________________
પ્રમુખું જીવન
✩
કચ્છડા બારે માસ
✩
(અમે ફેબ્રુઆરી માસની ૧૭મી તારીખે કચ્છની મુસાફરીએથી મુંબઈ પાછા ફર્યા ત્યાર બાદ થોડા દિવસેાના ગાળે મારા મિત્ર શ્રી ખીમજીભાઈ ભુજપુરીઆએ તા. ૨૮-૨-૬૫ના મુંબઈ સમાચારના સાપ્તાહિકમાં પ્રગટ થયેલા કચ્છના મુલકની કેટલીક રસિક હકીકતો રજૂ કરતો લેખ મારી ઉપર મોકલી આપ્યો. આજે જ્યારે ‘સુકી ધરતીનાં મીઠાં સ્મરણા'ની લેખમાળા પ્રબુદ્ધ જીવનમાં પૂરી પ્રગટ થઈ ચૂકી છે ત્યારે તેના અનુસંધાનમાં આ લેખ એક મધુર પુરવણીની ગરજ સારશે એમ સમજીને નીચે પ્રગટ કરવામાં આવે છે. તંત્રી. )
ર
શિયાળે સેરઠ ભલા, ઉનાળે ગુજરાત; ચામાસે વાગડ ભલા, કચ્છડા મારે માસ! ” સ્ટીમર તદૃન ધીમી પડી ગઈ હતી. કચ્છની ધોળી દૂધ જેવી કંઠાર સ્પષ્ટ દેખાતી હતી. ઉતારૂઓએ બિસ્તરા સમેટવા માંડયા હતા. તૂતક પરથી દીવાદાંડી અને મચ્છવા જોતા લોકોમાં દક્ષિણ આફ્િ કાનું એક ખાજા કુટુંબ તથા ઈથિયોપીઆથી આવતું એક જૈન કુટુંબ પણ હતું. ખાજા તથા જૈન વૃદ્ધ પુરુષો ઘૂંટણીએ પડીને પ્રાર્થના કરતા હતા. બન્નેની આંખામાંથી દડદડ આંસુ વહેતા હતા. એમણે સ્વસ્થતા પ્રાપ્ત કર્યા બાદ, મે' સહાનુભૂતિપૂર્વક પૂછપરછ કરી. જાણવા મળ્યું કે તેઓ એક પેઢીના ગાળા પછી જનમભામકાની મુલાકાતે આવતા હતા. દેશની માટીના દર્શનના એ આંસુ હતા. ખાજા કુટુંબ તા ટ્રાન્સવાલમાં સુખી હતું. દેશની ધૂળ માથે મૂકવા સિવાય અહીં આવવાના બીજો કોઈ હેતુ નહોતો.
પણાસા દેશમાં
“ત્યાં માતૃભાષા કઈ રીતે શીખા છે? શી સગવડો છે?” એવા સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, “અમારા ગામમાં પાંચ જ ગુજરાતી કુટુંબ છે. આમ તા શાળા કાલેજોમાં આફ્રિકન જ શીખીએ છીએ પણ માદરેવતનની જબાન લુપ્ત ન થાય, એટલે ગુજરાતી બાળાથીની એક નિશાળ ચલાવીએ છીએ.” કચ્છને કાંઠે આવાં દશ્યો અપવાદરૂપ નથી. દર મેાસમે મુંદ્રા, માંડવી, જખૌ કે એવું કોઈક નામ લેતા કોઈને કોઈ વતનભૂખ્યા કચ્છ આવતા હોય છે, કોઈ સાધનસંપત્તિ વિના કે રાજસાની કોઈ એથ વિના, જગતના પાણાસા જેટલા દેશામાં કચ્છીએ પથરાઈ ગયા છે. ઝાંઝીબાર, સીાલ, મસ્તક, મોમ્બાસા એડન વગેરેની એશિયન વસાહતા એટલે જાણે કચ્છ સૌરાષ્ટ્રના ખરબચડા શહેરોની નાની આવૃત્તિઓ.
આપણા અનેકાનેક પ્રશ્નાને કારણે આપણા વિદેશવાસી બાંધવાના 'સુખદુ:ખને આપણે વિસારે પાડયા છે, તેમનામાં રસ લેવાનું પણ લગભગ છેડી દીધું છે, પરંતુ તેઓ તો અનિશ જન્મભૂમિની યાદના દીવા જલતા જ રાખે છે.
ભારતના અન્ય વિસ્તારોમાંથી લોકો પરદેશી સ્ટીમરો મારફત બહાર ગયા, પણ કચ્છના અખાતના લોકોએ પેાતાનાં જ વહાણામાં દરિયો ખેડયો. અહીંથી ભલે કંઈ ન લઈગયા, ત્યાંથી તો પાટલા ભરીને લક્ષ્મી લાવ્યા છે, અને આપણાં ખાધવાળા, ઉદ્યોગ વિનાના, ઉપેક્ષિત વિસ્તારોને જીવતા રાખ્યા છે.
સાગરની દાતી
ઉપેક્ષાની વાત કરીએ છીએ, અને જવાંમર્દી તથા જાનફેસાનીથી ભરેલ કચ્છની દરિયાવટ યાદ આવે છે. એ દરિયાવટના ઉજળા ઝંડો પરંપરાથી સાચવતી આવી છે ખારવા અને ભડાલા જેવી નિર્દિકચન કોમેડ. દરબાર વર્ષની ઉંમરે ભૂમિની હૂંફ અને કુટુંબની મમતા છાડીને તેઓ નીકળી પડે છે. સમુદ્રના પ્રવાહો અને આકાશના તારાએની એમની સૂઝસર્મજ અદ્ભૂત છે. દુનિયાના શ્રેષ્ઠ ખલાસીએમાં તેમનું સ્થાન છે. અંગ્રેજ, આરબ કે ડચ વહાણવટીઓની નોંધપાથીઓમાં એમની અનેક પ્રશસ્તિકથાઓ આલેખાયેલી છે.
ભારતના આજને દેશી વહાણા મારફતે થતા વિદેશ વ્યાપાર મોટે ભાગે કચ્છી ખલાસીઓ જ કરે છે. અર્ધ ટનના વહાણમાં ટ્રાન્સમિટરની મદદ વિના બે ત્રણ હજાર માઈલનો મહાસાગર ખૂંદવા,
તા. ૧૬૨-૬૫
એ તેમને આજે ય રમતવાત છે. એમની ફરિયાદ એટલી જ છે કે આ યોજનાનો લાભ માછીમારોને મળ્યા છે, એટલે એમને નથી મળ્યો, ખલાસી જવાન
બીજા વિશ્વયુદ્ધમાં દુશ્મન સબમરીના અને વિનાશિકાઓના ટોરપીડો અને તેપાના ભાગ તે થયા હતા. એકલા માંડવીના સા જેટલા વહાણા યુદ્ધના ખપ્પરમાં હોમાયા હતા. મલાયા, હિંદી ચીનની અટકાયતી છાવણીઓમાં કેટલાય કચ્છી ખલાસીઓના જાન ગયા હશે. અગ્નિ એશિયાના નૌકા યુદ્ધોમાં પોતાનાં સગાં ગુમાવ્યા હોય, એવા માણસા તા માંડવીની શેરીઓમાં તમને આજેય સામા મળે. બાર વર્ષની વયના હોવા છતાં અને વાંક ગુના વગર યુદ્ધ કેદી તરીકે યાતનામય વર્ષો મલાયામાં વીતાવ્યા હો, એવા ખલાસી જવાનોને હું ઓળખું પણ છું. આ દરિયાવટ હવે મરી રહી છે. પ્રજા સમક્ષ છેલ્લી બુલંદ ઘા નાખવાનું હવે એના ગળામાં જો નથી. દર વર્ષે બે પાંચ કસબી માલમા દરિયાને ખાળે પાઢે છે. આવતી કાલે કદાચ આ ઉજજવળ તવારિખ ગંઈ કાલના લાકસાહિત્યનું સંભારણુ' બની જશે.
ખોટા ખ્યાલા
કચ્છ તળ ગુજરાત કે સૌરાષ્ટ્રથી બહુ દૂર નથી. ઉત્તર ગુજ રાતનું પીપરાલા કચ્છના ગામથી દસ જ માઈલ દૂર છે. આખા પરથી માંડવીની દીવાદાંડીનું અજવાળુ` જોઈ શકાય છે. કંડલા અને નવલખી વચ્ચેનું અંતર માત્ર ૨૪ માઈલનું છે. આમ છતાં પાડોશી પ્રાંતામાં કચ્છ વિષે જેવું અજ્ઞાન પ્રવર્તે છે, એવું જ ખુદ ગુજરાતમાં અને આપણા પાઠયપુસ્તકોમાં જોવામાં આવે છે. કચ્છમાં રેતીના વાવંટોળ વાતા હશે. ઉનાળામાં ધામ ધખતા હશે; પાણી વિનાના રણમાં હાડપિંજરો નજરે ચઢતાં હશે. વગેરે લોકોનાં ખ્યાલા છે. કેટલીક નવલકથાએ પણ કચ્છના રણની રેતીમાં લશ્કરો દટાઈ ગયાનું બયાન રજૂ કરે છે. કોઈ કોઈ ચોપડીમાં દિવસા સુધી રસ્તો ન મળવાથી વણઝારો ભૂલી પડીને નાશ પામ્યાની વાતો છે.
સાચી વાત એ છે કે આ રણમાં પાંચ મહિના સુધી તે બબ્બે ફીટ પાણી ભરેલ હોય છે. ત્યાં બબ્બે નદીએ ઠલવાય છે. ખૂબ મેોટી જીવસૃષ્ટિ ત્યાં છે, જગત્માં અનન્ય એવી લાખા ફ્લેમિંગો પક્ષીઓની અદ્ભુત વસાહતો છે. દર વર્ષે પાંચ દસ ઈંચ વરસાદ થાય છે. દાયકાઓથી આ ‘રણ’ માર્ગે વાહનો પસાર થાય છે. કેટલાક સ્થળે તે રણ ઓળંગતાં ઊંટને બે કલાક લાગે છે. પાણી ન હોય ત્યારે મોટરકારો સહેલાઈથી અર્ધા કલાકની અંદર રણ પાર કરી શકે છે. સરસ હવામાન
ઉષ્ણતામાનની દષ્ટિએ કચ્છ વધુ શીતળ છે. વિજયવિલાસ, માંડવી, કાશી વિશ્વનાથ જેવાં સ્થાનોએ ભર ઉનાળે પારા દક્ષિણ ગુજરાત કરતાં વીસ અંશ નીચા હોય છે. મે મહિનામાં બપોરનું ઉષ્ણતામાન માથેરાન કે આબુ સાથે સરખાવી શકાય એવાં ગુજરાતના સ્થાના છે. ઓખા, માંડવી, દ્વારકા માંડવીની આસપાસના કાંડી વિસ્તારોમાં ઉષ્ણતામાન ૯૫ અંશ ઉપર ભાગ્યે જ જાય છે.
કચ્છમાં પાંચ લાખ ઢોરઢાંખરને પોષતી ગોચર જમીન છે. હજારો ગાંસડી રૂ બહાર મોકલવામાં આવે છે. શેરડી શિંગ, કેળાં, પપૈયા, કેરીના પણ પુષ્કળ પાક થાય છે. બન્ની વિસ્તારમાં ત દૂધની નદીઓ વહે છે એમ કહી શકાય. ત્યાં વસતિ માંડ ૩ હજાર છે પણ ગાય, ભેંસાની સંખ્યા ૨૫ હજાર ઉપર છે.
ખૈબર ઘાટની પાકિસ્તાની ફોજોના હયદળમાં કચ્છી ઘોડાની આલાદા ઉછેરવામાં આવે છે જ્યારે પાણીદાર ઘોડાના ઉછેર હવે