________________
તા. ૧૬-૯-૧૧
પ્રબુદ્ધ જીવન
સાથેના સંબંધો પેતપોતાના હિતોની ગણતરી ઉપર નક્કી કરે છે ત્યાં આપણી આ ભીડના વખતે અન્ય કોઈ રાષ્ટ્રની મદદ કે મૈત્રી ઉપર આધાર રાખીને આપણે ચાલવાનું નથી. આમ છતાં મદદ કે મૈત્રી નહિ જ મળે એમ માની લેવાને પણ કોઈ કારણ નથી. ચીને આપણા ઉપર આક્રમણ કર્યું ત્યારે બ્રીટન તેમ જ અમેરિકા આપણી મદદે દોડી આવ્યા હતા. આવી શક્યતા ઊભી થાએ કે ન થાઓ, આપણે આપણી તાકાત ઉપર જ ઊભા રહેવાનું છે. આપણા માથે આ મુદ્દ આવી પડેલું છે. આવા આક્રમણ સામે સ્વરક્ષાલક્ષી પ્રતીકારનું આ યુદ્ધ છે, લોકશાહી સામે સરમુખત્યારશાહીનું યુદ્ધ છે. દરેક વ્યકિત પોતાની ફરજ અને જવાબદારી સમજીને દેશના આ કટાક્ટીના સમયે પેાતાના ધર્મ બજાવે.
સંકલન : પરમાનંદ
ચીમનલાલ ચકુભાઈ શાહ
પૂરક નોંધ: પ્રબુદ્ધ જીવન'માં આજ સુધી અહિંસક પ્રતિકાર અંગે વિવેચન તેમ જ સમર્થન થતું રહ્યું છે, જ્યારે શ્રી ચીમનભાઈનું આ વ્યાખ્યાન પાકીસ્તાન સામે ચાલી રહેલા ભારતના હિંસક પ્રતિકારનું સમર્થન કરે છે. આ દેખાત વિરોધ થેડા ખુલાસાની અપેક્ષા રાખે છે. જ્યારે કોઈ અનિષ્ટ પેદા થાય ત્યારે તેના પ્રતિકાર કરવા એ વ્યક્તિના તેમ જ સમાજના અનિવાર્ય ધર્મ બને છે. આ પ્રતિકાર વ્યક્તિગત સ્તર ઉપર તેમ જ સામુદાયિક સ્તર ઉપર હોઈ શકે છે. આજે આપણી સામે સામુદાયિક સ્તર ઉપરના પ્રતિકારનો સવાલ છે. જો અનિષ્ટનો ભાગ બનેલ એવા પ્રસ્તુત સમાજનું સામુ” દાયિક માનસ બહુધા અહિંસાપ્રેરિત અને અહિંસાપ્રચૂર હોય ત સામુદાયિક એવા અહિંસક પ્રતિકારને જ વિચાર કરવા ઘટે. પણ જો એમ ન હોય તો હિંસક પ્રતિકાર અથવા તો અનિષ્ટોને શરણાગતી—આ બે જ વિકલ્પ આપણી સામે ઊભા રહે. અનિષ્ટને શરણાગતીના વિચાર તો થઈ ન જ શકે; કારણ કે તેથી સ્વત્વની સંપૂર્ણ હાનિ થાય અને ભગીરથ પ્રયત્ને મેળવેલી આઝાદી ખતરામાં પડે. આમ આજની વાસ્તવિકતાના વિચાર કરતાં સમગ્ર ભારતને પડકારતા પાકીસ્તાનના અધર્મમય આક્રમણ સામે ભારતના પૌરૂષને અનુરૂપ એવા માત્ર હિંસક પ્રતિકારના જ વિકલ્પ રહે છે, જેનું આપણને ઉપરના વ્યાખ્યાનમાં યથોચિત સમર્થન મળે છે.
પરમાનંદ
એક વ્યકિતવિશેષના પરિચય
(નિરભિમાની અને સન્નિષ્ઠ સમાજસેવક તરીકે શ્રી. એ. આર. ભટ્ટ મહારાષ્ટ્રમાં જાણીતા છે, સાથેસાથ ભારતના નાનાં વર્તમાનપત્રાની તેમ જ લઘુ ઉદ્યોગોની સેવાઓ અવિરતપણે કરવા બદલ દેશના જુદા જુદા ભાગમાં પણ તેમણે માનભર્યું સ્થાન પ્રાપ્ત કરેલ છે. આવા વિનમ્ર કાર્યકરની સેવાઓ માટે તેમના પ્રત્યે શુભેચ્છા અને આભા૨ની લાગણી પ્રદર્શિત કરવાનો પ્રસંગ તાજેતરમાં તેમની ષષ્ઠીપૂતિએ પૂરો પાડયો હતો. આ પ્રસંગે તેમના સન્માન માટે જુદા જુદા સ્થળે નાનાંમોટાં સમાર ́ભા યોજવામાં આવ્યા હતાં. તંત્રી)
આ વ્યકિતવિશેષ તે શ્રી. એ. આર. ભટ્ટ. શ્રી. એ. આર. ભટ્ટનું પુરૂ નામ શ્રી આત્મારામ રાવજી ભટ્ટ છે. તેમનો જન્મ ૧૯૦૫માં રત્નાગિરિમાં થયો હતો. કૉલેજનું શિક્ષણ મુંબઈમાં એલ્ફીન્સ્ટન અને સિડનહામ કોલેજમાં મેળવ્યું હતું. વિદ્યાર્થી તરીકે તેમની કારકિર્દી તેજસ્વી હતી. ૧૯૨૫માં મુંબઈ યુનિવર્સિટીની ઇન્ટર કામર્સની પરીક્ષામાં પ્રથમ આવેલા હોઈને તેમણે પારિતાષિક મેળવ્યું હતું. ૧૯૨૬માં બામ્બે ક્રોનિક્સે’ ભારતની યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પાસેથી “ Why 18D Ratio was ruinous to India '' પર નિબંધ મંગાવેલ. તેમાં પણ શ્રી. ભટ્ટ ઈનામ મેળવ્યું હતું. ૧૯૨૭માં સિડનહામ કોલેજમાં તેઓ ફેલા હતા. ૧૯૨૯માં એમ.કોમ. ની ડીગ્રી પ્રાપ્ત કરનાર તેઓ એક જ હતા. વિદ્યાર્થીજીવન દરમ્યાન ‘લોક્માન્ય’, ‘કેસરી’, ‘નવા કાલ’ વગેરે પત્રામાં આર્થિક પ્રશ્ન ઉપર તેઓ લેખો લખતા હતા.
રાજકીય ક્ષેત્રે યંગ ઈન્ડિયા સાસાયટી, બેમ્બે પ્રેસીડન્સી યુથ લીગ વિ. માં તેમણે આગળ પડતો ભાગ લીધો હતો. ૧૯૩૩માં સવિનય ભંગની લડત વખતે તેમણે નિવાસ ભાગવ્યા હતા. ૧૯૫૨ થી ૧૯૬૪ સુધી એકધારાં બાર વર્ષ સુધી મુંબઈ રાજય
الله
૯૯.
અને તે પછી મહારાષ્ટ્ર રાજ્યની લેજીસ્લેટીવ કાઉન્સીલમાં તે સભ્યપદે રહ્યાં હતાં.
૧૯૨૯માં લાક્માન્ય તિલક સ્થાપિત ‘સરી' અને ‘મરાઠા’ પત્રમાં તેઓ જોડાયા. પ્રથમ ૩ વર્ષ મુંબઈમાં આ પત્રાના પ્રતિનિધિ તરીકે કામગીરી બજાવી. પછી મુખ્ય કાર્યાલયમાં ગયા. પાતાની કાર્યદક્ષતાથી બીઝનેસ મેનેજરપદ સુધી પહોંચ્યા અને સાથેાસાથ ‘કેસરી’નું આર્થિક અને વ્યાપાર પાનું તેમણે સંભાળ્યું હતું. ૧૯૫૨ માં ‘કેસરી’માં ૨૩ વર્ષની નોકરી બાદ તેઓ નિવૃત્ત થયા અને જાહેર પ્રવૃત્તિઓમાં તેમણે સમય આપવાનો નિરધાર કર્યો.
શ્રી ભટ્ટની સિદ્ધિઓમાં ૩ મુખ્ય સિદ્ધિઓ ચિરસ્મરણીય રહેશે: (૧) ૧૯૩૪માં મરાઠા ચેમ્બર ઓફ કોમર્સની તેમના હાથે થયેલી સ્થાપના. (૨) ૧૯૪૧માં ઈન્ડિયન લેંગ્વેજીઝ ન્યુઝપેપર્સ એસાસીએશનની સ્થાપના. (૩) ૧૯૫૯માં ફેડરેશન ઓફ એસોસીએશન્સ એક્સ્માલ ઈન્ડસ્ટ્રીઝની સ્થાપના.
૧૯૩૪ માં મરાઠા ચેમ્બર ઑફ કોમર્સની તેમણે સ્થાપના કરી, જે સંસ્થા મહારાષ્ટ્રના ઔદ્યોગિક વિકાસમાં વર્ષો થયાં મહત્ત્વનો ફાળા આપી રહેલ છે. ચેમ્બરના સ્થાપનાકાળથી શ્રી ભટ્ટ ટ્રસ્ટી અને માનદ મંત્રી છે.
દેશી ભાષાના વર્તમાનપત્રાના હિતનું રક્ષણ કરવા માટે, તેમના અવાજ વ્યવસ્થિત રીતે અને મજબૂતપણે સરકાર પાસે પહોંચાડવા માટે અને તેમના પ્રશ્નોના ઉકેલ માટે એક મંડળ હોવું જ જોઈએ એવા વિચાર સ્વ. અમૃતલાલ શેઠને ૧૯૪૧ માં સ્ફર્યા. શ્રી ભટ્ટ સાથે શ્રી શેઠે વિચાર-વિનિયિમ કર્યો. અને શ્રી. ભટ્ટના સહકારથી ‘ઇન્ડિયન લેંગ્વેજીઝ ન્યુસપેપર્સ એસેસીએશન ” ની સ્થાપના કરવામાં આવી, ૧૯૪૧થી ૧૯૫૦ સુધી આ સંસ્થાના ઉપપ્રમુખ શ્રી ભટ્ટ હતા, અને ૧૯૫૧ થી આજ સુધી એકધારા દર વર્ષે પ્રમુખ તરીકે તેઓ ચૂંટાઈ આવે છે. ભારત સરકારે પ્રેસ કમીશન, પ્રથમ વેઈજ બોર્ડ ફોર વર્કિંગ જર્નાલીસ્ટ તેમ જ પ્રેસ કન્સલટેટીવ કમિટિના સભ્ય તરીકે શ્રી ભટ્ટને નીમ્યા હતા.
વર્તમાન-પત્રાની દુનિયામાં આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ તેમણે ગણનાપાત્ર સ્થાન પ્રાપ્ત કર્યું છે. ૧૯૫૪ માં બ્રાઝિલમાં મળેલ વર્લ્ડ પ્રેસ એસાસીએશન કોન્ફરન્સ માટે ભારત સરકારે પ્રતિનિધિ તરીકે શ્રી. ભટ્ટને મોકલ્યા હતા. ૧૯૬૦માં “યુનેસ્કો”એ “દેશી ભાષાના પ્રશ્નો” પર બાલવા બેન્કેક બાલાવ્યા હતા. આ કોન્ફરન્સે દક્ષિણપૂર્વ એશિયાના દેશના વિકાસ માટે જે સૂચના અને ઉપાયો સૂચવ્યાં હતાં તેમાં શ્રી. ભટ્ટનાં સૂચનોએ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. ૧૯૬૧ માં ઈન્ટરનૅ શનલ પ્રેસ ઇન્સ્ટીટ્યુટ : (એશિયન પ્રોગ્રામ): ના આમંત્રણથી કૌલા લમ્પુર : મલયેશિયા : સેમિનારમાં વકતા તરીકે તેમણે સારો ભાગ મવ્યો હતો. તાજેતરમાં ભારત સરકારે નાનાં પત્ર માટે નીમેલ કમિટીના સભ્યપદે શ્રી ભટ્ટ છે. શ્રી. ભટ્ટના વર્તમાનપત્રા સંબંધી વિશદ અને ઊંડા જ્ઞાનની આ પ્રતીતિ છે.
૧૯૫૯ માં ફેડરેશન ઑફ એસીસીએશન ઑફ સ્મેલ ઇન્ડસ્નૂઝની સ્થાપના તેમના હાથે થઈ. ત્યારથી આજ સુધી તેઓ તે સંસ્થાના પ્રમુખ ચૂંટાઈ આવે છે. નાના ઉદ્યોગોના વિકાસમાં આ એસસીએશન ખૂબ જ ઉપયોગી ફાળો આપી રહેલ છે અને આ એસોસીએશનના પ્રયાસથી જ નાના ઉદ્યોગોને સરકાર તરફથી સારી એવી સવલતો મળી રહી છે. નાનાં ઉદ્યોગાને લગતી દરેક અગત્યની સરકારી કમિટિમાં શ્રી. ભટ્ટનું સ્થાન હોય જ છે.
શ્રી ભટ્ટ મહિનાના સરેરાશ ૨૦ દિવસ પૂનાની - ઘરની - બહાર જ હોય છે અને દર વર્ષે તેમના પ્રવાસ હજારો માઈલના થાય છે અને તે પણ નાદુરસ્ત તબિયતે.
જાહેર જીવન એ તેમના વ્યવસાય છે. નિરભિમાની, સાદા અને સાત્ત્વિક તેમ જ ધાર્મિક વૃત્તિવાળા શ્રી. ભટ્ટ આજે વર્તમાન - પત્રા અને લઘુ ઉદ્યોગોના ક્ષેત્રે વિશિષ્ઠ સ્થાન પ્રાપ્ત કર્યું છે. નાજુક તબિયત છતાં સદા દવા સાથે રાખી ફરતાં શ્રી. ભટ્ટ એક સૌજન્યશીલ વ્યકિત છે. કાર્ય પ્રત્યેની નિષ્ઠા, ઊંડા અભ્યાસ, અતિશય ચોકસાઈ અને માનવહૃદય એ તેમની સફળતાની ચાવી છે. આ રીતે શ્રી ભટ્ટનું જીવન અનેક પ્રેરણા આપે તેવું છે.
રતિલાલ શેઠ