________________
૪૪
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૭-૬૫
સુધારક તથા રાજનીતિશ પણ છું, પણ હું રાજનેતા નથી. હું દરેક નીતિની જાણકારી મેળવવી જરૂરી તથા ઉપયોગી સમજું છું. તે વિના આપણા વિચાર વ્યાપક બની શકતો નથી. રાજનીતિને પણ હું બુરી માનતો નથી, કારણ કે જો તે ઉચિત આદર્શો ઉપર ચાલતી હોય તે તે દ્વારા નૈતિક જીવન માટે સુદૃઢ ભૂમિકા ઊભી થાય છે. આમ હોવાથી હું રાજનીતિથી પરિચિત રહેવાનું આવશ્યક માનું છું. હું માત્ર મારી જ વાત કરતા નથી. અમારા સંઘને પણ તેનું જ્ઞાન કરાવતે રહું છું.
ધર્મને ઘણા ખરા લોકો અમુક નિયમમાં બાંધી રાખતા હોય છે. પણ મારા વિચાર અનુસાર ધર્મ એ જ છે કે જે જીવનમાં પવિત્રતા લાવે, બિકાનેરથી એક કટ્ટર સામ્યવાદી મારી પાસે આવ્યા. તેમણે મને અનેક બાબતે પૂછી. પછી તેમણે કહ્યું કે, “આ બધું તે બરાબર છે, પણ આપ આ બાબતને ધર્મના નામથી ન જોડો.” મેં કહ્યું તમે તેને ધર્મ કહો કે બીજા નામથી ઓળખે એમાં મને શું આપત્તિ છે? પણ તમને હું આટલું અવશ્ય કહી દેવા માગું છું કે આ રીતે “ધર્મના નામથી ચીડાવું એ શું એક પ્રકારને અભિનિવેશ
નથી ? ”
“કેટલાક લોકોનું એવું અનુમાન છે કે હુ મારા અનુયાયીઓમાં પરિવર્તન લાવી શકયો નથી. પણ આમ વિચારવું સર્વથા યોગ્ય નથી. પરિવર્તન અવશ્ય આવ્યું છે. સંભવ છે કે અપેક્ષિત પરિવર્તન આજ સુધીમાં નિર્માણ થયું ન હોય. કિન્તુ હું તેથી નિરાશ થતું નથી. કારણ કે એ તે સૌ કોઈ સારી રીતે જાણે છે કે વ્યકિતના વિચારો બદલવાનું કામ કેટલું કઠણ છે. તે પછી એક સમાજની વિચારશુંખલાને, તેના રીત-રિવાજોને, એક લાંબા સમયથી ચાલી આવતી રૂઢ પરંપરાઓને બદલવાનું તો ખૂબ જ કઠણ હોય એ સ્વાભાવિક છે. મારવાડી સમાજ કેટલે રૂઢિગ્રસ્ત છે એ સમજાવવાની આવશ્યકતા છે જ નહિ. આમ કહીને હું એ સમાજને અનાદર કરવા નથી માંગતો. કારણ કે એમાં ઘણાં સારા લોકો પણ છે, વિદ્વાન છે, વિચારક પણ છે. કિન્તુ પરંપરાઓથી બંધાયેલા સમાજમાં પરિવર્તન કરવું કેટલું દુ:સાધ્ય હોય છે એ તે એ ક્ષેત્રમાં કામ કરવાવાળી વ્યકિત જ જાણી શકે છે. કિડું સદા આશાવન્ત છું. જેટલું આપણે ઈચ્છીએ તેટલું પરિવર્તન આવ્યું કે નહિ એ બીજી વાત છે. પણ એ હું અવશ્ય સમજું છું કે મારા પિતાને આત્મધર્મ સમજીને મારે તે એ સમાજમાં જ કામ કરવાનું છે. સુધરેલા સમાજમાં તો અનેક લોક કામ કરે જ છે. પણ આવા સમાજમાં કંઈ કામ થાય તેને હું વધારે આવશ્યક સમજું છું.
“ગાંધીજીએ દેશમાં એક નવી પ્રેરણા આપી હતી. તેમના વ્યકિત્વથી અનેક લોકો પ્રભાવિત થયા હતા. આજે તેઓ જ્યારે આપણી વચ્ચે નથી, ત્યારે, મને ખબર નથી કે, કેટલા લોકો તેમના આદર્શોનું અનુગમન કરી રહ્યા છે. હું આમાં ગાંધીજીને કોઈ દોષ જોતું નથી. હું તે એ દેખાડવા ઈચ્છું છું કે નિર્માણનું કાર્ય કેટલું દુષ્કર હોય છે. પણ આની મતલબ એ નથી કે હું રેતીમાં ધી ઢોળી રહ્યો છું. મેં અને મારા સંઘે જે થોડું ઘણું કામ કર્યું છે તેનું પરિણામ નજર સામે દેખાઈ રહ્યું છે. અણુવ્રત્ત--આંદોલન, નયામેડ, ઉપાસક–સંધ વગેરે પ્રયોગો દ્વારા હજારો વ્યકિતઓમાં મારી જાણ મુજબ ઠીક ઠીક પરિવર્તન પેદા થયું છે.” (તા. ૬-૧-૬૫ના જૈન ભારતીમાંથી સાભાર ઉધૃત)
આજે લગભગ ૧૬૫ વર્ષ થયાં છે. તેઓ મૂળ જે સંપ્રદાયના હતા તે સ્થાનકવાસી સંપ્રદાયની માન્યતા અનુસાર અહિંસાના વિચાર સાથે દાનદયાની ભાવનાને જોડવામાં આવતી હતી. આ જોડાણન તેમણે સખ્ત વિરોધ કર્યો હતો અને અહિંસા’ શબ્દથી માત્ર નિલેધાત્મક વિચારણા જ સૂચિત છે અને એ જ સાચી અને શુદ્ધ વિચારણા છે એ માન્યતા ઉપર ભાર મૂકીને પોતાના બાર શિષ્યો સાથે તેઓ સ્થાનકવાસી સંપ્રદાયથી અલગ થયા હતા અને આ કારણે તેમણે સ્થાપેલો સંપ્રદાય તેરાપંથી સંપ્રદાયના નામે ઓળખાવા લાગ્યો હતો. આચાર્ય તુલસી તેમની નવમી પાટે આચાર્ય છે. તેઓ ભારે સમયજ્ઞ છે અને પિતાના અનુયાયી મારવાડી સમાજમાં સમયાનુરૂપ ફેરફાર કરાવવા આતુરતા ધરાવે છે, જે તેમના ઉપરના સંદેશ–પ્રવચનથી સ્પષ્ટ થાય છે. તેમણે આશરે છ મહિના પહેલાં તા. ૧૭-૧-૬૫ના ‘જૈન ભારતી’માં અહિંસાની નવી જ વ્યાખ્યા આપી છે, જે નીચે મુજબ છે:--
અહિંસાવાદી સેંકડો બધે હજારો વર્ષથી અહિંસા ઉપર વિચાર કરતા રહ્યા છે, તેનું અનુશીલન કરતા રહ્યા છે, એમ છતાં પણ એ વિષય પુરાણ બની જતો નથી. આપણે ત્યાં કહેવત છે કે રામાયણ ગમે તેટલી વાર વાંચવામાં આવે, તો પણ તે નવીન અને નવીન જ હોય એમ પ્રતીત થાય છે. એવી જ વાત અહિંસાના વિષયમાં છે. કારણ એ છે કે અહિંસા જીવનદર્શનનું તત્વ છે. તેની વ્યાપકતા સામાયિક પ્રાદેશિક નથી, પરંતુ સર્વકાલિક તેમ જ સર્વદેશીય છે.
“જૈન આગમાં અહિંસાના ૬૦ નામ આપવામાં આવ્યા છે. મૈત્રી, સમતા, બંધુતા, અભય, શુદ્ધ પ્રેમ–આ સર્વ અહિસાનાં જ નામ છે. જો કે વ્યુત્પતિ અનુસાર અહિંસાને અર્થ નિષેધાત્મક નીકળે છે, એમ છતાં પણ, તેની પરિભાષામાં જેટલો વ્યાપક નકારાત્મક અર્થ પ્રતિષ્ઠિત છે, તેટલો જ વ્યાપક હકારાત્મક અર્થ છે. જેવી રીતે કોઈને મારવું નહિ, સતાવવું નહિ એ અહિંસાની પરિભાષામાં જેટલું અભિધેય છે તેવી જ રીતે સર્વની સાથે મૈત્રી તેમજ બંધુતાને વર્તાવ રાખવો એ તેની પરિભાષામાં તેટલું જ વાચ્ય છે. આને લીધે જ અહિસા વિધેયાત્મક તેમ જ નિષેધાત્મક બન્ને બાજુઓનું એક સમાન દ્રષ્ટિ વડે અવલોકન કરે છે. અહિંસાને કેવળ નિષેધાત્મક રૂપમાં સમજવી એ વાસ્તવમાં તેની એકાંગી વ્યાખ્યા છે.”
આમ પોતાના સંપ્રદાયની પાયાની માન્યતાને સમયાનુકુળ નવો ઝોક આપીને આચાર્ય તુલસીએ તેરાપંથી સંપ્રદાય અને સ્થાનકવાસી સંપ્રદાય વચ્ચેનું માન્યતા--અંતર નહિવત કર્યું છે, તેમ જ જૈનેના ભિન્ન ભિન્ન સંપ્રદાયો વચ્ચે નવી સમન્વય–ભૂમિકા ઊભી કરી છે. આ નવા પ્રસ્થાન માટે આચાર્ય તુલસીને ધન્યવાદ ઘટે છે. આશા રાખીએ કે આ સમન્વયની પ્રક્રિયા ચોતરફથી ચાલુ રાખવામાં આવશે અને જ્યાં અલગતા સંવેદન છે ત્યાં એકતાનું– એક સમગ્ર ઘટકનું–રસંવેદન સરજાશે.
પરમાનંદ વિષયસૂચિ
પૃષ્ઠ ભારતીયોની તાર્કિકતા એસ્તેર સોમન પરિવર્તન - અભિમુખ ' પરમાનંદ આચાર્ય તુલસી પ્રકીર્ણ નોંધ : ઉદાર ચિત્ત શ્રી પરમાનંદ રામજી હંસરાજ કમાણીનું દુ:ખદ અવસાન, આચાર્ય રજનીશજી વિષે આટલું બધું આકર્ષણ કેમ? સમેતશિખરની સમસ્યા : એક પરામર્શ, જૈન . કૅન્ફરન્સ ઉદ્યોગ ગૃહ અંગે મળેલું ચર્ચાપત્ર. સુકી ધરતીનાં મીઠાં સ્મરણ - ૮ ચીમનલાલ જેઠાલાલ શાહ વિલાયતમાં દયા ધર્મ વાલજી ગોવિંદજી દેસાઈ નવા જે. પી. સભ્યોનું સન્માન
આ પરિવર્તન-વિચારણાનું સમર્થક એવું એક મહત્ત્વનું પગલું આચાર્ય તુલસીએ તેરાપંથી સંપ્રદાય સાથે જોડાયેલી અહિંસા તત્વને લાગતી–પરંપરાગત માન્યતાને નવો વળાંક આપીને પોતે જાતે ભર્યું છે તેની અહિં નોંધ લેવામાં આવે તો તે અસ્થાને નહિ ગણાય.
તેરાપંથ સંપ્રદાયના સંસ્થાપક આચાર્ય ભિખુને વિદેહ થયાને