SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ પ્રભુ જીવન અપાર ધૃતિનું હૃદયસ્પશી દેશ ન (એક સત્ય ઘટના) (આજે આપણા જીવનમાંથી જેને આપણે આધ્યાત્મિક વૃતિ કહીએ છીએ તેનો લેપ થઇ રહ્યે છે. સુખ આવે છે ત્યારે આપણે ઉન્મત્ત બની જઇએ છીએ અને દુઃખ આવે છે ત્યારે અત્યન્ત વિહ્વળ અને વિકલ ની જઇએ છીએ. આવી વર્તમાન પરિસ્થિતિમાં અણુકલ્પી અને આત્યન્તિક એવી વિપત્તિના પ્રસ ંગે કાઇ એક વ્યક્તિ વિવલ તેમજ વિકલ બની ન જતાં ચિત્તનું સમàાલપશુ અને ધર્ય દાખવતી માલુમ પડે છે તેા તે જોમ જાણીને આપણને વિસ્મય થાય છે અને તેમાંથી આપણને મળની પ્રેરણા મળે છે, આવી એક ઘટના એક બહેને માકલેલા જાતઅનુભવના વર્ષોંનમાંથી આપણને જાણવા મળે છે. પ્રસ્તુત ઘટના તેમણે નીચે મુજ” વર્ણવી છેઃ તંત્રી) જોઇને કોઇ પણ પ્રસન્ન થાય એવા એમને મૂખપૂ, પ્રેમસભર સસાર હતા. શાંતાબ્ડેન અને ધીરૂભાઈ વચ્ચે એટલેા મનમેળ હતા કે એમના શાંત પ્રસન્ન દામ્પત્યની મધુર છાયા રાતરાણીની સુવાસ જેમ આખા કુટુમ્બમાં પ્રસરી રહી હતી. શાંતિ ને સંતાથી વન' વટાવી રહેલા આ પતિપત્ની વચ્ચે ભાગ્યે જ મનદુઃખ થયાં થશે. શાંતાબ્ડેનને ધીરૂભાઇ માટે અનન્ય ભક્તિ હતી, અને ધીરૂભાઇ પણ એવા જ પ્રેમાળ હતા. એમનાં સંતાને પણ તેજસ્વીતા પૂર્વક અભ્યાસ પૂરો કરીને જીવનમાં ગવાતાં જતાં હતાં. મારા દીકરા ગિરીશ અહિં 'એન્જિનિયરીંગની પરીક્ષામાં પ્રથમ વર્ગમાં આવીને અમેરિકા અભ્યાસ કરવા ગયા હતા. આમ બધાં વાઘાના સંવાદી સહકારથી જામતા વાદ્યવૃંદ જેવુ એમનું સુરિ વન હતું. વળી શાંતાબ્ડેન અને ધીરૂભાઇ એઉનાં દૃશ્ય ધનિષ્ઠ હોવાથી એ સહજીવનમાં એક પ્રકારની સાત્વિકતા વ્યાપી રહી હતી. આટલી મેાટી ઉમ્મરે પણ શાન્તાબહેન પૂરી શ્રદ્ધા અને જ્ઞાનપિપાસાથી ધર્મ સાહિત્યના અભ્યાસ કરી રહ્યાં હતાં. ધીરૂભાઇની ધશ્રદ્ધા પણ ઓછી ન્હાતી. પર્યુષણ પર્વ દરમિયાન સાંજના સમયે આસપાસના લોકો એમને ઘેર પ્રતિક્રમણ કરવા આવે એવી વધેર્યાંથી એક પરંપરા ગાઠવાયેલી હતી. જે દિવસની ઘટના અહીં પ્રસ્તુત છે તે દિવસની સાંજે પ્રતિક્રમણની તૈયારી થઇ રહી હતી. એ પષને પ્રથમ દિવસ હતો એટલે ધીરૂભાઇએ ઉપવાસ કરેલેા. હાથમાં સ્વસ્થતાથી નવકારવાળી ગણતાં ગણતાં એમણે શાન્તાબહેનને સૂચના આપી કે “આ ઓરડી સાફ કરી લેા. હમણાં બધાં પ્રતિક્રમણ કરવા આવશે.” અને એકાએક....... ...એકાએક એમને છાતીમાં દુઃખવા આવ્યું. શાંતાબહેને તરત તેલ ચાળી આપ્યું. એથી જરા રાહત લાગી એટલે એ પાછી નવકારવાળી ગણવા લાગ્યા. ત્યાં તે એમને એક મેટ્ટી ઉધરસ આવી. એના જોરમાં એમનું દાંતનું ચોગઠું ખહાર નીકળી પડયું, ધીરૂભાઇ એકદમ અવાક ને સ્થિર થઇ ગયા અને એમનુ જીવન પણ ત્યાં જ સ્થગિત થઇ ગયું ! શાંતાબ્ડેન માટે આ બધું તદન અણુધાયુ હતુ. એમણે તે તરત પોતાના ભા—ડૉકટર–તે ફોન કરીને લાવ્યા. વૈકટર આવ્યા અને જોયું કે ધીરૂભાઈના પ્રાણ ઉડી ગયા છે. શાંતાહેન પૂછતાં રહ્યાં કે “ એમને શું થયું છે? એમને કેમ લાગે છે?” પણ ડૉકટર આ હકીકત પેાતાની અેનતે કેવી રીતે જણાવે? ઘણી મૂંઝવણ સાથે એમણે શાંતાબ્દેનને આ હ્રદયદ્રાયક હકીકતથી વાકેફ કર્યાં. જેની સાથે પા કલાક પહેલાં સ્વસ્થ ચિત્તે વાતો કરતા હોય તે નિકટતમ વ્યક્તિ ઘડીકમાં જીવનના પેલે પાર વહી જાય એ કલ્પના પણ કેટલી કપરી લાગે છે! ત્યારે એવુ' સાચે જ અને તે...? ...પણ શાંતાબ્ડેને તેા કોઇ “તે પછી એમને ચાદર એઢાડી દઇએ. તા. ૧૬-૧૦-૬ અદ્ભૂત શાંતિથી કથ્રુ', આપણી સાથેના એમને. સંબંધ પૂરા થયા.” એમની આ સ્વસ્થતાથી કાઇ પણ આશ્ચયથી સ્તબ્ધ થઇ જાય. આ કમનસીબ ઘટના બની ત્યારે ઘરમાં માત્ર શાંતાબ્ડેન અને એમનાં સાસુ હતાં. સૈા સતાના મ્હાર ગયેલાં. ઘેાડી વારમાં બધાં એકઠાં થઇ ગયાં. પોતાના પ્રેમાળ પિતાને આવી નિશ્ચેતન હાલતમાં જોઇને કાણુ ન હલી ઉઠે? ત્યારે ચાધાર આંસુએ રડતાં દીકરા-દીકરીને માથે હાથ મૂકીને શાંતામ્બ્રેને શાંત્વન-ધીરજ આપ્યાં. એમણે કહ્યું કે “હવે આપણા હાથમાં કોઇ ઉપાય નથી. માટે આમ દુ:ખી ન થાઓ. એમનાં કમ હતાં ત્યાં સુધી એ આપણી સાથે રહ્યા... '' ધીરૂભાઇના અવસાનના સમાચાર મળતાં સગાંવહાલાં જોત જોતામાં આવી પહોંચ્યાં. શાન્તાબહેન મારાં પણ બહુ નજીકનાં સગાં થાય. હું ત્યાં જવા નીકળી ત્યારે મે ધારેલું કે શાન્તાબહેનના રુદનને શાન્ત કરવું મુશ્કેલ પડશે, પતિનું આમ સાવ અણુધાયુ અવસાન થયુ હોય એ ધરમાં તે હાયાય ને રાળ જ હાય-એવી કલ્પના સાથે હું ધરમાં દાખલ થઇ. ઘરમાં પ્રવેશતાં જ વાતાવરણમાં કોઇ ગમગીન ગંભીર શાંતિ ને ભારે વેદના વ્યાપી રહેલી અનુભવી. પણ કોઇ જાતની રોકકળ કે હાયવેાય ન દેખાઇ. ઘરમાં જે શાંતિ ધીરૂભાઇના જીવતાં અનુભવાતી હતી તે જ તેમના મૃત્યુ બાદ પણ દેખાઇ. પરંતુ એકમાં પ્રસન્નતાની ઝળક હતી અને બીજીમાં વેદનાના ભાર હતા. તે થે. એ હવામાં પણ અસ્વસ્થતાની અકળામણુ કે હાયાય બહુ જ ઓછી હતી. અને શાંતાબહેન... ! —જે શાંતાબહેન મૃતદેહ પાસેથી ખસીને બહાર પણ નહી આવે અને આવશે તે યે એમના રુદન આડે એક શબ્દ પશુ નહીં સંભળાય એમ મેં ધારેલુ'. શાંતાબહેન બહાર પરસાળમાં બીજી સ્રો સાથે એસીને શાંત સ્વરે વાત કરતાં હતાં કે બધું એકાએક કેમ થઇ ગયું! એમના સામ્ય માં પર ખૂબ આતા હતી, પણ સાથે સાથે એક પ્રકારની કરુણ ભવ્યતા અને બાળક જેવી નિષ્કપટ નિર્દેષિતા હતી. એમના હૃદયમાં અપાર દુ:ખ હશે, પણ એ દુ:ખથી તે બેબાકળાં કે વિશ્ર્વળ દેખાતાં નહેાતાં. આકાશમાં ગમે તેટલાં વાદળ ઘેરાયાં હેાય, પણ વરસાદ ને ગાજવીજ ન હેાય તે। એનુ' મૂક . ગાંભીય' કેટલું ગહન લાગે છે ! અલબત્ત, એ માન પણ એક વાર રૅળાઇ ગયું, પણ તે થેાડી ક્ષા માટે! જેની સાથે અનેક વષૅ સુખમાં વિતાવ્યાં તેના મૃતદેહ. જ્યારે ઘરમાંથી મ્હાર કાઢવામાં આવ્યા ત્યારે શાંતાબ્ડેન જોઇ ન શક્યાં. એમણે થોડીક ક્ષણેા સુધી નીચે મેએ આંસુ સાર્યા તે પાછી એ જ સ્વસ્થતા ને ધીરજ પ્રાપ્ત કરી લીધી. એ ત્રણ કલાકમાં બધાં સગાવ્હાલાં વિખરાતાં એમને પોતાની કર્તવ્યસૃષ્ટિ પાછી યાદ આવી, એમને ત્યાં એક ભાઇ મહેમાન તરીકે (paying guest તરીકે)–રહેતા હતા શાંતામ્હેનને થયું કે આ બધી ધમાલમાં એમની જરૂરિયાત અંગે કશું ધ્યાન અપાયુ' નહીં હોય. એટલે તરત શાંતાબ્ડેન જાતે રસેડામાં જઇને એમને માટે દુધ ગરમ કરી આવ્યાં અને
SR No.525945
Book TitlePrabuddha Jivan 1960 Year 21 Ank 17 to 24 and Year 22 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1960
Total Pages254
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy