________________
રજીસ્ટચ્ડ ન B ૪૨૬૬ વાર્ષિક લવાજમ રૂા. ૪
• પ્રબુદ્ધ જૈન' તું નવસસ્કરણ વર્ષ ૨૧: અંક ૧૧
પ્રબુદ્ધ જીવન
શ્રી સુઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર છુટક નકલ : નયા પૈસા ૨૦
મુંબઈ, ઓકટોમ્બર ૧, ૧૯૫૯, ગુરૂવાર આફ્રિકા માટે શીલિંગ ૮
ses to the site se is sess states તંત્રી: પરમાનદ કુંવરજી કાપડિયા
(ગતાંકથી અનુસન્માન)
શાન્તિના પાચા
જેના જે પ્રશ્નો હોય તેને તે પ્રશ્નો ઉકેલવાનું મુખ્યત્વે સોંપવું જોઇએ. આ વિચારમાંથી કુલિત થાય છે કે જે પ્રશ્નો જાગતિક હોય તે જગતને સોંપવા જોઇએ, યુદ્ધ એ હવે જાગતિક પ્રશ્ન ખની ગયેા છે. જૂના જમાનામાં પાંડય અને કર્ણાટક ઝડે ને તેની અસર રાજસ્થાન કે ગુજરાત પર થતી નહોતી, પણ આજે તેવું નથી. હિંદુસ્તાન ખીજા મહાયુદ્ધમાં સડૅાવાવા ઇચ્છતું નહતુ, અને યુદ્ધ આપણી તળભૂમિ ઉપર ખાસ આવ્યું પણ નહેાતું, અને તે છતાં યે તેની અસર બંગાળના અનાજના ભાવેના ઉપર થઇ અને તેમાં ૩૦ લાખ માણસે મરી ગયા. ખુદ જીંંગ્લાંડ અને અમેરિકામાં યુદ્ધમાં જે માનવ ખુવારી થઇ એ આના ત્રીજા ભાગની પણ નથી,
અણુમેમ્બ શોધાયા પછી તે યુદ્ધમાં ન પડેલા લોકો ઉપર આવી અસર વિશેષ થવાની છે. એટલે યુદ્ધના પ્રશ્ન કોઇ એક રાજ્યે પોતાના હાથમાં લેવાનેા ન હેાય, પણ સૌને સુપરત કરવાના હાય, અને આ માટેની ધારાસભા, ન્યાયસભા કે કારોબારી રચવામાં તેનો અમલ કરવામાં ચૂકાદો પોતાની વિરૂધ્ધ આવે તે પણ નિણ ય માથે ચડાવીને સહકાર આપવે ોઇએ.
શાંતિ માટેના આ પછીના મહત્વને પાયેા સત્તાનુ` વિકેંદ્રીકરણ છે. વિનેાખાજી શોષણવિહીનેાની જોડાન્ટેડ શાસનવિહીન સમાજની વાત મૂકે છે; તેને સાર આટલો જ છે કે વ્યક્તિ વ્યકિતનું શાષણ આર્થિ`ક રીતે ન કરે તેવી વ્યવસ્થા થઇ હોય તો પણુ, શાસન વધારે કેન્દ્રિત થયું હોય તે શાંતિને વધારે વિશ્ન-૧ રૂપ થવાનો સંભવ છે તેં આજની સ્થિતિમાં આવું શોષણ નાબુદ કરવાના અખતરાઓએ રાજ્યની સત્તા વધારી છે તેવા અનુભવ થતાં ગયા છે. અને રાજ્યને એટલે કે રાજ્યકર્તા વને આ વધતી જતી સત્તા મળવાથી કેફે પણ વધારે ચાયો છે તે શાષણ નાખુદ કરવાના સત્કૃત્યના બદલામાં દક્ષિણા પણ તે વધારે ને વધારે માગતા રહ્યા છે. આનું પરિણામ મધ્યસ્થ આયેાજન નાગરિક ઉપર વધારે પકડમાં પરિણમ્યું છે. આ સામાજીક પ્રક્રિયા જો આમ ને આમ ચાલુ રહી તે તેમાંથી બળનુ એક નવું કેન્દ્ર, એક નવા બળમત્ત વ પેદા થયા વિના રહેશે નહી', ને સમાજમાં એક અસમતાને બદલે નવા પ્રકારની અસંમતા, સત્તાની નવી અસમતુલા જન્મ પામે તેવા સંભવ છે.
ગાંધીજીએ આના પ્રતિકાર તરીકે જ ગ્રામોદ્યોગો ને ગ્રામપ્રધાન સમાજ રચનાની વાત કરી હતી. આજે પણ ગામડાં અને ગ્રામપોંચાય છે, પણ તે નીતિ નક્કી કરતા નથી, પણ રાજ્યની નીતિનાં સાધનો અને છે, તેનું કારણ એ છે કે તેમને રાજ્યના શ્વાસે જીવવાનું મધ્યસ્થ આયેાજનને પરિણામે વિશેષ ને વિશેષ બધે બનતું જાય છે. એને ઉપાય રાજકીય વિકેન્દ્રીકરણું માત્ર, નથી, પણ આર્થિક વિકેન્દ્રીકરણ પણ છે. માસે અહીં તહી
s=
ભૂલ કરી હાય કે અતિશયેાકિત કરી હાય, પણ અથ રચના જેવી હશે તેવી રાજ્યરચના થશે તે વિચાર સાબૂત પાયા પર ઊભા છે. એટલે જો અથ રચના કેન્દ્રિત ઉદ્યોગો પર ને કેન્દ્રિત આયાજન પર રચાયેલી હોય – પછી તે સમાજવાદી, સામ્યવાદી કે મૂડીવાદી હાય – તે પણ રાજ્ય રચના કેન્દ્રિત રહેવાની તે નીચે અપાતી સત્તાએ નકલી થવાની. એટલે જે રાજ્યસત્તાનું વિકેન્દ્રીકરણ થાય તેવી ઇચ્છા રાખતા હોય તેમણે અંસત્તાનું વિકેન્દ્રીકરણ થાય તે વાત પર ઝોક દેવા જોઇએ. ને અ`સત્તાનું વિકેન્દ્રીકરણ । ત્યારે જ થઇ શકે કે જ્યારે ગ્રામે ગા અને ખેતીના આધાર પર નવી રચનાને પાયેા મંડાય. પહેલાં આ ગ્રામોદ્યોગે શહેરના ઉદ્યોગાની સામે ટકાવી રાખવાનું મુશ્કેલ હતું, કારણ કે કાલસાથી ચાલતાં · મોટા કારખાનાં એક ઠેકાણે ચલાવવાં તે અનિવાય હતુ.... કાલસાની હેરફેરની કંમત ઘણી થઇ જાય તેવુ હતુ. પણ છેલ્લી પચ્ચીશીમાં વીજળીના ઉપયે.ગ વધતા ગયેા છે તે વીજળીની શકિત ગામડાંમાં પહોંચાડવાનું સુલભ બન્યુ છે. આ સ્થિતિમાં ગામડાંની અંદર ગ્રામેાદ્યોગો વીીથી ચલાવવા તે કાય અનાથિક નહીં પણ આર્થિક ક્ષમતાવાળું બન્યું છે. ગામમાં કાચા માલ છે; નવરા, અધ નવરા લેાકેા છે; 'પાકા માલ વાપરનારા પણ ત્યાં છે. આજ સુધી તેમને બનાવેલા માલ મોંધા પડતા હતા, કારણ કે તેમના હાથને વીજળીની મદદ નહાતી. હવે જો તેમને વીજળીની મદદ આપવામાં આવે તે ગામડાંમાં પેદા થયેલા માલ શહેરના જંગી કારખાનામાં પેદા થયેલ માલ કરતાં ઉલટો સસ્તો પડવાને. આજે આપણી ગામડાંની વસ્તીને શહેરમાં લઇ જંÛએ છીએ; તેમતા માટે ત્યાં રહેઠાણા ઉભાં કરીએ છીએ; કુદરતથી તેમને વિખૂટાં પાડીએ છીએ; કાચો માલ ત્યાં વહી જઇએ છીએ તે પાછે પાકા માલ તે જ ગામડાંઓમાં માંધાદાટ કરીને- મેકલીએ છીએ, આમાંથી એક અસામ્યાવસ્થાનું તે અસમ્યક્ નાગરિકનુ આપણે નિર્માણ કરીએ છીએ. એક બાજુ કુદરતમાં રહેતા પણ વત માન યુગના એક પ્રધાન બળ યંત્રના પરિચય વિનાના ગ્રામ સમાજ ને બીજી બાજુ કુદરતથી વિખૂટા પડી ગયેલા યંત્ર જોડે યંત્ર બની જતા શહેરી સમાજ. બન્ને અસામ્યનાં લક્ષણા છે. એક માત્ર કાચા માલ પેદા કરી ગાણ કક્ષાના નાગરિક તરીકે જીવે છે તે બીજો પાકા માલ અનાવવાની કળા પેાતાના કબજામાં રાખી ચાવીરૂપ `સ્થાન સાચવે છે. સમાજમાં આ અશાંતિનાં ખીજો છે. શાંત સમાજ અસમ્યક અવ્યવસ્થામાંથી કે રાજ્યવ્યવસ્થામાંથી ઊભા થઇ શકે નહીં. એટલે એવા સમાજ નિર્માણ કરવા જોઇએ, કે જેમાં ખેતરા અને કારખાનાં, પ્રકૃતિ અને યંત્ર, શહેર અને ગામડુ, તેના ભેદે લગભગ નષ્ટ થયા હોય. આ સ્થિતિ ગામડાંમાં ઉદ્યોગા પહોંચાડવાથી જ ઊભી થશે અને તે ઉદ્યોગે પણ વીજળીથી ચાલતા ગૃહ કે ગ્રામ ઉદ્યોગે હશે.
હમણાં દિલ્હી પાસે એક ગામમાં વીજળી પેદા કરવાના