________________
(૧૭)
૧૦૨
પ્રબુદ્ધ
જે ન માને તેા તેની અને હું ન માનું તે મારી સામે વાપરજો. વ્યકિતગત હથિયારા નાબૂદ થયા છે. રાષ્ટ્રોનાં હથિયારો નાબૂદે થયા નથી ત્યાંથી એક તબકકા આગળ જવાની વાત છે. રાષ્ટ્રો પોલીસ રાખે પણ લશ્કર ન રાખે, લશ્કરી બળ જે કંઇ છે તે આંતરરાષ્ટ્રીય ધારાગૃહ અને અદાલતને સોંપે તે સરવાળે એવુ' થરો. કે ઝગડાઓના ઉકેલ બને ત્યાં સુધી અંદર અંદર થશે. અને નહીં થાય ત્યાં અદાલત પાસે જશે તે અદાલતનુ નહી માને તેત્રા કિસ્સા ` ભાગ્યે જ ઊઁભા થશે. કારણ કે કોપ એકના ખળ કરતા અદાલતના લશ્કરનુ ખળ વિશેષ જ હશે. જેમ આજે લશ્કર પાસે જેવાં હથિયાર છે તેવા પેાલીસા પાસે નથી. આને લીધે મધ્યસ્થ સરકાર જેટલી બળવાન છે તેટલી સ્થાનિક સરકાર નથી, તેને જરા આગળ લઇ જઈએ ને લશ્કરી વિમાની દળ કોઇ રાષ્ટ્ર ન રાખે. તે પણું આંતરરાષ્ટ્રીય સંસ્થાને બળવાન બનાવવા માટે પૂરતુ થાય. ઘણી વાર એમ કહેવાય છે કે રાષ્ટ્રો રાષ્ટ્રો વચ્ચે અસમાનતા છે ત્યાં સુધી આવુ બની શકે નહીં. હકીકતમાં આવુ રહેશે ત્યાં સુધી રાષ્ટ્ર રાષ્ટ્રો વચ્ચેની અસમાનતા પણ દૂર થવાની નથી. લશ્કરી જોરે પછાત દેશનુ શાણ એક યા બીજી પ્રકારે ચાલુ રહેવાના ભય પડેલ છે તે તેથીએ વધારે પછાત દેશા- લશ્કર પાછળ ખરચવાના નાણાં વિકાસ કાર્યોંમાં વાપરી શકવાના નથી, આથી પછાત તે પછાત જ રહ્યા કરશે તે અસમાનતા નિવારવાના કાર્યક્રમ- વેગ પકડશે નહીં. ઉલટુ બળપ્રયાગ વાપરવાના નથી તેવું નકકી થયું તેની સાથે જ ચર્ચા, સમજાવટ વિશ્વને લેાકમત તે સૌમ્ય સાધના આગળ આવવાનાં છે. તે તે સાધના આગળ આવતાં અસમાનતા ઘટયા સિવાય રહેવાની નથી. હરેક રાષ્ટ્રમાં અ ંદરના બળપ્રયોગ નાબૂદ થયા છે ને તેને પરિણામે લેાકા પોતાના વિચારો પ્રગટ કરી વ વ વચ્ચેની અસમાનતા નાથુદ કરવાની દિશામાં આગળ વધ્યા છે તેમ જગતની લેાકશાહીના ઇતિહાસ કહે છે. ચુંદ્દનાબુદીના કાર્યક્રમ અસભાનતા મિટાવવાના કાર્યક્રમની સાથે એકરૂપ કરવાની જરૂર નથી પણ અસભાનતા મિટાવવાની પૂર્વભૂમિકા તરીકે તેને ઉપયાગમાં લેવાની જરૂર છે. આ દેશની અંદર બધા માણસાની આવક સરખી નથી પણ રાજ્યમાં જુદી જુદી ઠેકરાતા નથી. આપણા પ્રશ્નના દડાથી પતાવવાનો કોઇ વ` કે પ્રદેશને અધિકાર રહેવા દીધા નથી, હું મારા હાથમાં હથિયાર નહી લ તેમ દરેક નાગરીકે પ્રતિજ્ઞા લીધી છે.” આને લીધે અસમાનતા. ધીમે ધીમે આપણી નજર સામેથી હટતી જાય છે અને છતાં આંતરવિગ્રહ થતા નથી. એ ભૂમિકાએ રાષ્ટ્રોની અસમાનતા હાવા છતાં રાષ્ટ્ર-રાષ્ટ્ર વચ્ચે યુધ્ધા ન થાય તે ધીમે ધીમે અસમાનતા ઓછી થાય જ. પણું પ્રત એવા ઊઠે છે કે આવી આંતરરાષ્ટ્રીય સત્તાને કઇ સત્તા આપવી? હાલ પૂરંતુ તા બે રાજ્યેા. વચ્ચે ઊભા થતા ઝગડાઓને જ નિકાલ કરવાની સત્તા તેને અપાય તે પણ પૂરતું છે, બાકીની બીજી સત્તા ભલે સ્વઐચ્છિક જ હાય. આપણે શાણ ન હેાય તેવા જ સમાજ રચવા ચ્છિતા નથી. પણ શાસન પણ ભ્રમમાં કમ હોય તેવા સમાજ રચવાની આપણી દૃષ્ટિ છે. કારણ કે શાષણ કરનારા શાસન હાથ કર્યા સિવાય રહી શકતા નથી. તેવી જ રીતે શાસન કરનારાએ. જો અબાધિત તે અસામાન્ય સત્તા ધરાવે તે તે પણ શાષણુ. કર્યાં વગર રહે તેવા સભવ આછે છે.
એટલે આવી આંતરરાષ્ટ્રીય સત્તાને પણ અનિવાય`સ્મૃધિકાર
જીવન
તા. ૧૬-૯-૧૯
આપવાના હાય તે તે અધિકાર પૂરતી જ આપણી વફાદારી તેને હાય. આખરે લોકશાહીને મમ શું છે? લોકશાહીમાં કેટલાક વિષયે મ્યુનિસીપાલિટીના અધિકારમાં હાય છે, કેટલાક ગ્રામપંચાયતના હાથમાં હોય છે, કેટલાક પ્રાંતસંસ્થાના હાથમાં હોય છે તેા કેટલીક સત્તા વડી સરકારના હાથમાં હાય છે, તે નાગરિકની વફાદારી તે તે તબકકે તે તે વિયય પૂરતી તે તે સંસ્થાને હોય છે, લેાકશાહીના પાચા જ આ છે કે નાગરિક પોતાની વફાદારી કોઇને ખીનશરતે આપતા નથી અને કોઇને સર્વાંગ સંપૂર્ણ પણે આપી દેતો નથી. પણ તેણે પેાતાની વાદારી સમાજના જુદા જુદા કેન્દ્રોને ભર્યાદિત રીતે અપણુ કરેલી છે. મારી કેટલીક વફાદારી મારા પિતાને જ છે, એના પર કાઇ સંજોગામાં રાજ્ય આક્રમણ કરી શકે નહીં'. સાહિત્યસ ક તરીકે મારી કેટલીક વાદારી સાહિત્યના જ્ઞાતાઓને છે, એમાં મને વડી ધારાસભા એમ કહે કે તારે અમે કહીએ તેવું સાહિત્ય લખવુ. પડશે' તે! હું એમ કહું કે “મા કરજો, ધારાસભાને એ અધિકારા ન હોય, તે બાબતમાં સાહિત્યી જ વધારે પ્રમાણભૂત ગણાય.” બીજી બાજી સાહિત્યીકા એમ કહે કે આ દેશની અંદર આટલી નહેરા આંધવી જોએ અને આમ આયોજન થવું જોઇએ. તું અમારી સભાના સભ્ય છે તેા અમે કહીએ છીએ તે પ્રમાણે મત આપજે. તે! હું કહું કે “જરા ધીરા થાઓ. મેં તમને આપેલી વફાદારી તમારા ક્ષેત્ર પૂરતી છે, બીજાના ક્ષેત્ર પૂરતી ખીજે છે,” લેાકશાહીના અથ' છે વફાદારી અને સત્તાનુ વિકેન્દ્રીકરણ.” સરમુખત્યાર મનુષ્યને રાજ્યના સભ્યથી વિશેષ જોતેા જ નથી અને તેથી તે નાગરિકની સંપૂર્ણ અને સŕ'ગી વફાદારી પાતાને અણુ થાય તેવુ માગે છે. પણ મનુષ્ય કેવળ રાજ્યના જ સભ્ય નથી. તે કુટુંબીજન છે, કલાકાર છે, ધર્માનુભવી છે, દાતા છે, ગૃહિતા છે. આ વિવિધ પાસાંઓને ન્યાય મળે તે જરૂરી છે, ન્યાય, તે જ મળે કે જો વિકેન્દ્રિત સમાજરચનાના આદર્શ સ્વીકાર પામે, વિકેન્દ્રિત રચનાને સાદો અ આટલે જ છે કે જે પ્રશ્ન જેને લાગતા વળગતા હોય તેને જ તે સોંપાય.. ખીજાએ તેમાં સલાહ આપી શકે, પણુ મતદાન કરવાના કે અળ વાપરવાના તેમાં અધિકાર ન રહે. અલબત આને અમલ લેાકશાહીમાં પૂરે પૂરો થાય છે કે થયેા છે તેમ નથી, કારણ કે તેના પર ચિ ંતન પણ ઓછુ થયુ` છે. પણ સિદ્ધાંત તરીકે કાઇ લાકશાહી આને અસ્વીકાર કરી શકે તેમ નથી, આનુ બીજી' અનુમાન એ છે કે જેમ બધા પ્રશ્નો મધ્યસ્થ સરકારના નથી તેવી જ રીતે બધા પ્રશ્નો સ્થાનિક કક્ષાના પશુ નથી, દુનિ યામાં કોઇ જાતિક પ્રશ્નો છે ? કે બધા પ્રશ્નો રાષ્ટ્રીય કે સ્થાનિક જ છે? જેમ આપણે એમ કહીએ કે ગામના પ્રશ્ન ગામને સેપ, ગુજરાતને પ્રશ્ન 'ગુજરાતને સાંષા, ભારતના પ્રશ્ન ભારતને સોંપા, એશિયાના પ્રશ્ન એશિયાને સાંપે, તેમજ જગતના પ્રશ્ન જગતને સાંપે. હિન્દુસ્તાનના પ્રશ્ન વિશે જેમ ગુજરાત એકલું નિ ય કરી ન શકે તેમ જગતના પ્રશ્ન વિષે કાઈ દેશ એકલા નિણય લેવાના અધિકારી નથી. એના અથ એ થયા કે જાગતિક પ્રશ્નમાં રાષ્ટ્રનું સાર્વભૌમત્ત્વ નિરાધાર છે. આ યુગના નાગરિક એક હાથે ગામના પ્રશ્નેામાં કાઇની દખલ સહવાની નથી તેમ જ બીજે હાથે જગતના પ્રશ્નામાં જગતને વક઼ાદારીપૂર્ણ સહકાર આપવાને છે.
- આવા જાગતિક પ્રશ્નોમાં તીવ્રતમ પ્રશ્ન છે. યુદ્ધ-નાદી. 'અપૂર્ણ મનુભાઇ પંચાળી
મુંબઇ જૈન યુવક સૌંધ માટે મુદ્રક પ્રકાશક : શ્રી પરમાનંદકુવરજી કાપડિયા, ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઇ ૩. મુદ્રણુસ્થાન ‘ચંદ્ર પ્રિ - પ્રેસ, ૪૫૧ કાલબાદેવી રાડ, મુબઇ ૨. ૩. નં. ૨૯૩૦૩