SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬. પ્રબુદ્ધ જીવન' તા. ૧૬-૬-૬૫ તો પણ હવે આ પ્રશ્ન અંગે જે કાંઈ કાનૂની જોગવાઈ કરવામાં આવશે તે ઉપર આપેલા ઠરાવના ઢાંચામાં રહીને કરવામાં આવશે. કેંગ્રેસની કારોબારી એટલે ડાહ્યા અને અનુભવી દેશનેતાએની મંડળી. દેશની નાડ તેઓ સમજે છે એટલું બીજા ઓછું સમજે છે એમ આપણે કહી શકીએ. વળી રાજ્યના બધા મુખ્ય પ્રધાને આ ઠરાવને અનુમતિ આપી છે એટલે આ ઠરાવનું વજન ઘણું વધી જાય છે. આમ છતાં પણ આ ઠરાવમાં રહેલી બે મુખ્ય બાબતે (૧) યુનિયન પબ્લિક સર્વીસીઝ કમિશનની પરીક્ષાઓ અંગ્રેજી તથા હિંદી ઉપરાંત પ્રાદેશિક ભાષાઓમાં લેવાશે. (૨) યુનિવસિટીનું શિક્ષણ વહેલામાં વહેલી તકે પ્રાદેશિક ભાષાઓમાં આપવામાં આવશે–આ બન્ને બાબતોના અમલમાં પારવિનાનાં ભયસ્થાને રહેલાં છે એ તરફ દેશના વિચારક વર્ગનું ધ્યાન ખેંચવાનું અનિવાર્ય થઈ પડે છે. યુનિયન પબ્લીક સર્વિસીઝની જના અખિલ ભારતીય ધોરણે કરવા–વિચારવામાં આવી છે, અને તે દ્વારા રાજ્યને તેમ જ કેન્દ્ર સરકારને ઉચ્ચ કોટિના રાજ્યાધિકારીઓ પૂરા પાડવા એ તે યોજના પાછળ હેતુ રહેલો છે. એ પરીક્ષાનું માધ્યમ આજ સુધી અંગ્રેજી રહ્યું છે. સમયની માગ પ્રમાણે તે માધ્યમ અંગ્રેજી અથવા હિંદી બને તેમાં કશું જોખમ નથી. કારણ કે તેમ કરતાં તે પરીક્ષાનું પણ એક સરખું જાળવી રાખવામાં કોઈ અગવડ કે અડચણ આવવા સંભવ નથી. પણ તેનું સ્થાન દેશની પ્રાદેશિક ભાષાઓ લે તે સાથે આવી ઉચ્ચ કક્ષાની પરીક્ષાનું ધોરણ એક સરખું જાળવવાનું શકય જ નહિ રહે, એટલું જ નહિ પણ, તે પરીક્ષામાં પ્રાાવાદ દાખલ થશે, રાજ્ય રાજ્ય ટકાવારી દાખલ કરવાનું અનિવાર્ય બનશે, પરિણામે પરીક્ષાનું અખિલ ભારતીયત્વ નષ્ટ થશે અને અધિકારીઓને એક રાજયમાંથી અન્ય રાજ્યમાં આજે ચાલી રહેલો વિનિમય વધારે ને વધારે મુશ્કેલ બનતો જશે અને દેશને વિભાજિત કરતું એક નવું અનિષ્ટ ઊભું થશે. યુનિવર્સિટીના રિક્ષણમાં માધ્યમ તરીકે પ્રાદેશિક ભાષાને દાખલ કરવા જતાં તત્કાળ તે પાઠય પુસ્તકોના અભાવને સામનો કરવો પડશે, ઉચ્ચ શિક્ષણની એકવાકયતા જેની રક્ષા અંગ્રેજી અથવા તો હિંદી માધ્યમ દ્વારા જ શક્ય છે તે નષ્ટ પામશે, અધ્યાપકો તેમ જ વિદ્યાર્થીઓના વિનિમયને કોઈ અવકાશ જ નહિ રહે અને આજે ગુજરાતના વિદ્યાર્થીની જે દશા થઈ રહી છે—નહિ ઘર અને નહિ ઘાટનોઆવી કમબખ્તી રાજ્ય રાજ્યના વિદ્યાર્થીઓની પેદા થવાનો સંભવ છે. આ રીતે કેંગ્રેસ કારોબારીએ દેશ સમક્ષ રજૂ કરેલ ઠરાવ ભારે ચિન્તા કરાવે તેવે છે અને પુન: પુનઃ વિચારણા અને સંશોધનની અપેક્ષા રાખે છે. મહેમદાવાદના કોંગ્રેસી મીલનની લશ્રુતિ ગયા મે માસની તા. ૨૬ તથા ૨૭મીએ બે દિવસ દરમિયાન મહેમદાવાદ ખાતે ગુજરાત પ્રદેશ કેંગ્રેસ સમિતિની કારોબારી અને સામાન્ય સભાની બેઠકો મળી ગઈ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કેંગ્રેસને મળેલા સખ્ત પરાજ્ય અંગે ઊભી થયેલી પરિસ્થિતિને વિચાર કરવા માટે આ બેઠકમાં ગુજરાતના અગ્રણી કેંગ્રેસી કાર્યકર્તાઓ એકઠા થયા હતા. ગુજરાતના સર્વોચ્ચ નેતા શ્રી મેરારજી દેસાઈએ બધી બેઠકોમાં હાજરી આપી હતી તેમ જ હવે શું કરવું, કેમ આગળ વધવું તે અંગે માર્ગદર્શન પણ આપ્યું હતું. આ સંમેલનને આશય ગુજરાત કેંગ્રેસમાં ઊભી થયેલી જૂથબંધી કેમ દૂર કરવી અને અંદર અંદર તૂટતી જતી એકતાને ફરીથી કેમ સાંધવી અને વહીવટી તંત્રને કેમ વધારે કાર્યક્ષમ બનાવવું તે અંગે વિચાર કરવાને અને પરસ્પર એકદિલી સાધીને મક્કમ પગલાંઓને નિરધાર કરવાનું હતું. આ બેઠક દરમિયાન તીખા તમતમતાં અને ફીક્કા મોળાં એવાં ભાતભાતનાં પ્રવચન થયાં, સામસામે આક્ષેપ અને પ્રતિઆક્ષેપ થયા અને આજની ભારતની વિકટ પરિસ્થિતિમાં સમાજવાદી સમાજરચનાના આદર્શ સાથે કેંગ્રેસ સંગઠ્ઠનને કાર્યસાધક અને અસરકારક બનાવવાના લક્ષપૂર્વક દશ કલમને એક લાંબો ઠરાવ પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે શ્રી મોરારજીભાઈએ ઘણા મુદ્દાઓને સ્પર્શતું અને અમુક પ્રકારની નિખાલસતા દાખવતું પ્રવચન પણ કર્યું. તેમના ઉપર આરપાતી કિન્નાખોરીને તેમણે સદાર ઈન્કાર કર્યો અને તેમના કોઈ પગલામાં કિન્નાખોરી હોવાનું કોઈ પુરવાર કરે તો તેનું પ્રાયશ્ચિત કરવા પોતે તૈયારી દાખવી. આ બેઠકોની વિગતે તે દિવસેના સામયિકોમાં પ્રઝટ થઈ ચૂકી છે. મહેમદાવાદની આ બેઠકોનો આશય ભૂતકાળના વેરઝેર ભૂલી જઈને કેંગ્રેસીઓ વચ્ચે એકદિલી સ્થાપવાને હતા. અને તે અંગે કરવામાં આવેલા ઠરાવ પાછળ પણ એ જ ભાવના રહેલી છે. આમ છતાં પણ આવો કોઈ હેતુ નક્કર પ્રમાણમાં સધાય હોય એમ ગુજરાતનું વાતાવરણ જોતાં લાગતું નથી. મોરારજીભાઈના પ્રવચનને ઝોક “મારામાં નથી કોઈ કિન્નાખેરી, મેં નથી કોઈ જૂથબંધીને ઉત્તેજન આપ્યું. કિન્નાખોરી હોય તો તમારામાંના કેઈકમાં છે; જૂથબંધીનાં તત્ત્વ છે તે તે પણ તમારામાંના કોઈકમાં પડેલાં છે. હું સર્વથા શુદ્ધ છું; ત્રુટી, અશુદ્ધિ તમારી છે.” આવે કઈ અર્થ તારવે તો તે તદ્દન ખોટો છે એમ કહી ન શકાય. જ્યારે કોઈ પણ સંસ્થાના તંત્રમાં વિકૃતિ પેસે છે, મતભેદો ઊભા થાય છે, કિનારી દાખવતી ઘટનાઓ બનવા પામે છે, અને જૂથબંધી પ્રવેશ પામે છે ત્યારે આવી અનિષ્ટ પરિસ્થિતિના નિર્માણમાં સંસ્થાના અંગભૂત સર્વ કોઈ સભ્યોની ઓછી વધતી સીધી યા આડકતરી જવાબદારી હોય જ છે, અને આવી પરિસ્થિતિ ઊભી કરવામાં સાથીઓએ જે ભાગ ભજવ્યો હોય છે તેની જવાબદારી નેતાને શિરે જ રહે છે. જો આ વિચારસરણી બરાબર હોય તે “હું શુદ્ધ અને તમે અશુદ્ધ “ આમ વિચારવાને બદલે, “Holier than thou” એવું વલણ દાખવવાને બદલે, “આવો ભાઈ, આપણે બધા મનને મેલ દૂર કરીને, દિલના હળવા બનીને, કર્તવ્યમાર્ગનું સંશોધન કરીએ. જે સંસ્થાએ આપણને આઝાદી અપાવી છે તે સંસ્થા આજે દિન પ્રતિદિન નબળી પડતી જાય છે. તે માટે આપણે સૌ એકસરખા જવાબદાર છીએ. તમારી નબળાઈ એ મારી નબળાઈ છે અને મારી નબળાઈ એ તમારી છે અને હું કે તમે કોઈ પણ માનવસહજ એક યા બીજી નબળાઈથી મુકત નથી. આપણે ત્યાં જૂથબંધી દાખલ થઈ છે, કિન્નાખેરીને આપણી ઉપર આક્ષેપ કરવામાં આવે છે. આ બાબતમાં એક યા બીજા સામે આંગળી કરવાને બદલે આના જે મૂળ હોય તે આપણે સાથે મળીને છેદી નાંખીએ. આપણે એક વખત કેવળ સેવાલક્ષી હતા. આઝાદી આવ્યા બાદ આપણે સત્તાલક્ષી બન્યા છીએ; ખડતલ જીવનના સ્થાને સુંવાળું જીવન આપણે અપનાવ્યું છે અને ત્યાગને બદલે આપણે ભાગ તરફ વળ્યા છીએ. આ બધી નબળાઈઓ આપણે ખંખેરી નાખીએ અને દેશની સેવામાં, રાષ્ટ્રના ઉદ્ધારકાર્યમાં આપણે બધાં એકાગ્ર બનીએ. જે કાંઈ ખાટું થયું છે તેનું આપણે બધા મળીને પ્રાયશ્ચિત કરીએ.” આવી કોઈ અન્તરલક્ષી અને ઊર્ધ્વગામી ભૂમિકા ઊભી કરવામાં આવી હોત, જૈન પરિભાષામાં કહું તે અન્તર્મુખતાપૂર્વક આવું કોઈ સાંવત્સરિક પ્રતિક્રમણ વિચારાયું હોત, એકમેકના દોષ માટે ખરા દિલથી ક્ષમાભાવની આપલે થઈ હોત તો જુદી જ પરિસ્થિતિ સરજાઈ હોત અને કલેશનાં બધાં વાદળો વિખરાઈ ગયા હોત અને કોંગ્રેસ માટે ઉજળા અને આશાસ્પદ ભાવીનું નિર્માણ થયું હોત. પણ હજુ આ અન્તર્મુખતાનું દર્શન થતું નથી. અહંતા અને તોછડાઈ વડે ગુજરાતનું રાજકારણ દૂષિત બની રહ્યું છે. આમ જનતાને રાજકારણી નેતાઓમાં આત્મીયતાનો અનુભવ થતો નથી. ગાંધી એક વાસ્તવિકતા મટીને દૂર દૂરના ભૂતકાળમાં અગોચર થતા જાય છે. જ્યાં વર્તમાન આવું હોય ત્યાં ભાવી ચિતાજનક બને એ સ્વાભાવિક છે. - પરમાનંદ
SR No.525950
Book TitlePrabuddha Jivan 1965 Year 26 Ank 17 to 24 and Year 27 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1965
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy