SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ તા.૧૬-૮-૧૫ પ્રભુ જીવન ભારતીઓની તાર્કિકતા-૩ (ગતાંકથી ચાલુ) નિગ્રહ એટલે પરાજ્ય કે રોકવું તે. પ્રતિવાદીની દલીલમાં ખામી બતાવી તેને અટકાવવામાં આવે છે તેને નિગ્રહસ્થાન કહે છે. તેના મૂળમાં અપ્રતિપત્તિ કે વિપ્રતિપત્તિ હોય છે. નિગ્રહસ્થાનના ૨૨ પ્રકાર ન્યાયસૂત્ર વગેરે ગ્રંથમાં આપેલા છે - પ્રતિજ્ઞાહાનિ, પ્રતિજ્ઞાન્તર, પ્રતિજ્ઞાવિરોધ, પ્રતિજ્ઞાસંન્યાસ, હેત્વન્તર, અર્થાન્તર, નિરર્થક, અવિજ્ઞાતાર્થ, અપાર્થક, અપ્રાપ્તકાલ, ન્યૂન, અધિક, પુનરુકત, અનનુભાષણ, અજ્ઞાન, પ્રતિભા, વિક્ષેપ, મતાનુન્ના, પર્યયોજ્યાપેક્ષણ, નિરનુયાયાનુયોગ, અપસિદ્ધાન્ત, હેત્વાભાસ. પહેલા ચાર પ્રકારના આશય એ છે કે, કોઈ વાદીએ પ્રતિજ્ઞા, દા. ત. ‘શબ્દ અનિત્ય છે.’ રજુ કરી હાય, પછી તે તેને છેાડી ન શકે કે તેના વિરોધ ન કરી. શકે કે બીજે પ્રશ્ન ઉઠતાં બીજીજ પ્રતિજ્ઞાનું સમર્થન કરવા લાગી જાય એ બરાબર નથી. હેત્વન્તરનો આશય એ છે કે વાદીએ જે હેતુ રજુ કર્યો હોય તેમાં જો પ્રતિવાદી અસંગતિ બતાવે તે ફેરફાર કરવા કે વિશેષણ લગાડી રજુ કરવા એ બરાબર નથી. કારણ કે, એથી વાદીની નબળાઈ જણાઈ આવે છે. પોતે રજૂ કરેલ હેતુમાંથી જ આ અર્થ નીકળે છે એમ બતાવવાના પ્રયત્ન કરવા જોઈએ. અર્થાન્તર વગેરેના આશય એ છે કે ચર્ચામાં કશું અસંગત, સંબંધ વિનાનું, નિરર્થક કે પુનરુકિત વગેરે નહીં આવવાં જોઈએ. પ્રતિવાદી સમજતા ન હેાય તેવી ભાષા ન વાપરવી જોઈએ. સામાન્ય રીતે એવો આગ્રહ હોય છે કે ન્યાયવાકયના પાંચ અવયવેા છે, તેમના ચોક્કસ ક્રમમાં અને વધારે કે ઓછા પણ નહીં એ રીતે એનો પ્રયોગ થવા જોઈએ. વાદીનું વચન પ્રતિવાદી ત્રણ વાર તેની પાસે બોલાવે અને જો સભ્ય અને વાદી તેને અર્થ ન સમજે તે વાદીની સામે અવિજ્ઞાતાર્થ નિગ્રહસ્થાન યોજી શકાય. પણ જો વાદી ત્રણ વાર પોતાની દલીલ બોલે અને સભ્યો સમજી ગયા હોય, પણ પ્રતિવાદી ન સમજી શકે તો પ્રતિવાદીની સામે અજ્ઞાન નિગ્રહસ્થાન યોજાય છે. કેટલીક વાર વાદી કે પ્રતિવાદી આગળ દલીલ કરવા અશકિતમાન હોય ત્યારે નિવારી શકાય તેવું કામ બતાવી ચર્ચાને મોકૂફ રાખવાના પ્રસ્તાવ મૂકે છે. તેની સામે વિક્ષેપ નિગ્રહસ્થાન યોજી શકાય. વાદીને પ્રતિવાદી જવાબ ન આપી શકે અને ચૂપ રહે તો તેની સામે અપ્રતિભા નિગ્રહસ્થાન યોજી શકાય. વાદીનું ખંડન કરતી વખતે તેનું વચન બરાબર બોલી જઈ પછી તેનું ખંડન કરવાનું હોય છે જેથી પ્રતિવાદી સમજ્યો છે તેની ખાતરી સૌને થાય. પણ પ્રતિવાદી તેમ ન કરે તો તેની સામે અનનુભાષણ નામનું નિગ્રહસ્થાન પ્રયોજાય. વાદી કે પ્રતિવાદી પોતાના પક્ષનો સમર્થનમાં એવી કોઈ દલીલનો ઉપયોગ કરે કે જે આમ દોષરહિત હોય પણ તેને અન્તર્ગત સિદ્ધાન્ત તેના પોતાના જ દાર્શનિક સિદ્ધાન્તથી વિરુદ્ધ હોય તે તેની સામે અપસિદ્ધાન્ત નિગ્રહસ્થાન યોજી શકાય. વાદીની દલીલમાં દોષ હોય તે ન બતાવવા તે પર્યનુયાયાપેક્ષણ અને ન હાય તેવા દોષ બતાવવા – લવાદી જાતિવાદી બતાવે છે તેમ—તે નિરનુયાયાનુયોગ. હેત્વાભાસ પણ નિગ્રહસ્થાન મનાય છેહેતુના સાધ્ય સાથે નિયત સંબંધ હોવા જોઈએ, અને તે બાધિત ન હોવા જોઈએ. નહીં તો એ હેતુ નથી પણ હેત્વાભાસ છે. આ પરથી એ તારવણી કાઢી શકાય કે નૈયાયિકોને એવો આગ્રહ હતો કે, ચર્ચામાં નિયમબદ્ધ રીતે અને ગૌરવપૂર્વક કામ ચાલવું જોઈએ અને સહેજ પણ અસંગતિ કે પુનરુકિત કે એવા કોઈ પણ દોષ આવતાં વાદીને રોકી શકાય છે. ધર્મકીર્તિએ આ નિગ્રહસ્થાનોનો સમાવેશ માત્ર બે નિગ્રહસ્થાનમાં કરી દીધા છેઅસાવધનાંગવચન અને અદોષદ્ભાવન. અસાધનાંગવચન એટલે સાધ્યની સિદ્ધિ કરી શકે તેવા વચનની રજુઆત ન કરવી અથવા જે સિદ્ધ ન કરી શકે તેવું વચન રજુ કરવું. દોષોદ્ભાવન એટલે દોષ હોય તે ન બતાવવા અથવા દોષ ન હોય (અદોષ) તે બતાવવા. Gu જૈન નૈયાયિકો આ બધા નિગ્રહસ્થાન માન્ય નથી રાખતા. તેમની દલીલ એ છે કે વાદી પેાતાના મત સિદ્ધ કરી શકે એ એના વિજય અને સિદ્ધ ન કરી શકે એ એનો પરાજ્ય, પછી એ પુનરુકિત કરે કે કશું અસંબદ્ધ કે અસંગત બોલે કે એવું કાંઈ કરે તો તે વાતને પકડી રાખી તેને આધારે વાદીને રોકવા એ બરાબર નથી—કારણ કે આ બધું તે। સામાન્ય માણસના વ્યવહારિક વર્તનના એક ભાગ છે. વ્યવહારમાં આ બે દષ્ટિબિંદુમાં ખાસ ફરક નહીં પડતો હોય પણ શાસ્ત્રીય રીતે તે આ બે દષ્ટિબિંદુમાં ભેદ છે જ. જૈન નૈયાયિકો પક્ષસિદ્ધિ અને પ્રતિપક્ષના ખંડન પર ભાર મૂકે છે અને બીજી ઔપચારિક બાબતોની ખાસ ચિન્તા કરતા નથી, જ્યારે બ્રાહ્મણ અને અમુક અંશે બૌદ્ધ નૈયાયિકાના એવા આગ્રહ ખરો કે વાદમાં, કોર્ટમાં થાય છે તેમ, અર્થાન્તર, પુનરુકિત વગેરે કરીને વાતાવરણ ગંભીર બનાવવામાં આવે છે અને પ્રતિવાદીની વિરુદ્ધ સભાપતિ અને સભ્યો ઉપર ખોટી અસર ઉપજાવવાના પ્રયત્ન કરવામાં આવે છે તે ન થવું જોઈએ. ન્યાયસૂત્રમાં મુખ્યત્વે કથાને અનુલક્ષીને વિવેચન છે એ આપણે જોયું. તેના ઉપરના વાત્સ્યાયનના ન્યાય - ભાષ્યમાં, ઉદ્યોતરના ન્યાય - વાતિકમાં, વાચસ્પતિની ન્યાયવાતિક તાત્પર્યટીકામાં અને ઉદયનની પરિશુદ્ધિ અને બાધસિદ્ધિમાં પણ વાદના પદાર્થોના ઉત્તરોત્તર વિકાસ જોવામાં આવે છે. શંકરમિશ્રના વાદિવિનાદ ગ્રંથ સ્થાને અનુલક્ષીને જ છે, વેંકટનાથના ન્યાયપરિશુદ્ધિ ગ્રંથ, તીર્થને પ્રમાણ - પદ્ધતિ, વરદરાજના તાર્કિકરક્ષા વગેરે પણ ક્થા વિષે સમૃદ્ધ સામગ્રી પૂરી પાડે છે. બૌદ્ધ ગ્રંથામાં ઉપાયહ્રદય, તર્કશાસ્ત્ર અને ધર્મકીતિના વાદન્યાય જેવા ગ્રંથોમાં વાદ વિષે ઘણું વિવેચન મળે છે. જૈન ગ્રંથેામાં અકલંકના ન્યાયવિનિશ્ચય અને સિદ્ધિવિનિશ્ચય, વિદ્યાનંદનો તત્ત્વાર્થશ્ર્લોક વાન્તિક, પ્રભાચન્દ્રના પ્રમેયમલમાર્તણ્ડ અને ન્યાયકુમુદચન્દ્ર, વાદિદેવસૂરિના પ્રમાણનયતત્ત્વાલાકાલંકાર અને તેના પર રત્નપ્રભાચાર્યની રત્નાકરાવતારિક, હેમચન્દ્રાચાર્યના પ્રમાણમીમાંસા ગ્રંથ અને સિદ્ધસેનની દ્વાત્રિશિકા જેવા ગ્રંથોમાં વાદ સંબંધી ઘણી માહિતી મળે છે. કથા કે વાદમાંથી જ ન્યાયના વિકાસ થયો હોય એવી શક્યતા છે. ગ્રીસમાં સેાફિટ અને સોક્રેટિસ અને પ્લેટોના સંવાદોને આધારે જ ન્યાયનું ઘડતર થયું. આમ હોવાથી ન્યાયના પ્રાચીન ગ્રંથોમાં વાદ અંગે ઘણું વિવેચન છે. ઉત્તરોત્તર કેવળ ન્યાય પર ધ્યાન વધતું જાય છે અને વાદની ચર્ચા ગૌણ બનતી જાય છે. નવ્ય - નૈયાયિકોએ વાદને અનુલક્ષીને વિવેચન નથી કર્યું, પણ પોતે આપેલ લક્ષણામાં ત્રુટિ ન રહી જાય અને સૂક્ષ્મતા આવે અને તેમનું "ખંડન મુશ્કેલ બને તેટલા માટે તેમણે સૂક્ષ્મ અને જટિલ શૈલી વિક્સાવી, જેની અસર બધા શાસ્ત્રોના સાહિત્ય પર થઈ. કુલાર્ક પંડિતે (૧૧ મા સૌકો) મીમાંસાના શબ્દનિત્યત્વવાદની સામે મહાવિદ્યા નામના ન્યાયવાક્યો ચાજ્યા. આ ન્યાયવાક્યો કેવલાન્વયી પ્રકારના છે અને તેમાં કોઈ હેત્વાભાસની શકયતા નથી એવા મહાવિદ્યાવાદીઓના દાવે હતા. આ વાક્યો બહુ જ જટિલ અને અટપટા છે અને એક દરે અસમર્થ નીવડયા તેથી તેમની કદર ખાસ કોઈએ કરી નહીં અને ધીમે ધીમે તેમના પ્રયોગ બંધ થઈ ગયા હશે. છતાં પ્રતિપક્ષીને મૂંઝવવા માટે મહાવિદ્યાનો ઉપયોગ કરવા એવું સૂચન કેટલીક જગ્યાએ મળે છે. પ્રમાણ અને તર્કથી કોઈ પણ મતની સિદ્ધિ કરી શકાય. તર્ક પ્રમાણનું સમર્થન કરે છે, તેની પ્રવૃત્તિ પ્રતિહત બનાવે છે. જો પ્રમાણ દ્વારા મેળવેલું જ્ઞાન સાચું માનવામાં ન આવે તો કોઈ પ્રસંગ કે આપત્તિ ઊભી થાય છે, તેથી પ્રમાણ દ્વારા મેળવેલું જ્ઞાન સાચું હાવું જોઈએ. ‘પર્વત વિહ્વમાન છે, ધૂમ છે તેથી’. ધારો કે ત્યાં વિન ન હોય તો તેનું કાર્ય ધૂમ પણ હોઈ શકે નહીં. પણ ધૂમ તો છે માટે વિઘ્ન પણ હોવા જોઈએ. તર્કમાંથી જ શાસ્રાર્થના સિદ્ધાન્તો મળી જાય છે; જેવા કે આત્માશ્રય, અન્યન્યાશ્રય, ચક્રક, અનવસ્થા, વ્યાઘાત,
SR No.525950
Book TitlePrabuddha Jivan 1965 Year 26 Ank 17 to 24 and Year 27 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1965
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy