________________
રજીસ્ટર્ડ ન B ૪ર૬૬ વાર્ષિક લવાજમ રૂા. ૪
પ્રબુદ્ધ જીવન
પ્રબુદ્ધ જૈન'નું નવસસ્કરણ વર્ષ ૨૧ અંક ૧૦
સુઈ, સપ્ટેમ્બર ૧૬, ૧૯૫૯, બુધવાર આફ્રિકા માટે શીલિંગ ૮
શ્રી મુઈ, જેન ચુવક સંઘનું પાક્ષિક મુખપત્ર છુટક નકલ : નયા પૈસા ૨૦
is is spects press is - તંત્રી: પરમાનંદ કુંવરજી કાપડિયા
આધ્યાત્મિક જીવન વિષે શ્રી અરવિન્દ
( મુંબઇ, જૈન યુવક સૌંધ આયેાજિત પર્યુષણ · વ્યાખ્યાનમાળામાં શ્રી વેણીબહેન વિનયચંદ કાપડિયાએ આધ્યાત્મિક જીવન વિષે શ્રી અરવિન્દ' એ વિષય ઉપર આપેલા વ્યાખ્યાનની નોંધ. )
માનવ સમુદાયમાં જીવનમાં સમગ્ર વિકાસ માટેની વિચારણાની હવે શરૂઆત થઇ છે. માનવ જીવન કેવી રીતે ઉન્નત બને અને માનવ માત્રનું જીવન સુખ અને શાન્તિ અનુભવે ? આ પ્રશ્નને ઉકેલવા માટે ઘણી પદ્ધતિએ વિચારાઇ છે અને અમલમાં મૂકી પ્રયાગ પણ કરાયા છે. પરંતુ હજુએ આ પ્રશ્ન અણઉકલ્યા રહ્યો છે, પ્રયાગા પૂરી સફળતા પામ્યા નથી.
માનવના વિકાસના આધાર શેની ઉપર અવલ 'બે' છે? આ પ્રશ્નના ઉકેલ કણ આપી શકે તેમ છે? માનવ જીવનમાં એવી કઈ ઉણપ છે? અને માનવની સંપૂર્ણ જીવન વિષેની કેવી કલ્પના છે? એ પ્રશ્નને ઉકેલ હુ ંમેશા જ્ઞાની પુરૂષાએ આપ્યા છે. તમે તમારા જીવન વિષે સભાન થાઓ, જાગ્રત બને અને વિચારણા કરો.
માનવ જ્યારે પાતાના જીવન વિષે વિચારે છે, ત્યારે શુદ્ધ અને પવિત્ર જીવન વિષે જાગૃત થઇને વિચાર કરે છે. જીવનમાં આવતી આ જાગૃતિ એક અમાત્ર શકિત છે. આ શકિતમાંથી પ્રકાશ આવે છે અને અજ્ઞાનના પદ્મ દૂર થાય છે. માનવની ગુચના ઉકેલ સ્પષ્ટ મળે છે કે અત્યાર સુધીનું જે જીવન જીવ્યે છું તે તો અહમથી ભરેલુ હતુ. હવે મારે અહ’ભાવથી મુકત અને ધનરહિત જીવન જીવવા માટે શું કરવું? આ વિચારણાની શરૂઆત જીવનમાં આધ્યાત્મિકતાની જરૂરિયાત લાવે છે. માનવમાં રહેલ આત્માની શકિત ગતિમાન થાય છે, એ શકિત તે ‘આધ્યાત્મિક શકિત છે.
ગ્રા
આવી શક્તિનું ગતિમાન થવુ તેમાં માનવ વિકાસની શરૂઆત છે. માનવ ધીમે ધીમે પેાતાની અંદર રહેલા આત્માના અસ્તિત્વ વિષે પણ સભાન અને છે. પોતે હવે આત્મવિશ્વાસ કળવે છે અને અદૃશ્ય શકિતની સહાય લેવા તત્પર થાય છે. માનવનાં જીવનમાં સજીવ અને સહાયક એવી શ્રદ્ધાની શકિત પણ આવે છે. આ શ્રદ્ધાનું કાય. એ છે કે માનવને ધીરેધીરે જ્ઞાનના પ્રકાશ પણ લાધે છે. અંતરાત્મામાંથી આવતું જ્ઞાન વર્તમાન જીવન વિષેની ગુંચવણુતા ઉકેલ આપે છે. જીવનની દિશા બંદસવાની જરૂર છે. કારણ કે સામાન્ય જીવનની સાથે દુ:ખ, ધણુ, વિસંવાદ, લડાઇ અને જુઠાણુ સંકળાએલા છે. સામાન્ય જીવનની મધ્યમાં અહમ્ કેન્દ્રિત હોવાથી જીવનમાં વિકૃતિ આવે છે. વાસનાયુકત જીવનમાંથી મુકત બનવું તે આધ્યાત્મિક જીવન માટેની પ્રથમ શરત છે. “ માનવે જીવન ઉપરથી અશાંતિના, વિસંવાદને, અને વિકૃતિના અભિશાપ હઠાંવા હશે, તો અહંકારપૂણ મિથ્યા જીવનનું. વિસર્જન કરીને તેને સ્થાને આત્માનું શાસન લાવવુ જોશે, ઉચ્ચ જીવનની પ્રતિષ્ઠા કરવી પડશે અને જીવનની દિશા
ઊ માગે વાળવી પડશે. માનવમાં આવેલી આત્મજાગૃતિ માનવને માદ ન આપી શકે છે; તેનામાં ઊધ્ધ સત્યના પ્રકાશ રેલાવે છે, તેથી માનવ પોતાનાં સત્ય સ્વરૂપને સમજતા થાય છે. જન્મ અને જીવનનું ધ્યેય, મનુષ્ય અવતાર અંતે તેની સફળતા, જીવનનું દિવ્ય વિધાન અને તેને માટેને પ્રયાસ, એ વિષેનું સત્ય તેને સમજાય છે.' '
એ રીતે સત્યનાં પ્રકાશમાં માનવને એક દૃષ્ટિ મળે છે. અને તેના મનની મુંઝવણ ટળે છે. માનવ પ્રભુ તરફ વળે છે. પોતાના સનથ જીવન ઉપર પ્રભુત્વ મેળવનાર અવતારી પુરૂષોનાં જીવનમાંથી જ્ઞાન મેળવવા મથે છે અને એ રીતે આંતરજાગૃતિવાળુ જીવન તે પ્રાપ્ત કરી લે છે. પેાતાની અંદર અને બહાર રહેલ અજ્ઞાન સામે સફળતાથી લડી લેવાના સંગ્રામ તે હિ ંમતપૂર્વક ખેલે છે, એટલું જ નહિ પણ, એ સ ંગ્રામમાંથી વિજય પ્રાપ્ત ફરીને આંતર તથા બાહ્યજીવને ઉપર આત્મ-શાસનનું સામ્રાજ્ય પણ સ્થાપે છે.
#
સમગ્ર જીવનને દોરનારા. અંતરાત્મા જીવનની સપાટી પર પ્રગટ થાય છે ત્યારે માનવ મનમાં એક ઉંડી સમજશકિત આવે છે. વનનાં બધાં કર્મો સત્યના આવિર્ભાવ માટે થાય છે. સત્ય અસત્યને એળખવાનું સરળ બને છે. માનવને આત્મવિકાસ વધત જાય છે ત્યારે તેનામાં એક આત્મ-પ્રજ્ઞાના ઉદ્ય થાય છે. આત્માની સાથેના સંપર્ક સતત ચાલુ રહે છે અને વખત જતાં જ્ઞાનની જ્યાત પ્રગટે છે. ત્યાર પછી માનવમાં આવેલ વિકાસ સાધનાનું સ્વરૂપ લે છે. સાધના દ્વારા સમગ્ર જીવનનું રૂપાંતર અને પરમાત્મસ્વરૂપને પોતાના જીવનમાં આવિર્ભાવ એ માનવજીવનનું ધ્યેય છે તે હવે સ્પષ્ટ રીતે સમજાય છે.
સમગ્ર જીવનમાં પરમાત્મ સ્વરૂપના આવિર્ભાવ કરવા માટે માનવને પેાતાની પ્રકૃતિનું પણ રૂપાંતર કરવાનું રહે છે. જડ 'તત્ત્વમાંથી ઉત્પન્ન થયેલા માનવદેહ આત્મવિકાસની સાધના માટે સંપૂર્ણ સાધન નથી, એટલે એ દેહ વિષેનું સત્યજ્ઞાન પ્રાપ્ત કરવુ તે પણ જરૂરી છે. દેહમાં મુખ્યત્વે ત્રિવિધ સત્તા છે. મન, પ્રાણ અને શરીર. માનવજાતિએ કરેલી ઉત્ક્રાન્તિમાં માનવનું મન એ અત્યારે એક માત્ર સાધન છે. એ મનને વિકાસ મુદ્ધિ દ્વારા કરી.” શકાય છે. પરંતુ જ્યારે આત્મપ્રાપ્તિ માટેની સાધનાના આર ભ થાય છે ત્યારે એ સત્ય પણ સમજાય છે કે માનવને મળેલુ મનુ અને બુદ્ધિ પણ અપૂર્ણ સાધન છે. તેની શકિત સીમિત છે, જ્ઞાન મર્યાદિત છે. ઊર્ધ્વ લેાક અને માનવ લેાક વચ્ચે એક આવરણ છે તેથી મનમાં રહેલા અધકાર સત્યને આવરી રાખે છે. મનને પૂણુ પ્રકાશ તો કદી પણ મળી શકતા નથી. અંતરાત્મા દ્વારા ઊલાકના પ્રકાશનાં કિરણા કાઈ કાઈ વખત મનની અ ંદર દાખલ થાય છે અને તેને આધારે બુદ્ધિ જે મેળવે છે તે ઘણુ જ
અલ્પજ્ઞાન હોય છે.
દેહમાં રહેલુ પ્રાણતત્ત્વ છે અને તેમાં તે અંધકાર જ ભરેલા છે. પ્રાણનું લક્ષણ છે ઇચ્છાઓ, વાસનાયુક્ત માગણીઓ, ' પસંદગી અને નાપસ ંદગીનું યુદ્ધ. દુ:ખના હુમલાએ સામે આવેશ અને આક્રંદ કરતું.આ પ્રાણતત્ત્વ માનવ મન ઉપર સામ્રાજ્ય ભગવવા મથે છે, મનનાં સંકલ્પે અને આદર્શોને તોડે છે, પોતાનું. વસ્વ કાયમ રાખવા માટે મનને વિહવળ અને અશાંત કરી 'મૂકે છે. મન જ્યારે ઊર્ધ્વના પ્રકાશ અને જ્ઞાન ઝીલવા મથે છે ત્યારે પ્રાણની જ દખલ વધે છે. ક્રોધ, માન, લાભ, મોહ, ભય, શાક અને આવેશનાં આનષ્ટ તત્ત્વા પ્રાણમાંથી ઉડતા અંગારા સમા છે.