________________
તા. ૧૭-૧૫
પ્રબુદ્ધ જીવન
સુકી ધરતીનાં મીઠાં સ્મરણા~૮
રવિવાર તા. ૧૪-૨-૬૫
માંડવી હવે અમે ગામડામાંથી શહેરમાં આવી ગયા હતા. માંડવી અમારા પ્રવાસનું છેલ્લું સેાપાન હતું. માંડવીમાં અગ્રગણ્ય કોંગ્રેસી કાર્યકર શ્રી ઝુમખલાલ મહેતાએ અમારું સ્વાગત કર્યું.
અમે સૌથી પ્રથમ ત્યાંની ટી. બી. કલીકીની મુલાકાતે ગયા. પાલીતાણાવાસી ડો. છેટાલાલ મહેતાએ તથા ડો. નાશીર દસ્તુરે આ આખીય Well-equipped Clinic અમને બતાવી. ૧૯૪૯ની ૨૬મી જૂને શરૂ થયેલ આ કલીનીકમાં શરૂઆતમાં ૪ બેડ હતા અને આજે ૪૭ બેડ છે. નાના સરખા પાકા બાંધેલા ૪૭ બ્લોકોમાં ૪૭ બેડ છે. અહિં દરદી તથા તેની સાથે રહેનાર એક જણને બધી સગવડ આપવામાં આવે છે. દરદી સાથે રહેનાર એના સગાને રેશન એના હાથે દળવાનું હોય છે. કલીનીક્માં એક પ્રાર્થનાહાલ છે જયાં દરદીઓ પ્રાર્થના માટે રોજ ભેગા થાય છે. દરદીઓની પુનર્વસવાટ યે.જના--એ એક ખરેખર સુંદર વિચાર અમે અહિ જાયા.
પછી અમે શેઠ ખીમજી રામદાસ કન્યા વિદ્યાલયની મુલાકાત લીધી. શ્રી. પુરુષોત્તમ ધનજી વેદ, ડો. નાશીર દસ્તુર ઉપરાંત ત્યાંના નિયામક શ્રી. જોષી અને પ્રિન્સિપાલ ઈન્દુબહેન જોષીએ અમને બધે ફેરવ્યા અને સાંસ્થાની માહિતી પુરી પાડી.
કન્યાકેળવણીના ક્ષેત્રે આ સંસ્થાએ સાધેલી સંગીન પ્રગતિ ખરેખર પ્રશંસનીય લાગી. વિદ્યાલયમાં શરૂઆતમાં ૪૦ કન્યાઓ અને ૪ શિક્ષકો હતા. આજે ૬૩૦ કન્યાઓ અને ૨૪ શિક્ષકો છે. અહિં શ્રીમતી ઈન્દિરા ગાંધીની પ્રેરણાથી કન્યાઓ માટે ખાસ નવી હોસ્ટેલ પણ બાંધવામાં આવી છે, જેનું આયોજન ઘણું જ સુંદર છે.
આ હોસ્ટેલમાં ૪૫ કન્યાઓને રાખી શકાય એવી સગવડ છે પણ અત્યારે આ હોસ્ટેલમાં માત્ર ૧૬ કન્યાએ આવીને રહી છે. હાર્ટેલમાં રહેવાની ફીનું ધોરણ કદાચ ત્યાંના લોકોને જરા આકરું પડતું હશે, આથી જ હાસ્ટેલમાં બહુ ઓછી સંખ્યામાં કન્યા રહેવા આવતી હોય એમ બનવાજોગ છે. અહીં રહેતી અને છઠ્ઠા ધારણમાં ભણતી બેબી નિરંજનાએ અંગ્રેજી-હીંદી-મરાઠી અને ગુજરાતી ભાષામાં દેશસેવાની પ્રતિજ્ઞા સંભળાવી મને આશ્ચર્યમુગ્ધ કર્યાં. જે નવી હોસ્ટેલ થઈ છે. તે ૧ લાખ અને ૧૦ હજારને ખર્ચે બંધાઈ છે, જેમાં સરકારે ૬૬ હજાર રૂપિયા આપ્યા છે. કન્યાવિદ્યાલયની સાથે જ જોડાયેલા રાજાના મહેલના ઉપયોગ શાળાનાં ધારણા ચલાવવામાં થાય છે. આ પણ સમયની એક બલિહારી કહેવાય ને ?
હવે અમે માંડવીનાં સ્વ. મુનિ શુભવિજયજીના પુરષાર્થથી નિર્માણ કરવામાં આવેલ પ્રખ્યાત જૈન આશ્રમમાં આવી પહોંચ્યા હતા. અહીં શેઠશ્રી હીરાલાલ ભુલાણીએ તેમ જ અન્ય આગેવાનાએ અમને આવકાર આપ્યા. આ આશ્રમની સ્થાપના સૌ. ૨૦૦૪ના વર્ષમાં કરવામાં આવી છે. આ આશ્રામને બીજું નામ “ધરડા--આકામ” પણ આપી શકાય--કારણ આ આશ્રમમાં શરીરે અશકત અને જેની કોઈ સારસંભાળ રાખી ન શકે એવાં ભાઈ બહેનોને રાખવામાં આવે છે. અને અહીં દાખલ થનારની ઉંમર લગભગ ૫૦ વરસની આસપાસની હોય છે. અમે ગયા ત્યારે આશ્રમમાં ૮૦ બહેનો અને ૪૦ ભાઈઓ હતાં. તેમની પાસે કશા જ ઉદ્યમ ન મળે તેથી એમને જોતાં આપણને લાગે કે આ લોકો મરવાને વાંકે જીવે છે. આ સંસ્થાની ત્રુટિ અમને એ લાગી કે અહિં જેમની પાસેથી કામ લઈ શકાય એવા લોકો પાસેથી પણ કશું જ કામ લેવામાં આવતું
૪૭
✩
નથી. કામના માસિક ખર્ચ રૂા. ૬૫૦૦ના છે. પાંચ લાખનું સ્થાયી ફંડ છે, વ્યાજની રકમ અને બાકીની રકમ દાના દ્વારા મેળવી આ સંસ્થાનો નિભાવ થાય છે. આશ્રમની અંદર એક સુંદર જિના લય છે. પ્રવેશદ્રાર ઉપર આરસનાં બે બળદો છે. વિશાળ જગ્યામાં આવેલા આ કામનું વાતાવરણ ઘણુ જ સુંદર અને સ્વચ્છ લાગ્યું.
કામમાં મારે માટે સાણંભાજન કરવાનું હતું. અહિં અમારા માટે બાદશાહી કહી શકાય એવું ભાજન તૈયાર કરવામાં આવ્યું હતું. પરંતુ ભુજપુર અને ત્યારબાદ બીદડામાં અમે ઠીક ઠીક ખાધેલું હોઈને આ ભવ્ય ભાજનને અમે યોગ્ય ન્યાય આપી
શક્યા.
રાત પડી ગઈ હતી. અમારે હવે જયાંથી પ્રવાસ શરૂ કર્યો તે રાયણ ગામે પહોંચવાનું હતું. રાયણમાં શાળાના બાળકોના મનોરંજન કાર્યક્રમ હજુ અમારે જોવાનો હતો. પણ માંડવી જિલ્લા કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ અને માંડવીના આગેવાન કાર્યકરોએ પરમાનંદભાઈ સાથે વાર્તાલાપ ગાઠવ્યા હતા. આ વાર્તાલાપમાં બધા સભ્યોને રોકવા ઠીક ન લાગતાં પરમાનંદભાઈ, દામજીભાઈ મગનભાઈ અને હું રોકાયા. બાકી બધાં રાયણ તરફ રવાના થયા.
માંડવી જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યાલયમાં ગોઠવાયલા વાર્તાલાપમાં શ્રી પરમાનંદભાઈએ વર્તમાન રાજદ્નારી પરિસ્થિતિ અંગે કેટલાક વિચારો રજૂ કર્યા, એ દિવસોમાં અંગ્રેજી-હિંદીના પ્રશ્ન ઉપર દક્ષિણ ભારતમાં ચાલી રહેલા તાફાના અંગે ઊંડો ખેદ દર્શાવ્યો, અને ગુજરાતમાં પણ અંગ્રેજીનું શિક્ષણ આઠમાંથી શરૂ કરવું કે પાંચમાંથી શરૂ કરવું એ મુદ્દા ઉપર ઝગડા ચાલ્યા કરે અને કોંગ્રેસ તેના કોઈ ઉકેલ ન લાવી શકે અને પરિણામે કોંગ્રેસ આવા પ્રમાણમાં નજીવા મુદ્દા ઉપર જર્જરિત થતી જાય એ વિષે પેાતાનું આશ્ચર્ય તેમ જ દુ:ખ વ્યકત કર્યું. સ્થાનિક કોંગ્રેસી કાર્યકરોએ પરમાનંદભાઈએ જે કાંઈ કહ્યું તેથી જુદા ન પડતાં તેમના વિચારોનું અનુ મેાદન કર્યું અને આજે દેશમાં જે કાંઈ ચાલી રહ્યું છે તે વિષે ઊંડી ચિતાની લાગણી વ્યકત કરી. આમ પરસ્પર વિચારોની સારી આપલે થઈ. ત્યાર બાદ અલ્પાહાર વડે તેમણે અમારું આતિથ્ય કર્યું. અને અહિના અગ્રગણ્ય કાર્યકર ડૉ. દસ્તુરે આભારનિવેદન કર્યું. આ ૐા. દસ્તુર મૂળ નવસારીના છે અને અહિં આવીને વસ્યા છે અને તેમણે કચ્છના જૈન ગ્રેજ્યુએટ બહેન નિલનીબહેન સાથે લગ્ન કર્યું છે. કચ્છમાં આવા એક સંસ્કારી પારસી-ગુજરાતી યુગલને આ નિમિત્તે મળવાનું બનતાં અમે સવિશેષ આનંદ અનુ
ભવ્યા.
પાછા રાયણમાં
આ વાર્તાલાપ – મિલન પતાવીને અમે માંડવીથી રાયણ જવા ઉપડયા. રાયણ પહોંચ્યા ત્યારે રાત્રીના દસ વાગ્યા હતા. આમ ભદ્રં શ્વરથી સવારના નીકળેલા અને સ્થળે સ્થળે રોકાતા અને અનેક લોકોને મળતા હળતા થાકેલા પાકેલા અમે અહિં આવ્યા હતા અને શરીર રામ અને નિદ્રાને ઝંખતું હતું, પણ અહિં પણ હજુ અમારા માનમાં યોજવામાં આવેલા પાઠશાળાના વિદ્યાર્થીઓના મનોરંજનકાર્યક્રમમાં હાજરી આપવાની હતી, ભાગ લેવાના હતા. રાયણમાં જયાં અમારો ઉતારો હત તે પાઠશાળાની બાજુએ આવેલા ચોગાનમાં જ પાઠશાળાના કાર્ય શિક્ષક ભાઈબહેનોએ જાતમહેનતથી એક સ્ટેજ ઊભું કર્યું હતું. સ્ટેજના પડદા, વેશપરિધાન બધું કાંઈક કાચું લાગે, પણ તે પાછળ જે ઉત્સાહ અને પરિશ્રમ હતા તે ભારે પ્રસંશનીય હતો. અમારી સમક્ષ રજૂ કરવામાં આવેલ નાટક, રાસ, ગરબા વગેરેના રસપ્રચૂર કાર્યક્રમમાં બાલવિદ્યાર્થીઓને અસાધારણ
414