________________
to
પ્રબુદ્ધ જીવન
તા.૧-૧૦-૧૯
પરનાં બે સમાંણ્ય બિન્દુ બની રહે છે. અને ત્યાં પોંચ્યા આધ્યાત્મિક જીવન વિષે શ્રી અરવિન્દ
પછી જ Truth is beauty and beaty is truth (સત્ય એ સૌય છે અને સૌ એ સત્ય છે)ન સૂત્ર સમજી શકાય છે. ચક્ષુના સૌન્દર્ય અને મનના ઝધડો એમાંથી એકની ભૂમિકા ઉપર રહેતાં રહેવાના જ. એને સમન્વય અન્નેથી ઊધ્વ એવી પેલી ભૂમિમાં, આત્માની ઊધ્વં અધિત્યકામાં થવાને.
આત્માની ભૂમિકામાં કૅવળ આ આનંદની જ પ્રાપ્તિ નથી. ત્યાં આનંદ છે, સૌય છે, સત્ય છે, પ્રેમ છે, એટલું જ નહિ, ત્યાં શક્તિ પણ છે. એ સવ મળીને શિવ સ્વરૂપ બને છે. એમાં ધ્યાનની પ્રખરતા છે, પણ જગતની રક્ષા કરવા માટે વિષ પીવાની કલ્યાણકતા પણ છે, એટલુ જ નહિ, એ વિષને કંઠસ્થ કરી શકનારી અમેધ જીવનશક્તિ પણ છે.”
આ છે પ્રસ્તુત દિવ્ય અનુભૂતિથી માનવીને પોતાના જીવનમાં જે નવી ચાલના મળે છે તેના વિવિધ અશાતુ' શ્રી. સુન્દરમે આલેખેલ' ભવ્ય ચિત્ર.
X
×
જે દિવ્ય અનુભૂતિની આ લેખમાળામાં ચર્ચા કરી તે કાઇ અભિમાન કે શેખી કરવાને વિષય નથી. તે કાઇ જાહેરાત કરવાની ખાખત નથી કે તેનાં કાઇ વાજા વગાડવાનાં હોતાં નથી. કોઇ અમુક વ્યક્તિ પોતાને દિવ્ય અનુભૂતિ થયાની વાતા કરે તેથી ખરેખર ઉપર વર્ણવી તેવી દિવ્ય અનુભૂતિ તે વ્યક્તિને થઇ છે એમ કોઇએ માની લેવાની જરૂર છે જ નહિ. દિગ્ધ અનુભૂતિ બાદ ઉપર જણાવ્યા તેવા સ્પષ્ટ રૂપે દેખાતા તે વ્યક્તિના જીવનપલટા એ જ તેની દિવ્ય અનુભૂતિના સાચા દ્યોતક હાઇ શકે.
દિવ્ય અનુભૂતિના નામે આજે તરેહ તરેહના ખ્યાલા, વહેમ, ઢાંગ અને પાખંડ ચાલે છે. કેળે માનસિક ભ્રમણાને અથવા તે અમુક પ્રકારના માનસિક અસમધારણને દિવ્ય અનુભૂતિના નામે વટાવવામાં આવે છે અને ખરી દિવ્ય અનુભૂતિને આવી કહેવાતી દિવ્ય અનુભૂતિથી તારવવાનું કાર્યાં ઘણું કઠણું થઈ પડે છે. જ્યાં ચમત્કાર દેખાય ત્યાં નમસ્કાર કરવાવાળા લેાકા આવી વાતેથી ઘણીવાર છેતરાય છે અને અનેક ભ્રામક ખ્યાલાના ભોગ બને છે. દિવ્ય અનુભૂતિ વિષે જિજ્ઞાસા ધરાવનારે જાતે છેતરાવાના અનેક ભયસ્થનાથી પૂગ સાવધ બનીને ચાલવાનું રહે છે.
પ્રેત આત્મા સાથેના કહેવાતા સબધાને દિવ્ય અનુભૂતિમાં સમાવિષ્ટ કરવામાં આવે છે. કાઇના શરીરમાં અંબાજી આવ્યા છે, કાષ્ઠના શરીર અને મનના કબજો હનુમાને લીધે છે, કાઈને અમુક દેવ યા દેવીને વળગાડ છે એમ કહેવામાં આવે છે, કાઇના શરીરમાં નજીકના સ્વજનના પ્રેત આત્મા અવારનવાર પ્રવેશ કરે છે અને એ પ્રેત આત્મા જ જાણે કે તે શરીરના સ્વામી હાય એવી ચેષ્ટા કરે છે આવી વાતે અવારનવાર આપણા સાંભળવામાં આવે છે. ત્રણ પાયાની ઘેાડી દ્વારા કાઇ અદૃષ્ટ તત્ત્વ પાસેથી જવાબ મેળવવાના અખતરાઓ ચાલ્યા જ કરતા હેાય છે. આ બધું દિવ્ય અનુભવને નામે ચાલે છે. પણ અહિં જે દિવ્ય અનુભૂતિના પ્રશ્નની ચર્ચા આલેચના અભિપ્રેત હતી તેથી આ અનુભવા અથવા તા. આવી વાતા તદ્દન અલગ પ્રકારની છે. તેવી બધી બાબતોની ચર્ચા મારા માટે અપ્રસ્તુત છે, તેમાં રહેલા સાચા ખાટાપણાની તુલના કરવાનું મારી ઈચ્છા, શક્તિ તેમજ અધિકારની બહાર છે. અહિ । વિશિષ્ટ . યેાગ્યતા ધરાવતી વ્યક્તિઓને દિવ્ય પ્રકાશા અનુભવ થયાની – સસ ધારણ ચેતનાનુ અણુધાયુ ઉષ્મીકરણ થયાની જે વાતે અવારનવાર આપણા જાણવા સાંભ ળવામાં આવે છે. તે કેવળ માનસિક ભ્રમણા છે કે કાઈ નક્કર આધ્યાત્મિક ઘટના છે તેના સ્વરૂપની અને તેની ચાલુ માનવી જીવન ઉપર પડતી અસરની ચર્ચા વિચારણા કરવાને ઉદ્દેશ હતા અને એ ચર્ચા વિચારણા પ્રસ્તુત વિષયની અલ્પતમ ભૂમિકાને સ્પર્શીને. તે પ્રત્યે એક ઉપરછલ્લે દૃષ્ટિપાત કરીને અહિં અધુરી રાખવામાં આવે છે. આ અધુરી ચર્ચાવિચારણા આગળ ચલાવવાનુ ત્યારે જ સંભવિત બને કે જ્યારે પ્રસ્તુત દિવ્ય અનુભૂતિ માત્ર વાતો કરવાને કે અન્યતા અનુભાને આગળ ધરવાના વિષ્ય ન રહે પણ અંગત પ્રત્યક્ષ સવેદનના વિષય બને.
સમાસ
પરમાનદ
(ગતાંકથી ચાલુ)
સાધનાની વિવિધ પદ્ધતિએ શ્રી. અરવિંદના તત્ત્વજ્ઞાનમાંથી મળી શકે છે અને તે અનુભવસિદ્ધ પદ્ધતિઓથી માનવ આત્મ વિકાસ કરી શકશે તેની ખાત્રી પણ તેમણે આપી છે. આધ્યાત્મિક જીવન ઇચ્છતી વ્યકિતને તેમાં પૂર્ણ સ્વતંત્રતા છે, તેમાં કાઇ પણ સાંપ્રદાયિકતા નથી કે ધાર્મિક બંધન નથી; નિયમો નથી કે ક્રિયાકાંડની જડતા નથી. શ્રી. અરવિન્દે બતાવેલી સહજ રીતે જીવનના વિકાસ સાધીને પ્રતિ કરી શકાય એવી સાધનાની પદ્ધતિએ નીચે મુજબ છેઃ
પરમ સ્વરૂપને પ્રાપ્ત કરવાની ઝ ંખના, બંધનમુક્ત જીવન માટેને પુકાર, અને દિવ્ય પ્રકૃતિમાં વિકાસ માટેની તીવ્રતા માનવમાં જ્યારે જન્મે છે. ત્યારે પ્રાના તેમ જ અન્તઃકરણમાંથી અભીપ્સા ઉદ્ભવે છે, જે નિમ્ન પ્રકૃતિમાંથી પુકારે છે અને પ્રભુની પરમ કા જે પ્રભુની કૃપા છે તે આ મહદ્ ઇચ્છાના સાદને ઊર્ધ્વમાંથી પ્રત્યુત્તર આપે છે.
મનુષ્યનાં હૃદયમાંથી પ્રભુપ્રાપ્તિ માટેની જાગૃત અભીપ્સા– પ્રાર્થના અને તેની સામે સહાય કરનાર એવી પ્રભુની પરમ કૃપા એ એ શકિતનું મિલન થાય છે તેને યાગ કહેવામાં આવે છે, અને જેને અંતરાત્મામાંથી ભગવાનની પ્રાપ્તિ માટેના સાદ આવે છે તેને જરૂર તે પ્રાપ્ત થાય છે. અંતરાત્મામાંથી આવતા સાદને સાંભળવા માટે જાગૃતિ આવશ્યક છે, સમગ્ર ધ્યાન ત્યાં કેન્દ્રિત રાખીને જ જીવનને ઘડવાનું છે. પ્રભુની કણાથી સફળ થવાશે એવી શ્રદ્ધાની અખંડ જ્યેાત સીધે સીધી ઊધ્વ પ્રત્યે સ્થિરપણે પ્રગટાવવાની છે, અને ઉચ્ચ જીવન પ્રત્યે અભિમુખ થઇ સતત એ જીવનની પસંદગી કરતા રહેવાનું છે.
એ રીતે આધ્યાત્મિક વિકાસની સીડીનાં એક પછી એક પગથી ચઢવાની ક્રિયામાં મંડયા રહેવાનુ છે, સાધના અને ચિંતન કરતાં કરતાં નિમ્ન પ્રકૃતિના પુકારને ઉર્ધ્વમાં રહેલી મહાશકિતના પ્રત્યુત્તર મળે છે, સહાય કરવાની ખાત્રી અને તેની આધ્યાત્મિક પ્રગતિ માટેનુ રક્ષણ મળે છે, ત્યારે યેદ્દારા સાધ નાના ઝડપી વિકાસ થાય છે, જેને યેાગસાધના કહેવામાં આવે છે.
શ્રી. અરવિંદ જેતે આધ્યાત્મિક રીતના વિકાસ કહે છે તે ભૌતિક જગત અને આધ્યાત્મિક જગતનો સમન્વય કરીને, દિવ્ય પરમાત્મસ્વરૂપને ધારણ કરી જીવન જીવવુ તે છે. જીવનને છોડી તે, પ્રવૃત્તિથી ભાગીને ત્યાગી મહાત્મા બની એકાન્તે જઇ એસવાનું નથી. એવી સ્પષ્ટ સમજની સાથે જ જીવન જીવતા જીવતા વિશાળ જીવનમાં પ્રવેશ કરવાના છે અને તેમાં મુખ્યપણે ત્રણ રીતે સાધના પ્રથમ આરંભ કરવાના છે.
(૧) અભીપ્સા (૨) સમર્પણ (૩) ઈન્કાર અર્થાત પરિત્યાગ,
૧. અભીપ્સા—પરમ સ્વરૂપની પ્રાપ્તિ માટેની અભીપ્સા અને તેનાં પ્રત્યુત્તરરૂપે મળતી પ્રભુની પરમ કૃપા વિષે સમજ્યા પછી એ કૃપાને ટકાવવાનું સામર્થ્ય પણ પ્રાપ્ત કરવુ જોઇશે. દુઃખમાં પ્રભુને પુકારીએ, કહ્યુારૂપે પ્રભુની કૃપા અને સહાય મેળવીએ તે વળી પાછા અજ્ઞાન અને અસત્યને તાબે થઇ સામાન્યક્રેટિના જીવનમાં સરકી પડીએ, તે પછી આપણે એ પ્રભુની સહાનુભૂતિ ગુમાવી દશું. એ યાદ રાખવુ જોઇએ કે અધોગામી જીવનમાં ડૂબી જઇને આપણે પ્રભુની કૃપાને ટકાવી નહિ શકીએ. પ્રભુની કૃપા કેરળ પ્રકાશ અને સત્યમાં જ કામ કરે છે.
૨ સમર્પણ——દિવ્યચેતનાનુ માનવપ્રકૃતિમાં અવતરણ અને નિમ્નપ્રકૃતિનુ દિવ્યપ્રકૃતિમાં રૂપાન્તર એ શ્રી. અરવિંદની સાધનાનું લક્ષ્ય છે. અને આ રૂપાન્તર ત્યારે જ થઈ શકે કે જ્યારે દિવ્યશકિતનું કાય માનવની નિમ્નપ્રકૃતિને બદલવા માટે સક્રિય બને એટલે તીવ્ર અભીપ્સાની સાથે સાથે સાધક ઊ'માં ઉચ્ચજીવન પ્રત્યે અભિમુખ રહે અને પેાતાની ગણાતી એવી શારીરિક અને ભૌતિક દરેક સંપત્તિના ઉપયેગ અને પોતાનાં દરેક કમે એ બધું જ સમપ ણુભાવે કરે, નિષ્કામભાવે કરે, સમર્પણ સાથા