાર્ય શ્રી યશવંત શુકલ આચાર્યશ્રી એસ. વી. દેસાઈ શ્રી ગુણવંતરાય આચાર્ય તા. ૧-૧૦-૬૫ ડૉ. ભાગીલાલ જે. સાંડેસરા આચાર્યશ્રી પુરુષોત્તમ માવળંકર શ્રી ગુરુદયાલ મલ્લિકજી શ્રી બાબુભાઈ જશભાઈ પટેલ શ્રી ઈશ્વર પેટલીકર મુનિશ્રી પુણ્યવિજયજી શ્રી અમિતાબહેન મહેતા આચાર્યશ્રી રજનીશજી શ્રી ઉત્સવભાઈ પરીખ શ્રી કરસનદાસ માણેક સ્વામીશ્રી શરણાનંદજી આચાર્યશ્રી એસ. આર. ભટ્ટ મૃત્યુની વિભાવના સાંસ્કાર અને સંસ્કૃતિ ગુજરાતના ઈતિહાસમાં જૈન સંસ્કૃતિના ફાળા આગમ-વાચના લામત અને લાશિક્ષણ સંરકૃતિ અને માનવતા આપણે કયાં જઈ રહ્યા છીએ ? સંસ્કારી જીવન દ્રામણ ભગવાન મહાવીર ભજતા સત્યમ્ શિવમ્ સુંદરમ ધર્મ અને રાજકારણ વિજ્ઞાન અને ધર્મ માનવ અહિંસક સમાજરચના
SR No.525950
Book TitlePrabuddha Jivan 1965 Year 26 Ank 17 to 24 and Year 27 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1965
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy