________________
૧૨
નિવૃત થવું, અને નિવૃત્તિ પછી પણ અંગત રીતે તો લોકસેવા રત ચાલુ રાખવી આવું નિર્માહીં અને નિસ્પૃહી જીવન કરવાનું વિરલ લોકોને ફાળે જ જાય છે.”
બુધ જીવન
અવિ
પસાર
લાલાકાકા આવી એક વિરલ વ્યકિત હતા.. તેમને આપણા અન્તરની માનાંજલિ - ભાવાંજલિ અર્પણ હો! તેમનું જીવન વર્તુમાન તેમ જ આગામી પેઢીને માર્ગદર્શક તેમ જ પ્રેરણાદાયી બના! એક સામાન્ય માનવીના અસામાન્યતાલક્ષી જીવનપુરુષા
શ્રી મનુભાઈ ગુલાબચંદ કાપડિયા જે મુંબઈ જૈન યુવક સંઘના એક સભ્ય છે અને જેઓ બોંબે મેટર ટ્રેડીંગ કંપની' એ નામથી મુંબઈ ખાતે વર્ષોથી મેાટર સ્પેર પાર્ટસના ધંધા કરે છે તેઓ તાજેતરમાં ફેડરેશન ઓફ ઑલ ઈન્ડિયા ઑટોમાબાઈલ્સ સ્પેર પાટર્સ ડીલર્સ એસોસીએશનના પ્રમુખ તરીકે ચૂંટાયા છે. એક સામાન્ય વ્યકિત, ભણતર પણ બહુ નિહ, આમ છતાં પણ કેવળ વ્યવસાયનિષ્ઠા, સુચારિત્ર્ય, વ્યાપારકુશળતા અને આજે વિરલ એવી પ્રમાણીકતાના બળે ધીમે ધીમે કેટલી આગળ વધે છે અને સમાજની સન્માનપાત્ર બને છે તેના શ્રી મનુભાઈ એક નમૂનો છે. આ દષ્ટિએ તેમના અહિં
પરિચય આપતાં ગાનંદ થાય છે.
ભાઈ મનુભાઈ મૂળ ભાવનગરના વતની, જન્મ ૧૯૦૬ની સાલમાં, મેટ્રીકનું ભણતાં ભણતાં ૧૯૨૨ની સાલમાં તેમણે અભ્યાસ છેડેલા, ભાવનગરમાં કુટુંબનો કાપડનો વ્યવસાય હતા, એમ છતાં તેમાં ન પડતાં પોતાના બળે આગળ આવવાની ભાવનાથી તેઓ મુંબઈ આવ્યા. અને ૧૯૨૫ની સાલમાં તેમણે ‘બાંબે મેટર ટ્રેડિંગ કંપની’ એ નામથી કોઈની ભાગીદારીમાં લુબ્રીકેટીંગ ઓઈલ્સ અને પેટ્રેલના ધંધા શરૂ કર્યો. દોઢેક વર્ષ બાદ એ ભાગીદારી તેમણે વિસર્જિત કરી અને મોટર સ્પેર પાર્ટસના ધંધા જુના નામથી જ સ્વતંત્ર રીતે તેમણે આરંભ્યો. આ ધંધામાં તેમને ઉત્તરોત્તર સફ્ળતા મળતી ગઈ અને મોટર સ્પેર પાર્ટસના વ્યાપારીઓમાં તેમણે અગ્રસ્થાન પ્રાપ્ત કર્યું. આ દરમિયાન તેમના બન્ને ભાઈઓને તેમણે ધંધામાં સ્થિર કર્યા હતા. ઈ. સ. ૧૯૩૭ની સાલથી તેમણે બાંબે મેટર મરચન્ટસ એસેાસીએશનની કાર્યવાહીમાં રસ લેવા માંડયો. ૧૯૪૨માં તેઓ તેના માનદ મંત્રી બન્યા. એસસીએશનના ચાલુ બંધારણની તેમણે નવરચના કરી. ૧૯૪૩ની સાલમાં ઈમ્પોર્ટ ટ્રેડ કન્ટ્રેલ, પ્રાઈસ એન્ડ ડીસ્ટ્રીશન કન્ટ્રેલ, સેલ્સ ટેક્સ વગેરે વ્યાપારીઓનું ઘુંચવતા નવા કાયદા આવ્યા અને આ કાયદાઓની ચોખવટ અને સમજુતી અંગે લાગતા વળગતા સરકારી અધિકારીઓનો તેમણે સહકાર અને વિશ્વાસ સંપાદન કર્યો અને એસોસીએશનના સભ્યોના તેમ જ ભારતભરના મોટર સ્પેર પાટર્સના વ્યાપારીઓના, આ કાયદાઓની અનેક આંટીછૂટીએ અંગે, માર્ગદર્શક બનવાનું તેમના ભાગે આવ્યું. ૧૯૪૫ માં તેઓ એસાસીએશનના પ્રમુખ બન્યા અને ૧૯૪૬માં તેઓ પાછા મંત્રી બન્યા. અને એ પદ ઉપર તેઓ ૧૯૬૦ સુધી ચાલુ રહ્યા, સિવાય કે ૧૯૫૫થી ૧૯૬૦ ના ગાળા દરમિયાન બે વાર પ્રમુખ તરીકે એસસીએશનની સેવા કરવાનું સદ્ભાગ્યે તેમને પ્રાપ્ત થયું હતું. અહિં એ જણાવવું જરૂરી છે કે, આજે જ્યારે વ્યાપારના ક્ષેત્રમાં ચાતરફ કાળાબજારનું વાતાવરણ જામેલું છે ત્યારે મનુભાઈ એ કાળાબજારના દૂષણથી મુકત રહી શક્યા છે અને વર્ષોથી તેમણે પોતાની પ્રમાણિકતા વિષે એવી પ્રતિષ્ઠા અને વિશ્વાસ પ્રાપ્ત કરેલ છે કે, ઇન્કમટેકસ ખાતું તેઓ જે કાંઈ ઈન્કમટેક્ષ રીટર્ન ભરીને મોકલે છે તે કશી પણ વિશેષ પૂછપરછ સિવાય જેવું આવ્યું હોય તેવું સ્વીકારી લે છે.
તા. ૧૬-૯-૬૫
અને તીવ્ર હરીફાઈ હોવા છતાં મેોટી બહુમતી સાથે ચૂંટાયા છે. આ માટે તેમને ધન્યવાદ ઘટે છે.
જે એસસીએશનના વર્ષો સુધી અગ્રગણ્ય કાર્યકર્તા તરીકે તેમણે સેવા બજાવી હતી તે એસાસીએશનમાં શિખ વ્યાપારીઓ અને ગુજ રાતી વ્યાપારીઓ વચ્ચે ઊભા થયેલા અને ઉત્કટ બનતા જતા સંધર્ષના પરિણામે, ૧૯૬૨ની સાલમાં તેઓ એ એસાસીએશનના સર્વકાઈ અધિકારો ઉપરથી નિવૃત્ત થયા. સમયાન્તરે ૧૯૬૫ની સાલમાં જુના વ્યાપારીઓ અને મિત્ર સાથે મળીને તેમણે ‘મહારાષ્ટ્ર મેટર સ્પેર પાર્ટસ ડીલર્સ એસાસીએશન'ની સ્થાપના કરી અને તેના તેઓ પ્રમુખ બન્યા. ઉપર જણાવ્યું તે મુજબ આ વખતે ભારતના વેસ્ટર્ન ઝોન - પશ્ચિમ વિભાગના વ્યાપારીઓમાંથી ફેડરેશન ઑફ ઑલ ઈન્ડિયા- ઑટોમેાબાઈલ્સપેર પાર્ટસ ડીલર્સ એસસીએશનના પ્રમુખની ચાલુ સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં દિલ્હી ખાતે મળેલી ફેડરેશનની પરિષદમાં ચૂંટણી કરવાની હતી. આ ચૂંટણીમાં મનુભાઈ ઊભા રહ્યા
સામાજિક ક્ષેત્રે ચાલી રહેલી તેમની સેવાઓની નોંધ લેતાં જણાવવાનું કે, ૧૯૪૩ ની સાલમાં પાલીતાણા ખાતે આવેલા શ્રી યશેાવિજયજી જૈન ગુરુકુલના એક મંત્રી તરીકે તેમની નિમણુંક કરવામાં આવેલી. તે અધિકાર ઉપર ૧૮ વર્ષ સુધી ચાલુ રહીને તે સંસ્થાની તેમણે અનેકવિધ સેવા કરી છે. ૧૯૬૨ની સાલમાં તેઓ મુંબઈ ખાતેના 'શ્રી મહાવીર જૈન વિદ્યાલયના એક મંત્રી તરીકે ચૂંટાયા છે અને આજે પણ પદ ઉપર તેએ ચાલુ છે. વિદ્યાલયમાં રૂા. ૧૦૦૦૦ નું દાન આપીને તેઓ વિદ્યાલયના પેટૂન પણ બન્યા છે.
ભાઈ મનુભાઈ મારા પિત્રાઈ ભાઈ થાય. તેમનાં પત્ની જસુમતીબહેન જૈન મહિલા સમાજના એક મંત્રી છે, મુંબઈ જૈન યુવક સંઘની કાર્યવાહીના એક સભ્ય છે, અને મુંબઈના એક જાણીતાં સામાજિક કાર્યકર છે. તેમનાં લઘુબંધુ શ્રી ધીરૂભાઈ કાપડિયા તાજેતરમાં જે. પી. થયા છે. આમ મારી સાથે સગપણના નાતે જોડાયેલા મનુભાઈનો આ રીતે પરિચય આપતાં સંકોચ તેમ જ ગર્વ ઉભય લાગણીને હું અનુભવ કરું છું.
સાત માસ સુધી થનારી ૫૦૦૦ ફૂલાની પુજા
તા. ૧૨-૬-૬૫ના ‘જૈન ’ માં નીચે મુજબ સમાચાર આપ વામાં આવ્યા છે:
“ આચાર્યશ્રી પૂર્ણાનંદસૂરીશ્વરજી તથા આચાર્યશ્રી હી કાર સૂરીશ્વરજીને ચાતુર્માસ માટે નેલુર (આંધ્ર)ના સંઘે ખૂબ જ ભાર પૂર્વક વિનંતિ કરેલી. તેના જેઠ સુદ ૪ના રોજ સ્વીકાર થતાં સંઘે ખૂબ ખુશી મનાવેલી, આ પ્રસંગે શ્રીફળની પ્રભાવના કરવામાં આવેલી, વળી દર રવિવારે પૂજા આંગી માટે સંઘે ઠરાવ કર્યો અને સાત માસ સુધી પાંચ હજાર ફ લાથી પ્રભુભકિત કરવાનું નક્કી કર્યું.
"
જ્યાં જ્યાં મૂર્તિપૂજાનો સ્વીકાર છે ત્યાં ત્યાં મૂર્તિની ચંદન કેસર તથા પુષ્પ વડે પૂજા કરવાનો રીવાજ પ્રચલિતછે. જેમ કોઈ પણ વ્યકિત વિષે આદર દર્શાવવા હોય તો તેને પુષ્પહાર અર્પણ કરવામાં આવે છે, આવી જ રીતે ઈષ્ટદેવ પ્રત્યે આદરભકત દર્શાવવા માટે પુષ્પ ચડાવવામાં આવે એ તદૃન સ્વાભાવિક અને સમુચિત છે. પણ આ જ પૂજાવ્યોનો કદિ કદિ અતિરેક થતો જોવામાં આવે છે જેમ કે કેશરિયાજીની મૂર્તિ ઉપર ઢગલાબંધ કેસર ચડાવવામાં આવે છે જે કેવળ દ્રવ્યના દુરુપયોગ છે અને જે પાછળ અંધશ્રાદ્ધા અને કેવળ વહેમવૃત્તિ સિવાય બીજું કશું તત્ત્વ કે તથ્ય જોવામાં આવતું નથી. આવી જ રીતે સાત માસ સુધી પાંચ હજાર ફૂ લ ચડાવવાના આ ઠરાવ કેવળ વિવેકશૂન્યતા અને ભકિતના અતિરેક દર્શાવે છે. આવા જ અવિવેક શત્રુંજય ઉપર મુખ્ય મૂર્તિ ઉપર ઢગલાબંધ ફ લેા ચઢાવવામાં રહેલા છે. જે જૈને ક્ લામાં જીવ માને છે તેઓ પુષ્પપૂજા અંગે આવી ઘેલછા કેમ દર્શાવી શકે તે કલ્પનામાં આવતું નથી. આવી પૂજાવિધિને ઉત્તેજન આપનાર આચાર્યોની સમજણ અને બુદ્ધિ વિષે આશ્ચર્ય તેમ જ ખેદ થયા વિના રહેતા નથી..
પરમાનંદ
સ્વ, પરિક્ષિતલાલ મજુમદાર
ગુજરાતના ગાંધી યુગના ગણ્યાગાઠયા મૂક સેવકોમાંના એક પરિક્ષિતલાલ મજુમદારનું તા. ૧૨-૯-૬૫ના રોજ અમદાવાદ ખાતે નિપજેલું અવસાન એ હરિજન ઉત્થાનના કાર્યને મોટા ફટકા સમાન છે, એટલું જ નહિ પણ, મૂક સેવકોની ગુજ રાતમાં અસ્તિત્ત્વ ધરાવતી નાનકડી સાંખ્યા. અલોપ થતી જાય છે તેનું દુ:ખદ સ્મરણ કરાવે છે.
સાબરમતી આશ્રમના અંતેવાસી અને ગાંધીજીના રચનાત્મક કાર્યક્રમમાં પોતાના જીવનનું આદર્શ તમન્નાથી સમર્પણ કરનાર ભાઈ મજુમદાર, પ્રસિદ્ધિ, હાદો કે એવા કોઈ અન્ય પ્રકારના મેહથી તદન મુકત હતા. કર્તવ્ય એમના માટે જીવનમાં સર્વસ્વ હતું. અને એમણે પોતાની કર્તવ્યભાવના પ્રમાણે જીવન જીવી બતાવ્યું. સમાજની સાચી ઉન્નતિ કરનારા તેઓ જ છે, જેઓ ધાંધલ ધમાલ કર્યા વિના સમાજ માટેની મૌલિક મહત્ત્વની પાયાની બાબતો પર ધ્યાન આપી એની સુધારણામાં જીવનનું સમર્પણ કરી છે. મજુમદાર આવા એકસનિષ્ટ કાર્ય હતા. તેમનું જીવન પ્રેરણારૂપ બની રહે. (‘જનશિકા’માંથી સાભાર ઉષ્કૃત