SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ તરફથી ચાલી રહેલી ધાકધમકીએ. બીજા નાના દેશ–પાકીસ્તાન, ટકી, જાપાન–વગેરે માટે નવી નવી મુંઝવણ્ણા ઊભી કર્યાં કરશે. એમ પણ ભાસે છે. આ બધુ જે રીતે બની રહ્યું છે અને જે તરફ દુનિયાને ધસડી રહ્યું છે. તે જોતાં આપણા દિલમાં પ્રશ્ન ઉઠે છે કે શુ' ‘આજની દુનિયા શાણપણુ પરવારી ખેડી છે ? શુ આજે દુનિયામાં કાઈ શાણા માણસે રહ્યા જ નથી ? આ બધું આમ કેમ બની રહ્યું છે ? દુનિયામાં આજે શાણા સમજી માણસે નથી એમ નથી. આ બધુ... આમને આમ ચાલ્યા કરે તે એમાંથી સ તામુખી વિનાશ જ પેદા થાય એ બાબતની આ લેાકેાને સમજણુ નથી એમ પણ નથી. એમ છતાં પણ એ તરફ આપણે બધા ક્રમ ઘસડાઇ રહ્યા છીએ ? આને વિચાર કરતાં મહાભારતની ઘટના યાદ આવે છે. બન્ને પક્ષે અનેક સમજી અને ડાહ્યા માણસે હાવા છતાં દ્યુત તરફ બન્ને પક્ષના આગેવાના પ્રેરાયા અને તેનુ આરી પરિણામ બન્ને કુળાના નાશમાં આવ્યું. આજે પ્રમુખ રાષ્ટ્રના આગેવાને સુલેહશાન્તિની વાત કરે છે, પણ કઇ પ્રતિકુળ ઘટના બને છે તે એક અન્ય સામે શસ્ત્ર ઉગામે છે અને પાર વિનાની ધમકી આપે છે. હરેકને શાન્તિ જોઇએ છીએ, કારણ કે આ દુનિયામાં ટકવા માટે શાન્તિ સિવાય ખીો ક્રાઇ `ઉપાય નથી; પણ દરેકના દિલમાં અન્યને દબાવવાની, દબડાવવાની, પરાસ્ત કરવાની વૃત્તિ છે, અન્યની નબળાઈ ઉપર સવાર થઈ એસવાની તત્પરતા છે. સૌ કાઇને શાન્તિનું અમૃત જોઇએ છીએ, પશુ દિલમાં એક મેક સામે રાગ દ્વેષનાં હળાહળ ઝેર ભર્યાં છે. શાન્તિ ખાતર કોઇ કશું ખમી ખાવા, ગળી જવા કે ભેગ આપવા તૈયાર નથી. ઉદ્દંડ વાણી, કંઇક પ્રતિકુળ બન્યું કે પડકાર અને શસ્ત્રસર્જામનો ચાલુ ખડખડાટ—આ જ્યાં સુધી દુનિયાની ચાલુ પરિસ્થિતિ હેાય ત્યાં સુધી શાન્તિની સ્થાપના થાય શી રીતે અને સ્થપાય તેા ટકે શી રીતે ? આજની દુનિયાનું ભાવી અનેક પ્રસ્ફોટક શક્યતાઓથી · ભરેલુ છે, અને કાઇ પણ ક્ષણે વિશ્વસ હારમાં પરિણમતા જવાળામુખી ફાટી નીકળવા સંભવ છે. અંદરના રાગદ્વેષના પ્રશમન સિવાય અને દિલના આમૂલ પરિવર્તન સિવાય દુનિયા માટે બચવાની કાઇ આશા નથી. વિનાબાજી અને બહારવટીઆ પ્રભુ ધ જી વન ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના સરહદ પ્રદેશમાં, ચંબલ નદીની આસપાસ ડાની--બહારવટીઆએની એક મેટી જમાત કેટલાક સમયથી અડ્ડો જમાવીને ખેડી હતી, આસપાસના લેાકાને ખૂબ રંજાડતી હતી અને પોલીસ દળને સતત હંફાવતી હતી. પોલીસ પ્રવૃત્તિને લીધે કાઇ ડાકુએ મરાતા હતા તે કષ્ટ - પકડાતા હતા, કાઇ ક્રુાંસીએ ચઢતા હતા તો કાઇ લાંબી કેદની શિક્ષા ભાગવતા હતા. આ રીતે જે ડાકુઓ નિષ્ક્રિય બનતા તેની જગ્યા બીજા ડાકુએ પૂરી દેતા અને એ રીતે ડાકુએની પર પરા વતી રહેતી હતી. અને રંજાડ, લૂંટફાટ અને ખુનરેજી સતત ચાલ્યા કરતી હતી. તા. ૧-૪-૬૦ વિનેબાજી કરતા કરતા આ ભીડ–મુરૈનાના પ્રદેશમાં આવ્યા અને આ વિસ્તારની ડાકુ સમસ્યા તરફ તેનું ધ્યાન ખેંચાયું. આ ડાકુએ સાથે અને તે શક્ય ન હેાય ત્યાં તેમના સગાંવહાલાંઓ સાથે સપ સાધવાના તેમણે પ્રયત્ન હાથ ધર્યાં. ડાકુ વિસ્તારમાં તેમણે કરવાનું શરૂ કર્યું. આ સમાવિધી પ્રવૃત્તિ છેડી દેવા તેમણે એક પછી એક અપીલ કરવા માંડી અને આજના નિષ્ઠુર વ્યવસાય છેાડીને પોતાની પાસે નિર્ભયપણે ચાલી આવવા વિનતિ કરવા માંડી. ખીજી બાજુએ ત્રણે પ્રદેશના સત્તાધીશો, રાજયપાલે અને પ્રધાને સાથે તેમણે સોંપ સાધવા શરૂ કર્યાં અને આ સમસ્યાના કા અહિંસક ઉકેલ હાઇ શકે કે કેમ તેની ચર્ચા વાટાઘાટ કરવા માંડી. વળી જે કાષ્ઠ શરણે આવે તેને તત્કાળ અટકમાં નહિ લેવાની તેમણે પોલીસ અધિ કારી પાસેથી ખાત્રી મેળવી લીધી. અલબત્ત, કરેલા ગુન્હાની તેમને માફી મળશે એવી કાઇ આશા આ ડાકુઓને આપવામાં આવી જ નહોતી. આમ છતાં પશુ વિનાબાજીથી પ્રભાવિત બનીને આ ડાકુએ એક પછી એક વિનેબાજીના શરણે આવવા લાગ્યા. વિનેબાજીએ તેમને સ્વજન માફક આવકાર્યાં, પોતાની પધ્યાત્રામાં સામેલ કર્યાં, અને અન્તરના ઊંડા પ્રેમથી તેમને જીતી લીધા. આ રીતે આજ સુધીમાં ૧૮ ડાકુઓ વિનેબાજીના શરણે આવ્યા છે. આ ડાકુઓને થાડા દિત્રસ પેાતાની સાથે રાખીને પોલીસને સ્વાધીન કરવામાં આવ્યા છે. લખ્ખણ નામના એક મોટો ડાકુ હબ્રુ વિનાબાજીને વશ થયા નથી. તેના દિલને સ્પવા વિનોબાજી પ્રયત્ન કરી રહ્યા છે. આશા છે કે આ બાબતમાં પણ વિનેબાજીને જરૂર સફળતા મળશે. આવા ડાકુઓની સમાજવિરોધી પ્રવૃત્તિઓથી જે ત્રાસ પેદા થાય છે તે કારણે આપણે આ ડાકુએને એક પ્રકારના નરરાક્ષસ જેવા ક૯પીએ છીએ અને તેમને પકડવા અને જેલમાં પૂરવા અથવા તે ફ્રાંસીએ ચઢવવા એ સિવાય તેમનાથી બચવાને કે સમાજને બચાવવાને ખીજો કાઇ ભાગ જ નથી આવી માન્યતા આપણા સવમાં સામન્ય રીતે રૂઢ થયેલી છે. માનવતાના સવથા અભાવ એટલે જ ડાકુ - આવી ડાકુ વિષેની આપણી ચાલુ કલ્પના છે. જાનમાલને હાનિ પહાંચાડવાની તેમની ચાલુ પ્રવૃત્તિથી તેમને વારી શકાય કે વાળ શકાય એ આપણને કદિ સંભવિત લાગતુ નથી. તેમની પ્રકૃત્તિમાં સવ સદશાના લાપ થયાનું આપણે સદા માનતા આવ્યા છીએ. આ ડાકુઓનાં દિલમાં ખરેખર પાયાનું પિરવતન થઈ ચૂક્યુ છે એમ માની લેવા યેાગ્ય હજી કા માહિતી આપણને મળી નથી. વળી આજે જે કાંઇ પરિવતન થયું છે તે સ્થાયી પરિવતન છે એમ સ્વીકારી લેવાને પણ કાઇ કારણુ નથી. આમ છતાં પણ પોલીસથી સંતાતા, છુપાતા અને પોલીસને થાપ દેતા ડાકુએ આમ સરળ ભાવે ચાલી આવે, અને પેલીસ તેમને આખરે પકડવાની છે, અને તેમના ગુન્હાએ પુરવાર થયા મુજબ તેમને શિક્ષા થવાની છે એવી ખાત્રી હોવા છતાં વિનેબાજીના ચરણમાં એક પછી એક ઢળી પડે--આ એક ભારે ચમત્કારી ઘટના બની છે. આ ડાકુએ કઇ રીતે આટલા બધા પ્રભાવિત બન્યા અને છુપાયલા સ્થાનેથી વિનેબાજી સમક્ષ ચાલી આવવા સુધીની આ આખી પ્રક્રિયા દરમિયાન તેમના ચિત્તના કેવા આધાત પ્રત્યાધાત હતા તેની હજી આપણાને કશી ખબર નથી. આ ડાકુઓનું ભાવી શુ કલ્પાયું છે—તેમને ચાલુ શિરસ્તા મુજ્બ ફ્રાંસીના લાકડે ચઢવાનું છે જેલમાં આખું જીવન ગુજારવાનું છે—એ વિષેષણ આપણે કઇં કહી શકવાની સ્થિતિમાં નથી. આમ છતાં પણ આ પ્રકરણમાંથી એ બાબતા આપણે સારરૂપે તારવી શકીએ તેમ છે. એક તો આ ડાકુઓને આપણે કેવળ જંગલી પશુઓ અથવા તે નરરાક્ષસ સમા કલ્પીને ચાલીએ છીએ અને તેમાં કાઇ સવ્રુત્તિના અંશ જ ન હેાય એમ માની લઇએ છીએ... આ આપણી માન્યતા કેવળ એકાંગી છે. દરેક માનવીમાં સદ્ અને અસ ્ અને પ્રકારની વૃત્તિ પડેલી જ છે. આપણે જેને સારી વૃત્તિવાળા માનવી લેખીએ છીએ તેમાં પણ લાભ, અભિમાન, દ્રેષ, ક્રૂરતા, નિષ્ઠુરતા વગેરે અસદ્ વૃત્તિએ પડેલી જ હાય છે, પણ સવ્રુત્તિઓના જોરે તે દબાયલી રહે છે. આવી જ સ્થિતિ ડાકુઓની છે, તેમનામાં પણ શ્રદ્ધા, વ્યા, કરૂણા, મળતાના 'શા પડેલા જ હોય છે, પણ લૂંટફાટ અને મારઝૂડના ચાલુ વ્યવસાયના પરિણામે આ સત્તિઓ દબાયલી હોય છે. તેમની પ્રકૃતિમાં રહેલા સશને સ્પર્શનાર કાઈ વ્યક્તિના ચેાગ થતાં અથવા એવી કોઇ ઘટના બનતાં સવૃત્તિઓ જાગૃત થાય છે
SR No.525945
Book TitlePrabuddha Jivan 1960 Year 21 Ank 17 to 24 and Year 22 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1960
Total Pages254
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy