________________
૧૮
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-પ-૬૫
શુક્રકોષના (Sperm-cell) મિલન વખતે જ નક્કી થઈ જાય છે.
અંડકોષના ફલનમાં જો બે એકસ લિંગસૂત્ર (2x-sex chromosomes) સાથે આવે તે ગર્ભને વિકાસ સ્ત્રીમાં પરિણમે છે; અને એકસ વાઈ લિંગસૂત્રો (X-y-sex-chromosomes) સાથે આવે તો ગર્ભને વિકાસ પુરુષમાં પરિણમે છે. જો કોઈ પણ કારણસર ઉપર જણાવેલાં લિંગસૂત્રોની સંખ્યામાં ફેરફાર થાય તો શરીરની અંદર આવેલી જનનેન્દ્રિયનું નિર્માણ થવામાં ફેરફાર થઈ શકે અને ગર્ભમાં કદાચ બન્ને પ્રકારની અંદરની જનનેન્દ્રિયો એટલે કે વૃષણ (testis) અને અંડપિંડ (બીજાશયovary) નું એકી સાથે નિર્માણ થવા પામે છે. બન્ને પ્રકારની જનનેન્દ્રિયો ધરાવતી આવી વ્યકિતને ટ્રિલિંગી (hermaphrodite) કહેવામાં આવે છે. વળી આવી ટ્રિલિંગ વ્યકિતઓ કાર્યક્ષમ શુક્રકોષે અને અંડકોષોને ઉત્પન્ન કરી શકે છે. પણ આવા પ્રકારનું પ્રિલિંગીપણું મનુષ્યની બાબતમાં ભાગ્યે જ જોવા મળે છે.
શરૂઆતમાં વર્ણવેલા કિસ્સાઓમાં શરીરની અંદર આવેલી જનનેન્દ્રિય (એટલે કે વૃષણ અથવા અંડપિંડ) અપૂર્ણ વિકાસ પામેલી છે; જ્યારે બન્ને પ્રકારની સ્ત્રી અને પુરુષની બાહ્ય જનનેન્દ્રિયો (પુરુષમાં શિશ્ન અને વૃષણ કોથળી અને સ્ત્રીમાં યોનિહાષ્ટો અને એનિમાર્ગ) બન્ને દેખાય છે. અને તે પણ સામાન્ય હોય તેના કરતાં કદમાં નાની હોય છે, વળી આવા દાખલાઓમાં તેમના દ્રિતીય જાતીય લક્ષણો (સેકંડરી-sexual characters) જેવાં કે દાઢી, મૂછ, સ્તન, અવાજ વગેરે પણ વચલા વળનાં (ન તે પુરેપૂરાં પુરુષનાં કે ન તે પૂરેપૂરાં સ્ત્રીનાં) હોય છે. આ પહેલા કિસ્સામાં રિચઝની શરૂઆતની જિંદગીમાં તેને અલ્પ વિકસિત પુરુષની બાહ્ય જનનેન્દ્રિો સ્પષ્ટ રીતે હતી. એટલે તેની ગણના પુરુષમાં કરવામાં આવી. કદાચ તેના અંડપિંડ (ovary) પણ અસલની જગ્યાએથી સ્થાનભ્રષ્ટ થઈ નીચે ઊતરી આવ્યા હોય તે તેઓ વૃષણ તરીકે ગણાવાને સંભવ છે.
“આવી જાતનાં લક્ષણો હોવાનું કારણ તેને પાંચ વર્ષની વયે થયેલા સ્પાઈનલ મેનેજાઈટીસને લીધે હોર્મોન્સના પ્રમાણમાં થયેલ ફેરફાર હતે. અમુક ઉંમર પછાં તેનામાં જાતીય પરિવર્તન થતું જોવામાં આવ્યું એનું કારણ માત્ર એ છે કે તે વખતે તેના અંડપિંડમાંથી અને શરીરમાં આવેલી બીજી અંતઃસ્ત્રાવી ગ્રન્થિઓ (ductless glands)માંથી એસ્ટ્રોજન હોર્મોન્સ (estrogen hormones) ને સ્ત્રાવ વિશેષ પ્રમાણમાં થવાથી તેનામાં પુરુષનાં બાહ્ય જાતીય લક્ષણે દબાઈ ગયાં અને સ્ત્રીનાં સર્વ જાતીય લક્ષણે વધારે સ્પષ્ટ થવા માંડ્યાં, જેથી તે પુરુષમાંથી સ્ત્રીના સ્વરૂપમાં ફેરવાતા હોય એવું જણાયું.
બીજો એલિઝાબેથને સ્ત્રીમાંથી પુરુષમાં પરિવર્તન પામવાને પહેલાં કરતાં વિરુદ્ધનો કિસ્સો છે, જ્યારે ત્રીજો કિસ્સો પહેલા જેવો જ છે; જેનાં કારણે પણ ઉપર જણાવ્યા પ્રમાણે છે.”
અંતમાં ફરીથી સ્પષ્ટ કરવાની જરૂર છે કે મનુષ્યમાં એક વખત જાતિનું નિર્માણ થયા પછી તેને કોઈ પણ કાળે વિરુદ્ધ જાતિમાં ફેરવી શકાતી નથી પણ રોગિષ્ટ સ્થિતિમાં અથવા બીજાં કોઈ પણ જનીની કારણો (jenetic-reasons)ને લીધે માત્ર તેની જાતિનાં બાહ્ય લક્ષણોમાં જો કાંઈ વિરુદ્ધપણું જણાતું હોય તે ફકત તેમાં જ (gonadotrophic hormones) Sulaj 404 YHUSU જાળવવાથી પરિવર્તન થઈ શકે છે. વળી સ્ત્રીમાં સ્તનને અને ગર્ભાશયને વિકાસ એવા વિશિષ્ટ પ્રકારની છે કે તેને લીધે પણ જાતીય પરિવર્તન અશકય બને છે. લેખનાં પ્રારંભમાં જણાવ્યું છે તે પ્રમાણે, કુદરતની યોજના અને નિયમોમાં કવચિત કોઈ વાર ભૂલ થઈ જાય છે. તે હકીકત ઉપરના કિસ્સાઓમાં પુરવાર થઈ ગઈ છે. ૪૦૦ - ૫૦૦ વર્ષ પહેલાં એક ફારસી કવિ ઉમ્મર ખય્યામે માટલાંની એક દુકાનમાં એક બેડોળ માટલાને કહેતા સાંભળેલું કે ‘શું - ઈશ્વરને હાથ. હાલી ગયો હશે?’
આ પ્રશ્નનો ઉત્તર હકારમાં છે. (“સમાજદર્પણ” માંથી સાભાર ઉદ્દધૃત) . સુમન્ત મહેતા
સુકી ધરતીનાં મીઠાં સ્મરણ-૫
- શુક્રવાર, તા. ૧૨-૨–૬૫
ગાંધીધામ ભણી આજે સવારે અમને અહિના ‘કચ્છ મિત્ર’ કાર્યાલયના મેનેજર શ્રી જમનાદાસ પ્રેમચંદ શાહને ત્યાં ચાહ - નાસ્તા માટે નિમંત્રણ હતું. એટલે સવારનું નિત્યકર્મ પતાવીને અમારી નજીકમાં આવેલા તેમના નિવાસસ્થાન ઉપર અમે સૌ ગયા અને તેમના મકાનની અગાસીમાં બધાં એકઠાં થયાં. આકાશમાં સૂર્ય ઊંચે ચઢી રહ્યો હતો અને તેને તડકો તથા પ્રકાશ ચોતરફ ફેલાઈ રહ્યો હતો. આમ છતાં શિયાળાની ઠંડી હજુ ચાલુ હતી અને તેથી આ તડકો મધુર લાગતો હતો. જમનાદાસભાઈ સાથે અમારો તે કશો સંબંધ હતો જ નહિ. પરમાનંદભાઈ સૌરાષ્ટ્ર ટ્રસ્ટના, એક ટ્રસ્ટી અને અહિનું ‘કચ્છ મિત્ર' સૌરાષ્ટ્ર ટ્રસ્ટ સંચાલિત એક દૈનિક પત્ર એ નાતે પરમાનંદભાઈને તેમની સાથે અમુક સંબંધ ગણાય. એમ છતાં તેમણે અમને બધાને ખૂબ ભાવથી પિતાને ત્યાં બોલાવ્યા અને તાજા જલેબી, ગાંઠિયાને અમને નાસ્તો કરાવ્યો જે અમો સર્વ પ્રત્યેના તેમના દિલના ઉમળકાનું સૂચક હતું. આ પ્રસંગ ઉપર ‘કચ્છ મિત્ર' સાથે જોડાયેલા ફોટોગ્રાફરને પણ તેમણે બોલાવેલા અને અમારી આખી મંડળીની છબી લેવડાવેલી, જેને બ્લોક આ લેખના છેડે છપાયેલ છે. તેમનાં વૃદ્ધ માતુશ્રી આશરે ૮૦ વર્ષનાં તે ભાવનગરનાં હોઈને પરમાનંદભાઈના પિતાશ્રીને અને તેમના કુટુંબને સારી રીતે જાણતાં હતાં. તેમણે પણ અમને બહુ વાત્સલ્યથી આવકાર્યા અને એક કુટુંબ જેવો સૌને અનુભવે થયે.
અહીં ચાહ - નાસ્તો પતાવતાં લગભગ આઠ વાગવા આવ્યા હતા. અગિયાર વાગ્યા લગભગ અમારે ગાંધીધામ તરફ રવાના થવાનું હતું. ભુજમાં રાત તે બે ગાળી, પણ ભુજ તળમાં તો અમે કાંઈ જોયું જ નહોતું. અને ભુજમાં ખરીદી કરવા જેવું પણ ઘણું હતું. સૂડી, ચપ્પ, કાંસાનાં વાસણો, બાંધણી વગેરે. આ માટે સમય બહુ ઓછા હતા. એમ છતાં મારી જેવા કેટલાંક ભાઈ - બહેને ભૂજની બજારમાં ખરીદી કરવા ઉપડયા. બીજા કેટલાક ભૂજમાં જોવા લાયક સ્થળો જોવા ઉપડયા. આમ બે ત્રણ કલાક જોતજોતામાં પસાર થઈ ગયા પણ ખરીદનારા ખરીદીથી ધરાયા નહિ અને જોવા લાયક સ્થળ જોનારાને કેટલુંય બાકી રહી ગયું. આખરે નક્કી કરેલા કાર્યકમ મુજબ અમારી સવારી લગભગ ૧૧-૩૦ વાગ્યે ભુજથી ગાંધીધામ તરફ રવાના થઈ.
ભુજથી ગાંધીધામ ૩૮ માઈલ દૂર હતું. રસ્તામાં અંજાર આવ્યું. અમારા કાર્યક્રમમાં અહિ રોકાવાનું નહોતું. એ બાબતનું અમારા મનમાં જરા દુ:ખ રહી ગયું. કારણ કે અંજાર કચ્છનું એક મુખ્ય નગર છે, વળી થોડાં વર્ષ પહેલાં ત્યાં ધરતીકંપ થયેલ તે કારણે અંજાર તારાજ થઈ ગયેલું અને પાછું ભારત સરકારની વિપુલ મદદ વડે, નવું રૂપ ધારણ કરેલ અંજાર અમે જોયું. આ અંજારમાંથી પસાર થતાં
જ્યાં ત્યાં નવા મકાને નજરે પડે છે અને કેટલાક મકાનમાં ધરતીકંપની ચીરાડો પણ દેખાય છે. આ રીતે અંજાર શહેર જુના-નવાના વિચિત્ર મિશ્રિણ જેવું લાગે છે. અંજાર બીજી રીતે પણ જાણીતું છે. * અહિ દંતકથા પ્રસિદ્ધ જેસલ – તોરલની સમાધિ છે. આ સમાધિનજરે
જોવાની અમારામાંના ઘણાના મનમાં તીવ્ર ઈચ્છા હતી પણ તે ઈચ્છા મનની મનમાં રહી ગઈ. ધીમે ધીમે ચાલતી બસમાં બેઠાં બેઠાં અમે અંજાર પસાર કર્યું અને બસની બારીમાંથી જોવાય તેટલું જોઈને સંતોષ માન્ય.
અંજાર વટાવ્યા બાદ રતનાલ નામનું રેલ્વે સ્ટેશન આવ્યું. આ અંગે અમને એમ જણાવવામાં આવ્યું કે આ સ્ટેશનથી સ્વ. પંડિત નેહરને નવું વસાવવામાં આવેલ ગામ ‘જવાહરનગર’ નું ઉદ્દઘાટન કરવા માટે લઈ જવામાં આવ્યા હતા. ત્યાં જતાં રસ્તામાં પંડિતજી જીપ ગાડીમાંથી ઉથલી પડયા હતા અને તે
જયાં પડેલા તે જગ્યા ઉપર એમની સ્મૃતિ કાયમ કરવા માટે એક નાનું સ્મારક ઊભું કરવામાં આવ્યું છે અને એ સ્મારકમાં માત્ર બે જ