SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુ જરૂર વધી જાય છે. સાધારણ અને ગરીબ માણસે। માટે આ સગવડ અનેક દૃષ્ટિએ ભારે રાહતરૂપ છે. તા. ૧૬-૧૧-૦ આ નોંધ લખવા હું કેમ પ્રેરાયા તે પ્રસંગ અહીં' આપું તે અનેકને માટે કદાચ તે માદક બનશે, મારા બનેવીનુ થેાડા દિવસ પર અવસાન થયું. ખબર પડી કે તરત જ અમે બધાં સગાવહાલાં તેમના ઘેર એકઠાં થયાં. મારા મનમાં વિચાર તે આવ્યા કે મારા અનેવીને ગાડીમાં લઇ જઈએ અને વીજળીથી તેમના અગ્નિસસ્કાર કરીએ તે સારું, પણ ધરમાં કુટુંબમાં વડિલના સ્થાને માત્ર મારી બહેન અને તેને આ વાત સૂચવાય કેમ? કોઈ બીજી બાબત અંગે હું તેની પાસે ગયા, એટલે તેને જવાબ આપીને સાથે સાથે જણાવ્યું કે મારે આમને નનામીમાં બાંધીને નથી લઈ જવા. તેમને ગાંડીમાં જ લઈ જા અને ત્યાં પણ વીજળીથી જ તેમને અગ્નિસંસ્કાર કર એવી મારી ઋચ્છા અને આગ્રહ છે. અને આ એટલા માટે કહુ છું કે આપણે જો આવા ફેરફાર કરીશુ તે સાધારણ માણસા આપણુ અનુકરણ કરશે. જૂની રીતે ચાલવા જતાં સાધારણુ માણસાને મુખ જેવા શહેરમાં કેટલે ત્રાસ અને હાડમારી પડે છે તેની મને ખબર છે.” વણપૂછયે બહેને પોતે જ આ પ્રમાણે પેાતાની ઇચ્છા દર્શાવી એટલે મારેા માર્ગ સરળ થઇ ગયા અને તે મુજબ બધી વ્યવસ્થા કરી અને પાર પાડી અને સ્મશાનયાત્રામાં આવેલા સૈા કાને આ ફેરફાર બહુ ગમ્યો. તરતમાં જ પતિવિહોણી ખનેલી ખહેને આ ખાખતમાં આટલી જાગૃતિ અને હિંમત દેખાડી, તેથી તેના વિષેના મારા આદરમાં વૃદ્ધિ થઈ, આ ઘટનાનેા અહીં હુ એટલા માટે ઉલ્લેખ કરુ છુ કે જ્યારે પણ નજીકના કુટુંબમાં આવી કોઇ દુધટના અને ત્યારે મારી બહેનને દાખલે આપીને પણ લાગતાવળગતા શબ્દવ્યવસ્થાને લગતી જંગલી પ્રથા તેાડીને આપણી સભ્યતા અને સંસ્કૃતિને ગૌરવ આપે એવી આ નવી પ્રથાને અપનાવે. સફળ સમુદ્રવિહાર શ્રી મુંબ જૈન યુવક સંધ તરફથી તા. ૪-૧૧-૬૦ શુક્રવારના રાજ સેજવામાં આવેલ સમુદ્રવિદ્વાર ધાર્યા મુજબ સફળ થયા હતા. આ સમુદ્રવિહારના ૩૦૦ ઉપર ભાઇબહેન તથા બાળકોએ લાભ લીધા હતા. રાત્રિના ખરાબર આઠ વાગે ‘શાભના’ સ્ટીમર ગેઇટ વે ઓફ ઇન્ડિયાના કિનારેથી ઉપાડવામાં આવી હતી. વદ ૧ના ચંદ્રત થોડા સમય પહેલાં પૂ દિશામાં ઉદય થયા હતા અને તેના પ્રકાશ સમુદ્રના વિશાળ પટ ઉપર પથરાઇ રહ્યા હતા. સ્ટીમરમાં માઇક અને લાઉડસ્પીકરની ગાઢવણુ રાખવામાં આવી હતી. ઇડલી અને આઇસક્રીમના ઉપાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી. સમય જતાં દરિયા ઉપર ચાંદની ચેતરફ્ પથરાઇ ચૂકી હતી અને આંખાને અવણુ નીય આનંદથી પલ્લવિત કરતી હતી. દરિયે અત્યન્ત શાન્ત અને સ્વસ્થ હતા અને તેથી સૌ કાઇ આ નૈકાવિહારને પ્રસન્નતાપૂર્વક માણી શક્યું હતું. માઇક ઉપર ગાનતાનની રેલમછેલ ચાલી રહી હતી, પણ તેને ધોંધાટ દરિયાની શાન્તિ માણવા ઇચ્છતા પ્રવાસીને કર્દિ કર્દિ ત્રાસરૂપ ખની જતા હતા. ઉપાહાર પૂરતા પ્રમાણમાં હોવા છતાં કેટલાક ભાઇ બહેનેાએ જરૂરી વિવેક મર્યાદા જાળવી નહિ, જેના પરિણામે થોડાંક ભાઇબહેનને એ વિના ચલાવવું પડયુ હતું. સ્ટીમરમાં ઉપર નીચે બધે કરવા બેસવાનું સ્વાતંત્ર્ય મળવાથી બાળકા તા જ્યાં ત્યાં ઉપર નીચે ઘુમ્યા કરતાં હતાં અને મોટી ઉમ્મરનાં ભાખહેને પણ પોતપોતાને ગમે તેવા સ્થાને દરિયા અને ચાંદની માણી શકતાં હતાં. આઠ વાગ્યે સ્ટીમર ઉપડેલી તે જોતજોતામાં નવ વાગ્યા, જીવન દશ વાગ્યા અને અગિયાર વાગવા આવ્યા. આન કલ્લેાલમાં સમય કેમ પસાર થયા તેની ખબર પડી નહિ અને સ્ટીમર જ્યારે કિનારાને સ્પર્શીને ઊભી રહી ત્યારે જે દુનિયાથી છૂટા પડીને અલૈકિક સૃષ્ટિમાં ત્રણ કલાક વિચરી રહ્યા હતા તે દુનિયા વિષે સૈા સભાન બન્યા અને સ્ટીમર છેાડવી ન ગમતી હોય એ પ્રકારની જરા ભારે હૈયે સૈાએ જળની દુનિયા છોડીને સ્થળની દુનિયામાં પદપ્રવેશ કર્યા. મેલી વિદ્યાને પડકાર તા. ૨૩-૧૦-૬૦ના 'જન્મભૂમિ'માં નીચેના સમાચાર પ્રગટ થયા હતા : “રાજકોટ, તા. ૨૨: કાળી ચૌદસની ૧૯ મીની રાત્રે ખાખરેચી ગામના સ્મશાનમાં લગભગ બે હજાર માણસેાની હાજરીમાં ભુતપ્રેતને આહવાન કરી શકતી મેલી વિદ્યાનું પારખું કરવાને રસપ્રદ બનાવ બન્યા હતા. ૧૪૩ લાદેશના મનમાંથી મેલીવિદ્યા પરત્વે અંધશ્રદ્ધા નાબૂદ કરવા માટે ખાખરેચી ગામના સરપચે ભૂવા ભરાડી અને દ્વારા ધાગા કરનારા તાંત્રિકાને ખુલ્લા પડકાર કર્યાં હતા અને મેલી વિદ્યાની સચ્ચાઇ પુરવાર કરનારને રૂપિયા ૫૧તુ ઇનામ આપવાનું જાહેર કર્યું" હતું. આ પડકાર ઝીલી લેવા માટે માતાજીના ભૂવા, વાધરીના ભુવા અને ડાકલાં વગાડનારા રાવળિયા ખાખરેચી ગામે આવ્યા હતા. સરપંચ પતે રીતસર ઠાઠડીમાં સુઇ ગયા હતા. તેમને સ્મશાનમાં લઇ જવામાં આવ્યા હતા. ભૂવાએએ ત્યાં એ હજાર લેાકાની હાજરીમાં મુડ મારી હતી, અડદના મંત્રેક્ષા દાણા નાખ્યા હતા અને તલવારથી લીસેાટા તાણ્યા હતા અને એવુ જાહેર કર્યુ હતુ કે હવે આ સરપ ંચ કોઇ કાળે પણ બેઠા થઇ શકશે નહીં, સીધા ભગવાનને ત્યાં પહોંચી જશે, એ સાંભળીને તુરત જ સરપંચ બેઠા થઇ ગયા અને કહેવાતી મેલી વિદ્યા કેવી ખાટી છે તે તેમણે સિદ્ધ કરી ખતાવ્યુ હતુ.” મેલી વિદ્યાને પહેલાં પણ રાજકોટ કે એ બાજુએ આવે પડકાર કરવામાં આવ્યેા હતા. આપણા લેાકાનાં મન જાત જાતના વહેમ અને તેમાંથી પેદા થતા તરેહ તરેહના ભયાથી અભિભૂત છે. તેને વહેમમુક્ત તેમ જ ભયમુક્ત કરવા માટે આવાં મથકોએ ખુલ્લા પડકાર ફેંકાતા રહેવાની ખૂબ જરૂર છે. આવી જ જરૂર ચભકારના નામે લેાકાની જે ચેતરફ છેતરપીંડી ચાલી રહી છે અને પવિત્રતાના નામે જે દંભ અને પાખંડનાં નાટકો ચાલી રહ્યા છે તે સામે પણ જાહેર પડકાર ફેંકવાની અને જૂઠ્ઠાણાંને ખુલ્લાં પાડવાની છે. આમ કર્યા સિવાય લાકનું ભોળપણ અને અંધશ્રદ્ધા ખીજી કોઇ રીતે દૂર થઇ શકે તેમ નથી. પાનદ વિષયસૂચિ થોડાંક સ્ફુરણા નવા વર્ષ तमसो मा ज्योतिर्गमय ખ્રિસ્તી ધગુરુ નિર્માણુ કરવા માટેની કોલેજ ‘પાગલપ્રેમી'ને મળતા ખીજા એ કિસ્સાઓ આત્મશુદ્ધિનું સત્ર પ્રકીર્ણ નોંધ : શ્રી મહાવીર જૈન વિદ્યાલયે હાથ ધરેલુ આગમપ્રકાશનકાર્ય, શુખની અંતિમ સંસ્કારવિધિ અને આજનુ શહેરી જીવન, સળ સમુદ્રવિહાર, મેલી વિદ્યાને પડકાર... પાગલપ્રેમી પાછળની સમસ્યાનું વિશ્લેષણ લીના મંગળદાસ બહેન ભાનુ ઝવેરી નટવર મ. દવે પૃષ્ઠ ૧૩૫ ૧૩૫ ૧૩૫ . . રેવ. ફાધર ડી. ફેરાન્ડા ૧૩૯ રવિશંકર મહારાજ ૧૩૮ બબલભાઈ મહેતા ૧૩૯ પરમાનંદ ૧૪૧ પરમાનંદ ૧૪૪
SR No.525945
Book TitlePrabuddha Jivan 1960 Year 21 Ank 17 to 24 and Year 22 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1960
Total Pages254
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy