SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૯ ૧૬૫ બુદ્ધ જીવન કાકાસાહેબ કાલેલકર સાથે નેતાઓ મળવાના નથી. તે સુધારો કરવાનો પ્રયત્ન કરી મ સઘના કાર્યાલયમાં " મુંબઈ યુનિવર્સિટી દ્વારા યોજાતી ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળામાં આ વર્ષે વ્યાખ્યાન આપવા માટે ગાંધીજીના અંતેવાસી, પ્રસિદ્ધ કેળવણીકાર તથા સાહિત્યકાર કાકાસાહેબ કાલેલકરની પસંદગી કરવામાં આવી હતી અને “ ગુજરાતમાં ગાંધીયુગઐતિહાસિક અને સાહિત્યિક અવલાકન ” એ વિષય ઉપર તેમણે તા. ૪-૮-૬૫, બુધવારથી તા. ૯-૮-૬૫ સોમવાર (તા. ૮-૮-૬૫ રવિવાર બાદ) એમ પાંચ દિવસ દરમિયાન પાંચ વ્યાખ્યાન તેમણે આપ્યાં હતાં. મુંબઈ યુનિવર્સિટીના કોનવોકેશન હાલમાં આ રીતે મુખ્ય વિષયને તેમણે પાંચ વિભાગમાં વહેંચી દીધા હતા. વૈચારિક ભૂમિકા, કેળવણીના ક્ષેત્રમાં, સામાજિક જાગૃતિ, સાહિત્યમાં નવજીવન અને ભાવીની દિશા. આવા વિસ્તૃત ફલક ઉપર યેાજાયલી આ વ્યાખ્યાનશ્રેણી અત્યંત રોચક અને બોધક બની હતી અને ગાંધીજીના આપણા આજના જીવન ઉપર કેટલા વ્યાપક અને વેધક પ્રભાવ પડયા છે તેના ભરપુર માહિતીથી ભરેલા ખ્યાલ આ વ્યાખ્યાના દ્વારા તેમણે વિશાળ માતા સમુદાયને આપ્યો હતો. મુંબઈમાં આ રીતે થયેલી કાકાસાહેબની ઉપસ્થિતિના લાભ લઈને તા. ૭-૮-૬૫ શનિવારના રોજ મુંબઈ જૈન યુવક સંઘના કાર્યાલયમાં કાકાસાહેબ સાથે મિલન ગોઠવવામાં આવ્યું હતું. તરીકે મે “ કાકાસાહેબના અને તેથી તેમનું સ્વાગત કરીએ વ્યાખ્યાનમાળાને આ મિલનના પ્રારંભમાં સંઘના ઉપપ્રમુખ કાકાસાહેબનું સ્વાગત કરતાં જણાવ્યું કે આપણાં સંઘ સાથે ઘણા જૂના અને ગાઢ સંબંધ છે આજે આપણા એક મુરબ્બી સ્વજન તરીકે આપણે છીએ, સન્માન કરીએ છીએ. સંઘનીય પર્યુષણ શરૂઆતથી વર્ષો સુધી તેમના તરફ્થી સિંચન અને માર્ગદર્શન મળતું રહ્યું હતું. પ્રબુદ્ધ જીવન એટલે કે પ્રારંભનું પ્રબુદ્ધ જૈન તેમના આશીર્વાદથી શરૂ થયું હતું. મુંબઈ જૈન યુવક સંઘની તેમજ પ્રબુદ્ધ જીવનની રજત જયંતી તેમના પ્રમુખપણા નીચે આપણે ઊજવી હતી. તેમને આપણે જ્યારે બાલાવ્યા ત્યારે આવ્યા છે અને હંમેશાને માટે તેઓ આપણા રહ્યા છે. આજે તેઓ આપણા કાર્યાલયમાં ઘણા લાંબા ગાળે આવ્યા છે. તેમને આપણી વચ્ચે ઉપસ્થિત થયેલા નિહાળીને આપણે ઊંડી પ્રસન્નતા અનુભવીએ છીએ. અહિં સુધી આવવાનો પરિામ ઊઠાવવા બદલ તેમને હું આભાર માનું છું. “તેઓ અત્યારે મુંબઈ યુનિવર્સિટીના દ્વારા યોજાતી ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળાના ઉપક્રમે ગુજરાતના ગાંધીયુગ ઉપર વ્યાખ્યાનો આપી રહ્યા છે. આ વ્યાખ્યાના વ્યાપક અવલોકન, સઘન અભ્યાસ અને અપૂર્વ સ્મરણશકિતનાં ઘોતક છે. તેમને સાંભળીને સૌ કોઈ અત્યંત પ્રભાવિત બની રહ્યા છે. આજે ૮૦ વર્ષની ઉંમરે આટલી બધી સ્મૃતિ તેમ જ સંવેદનની જાગૃતિ—આપણા માટે આ વિરલ અનુભવ છે. તેમને જોતાં આપણને વિશિષ્ટ - વાલ્મીકિનું સ્મરણ થાય છે. તેમનાં પુનિત પગલાથી આપણું કાર્યાલય પવિત્ર થયું છે અને આપણે ધન્યતા અનુભવીએ છીએ.” ત્યાર બાદ કાકાસાહેબે સંઘના સભ્યોને ઉદ્બોધન કરતાં જણાવ્યું કે “ તમારા સંઘ સાથે મારો એવો સંબંધ રહ્યો છે કે તમે ન બોલાવો તો પણ હું આવવા મન કરૂં. આ તો પરમાનંદભાઈએ મને અહિં આવવાનું ખાસ નિમંત્રણ આપ્યું, એટલે પછી તે મારાથી આવ્યા વિના રહેવાય જ નહિ. તેમાં અગવડ - સગવડના વિચારને સ્થાન જ ન હોય. આજે જ્યારે તમે મને અહિં બોલાવ્યો છે ત્યારે મારા મનમાં જે એક બે વાત ધોળાયા કરે છે તે જ તમને કહી દઉં. આજે દેશની રાજનૈતિક તેમ જ આર્થિક સ્થિતિ બગડતી જાય છે. આજે જે આપણા દેશનેતાઓ છે તેથી વધારે સારા ૯૧ વાર્તાલાપ # પૂરી નિષ્ઠાપૂર્વક દેશની પરિસ્થિતિમાં રહ્યા છે. આપણે આશા રાખીએ કે તેમને પોતાના પ્રયત્નમાં સફળતા મળે અને રાજનૈતિક તેમ જ આર્થિક પરિસ્થિતિ અંગેની આપણી ચિંતાના બોજો હળવા બને. આજની પરિસ્થિતિમાં આપણા પક્ષે શું કર્તવ્ય છે તેનો જ આપણે વિચાર કરીએ. આ અંગે મને બે વિચારો મુખ્યપણે તમારી પાસે રજૂ કરવાનું મન થાય છે. હવેનો યુગ વિજ્ઞાન અને અધ્યાત્મનો છે. ૧. દુનિયામાં એક વખત ધર્મનું આધિપત્ય હતું. સર્વોપરીસત્તા ધર્મની—ધાર્મિકતાની નહિ—હતી. પાપના ચરણે રાજાએ પાતાના મુગટ ધરતા. આજે ધર્મની એ પ્રતિષ્ઠા રહી નથી. આજે આપણને આશ્ચર્ય થાય છે કે ધર્મની આટલી બધી પ્રતિષ્ઠા કેમ હતી? આજે ધર્મનું સ્થાન પોલીટિકસ અને ઈકોનોમીકસે લીધું છે, રાજકારણે અને અર્થકારણે લીધું છે. એક સત્તા પાછળ છે; બીજું સંપત્તિ પાછળ છે. બન્ને વસ્તુ–સત્તા અને સંપત્તિ—અસામાજિક છે. જ્યાં સુધી દુનિયા ઉપર આ બન્નેનું પ્રભુત્વ છે ત્યાં સુધી યુદ્ધો નિર્માણ થયા જ કરવાનાં છે. જો યુદ્ધોનું નિવારણ કરવું હોય તો આ બન્ને દુર્જનોને રાજનીતિ તથા અર્થનીતિનેઆપણે અપ્રતિષ્ઠિત કરવા જ રહ્યા. આનું સ્થાન આપણે સાશિયાલાજીને સમાજવિજ્ઞાનને આપવું જોઈએ. આજ સુધી વિજ્ઞાન અને તંત્રવિદ્યાસાયન્સ અને ટેકનાલ જી—એ રાજકારણ અને અર્થકારણની સેવા કરી છે; તે હવે પેાતાની સેવા સમાજવિજ્ઞાનને આપે. સમાજ-વિજ્ઞાનમાં દ્રષ્ટિ છે, વ્યાપકતા છે. તેની ધાર્મિકતાપૂર્વક આપણે ઉપાસના કરવી જોઈએ. તે દ્વારા જ આ જગતમાં એકતાની સ્થાપના થશે. હવે ધર્મમાં એ બળ રહ્યું નથી. ધર્મશાસ્ત્રો અને ધર્મસંસ્થાપકો અંગેના આપણા આગ્રહ હવે છોડી દેવા જોઈએ. તે હવે કેવળ વિભાજક બળ તરીકે જ કામ કરી શકે તેમ છે. તેના દિવસો હવે ખતમ થયા છે. હવે આવશે વિજ્ઞાન અને અધ્યાત્મ. સમન્વય-વિચાર ૨. બીજો વિચાર તમારી સમક્ષ મૂકવાના છે તે છે સમન્વયન વિચાર. મને લાગે છે કે શાસ્રાર્થના યુગ ગયો છે. હવે સમન્વયનો યુગ આવ્યો છે. સ્વરાજ્ય આવ્યા બાદ ભારત બહારના ઘણા દેશના મે* પ્રવાસ કર્યાં; અનેક ચિન્તકો અને વિચારકોના સમાગમમાં આવવાનું બન્યું. અને પછી ૧૯૫૪માં બુદ્ધ ગયામાં મળેલાં સર્વોદય સંમેલનમાં ગયો અને મારી મુસાફરી અને અનુભવના નિચોડરૂપે મેં વિનોબાજી પાસે સનન્વયનો વિચાર મૂકયો અને તેમણે તે વિચાર ઉપાડી લીધા અને સમન્વય આશ્રમ ખોલ્યો. આને આજે દશેક વર્ષ થવા આવ્યા છે; તેમાં હજુ કોઈ ખાસ કામ થયું નથી. પણ એમાં કોઈ શક નથી કે આજના યુગ સંઘર્ષના નહિ પણ સમન્વયને છે, બૌદ્ધ, જૈન અને વેદાન્ત વચ્ચે સુમેળ સાધવાનો છે. આ વિચારને વેગ આપવા માટે બિહારમાં આસા શુદ ૧૦ થી ૧૫ સુધી-દશેરાથી શરદ પૂનમ સુધી—એક સમન્વય પર્વ ઊજવવાનું અમે વિચાર્યું છે. આ અંગે બિહારના ઘણા નેતાઓને હું મળ્યો છુ અને તેમણે આ બાબતમાં ઉત્સાહભેર પહેલ કરવાનું વચન આપ્યું છે. તમે પણ તમારી બાજુએ આવું પર્વ ઊજવવાનો વિચાર કરો એવી મારી તમને પ્રાર્થના છે. રોમન કેથ લિક સંપ્રદાયના વડા આજના નામદાર પાપ પણ હવે આ રીતે જ વિચારી રહ્યા છે. તેમની આગળના પાપ ખ્રિસ્તી માત્રને એકત્ર કરવાના પ્રયત્ન કરી રહ્યા હતા. આજના પાપનું ધ્યાન હવે ખ્રિસ્તી અને અખ્રિસ્તી- બધાંને એકત્ર કરવા તરફ વળ્યું છે. આ માટે તેઓ ભિન્ન ભિન્ન 9)
SR No.525950
Book TitlePrabuddha Jivan 1965 Year 26 Ank 17 to 24 and Year 27 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1965
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy