SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ રજીસ્ટર્ડ ન × ૪૨૬૬ વાર્ષિક લવાજમ રૂા. ૪ प्रम भवन પ્રભુ ‘પ્રમુદ્ધ જૈન ’તું નવસંસ્કરણ વર્ષ ૨૧: અંક ૨૧ મુંબઈ, માર્ચ ૧, ૧૯૬૦, મંગળવાર આફ્રિકા માટે શીલિંગ ૮ este - Ese E - તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા * શ્રી સુઈ જૈન યુવક સંઘનુ પાક્ષિક મુખપત્ર છુટક નકલ : નયા પૈસા ૨૦ સંકીણ તામાંથી વિશાળતા તરફ (ભારત જૈન મહામંડળના અધિવેશન દરમિયાન પ્રમુદ્ધ જીવનના ગતાંકમાં પ્રગટ કરવામાં આવેલ નિવેદનાત્મક પ્રસ્તાવ અંગે શ્રી. “પરમાનંદ કુંવરજી કાપડિયાએ તથા શ્રી. ચીમનલાલ ચકુભાઇ શાહે કરેલાં વિવેચના નીચે ક્રમશ : આપવામાં આવે છે. તંત્રી) સ્થાન નથી. એવા એક વિશાળ જૈન ધર્મની કલ્પના, આજના જાગૃત, વિચારક અને ભાવનાપરાયણ એવા જે જૈન સમાજના વર્ગ છે તેના ચિત્તને, વધારે ને વધારે આકષી રહી છે, આવરી રહી છે. આ રીતે ભારત જૈન મહામંડળને પતાનું કાય. આગળ ધપાવવા માટે પ્રેત્સાહક વાતાવરણની ચેતરમ્ ઠીક ઠીક, જમાવટ થઇ રહી છે. છેલ્લાં પચ્ચાસ વર્ષના લાંબા ગાળા ઉપર નજર કરતાં માલુમ પડે છે કે જૈન સમાજને એકતાની ભૂમિકા ઉપર સુગ્રથિત કરવા માટે આજના જેટલી અનુકુળતા પહેલાં ભાગ્યે જ હતી. સમયની ગતિ માનવીને સંકીણ તામાંથી વિશાળતા તરફ લઇ જઇ રહી છે. હુ· મારા પાતા વિષેનો ખ્યાલ રજુ કરૂ તો કહી શકું તેમ છુ કે હું બહુ નાના હતા ત્યારે જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક સમુદાય અને તેની વિશિષ્ટ માન્યતાએ જ મારા ચિત્તમાં કેન્દ્રસ્થાને હતી. આ માન્યતા એ જ ખરા જૈન ધર્મ અને તેને સ્વીકારનારા અને અનુસરનારા એ જ ખરા જૈના – આવું મારા મનનું એ વખતે પાકું વલખ્યુ હતું. ઉમ્મર અને સમજણુ વધતાં જૈન સમાજના અન્ય ફ્રિકાના અસ્તિત્વના અને શ્વે. મૂ. સપ્રદાયથી જુદી પડતી તેમની કેટલીક માન્યતાઓને વધારે સચોટ ખ્યાલ આવવા માંડયા અને તેમની વિશેષતા મનને સમજાવા લાગી. આમ છતાં જે ફિરકા સાથે મારો જન્મજાત સબધ હતેા તેનું અને તેની માન્યતાઓંનુ અન્યથી ચડિયાતાપણું મારા મનમાં સ્થિર થયેલુ. તે ખસતું નહેતું. વધતા જતા અવલોકન, અનુભવ તથા ચિન્તનના પરિણામે ધીમે ધીમે આ ચડિયાતા—ઉતરતાપણાના ખ્યાલ એસરવા લાગ્યા અને અનેકાન્તલક વિચારણાથી માન્યતાભેદોનું નિરાકરણ થવા વાગ્યું. આમ આગળ વધતા સમાન્તરે માન્યતાભેદોનું મહત્ત્વ મનમાંથી સરવા લાગ્યું, અને આખા જૈન સમાજને એકત્ર કરતી સસામાન્ય જૈન વિચારસરણી ઉપર મન વધારે ને વધારે કેન્દ્રિત થવા લાગ્યું આને પરિણામે મનમાંથી આ શ્વેતાંબર મૂર્તિપૂજક, દિગંબર મૂર્તિપૂજક, આ સ્થાનકવાસી કે તેરાપથી એમ અન્યાન્યને ભેદભાવથી જોવાની દૃષ્ટિ લગભગ એગળી ગઈ. માનસિક વિકાસની આ જ ચરમસીમા છે એમ કાઈ માની ન લે. આ પછીનાં પણ સેાપાન છે. દા. ત. સધમ સમભાવ અને એથી આગળ વધતાં લેાકમાન્ય સર્વ ધર્માંથી ઉપરની-ધર્માંતીત-દૃષ્ટિ. પણ અહિં એ વિચારણા પ્રસ્તુત નથી. સામાન્યતઃ મે મારા પોતાના જે માનસિક વિકાસનું નિરૂપણ કર્યું તે જ વિકાસક્રમ જે પેઢી સાથે મારા સબધ રહ્યો છે, તે પેઢીના વિચારક વગ માં લગભગ સત્ર જોવામાં આવે છે. આજે દરેક ધર્મના વિચારપરાયણ અનુયાયી પોતપોતાના ધર્મના સાંકડા સ્વરૂપની મર્યાદામાંથી નીકળીને પોતાના જ ધમ ના વિશાળ સ્વરૂપ તરફ ગતી કરી રહ્યો છે; પેટા સંપ્રદાયાની સીમા છેડીને સંપ્રદાયના ગર્ભ માં રહેલા વિશાળ ધમ તત્ત્વના સ્વીકાર તરફ જઇ રહ્યો છે. આ ગતિસંચાર જેટલા જૈનધમના અનુયાયીને લાગુ પડે છે તેટલે જ હિન્દુ કે ખ્રિસ્તી ધર્મના અનુયાયીને પણ લાગુ પડે છે. આ રીતે શ્વેતાંબર, દિગંબર કે સ્થાનકવાસી એવા ભેદભાવ વિનાના વિશાળ જૈન સમાજની અને સાંપ્રદાયિક માન્યતાબેને જેમાં કાષ્ટ મહત્ત્વનું 5 દાહ એક ખીજી પણ બાબત ભારત જૈન મહામંડળને ઉત્તેજિત કરે તેવી નજર સામે આવી રહી છે. આજથી ચાલીશ પચ્ચાસ વર્ષ પહેલાં અહિંસા યિષેની સમજુતી અને તેની ઉપયોગીતા વિષેના ખ્યાલ અત્યન્ત મર્યાદિત હતા. અહિંસાનું તત્ત્વ તે સીધી કે આડકતરી રીતે, ઓછા કે વધતા અ ંશે, સર્વ ધર્માંમાં સ્વીકારાયલુ જોવામાં આવે છે, એમ છતાં પણ, અહિંસાને વિચાર જાણે કે કેવળ જૈન ધર્મની જવાબદારીના હોય અથવા તે અહિંસાના તત્ત્વ સાથે કેવળ જૈન ધમને જ સ ંબધ હાય અને ખીજા મેનેિ અહિંસા સાથે જાણે કે કશી લેવાદેવા ન હેાય–આવી એક માન્યતા આપણા દેશમાં તેમ જ અન્યત્ર પ્રસરેલી હતી. આજે ગાંધીજીના પ્રતાપે અહિંસા એક વિશ્વવિચાર બની ગયા છે અને એ વિચારનું ચેાતરફ ભારે મેટા પાયા ઉપર ખેડાણ થઇ રહ્યું છે. અહિંસાતત્ત્વનેા આવે વ્યાપક સ્વીકાર જૈન ધર્માં તેમ જ જૈન ધમી એ માટે અસાધારણ ગૌરવનો વિષય બની શકે છે. આવી જ રીતે જૈન ધર્મના પાયામાં રહેલા ખીજા એ “વે તેકાન્ત અને અપરિ ગ્રહ પણ આજે વધારે તે વધારે સ્વીકૃત બની રહ્યા છે. આજે સહઅસ્તિત્વના વિચાર ઉપર ખૂબ ભાર દેવામાં આવે છે; સવધર્માં—સમભાવની ભાવના ફેલાતી ચાલી છે. આ સહઅસ્તિત્વ, આ સવ ધમ સમભાવ અનેકાન્ત તત્વનાં જ સ્વરૂપો છે. વળી આજતે સમાજવાદ કે, સામ્યવાદ અપરિગ્રહના વિચાર તરફ દુનિયાનાં લકાને ધસડી રહ્યો છે. આજે દુનિયા જે કટાકટીમાંથી પસાર થઇ રહી છે અને પરિણામે રખેને ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળશે એવા ભણકારા જગતના લકાને ભડકાવી રહ્યા છે .તેમાંથી બચવાને એક જ ઉપાય છે કે જગતના લેકે અહિંસા, અનેકાન્ત તથા અપરિગ્રહ તરફ વધારે ને વધારે વળે અને ઢળે. આ રીતે જૈન ધનાં જે પાયાનાં તવા છે તેને ફેલાવા કરવા માટે ભારત જૈન મહામડળ જેવી સંસ્થાઓને એક મહાન તક સાંપડી છે. જો ભારત જૈન મહામંડળના ધ્યેયને સફળ બનાવવું હોય તેા જે જૈન વિચારસરણી બધા જૈતાને માન્ય છે, અને બધા જૈનાને સાંકળનારી કડી છે તે ઉપર આપણુ સર્વાનુ` ચિત્ત કેન્દ્રિત બનવુ' જોઇએ. સાકાર પૂજા કે નિરાકાર પૂજા, સ્મૃતિ નગ્ન કે કચ્છવાળી, સાધુઓનુ નગ્નત્વ કે વસ્ત્રધારીત્વ અથવા તે મુહુપત્તી મેઢે બાંધવી કે હાથમાં રાખવી – આ બધી પ્રક્રિયા આખરે
SR No.525945
Book TitlePrabuddha Jivan 1960 Year 21 Ank 17 to 24 and Year 22 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1960
Total Pages254
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy