________________
REGD. No. B-4366
વાર્ષિક લવાજમ રૂા. ૪
પ્રબુદ્ધ જૈનનુ નવસંસ્કરણ વર્ષ ૨૯ : અંક ૧૮
પ્રબુદ્ધ
તત્રી; પરમાનંદ કુંવરજી કાપડિયા
મુંબઇ, જાન્યુઆરી ૧૬, ૧૯૯૫, શનિવાર આફ્રિકા માટે શિલિંગ ૮
આચાર્ય રજનીશજીનું
[તાજેતરમાં ગઈ તા. ૩૧મી અને પહેલીના રોજ આચાર્ય રજનીશજીનાં મુંબઈ ખાતે બે વ્યાખ્યાનો થયાં અને ૩૧મીની રાત્રે એક વ્યાખ્યાન, ઘાટકોપરમાં થયું. મુંબઈ ખાતેનાં બે વ્યાખ્યાનામાંથી પહેલા વ્યાખ્યાનના સાર સૌ. લીલાવતીબહેન કામદારે પોતાની નોંધ ઉપરથી તૈયાર કરીને આપ્યા છે, જે નીચે પ્રગટ કરવામાં આવે છે.
આચાર્ય રજનીશજી મુંબઈના માત્ર જૈન જ નહિ પણ જૈનેતર શિષ્ટ જનતાને હવે તે સુપરિચિત છે. તેમને મુંબઈ ખેંચી લાવવાનો યશ ભારત જૈન મહામંડળની મુંબઈ શાખાને ફાળે જાય છે. તે શાખા તરફથી ત્રણ–ચાર વર્ષ પહેલાં શરૂ કરવામાં આવેલ પર્યુષણ વ્યાખ્યાનમાળામાં તેમને વ્યાખ્યાન આપવા માટે સૌથી પહેલી વા નિમંત્રવામાં આવેલ. ત્યાર પછી તો દરેક પર્યુષણ વ્યાખ્યાનમાળામાં તેમનાં વ્યાખ્યાનો હોય જ છે. એ ઉપરાંત અન્ય સમયે પણ તેમનું મુંબઈ આવવાનું અવારનવાર થતું રહે છે. ગયા ઑટોબર માસમાં ભારત જૈન મહામંડળ તરફથી માથેરાન ખાતે તેમના સાનિધ્યમાં ત્રણ દિવસની એક શિબિર ગાઠવવામાં આવી હતી. આગામી ફેબ્રુઆરી માસની ૧૩, ૧૪, ૧૫ તારીખ—એમ ત્રણ દિવસ માટે પૂનાના જૈન મિત્રમંડળ તરફ્થી મહાબળેશ્વર ખાતે એક શિબિર ગોઠવવામાં આવી છે, જે વિષે પ્રબુદ્ધજીવનના ગતાંકમાં જાહેરાત કરવામાં આવી છે.
આચાર્ય રજનીશજી એક દષ્ટિસંપન્ન ચિંતક છે; તેમને વિશિષ્ટ કોતિનું એક જીવનદર્શન પ્રાપ્ત થયું છે, જેનું તેઓ વ્યાખ્યાના અને વાર્તાલાપા દ્વારા વિતરણ કરે છે. તેઓ માત્ર ખંડિત કે વિદ્રાન નથી. તેઓ જે કાંઈ કહે છે તે અંતરના ઊંડાણમાંથી નીકળતું લાગે છે. તેમનાં વિધાનો માત્ર તર્કપરિણામી નિષ્પત્તિઓ નહિ પણ અનુભૂતિપરિણામી સ્ફુરણા હોય એવી આપણા ચિત્ત ઉપર છાપ પડે છે. તેમનું ચિંતન જેટલું તત્ત્વસ્પર્શી છે તેટલી જ વિમલ, વિદ, અર્થવાહી અને પ્રસાદપૂર્ણ તેમની વાણી છે. વ્યાખ્યાતાઓમાં પણ તેઓ એક વિરલ વિશિષ્ટ કોટિના વ્યાખ્યાતા છે, જેમ શ્રી જે, કૃષ્ણમૂર્તિ તેમ આચાર્ય રજનીશજી એક વિચારવિભૂતિ છે. તે બંનેની વિચારશ્રેણીમાં ઘણું સામ્ય નજરે પડે છે. આચાર્ય રજનીશજીનું ચિંતન પણ એટલું જ મુક્ત છે. તેઓ જન્મથી જૈન છે, પણ કોઈ સંપ્રદાય-વિચારની તેમના ગળે કંઠી નથી. જ્યારે તેમનાં વ્યાખ્યાનના નીચે સાર આપવામાં આવે છે ત્યારે તેમના આટલા પરિચય આપવાનું ઉચિત ધાર્યું છે.
ભારત જૈન મહામંડળ મુંબઈ શાખા તરફથી (૫૦૫, કાલબાદેવી રાડ, મુંબઈ–૨) તેમનાં અમુક પ્રવચનોના સંક્લનરૂપ ‘અહિંસાદર્શન' એ નામની એક ગુજરાતી પુસ્તિકા (કિંમત રૂા. ૧) થોડા સમય પહેલાં બહાર પાડવામાં આવી હતી. તાજેતરમાં એ જ સંવા તરફથી ‘સાધના પથ’ એ નામનું એક હિંદી પુસ્તક (કિંમત રૂ. ૨) બહાર પાડવામાં આવ્યું છે. પરમાનંદ ]
આચાર્ય રજનીશજીનું પ્રવચન
હું આપનામાં આત્માની તૃષા પેદા કરવા ઈચ્છું છું. જેવું જીવન મળ્યું છે તેવું જ જીવન જો જીવીને જઈએ તો જીવન ખાઈ બેસીએ. મનુષ્યે સંભાવના નહિ પરંતુ સત્ય પ્રાપ્ત કરવાનું છે. બીજ મટીને ફલ થાય છે. સરિતા મટીને સાગર બને છે. જીવનમાં પણ અભીપ્સા, તૃષા, આકાંક્ષા પેદા થાય તો જીવન ઉત્કૃષ્ટ
भवन
શ્રી મુંબઇ જૈન યુવક સઘનુ પાક્ષિક મુખપત્ર છૂટક નક્લ ૨૦ પૈસા
એક પ્રવચન
બને. એક કેદી હતા. વર્ષો પર્યંત કારાગૃહમાં રહ્યા પછી તે છૂટયો. બહાર આવ્યા પછી તેને લાગ્યું કે દુનિયામાં પણ હું કેદી જ છું. કુટુંબજીવનનાં બંધન છે; સમાજનાં બંધન છે; રાજ્યનાં બંધન છે; જે મુકત જીવન જીવી જાણતા નથી તે જીવનરસના અનુભવ કરી શકતા નથી. જે રીતે જીવન જીવીએ છીએ તે રીતે તે મૃત્યુની નજીક આવી રહ્યા છીએ. માણસ જન્મ્યો તે દિવસથી રોજ તે મૃત્યુની નજીક આવતો જાય છે. મરવાની આ પ્રક્રિયા એક દિવસ પૂરી થઈ જશે. કેદીને જ્યાં સુધી કારાગૃહ બંધનરૂપ લાગે ત્યાં સુધી તે કારાગૃહની દિવાલ તોડવા તૈયાર નહિ થાય. ધાર્મિક થવાય છે જો જીવનની જે સ્થિતિ છે તેનાથી જાગૃત થવાય તો. જીવનમાં જેને સુખ સમજીએ છીએ તે સુખ નથી; સુખાભાસ છે. જીવનમાં નવી પ્યારા પેદા થાય તે. નવા જન્મ નવી અભીપ્સા જાગે.
સાધારણત: ખ્યાલ પણ નથી આવતો કે આપણે બહુ જ પરિચિત વૃત્તિઓના ગુલામ છીએ. ક્રોધ કરતા નથી, ક્રોધ થઈ જાય છે. એટલે કે ક્રોધે તમને ચલાયમાન કર્યા છે. એ વૃત્તિઓ તમને પરેશાન કરે છે. આ વાસનાઓનાં બંધન જીવનની વાસના જ્યાં સુધી ન તૂટે ત્યાં સુધી તમને પ્રતિબંધિત રાખવાના. શરાબ પીધેલા બે–ત્રણ મિત્રોએ ચાંદની રાતમાં નૌકાવિહારની કલ્પના કરી, અંદર બેઠા, રાતભર નૌકા ચલાવી, સવારે નશા ઊતર્યા ત્યારે તેમને ખબર પડી કે તેઓ હતા ત્યાંના ત્યાં જ હતા. કારણ નાવ ત્યાં જ હતી અને તે લાંગરેલી હતી. પેલા શરાબીઓથી આપણે જુદા નથી. જીવનની ચેતનાની નાવ વાસનાથી બંધાયેલી છે. આપણી અંદર રહેલી વાસનાઓ અને વૃત્તિને ક્રમશ : તોડીએ તો જ આકાશગમન થાય. પ્રત્યેક વ્યકિતની અંદરની નાવ અનેક બંધનોથી બંધાએલી છે.
બુદ્ધ એક ગામમાં ગયા. ગામ લોકોએ ગાળા દીધી. ગાળા દઈ તે થાકયા ત્યારે બુધ્ધે હસીને કહ્યું, “તમે ગાળો દીધી, પણ મેં તે લીધી નથી. આ બાબતમાં હું સ્વતંત્ર છું.” બીજે ગામ ગયા. લોકો મીઠાઈના થાળ ભરી લાવ્યા અને આપવા માંડી. બુધ્ધે તે પણ ન લીધી. આમ સંસારમાં આપણી સામે ગમે તે આવે, તેનો સ્વીકાર કરવા કે ન કરવા તે આપણા અધિકારની સ્વતંત્રતાની વાત છે.
બટન દાબે અને વીજળી પેદા થાય ત્યાં વીજળી પર બટનનું નિયંત્રણ છે. કોઈ ગાળ દે અને ક્રોધ પેદા થાય તે તમારા પર ક્રોધનું સ્વામિત્વ છે.
આપણે મનુષ્ય નથી, પ્રતિધ્વનિ છીએ. જેવા ધ્વનિ ઊઠે તેવા પ્રતિધ્વનિ આપણે આપીએ છીએ, જે કોઈ ધ્વનિ પ્રમાણે પ્રતિધ્વનિ અર્પે તે ધ્વનિથી પરતંત્ર છે. પરતંત્રને સ્વાનંદ પ્રાપ્ત થતા નથી. મહાવીર, બુદ્ધ, ક્રાઈસ્ટ કર્મ કરે છે; આપણે પ્રતિકર્મ કરીએ છીએ. પ્રતિધ્વનિ કરે છે તે સત્યથી પરિચિત નથી. પ્રતિધ્વનિશૂન્ય થવાય તો સ્વતંત્ર ધ્વનિ પેદા થાય. જે ભાવ પેદા કરો છે. તે બીજાના