________________
પ્રબુદ્ધ જીવન
સમૂહવીરનું કરુણ આત્મસબંધન
જે
જેના ચરણે રાજકારણ પૂરતું આપણું સર્વર સમર્પિત કરવું જોઈએ અને જેના આદેશનું સર્વ કઈ ભારતવાસીઓએ વફાદારીપૂર્વક અનુસરણ કરવું જોઈએ. આ દષ્ટિએ જે વિચારતું હોય તેના માટે, કેંગ્રેસ સમક્ષ જો કોઇ વ્યકિત માથું ન ઝુકાવે અને રાજકરણના ક્ષેત્રે કેંગ્રેસની નીતિ સાથે વિસંવાદી હોય એવા વિચારો દર્શાવે તો તેવી - ચકિતને દેશદ્રોહી લેખવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેતો નથી.
આ બધું છતાં પણ, મુનિ સંતબાલજી એક જૈન સાધુ છે. તેમના સાધુત્વ સાથે આવી રાજકારણી અભિનિવેશયુકત પ્રરૂપણા સુસંગત લાગતી નથી. પણ કમનસીબે પક્ષીય રાજકરણ સાથે એકરૂપતા સેવતી. વ્યકિત-પછી તે ગૃહસ્થ હોય કે સાધુસંત–પક્ષીય પરિભાષાની કટુતાથી મુકત રહી શકતી નથી. ગુજરાતના નામી કોંગ્રેસી શ્રી ઠાકોરભાઈ દેસાઈ તે મુનિશ્રીને પોલીટીકલ સંન્યાસી તરીકે જ ઓળખે છે. આ ઉપરથી સાધારણત: એવી માન્યતા પ્રવર્તે છે કે સાધુસંતે રાજકારણથી અલગ રહે એ વધારે ઈચછવાયોગ્ય છે. આમ છતાં પણ આજના સમયમાં જેના દિલમાં વિશાળ સમાજના સુખદુ:ખ અંગે તેમ જ ઉક-અપકર્મ અંગે ઊંડી સંવેદના છે તેવી વ્યકિત રાજકારણથી તદ્દન અલગપરાંડ.મુખ–રહે એ શકય નથી, કારણ કે રાજકારણ સાથે આજના માનવીનું વર્તમાન અને ભાવી ગાઢપણે સંકળાયેલું છે. તેથી રાજકારણથી વાકેફ રહેવું તે તેના માટે અનિવાર્ય બને છે. પણ રાજકારણથી વાકેફ રહેવું એ એક બાબત છે; તેના રંગે રંગાયેલા રહેવું એ બીજી બાબત છે. જરૂરી બધું જાણતા રહેવું અને છતાં બને તેટલા તટસ્થ રહેવું અને રાગદ્વેપ મુકત રહીને જરૂરી હોય એટલું માર્ગદર્શન આપવું–વર્તમાનમાં રસ ધરાવતા સાધુસંતો માટે આ માર્ગ જ હોઈ શકે.
આ લેખના પ્રારંભમાં ટાંકવામાં આવેલા મુનિશ્રી સંતબાલજીના ઉદ્દગારોમાં આવી અપેક્ષિત તટસ્થતા નજરે પડતી નથી અને આ અપેક્ષિત સંયમ અને વિવેક અનુભવગેચર થતું નથી.
પરમાનંદ શ્રી ગુજરાતી કેળવણી મંડળ-માટુંગા દ્વારા
જાયલી વ્યાખ્યાનમાળાને કાર્યક્રમ વ્યાખ્યાતા
વિષય . પ્રિન્સિપાલ રામજોષી શિક્ષાક્ષેત્રની સમસ્યાઓ પ્રાધ્યાપક મધુકર રાંદેરી સરદાર પટેલ : ભારતને જોખંડી
પુરુષ પ્રિન્સીપાલ અમૃતલાલ યાજ્ઞિક સાહિત્યની ખુબી રેવન્ડ ફાધર વિલિયમ્સ રાષ્ટ્રીય ભાવાત્મક એકતા પ્રાધ્યાપિકા ઈલા આરબ મહેતા વર્તમાન પરિસ્થિતિ અને ધર્મ પ્રાધ્યાપક કરસનદાસ માણેક યજ્ઞની ભાવના પ્રાધ્યાપક નલીન ભટ્ટ
ભારતની કલ્પનાનું સર્વકોષ્ઠ શિક્ષણ શ્રી ખીમરદ મગનલાલ વારા શિક્ષણના નૂતન પ્રવાહો શ્રી વાડીલાલ ડગલી
લેકશાહી આયોજન સ્વામી એંકારાનંદજી મનુષ્ય બને રાષ્ટ્રીય તેમ જ આતરરાષ્ટ્રીય રાજકારણ
* સપ્ટેમ્બરની ૧૧મી તારીખ શનિવારે સાંજે ૬ વાગ્યે શ્રી મુંબઈ જૈિન યુવક સંઘના ઉપક્સે સંધના કાર્યાલયમાં (૫/૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ ૩) શ્રી ચીમનલાલ ચકુ ભાઈ શાહ “રાષ્ટ્રીય તેમ જ અન્તરરાષ્ટ્રીય રાજકારણ” એ વિષય ઉપર જાહેર વ્યાખ્યાન આપશે. આ વિષયમાં રસ ધરાવતાં ભાઈબહેનને આ વ્યાખ્યાનને લાભ લેવા વિનંતિ છે.
મંત્રીએ, મુંબઈ જૈન યુવક સંઘ વિષયસૂચિ
પૃષ્ઠ - બુદ્ધિ, પ્રબુદ્ધિ, પ્રજ્ઞા
કિસનસિંહ ચાવડા ૮૫ મુનિશ્રી સત્તબાલજીની વિલક્ષણ વિચારધારા ,
પરમાનંદ સમૂહવીરનું કરુણ આત્મસંબોધન રતુભાઈ દેસાઈ ૮૯ - ભૂત પૂર્વ અસ્પૃશ્ય :
અનુ. મહેન્દ્ર દેસાઈ ૯૦ . સંઘના કાર્યાલયમાં કાકાસાહેબ સાથે વાર્તાલાપ
૯૧
[ સ્વર્ગીય શ્રી જવાહરલાલ લોકસમૂહના આશક અને ભોગી હતા. માનવસમૂહને જોઈ તે પારાવાર પ્રફુલ્લિત થતા. સમૂહને જોઈ તેઓ કોઇ આનંદ અને ઉચ્ચ અનુભૂતિ અનુભવતા. તેમ છતાં, તેમની લગાતાર વ્યવસાયરત ક્ષણમાં. વારંવાર તેઓ કારમી એકલતા અને કરુણ અસહાયતા પણ અનુભવતા,
શ્રી જવાહરલાલના એ સ્થિતિચિત્રનું વર્ણન અને દર્શન : નિમ્ન ગદ્યખંડમાં કંઈક જોવા મળે છે.
સંપાદક.] ક્યારેક જલધિજલના તરંગદલસમાં ઊછળતાં, અને ક્યારેક પીપિલિકાનાં દળસમાં ઊભરાતાં, શત સહસ્ત્ર જનસમૂહમાં હું સદા વિચરું છું. તેઓ મને નાના પ્રકારે અભિવંદે છે. હતના ગુલાલ અને સ્નેહનાં અબીલથી મને રંગે છે. અને પુષ્પની માળાથી મારી પરિચર્યા કરે છે. મિતનાં અક્ષતથી અને નયનનાં કંકુથી મને નવાજે છે, અને વળી, ઉચ્ચ સ્વરે મારા જ્યધ્વનિ ગજાવી, ક્યારેક કયારેક તે ગગનના ચંદરવાને પણ જાણે ભેદી નાખે છે. અને એ ક્ષણે મને કોઈક અનેરી અનુભૂતિ સાકૃત થાય છે. ને હું જોઉં છું કે લક્ષ લક્ષ હૃદયસિંહાસન પર મારું આસન અવિચલ છે, અને અરાંખ્ય અંતરોના અંતસ્તલમાં, મારું સ્મરણ અને સંચાલન છે. અને એમ છતાં,
જ્યારે મોડી રાતે, લેકસમૂહ વચ્ચેથી નિવૃત થઈને ઘડીભરની વિશાંતિ માટે મારા નિવાસના એકાંત આગારમાં પ્રવેશું છું, ત્યારે હું શું અનુભવું છું? –ત્યારે હું અનુભવું છું કે આ અફાટ, અમર્યા, વિસ્તૃત, અપરિમિત, માનવસમૂહ મથે છું, અને વારંવાર સમૂહથી વીંટળાયેલો છું, છતાં જાણે એકાકી છું, એલે છું, સખા અને સખ્યવિહીન છું. અને ત્યારે, મારી એકલતા મારાં મર્માન્તરને વધી જાય છે. એકલતા, અસહાયતા અને અપંગતાની શાહુડીનાં પીંછાં મારા મસ્તિષ્કને ભેદે છે. શતસહસ્ત્ર જનગણનાં હાસ્ય અને અભિનંદન, અને જયધ્વનિ પામતે છતાં, હું, શૂન્યતાના સાગરના એક બિન્દુસમે મને ભાળું છું. અરે ! મારાં અશુ પણ મારાં નથી, અને હું ખુદ એક અશ્રુબિંદુ જે પણ રહ્યો નથી ! હાય રે! કેવી છે? મારી આ કરૂણ એકલતા, કારમી અસહાયતા અને મૂગી અકય વેદના
રતુભાઈ દેસાઈ
KA