________________
તા. ૧૬-૮-૬૫
મારું દિલ હલી ઉઠ્યું. તેમને કેન્સર થયું છે અને તે અસાધ્ય
સ્થિતિમાં છે એ જાણીને મેં અત્યંન્ત ઊંડી ખિન્નતા અનુભવી. સંલગ્ન રાખશે. આથી બીજું શું કહું, શું લખું?
મારા આ અન્તસંવેદનને તેમની ઉપર તરતમાં જ નીચે મુજબનો પત્ર લખીને મે વ્યકત કર્યું હતું :— પ્રિય ચીમનલાલભાઈ,
બુદ્ધ જીવન
મુંબઈ, તા. ૧૨–૧–૬૫ તમારો તા. ૭-૧-૬૫ના પત્ર મળ્યો. વાંચીને એક રીતે ઊંડી ખિન્નતા અનુભવી; બીજી રીતે પ્રસન્નતા અનુભવી. ખિન્નતા એ જાણીને કે તમે ગળાના કેન્સરના વ્યાધિમાં સપડાયા છે અને ડાકટરો તેમાં સારું થવાની બહુ આશા આપતા નથી. પ્રસન્નતા એ જાણીને કે આવી વિષમ પરિસ્થિતિમાં તમે ચિત્તને આટલું બધું સ્વસ્થ રાખી શકયા છે અને સ્થાનાન્તર કરવા માંગતા માનવી સ્વજન સમુદાયની રજા માંગે તેમ ‘બાલ્યું ચાલ્યું માફ’ એમ કહીને જાણે કે તમે વિદાય માંગી રહ્યા છે.
આ પત્રના જવાબમાં શું લખવું તે મને સમજાતું નથી. જ્યારે બાલદીક્ષા અટકાયત અંગેનો આપણા જૈન સમાજમાં તીવ્ર સંઘર્ષ ચાલતા હતા ત્યારે આંદોલનના આવેગમાં તમે મને પ્રતિકૂળ કાંઈક બાલ્યા હશે! કે વર્ચ્યા હશે, તે હું પણ એવી જ રીતે તમને ન ગમે એવું કાંઈક બાલ્યો હોઈશ અથવા તો વર્ષો હાઈશ. હવે જો તમે મને ક્ષમા આપવાનું કહેતા હો તે મારે પણ તમારી પાસે એવી જ ક્ષમાયાચના કરવાની રહી. પણ આ ક્ષમાપ્રદાન મારા પૂરતું કાંઈક ઔપચારિક લાગે છે, કારણ કે મારા દિલમાં – મારા મનમાં ~ તમારા વિષે એવું કોઈ પણ કટુ સ્મરણ છેજ નહિ. આપણે કેટલાંક વર્ષો પહેલાં મુ. જીવાભાઈને ત્યાં મળ્યાનું યાદ છે; પછી તમા જણાવા છે તે મુજબ મુ. ભોગીલાલ લહેરચંદને ત્યાં લગ્નપ્રસંગ ઉપર પણ મળ્યા હતા. આ બન્ને પ્રસંગાનું તમારા અંગે મારા મનમાં કેવળ મધુર સ્મરણ જ અંકિત થયેલું છે. આમ હોવાથી મારા પક્ષે તમને માફી આપવા જેવું કશું જ જાણે કે બન્યું ન હોય એવા મારા મનના ભાવ છે.
આ બધું છતાં તમારી આવી ઉદાર મનની ક્ષમાયાચનામાં હું એક સાચા શ્રાવકનું દર્શન કરું છું અને આવી શુભ વૃત્તિ માટે તમારૂં. હું અભિનંદન કરું છું. આપણે સર્વ સદા ભૂલને પાત્ર સામાન્ય માનવીએ છીએ. એટલે આપણા હાથે અનેક ભૂલો થઈ હોય અને દોષો થવા પામ્યા હોય એ સ્વાભાવિક છે. આમ છતાં પણ પ્રૌઢ ઉંમરે કોઈ પણ સમયે અથવા તો અસાધ્ય વ્યાધિ દરમિયાન કોઈ પણ ક્ષણે જો આપણાથી અંતર્મુખ થવાનું બને, ચિત્તની પરિણતિમાં નિર્મળતા આવે અને મનમાં રહેલા રાગદ્વેષના અધ્યવસાય હળવા બને અને સૌ કોઈ પ્રત્યે ક્ષમાભાવ અને ક્ષમાયાચનાપૂર્વક કેવળ સદ્ભાવની, કેવળ પ્રેમભાવની અનુભૂતિ જો ચિત્તમાં સ્થિર બને તો તે જ જીવનની કૃતાર્થતા છે, સફળતા છે, તે જ સાચું શ્રાવકત્વ છે એમ હું માનું છું. આજે તમારા ચિત્તને આવી પરિણતિ સ્પર્શી છે એમ તમારા પત્રમાંના ઉદ્ગારો પરથી લાગે છે અને એ રીતે તમારૂ માનવી જીવન સફળ બન્યું છે એવા મારો અભિપ્રાય છે. આવા સંતોષપૂર્વક આવી પ્રસન્નતાપૂર્વક—તમારું શેષ આયુષ્ય પૂરું થાય એવી મારી શુભેચ્છા અને પ્રાર્થના છે.
હાલ તુરત મારા માટે અમદાવાદ આવવાના કોઈ સંભવ નથી, એમ છતાં જ્યારે પણ અમદાવાદ આવવાનું બનશે ત્યારે તમને મળવાનું હું નહિ ચુકું. મારા આવવા સુધી જવાની ઉતાવળ ન કરશે અને પછીની પણ કોને ખબર છે? ડાકટરોનો ગમે તે અભિપ્રાય હાય, અસાધ્ય લેખાત વ્યાધિ સુસાધ્ય બન્યાના અને નિરાશામાં એકાએક આશાના સંચાર થયાના બનાવા નથી બનતા એમ નથી. એટલે વાસ્તવિકતાનો સ્વીકાર કરવા છતાં આશા છેડવાની કોઈ જરૂર નથી.
શરીરના ભાગે જે પીડા ભાગવવાની હોય તે ભાગવવી જ
૮૧
રહી, પણ મનને બને તેટલું સ્વસ્થ રાખશે અને શુભ ધ્યાનમાં
લિ. સ્નેહાંકિત પરમાનંદના પ્રણામ
“મૃત્યુ આવે ત્યારે તેને ભેટવા અમે તૈયાર છીએ ” – આવી શેખી આપણે, જ્યારે મૃત્યુની છાયા સરખી પણ આપણી સામે નથી હોતી ત્યારે, ઘણી વાર હળવા દિલે કરતા હોઈએ છીએ; એમ છતાં પણ જેવી રીતે શ્રી ચીમનલાલ કડિયાની બાબતમાં બન્યું તેમ, દર્દ અસાધ્ય છે, બચવાના કોઈ ઉપાય નથી, બે મહિને, પાંચ મહિને મૃત્યુ હવે તો નિશ્ચિત છે એમ ડાકટરો પણ આપણને સ્પષ્ટપણે જણાવે, ત્યાર બાદ ચિત્તનું ધૈર્ય જાળવવું, મૃત્યુને લક્ષમાં રાખીને યથાચિત ધર્મકરણી કર્યું જવી, અને મૃત્યુ અંગે કશી પણ અકળામણ, દુર્ધ્યાન, કે મુંઝવણ ન અનુભવતાં, જેને શુધ્યાન કહે છે એ સ્થિતિમાં મૃત્યુને ભેટવું એ કોઈ રોજબરોજ બનતી ઘટના નથી. અસાધ્ય રોગમાં પોતે સપડાયેલ છે એમ જાણવા છતાં, જાણવા મળે છે તે મુજબ, તે દેવાસના જીર્ણોદ્ધારની અધુરી ટીપ માટે મદ્રાસ જેટલે દૂર પ્રવાસ કરી આવ્યા હતા, એટલું જ નહિ પણ, તે મંદિરની પ્રતિષ્ઠા પ્રસંગે તેઓ દેવાસ જઈ આવ્યા હતા. વળી શંત્રુજયની યાત્રા પણ આ ગાળા દરમિયાન તેઓ કરી આવ્યા હતા. ક્ષમાયાચનાના પત્રા તે પોતાના સ્વજન સંબંધીઓને જ માત્ર નહિ પણ જેની જેની સાથે અથડામણમાં તેઓ આવ્યા હતા તે દરેક વ્યકિતને તેઓ લખી ચૂકયા હતા. સમય જતાં દર્દી ચારે બાજુથી ઘેરો ઘાલ્યો હતા, બાલી શકાતું નહાવું, તાવ ચાલુ હતા, સાજા વધવા માંડયા હતા, – આ બંધુ છતાં ભગવાનના ગુણાનુવાદમાં તેઓ મસ્ત રહેતા હતા. સ્તવન, ઢાળ કે સઝાઈ ગાઈને તેમને સંભળાવવામાં આવે ત્યારે તેઓ ભકિતના રોમાંચ વડે ઊંચાનીચા થઈ જતા, નાચી ઊઠતા. આવું અસહ્ય દર્દ હોવા છતાં, કદિ પણ તેમણે અરેરાટી ઉચ્ચારી નહોતી, કોઈ દિવસ દીનતા દાખવી નહોતી. આ કેવળ વીરોચિત મૃત્યુ હતું. આમ મરીને તેમણે મૃત્યુને નિ:શસ્ત્ર બનાવ્યું હતું. આવી વ્યકિતને આપણું માથું નમ્યા વિના કેમ રહે? મૃત્યુ સામે આવીને ઊભું રહે ત્યારે આપણામાં પણ આવું ધૈર્ય પ્રગટે એવી આપણી નિરંતર પ્રાર્થના હા!
પરમાનંદ
ખરો જૈન
કાણું?
આજે જન સમાજ એક કામમાં બંધાઈ રહ્યો છે. વિચારોમાં સંકીર્ણતા ઘર કરી બેઠી છે. જૈન વિચારધારા વ્યાપક છે, પણ તેના પ્રચાર કરવાવાળાની અનુદારતા જ તે સંકીર્ણતાનું કારણ છે. જો આ વિચારો માનવીમાનવી માટે ખુલ્લા રાખવા હોય તે દષ્ટિકોણને ઉદાર બનાવવા પડશે. જૈનત્વ અંગે હું સંખ્યાને મહત્વ આપતો નથી. સંખ્યા મહત્ત્વ રાખે છે અને તેનું પણ અમુક ગૌરવ છે, પરંતુ હું માનું છું કે અહિંસા તથા સમન્વયમાં વિશ્વાસ ધરાવતા જૈન પણ જૈન છે.
અહિંસા તથા અનેકાન્તના પ્રસાર જેટલા આજે થયા છે, સંભવત : ભગવાન મહાવીરના સમયમાં એટલા નહોતા થયા. આજે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં સમન્વય તથા સહઅસ્તિત્વની ચર્ચા. ચાલ્યા કરે છે. વિરોધી વિચારધારાવાળા દેશોની વચ્ચે સમન્વય તથા સહઅસ્તિત્વની ભાવના શું સ્યાદ્વાદનો વિજય નથી ? યુદ્ધનાં વાદળ ફરી ફરી ચઢી આવે છે અને વિખરાઈ જાય છે. શું તે અહિંસાની સફળતા નથી.? આજે કઈ પણ સમસ્યાના સમાધાનમાં સંઘર્ષ અને શસ્ત્રની જગ્યાએ સમજાવટની નીતિ અપનાવવામાં આવે છે. કિંતુ અહિંસા તથા અનેકાન્તના જેટલા વિકાસ આન્તરરાષ્ટ્રીય ક્ષેત્રમાં જોવા મળે, છે તેટલા જૈનામાં જોવા મળતા નથી. બહાર જૈનત્વ ફેલાઈ રહ્યું છે; અંદર ખાખરાપણું જામી રહ્યું છે. આજે આવશ્યકતા છે. સાંસારને જૈન બનાવવા પહેલાં જૈનને ખરા— વાસ્તવિક–જૈન બનાવવાની. હું માનું છું કે, વિભિન્ન તત્વ, ભાષા તેમ જ વિચારોની વચમાં પોતાને જે સંતુલિત—સમધારણયુકત રાખે તે જ. ખરો- વાસ્તવિક જૈન છે. આચાર્ય તુલસી