________________
૧૯૬
અંગત રીતે જે જાણતા હોય તેઓ તેમનાં પત્ની શ્રી ઇન્દુમતી મ્હેનને ન જાણતા હોય એવું ભાગ્યે જ બને. આવું સુખી અને પરસ્પર ગાઢ પ્રેમળ ધને બધાયલુ' જે દંપતીયુગલ . હતુ. તે આજે ખંડિત થયુ છે. મૃદુતા, હાર્દિકતા અને જિજ્ઞાસાની મૂતિસભા ન્દુબહેન ઉપર વિધિએ આ રીતે અસહ્ય કુઠારપ્રહાર કરેલ છે, તેમના વિષે તેમને જાણતાં સૌ કાઇ ઊ’ડી સહાનુભૂતિ અનુભવે છે અને આવેલી અણુકલ્પી આક્તનો સામના કરવાનુ તેમને દૌય પ્રાપ્ત થાય એવી સૌ કોઇના દિલની તેમના વિષે શુભેચ્છા અને પ્રાના છે, ડૉ. મુનસીક્ પોતાની પાછળ ચિરરમરણીય ઊ’ડી સુવાસ મૂકતા ગયા છે, અવિરત પરિશ્રમ અને સતત્ પુરૂષાથ વડે પોતાનું જીવન તેઓ ચરિતાર્થી કરી ગયા છે.' તેમના આત્માને પરમ શાન્તિ પ્રાપ્ત થાઓ !
પ્રબુદ્ધ જીવન
ડૉ. મુનસીફને તેા અનેક ઓળખતા હતા, પણ આને કોણ ઓળખતુ હતુ ?
ડૉ. મુનસીના અવસાન પહેલાં દશ દિવસે એટલે કે ફેબ્રુઆરી માસની પહેલી તારીખે એક એવી વ્યક્તિનું ચાર દિવસની અલ્પકાલીન માંદગીમાં અવસાન થયું કે જેનું નામ દિ પણુ છાપાઓમાં છપાયું નાતુ અને આજે જેને ઉજજવળ કારકીદી તરીકે ઓળખવામાં આવે છે એવી જેની કોઇ ઉજ્જવળ કારકીદી નહાની, આમ છતાં પણ તેની અવસાનનેધ લેવાની પ્રેરણા એટલા માટે થાય છે કે તે વ્યકિત પોતાના પરિમિત સચેાગામાં જે સુવાસ મૂકી ગયેલ છે અને પોતાના ૫૩ વર્ષના આયુષ્ય દરમિયાન જે એક અનેખી જીવનનષ્ટાનું તેણે દર્શીન કરાવ્યુ' છે તેવી સુવાસ અને તેવી જીવનનિષ્ઠા આપણી આસપાસ વસતી અને વિચરતી વ્યક્તિઓમાં આપણુને ભાગ્યે જ અનુભવગોચર થાય છે. આ વ્યક્તિનુ નામ છે શ્રી શાન્તિલાલ ચીમનલાલ શેઠ. તેમના વ્યવસાય મીલ જીન સ્ટાર્સ`ને હતા. તેમના ધંધા એસ. સી. શેઠ એન્ડ કંપનીના નામથી ચાલતા હતા, તેમના માથે અનેક ભાઈભાંડુઓને મોટાં કરવાની અને ઠેકાણે પાડવાની જવાબદારી હતી. તેમના અભ્યાસ પૂરો થવા બાદ અને દ્રવ્યોપાક વ્યવસાયમાં જોડાવા બાદ લગ્ન કરવાને આસપાસના સ્વજનસંબધીઓએ તેમને ધણા આગ્રહ કર્યાં, પણ જો પોતે ધર માંડે અને બાળબચ્ચાં થાય તે પેાતાના ભાઇભાંડુની જે રીતે સંભાળ લેવી જોઇએ એ રીતે પાતે લઇ નહિ શકે એમ લાગવાથી તેમણે આજીવન એકલવાયુ જીવન ગાળવાના નિશ્ચય બહુ નાની ઉમ્મરે જાહેર કર્યાં અને તે નિશ્ચયને ઉત્તમ કોટિના ચારિત્ર્ય વડે જીવનના અન્ત સુધી શેષભાવ્યે.
આમ એકલવાયું જીવન સ્વીકારવાથી તેમના માથે અગત જીવનખર્ચે'તા કાઈ બહુ ભાર ન રહ્યો. પોતાના વ્યવસાયમાં તેમને ઠીક ઠીક કમાણી હતી. પણ ધનવિષયમાં કશી પણ સંચયવૃત્તિ ન દાખવતાં તેઓ છૂટા હાથે તેમની પાસે જે કાઇ આવ્યું”—માટા ભાગે વિદ્યાથી ઓ—તેને તેની જરૂરિયાતા લક્ષમાં રાખીને, ઘણી વખત તો સામા માણુસ જે કાંઇ કહે તે બધુ સાચું માનીને તે આર્થિÖક મદદ આપતા રહ્યા. પોતાની ઓફીસમાં ચાલુ ત્રણ ચાર વિદ્યાથી ઓને તે રહેવા વગેરેની સગવડ આપતા અને તેના બીજા ખર્ચની જવાબદારી પણ તે પોતે જ ઉપાડતાં. તેમને નાનપણથી ક્રીકેટને ભારે શાખ હતા. ખેાંખે ક્રિકેટ એસેાશીએશનના તેઓ કાષાધ્યક્ષ હતા. પોતાની આસપાસ વસતા જુવાન વિદ્યાથી ઓને ક્રિકેટમાં રસ લેતા કરવા પાછળ પણ તે સાથે દ્રવ્યવ્યય તેમજ શક્તિ અને સમયના ખર્ચ કરતા. તે કાને કેટલી મદદ કરતા તેની અન્ય કાને કદિ ખબર પડતી નહિ. વિલેપારલેના જાણીતા સામાજિક કાÖકર્યાં શ્રી મણિએમ નાણાવટીના પ્રસ્તુત શાન્તિભાઇ ભાણેજ થાય. તેમને ત્યાંજ શાન્તિભાઇ રહેતા હતા અને મણિઋહેન ડાંગ વિભાગમાં પછાત જનતાનું જે ઉધ્ધારકા
તા. ૧૬-૨-૫૯
કેટલાંક વર્ષાથી કરી રહ્યાં છે તેમાં તેમને અવારનવાર સારો આર્થિક ટેકો આપીને સતત્ પ્રેત્સાહિત કરતા. જમણેા હાથ આપે એ ડાખા હાથ ન જાણે એવી તેમની દાનવૃત્તિ અને પ્રવૃત્તિ હતી. તેમના અવસાન સમાચાર જાણીને આજે જ્યારે અટૅક અણુઓળખીતા વિદ્યાથી ઓ અને અન્ય ભાઇ બહેના પોતાના શોક વ્યકત કરવા અને મણિબહેનને આશ્વાસન આપવા આવે છે ત્યારે, મણિબહેનને અને અન્ય સ્વજનોને શાન્તિભાઇના હાથ કયાં કર્યાં અને કેટલે સુધી પહોંચ્યા હતા તેનું ભાન થાય છે અને ભારે, આશ્રય અનુભવે છે. તેમનું જીવન સાદું, સરળ, નિષ્પાપ, કશા પણ ભાગવિલાસ વિનાનું, સીધી લીટી ઉપર ચાલનાર" અને અપ્રતિમ માનવતાથી ભરેલુ હતું. “તેમના જવાથી અમે એક સજજન અને અત્યન્ત પરગજુ માણુસ ગુમાવ્યા છે” એવા વીલેપારલેવાસીઓના સહજ અને નિરપવાદ દ્બારમાં તેમના જીવનની સાર્થંકતા સચોટપણે સૂચિત થાય છે. તેમના પવિત્ર આત્માને અંતરના નમન હૈ ! પરમાન ૢ
મુંબઇ યુનિવર્સિટીના આશ્રય નીચે ૫. સુખલાલજીએ આપેલાં પાંચ વ્યાખ્યાના મુંબઈ યુનિવર્સિટી હસ્તકની ટૅક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળાના યોજકાના નિમંત્રણને માન આપીને “ભારતની દાર્શનિક અને યૌગિક પરંપરામાં ગુજરાતના અગ્રણી આચાય શ્રી હરિભદ્ર સૂરિના કાળા' એ વિષય ઉપર વ્યાખ્યાને આપવાનું લગભગ ખાર મહીના પહેલાં સ્વીકારેલું, તે મુજબ ફેબ્રુઆરી માસની ૧૦ તારીખથી ૧૪ તારીખ સુધી મુંબઈ ખાતે પ્રજ્ઞાચક્ષુ ૫, સુખલાલજીએ યુનિવર્સિટીના પૂર્વ વિભાગમાં આવેલી વ્યાખ્યાનશાળામાં સાંજના સમયે તલસ્પર્શી અભ્યાસ અને ચિન્તનના નિષ્ક રૂપ પાંચ વ્યાખ્યાનો આપ્યાં હતાં અને તેનો તે વિષયના જિજ્ઞાસુ ભાઇબહેનોએ સારી સખ્યામાં લાભ લીધા હતા.
પુસ્તકાલયમાં વસાવવા લાયક, શિક્ષણ સંસ્થામાં ઈતર વાંચન તરીકે ઉપયોગમાં લેવા લાયક તેમજ કોઈ પણ શુભ પ્રસંગે વહેંચવા લાયક પુસ્તકે
સત્ય શિવ સુન્દરમ્
શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયાના લેખસંગ્રહ કાકાસાહેબ કાલેલકર અને પંડિત સુખલાલજીના પ્રવેશકા સાથે કિમત રૂા. ૩, પોસ્ટેજ ૦-૬–૦ એ ધિ સત્ત્વ
સ્વ. ધર્માનંદ કાસમ્મી રચિત મૂળ
મરાઠી નાટક
અનુવાદકા : શ્રી પર્માનંદ કુંવરજી કાપડિયા તથા શ્રી કાન્તિલાલ રેડિયા - કિમત રૂા. ૧–૮–૦, સ્ટેજ ૦૨-૦
મુંબઇ જૈન યુવક સંધના સભ્યો તથા પ્રમુદ્ધ જીવનના ગ્રાહકો માટે સત્ય શિવ સુન્દરમ્ : કિંમત રૂા, ર, એધિસત્ત્વ : કિ’મત રૂા. ૧
મળવાનું ઠેકાણું: મુંબઈ જૈન યુવક સૌંઘ, ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઇ ૩. ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય,
ગાંધી રસ્તા, અમદાવાદ.