________________
to
૧૦
પ્રબુદ્ધ જીવન
ત્યારે તેમાં અનેક ત્રુટિઓ મારી નજર સામે આવે છે. નિંસ વધ્યું તેમાં અનેકવાર રકતદોષ થયેલા માલુમ પડે છે, હિમાલયની ભવ્યતાને શબ્દાકાર આપવા માટે મારી ભાષા નબળી– મન્દ સામર્થ્યવાળી માલુમ પડી છે. અંદરના તીવ્ર ઘેરા સ ંવેદનાને વ્યકત કરવા માટે કલ્પના, Images–શબ્દ પ્રતિમા–પ્રતીકા અને રૂપકોની, જે સમૃદ્ધિ જોઇએ તેની જ્યાં ત્યાં મને ઉપ દેખાઈ છે. આમ મારૂં ભાષાવિષયક દારિદ્ર મને ખૂબ સાલે છે, તે વિષે મારૂં મન અસ તાષ અનુભવે છે. આમ છતાં પણુ જેને joy of self-expression-આત્માની અભિવ્યકિતના આનંદ કહે છે તે આનંદ આ લખાણ લખતાં મેં પૂરા પ્રમાણમાં માણ્યા છે, અથવા તા એક પ્રકારની મસ્તી મેં અનુભવી છે. વળી પ્રસ્તુત લેખનપ્રક્રિયા દરમિયાન જેને vocal thinking-પ્રગટ ચિન્તન કહે છે તેવુ પ્રગટ ચિન્તન પ્રમુદ્ધ જીવનના વાંચકા સાથે કરવાના મારા અવારનવાર પ્રયત્ન રહ્યો છે. આમ કરતાં કાઇ ક્રાઇ ઠેકાણે વધારે પડતુ લખાણ થઈ ગયું હોય એમ બનવા જોગ છે. સંગીતના એ પ્રકાર છે: ગાયન અને વાદન. એ પ્રત્યેકના એ લય છે. વિલખિત અને દુત. આ લખાણુની પ્રક્રિયા મનની અંદર ચાલી રહેલા ગાયનને વિલ`ખિતના ક્ષયમાં વ્યકત કરવાની રહી છે. વિલખિત લયમાં આલાપની વિપુલતા હાય છે; ગતિની મન્દતા હોય છે. આ લખાણનું રૂપ પણ આવુ જ કાંઇક-વિલ ખિત આકારનુ - સરજાયું” હાય એમ લાગે છે. પ્રવાસના અનુસંધાનમાં મનમાં જે કાંઈ સ્ફુરતુ ગયું તે હું સહેલાણીની માફક મુકત મને, અને યથાસ્વરૂપે લખતો ગયો છું, ઉમેરતા ગયા છું. આવા લખાણનુ મૂલ્ય કેટલું' તેની આંકણી કરવાનું' કામ વાચકેતુ'. અને વિવેચકેાનુ છે. તૃપ્તિ-અતૃપ્તિનુ દ્વે
તા. ૧-૭-૧૯
ગાતમીનાં ચિત્ર જોવાનું બન્યું જ નહિ. આમ ચિત્તમાં તૃપ્તિ અને અતૃપ્તિનું વિચિત્ર હૂં ચાલ્યા કરે છે, હિમાલય ખેડવાના મનેથ
અને હિમાલયને આ તે" એક ટુકડો જોયા. હજુ તા બદ્રીનાથ અને કેદારનાથ તેમજ ગ ંગાત્તરી અને જન્માત્તરી તીથ ના દર્શન કરવા બાકી છે, અને કૈલાસનાં દર્શન ન કર્યાં ત્યાં સુધી બધુ અધુરૂ છે. અને કાશ્મીરમાં આવેલ અમરનાથનું તે મનમાં કઇ કાળથી રટણ ચાલ્યા કરે છે. આમ હિમાલયના એક પ્રદેશ જોતાં તેના અન્ય અનેક પ્રદેશા નજરે નિહાળવાની ચિત્તમાં અદમ્ય ઝંખના જાગી છે, અને કલ્પનાની પવનપાવડી ઉપર ચડીને મન હિમાલયના એક છેડેથી બીજા છેડા સુધી વિચરી રહ્યું છે, ભટકી રહ્યું છે; જીદગી ટુંકી છે અને મનોરથા અનેક છે. આમાંથી કયા મનારથ પૂર્ણ થશે અને કયા મનેરયા વણપૂર્યાં રહી જશે તે કાણું કહી શકે તેમ છે?
ભગવાનની રાસલીલાને ચમત્કાર
‘મને જણાવતાં આનંદ થાય છે કે હું પૂરી તૃપ્તિના સવેદનપૂર્ણાંક હિમાલયની યાત્રા-કૂર્માંચળની પરિકમ્મા-પૂરી કરીને પા ફર્યાં છું. એમ છતાં પણ આ તૃપ્તિ સાથે એક પ્રકારની ઊંડી અતૃપ્તિ પણ 'હું' અનુભવી રહ્યો છું. મનમાં કાંઈક એમ જ થયા કરે છે કે જોયુ, જોયું, પણ અધુરૂ જોયું, અંદરથી પ્રશ્ન થાય છે કે નૈનીતાલ આટલા દિવસ રહ્યો અને ચાઇના પીક ચઢી આવવા માટે એક એ દિવસ વધુ કેમ ન રાકાયા.? અને ભીમતાલ • ગયા તે .તા હીરા ધંધે જ આવ્યે અને ડેલે હાથ ને પાછા કર્યાં જેવું જ કર્યુ” ! ત્યાં સવારના જવું જોઇતું હતુ' અને આખા દિવસ ત્યાં ગાળવા જોઇતા હતા. મુકતેશ્વર જયન્તીબહેતને ત્યાં એકાદ રાત રોકાઇ ગયા હોત અને સાંજ સવારની તે સ્થળની શાભા જોઇ હોત તો કેવું સારૂં થાત ? રાણીખેતની તે કનારને
સ્પી તે ચાલી નીકળ્યા ! કૌસાનીમાં હજુ પણ થાડુ વધારે · શકાયા હાત તા- કેવું સારૂં થાત ! વૈજનાથ તેા ઉભા પગે જ જોયુ. અને બાગેશ્વર ઍક દિવસ પણ આખા ન ગાળ્યા ! અને ત્યાંથી પાડારી ગ્લેશિયર જોયા સિવાય પાછા કેમ ચાલી આવ્યા? આમારા ગયા પણુ, ખીનસર તા વણજોયુ જ રહી ગયું...! શ્રી. એશી સેનના થોડાક વધારે પરિચય સાધ્યા હાત તો કેટલું બધું જાણુકાનું મળત ? ભીરતાલા સ્વામી કૃષ્ણપ્રેમનાં દર્શન માત્ર જ કર્યાં ! તેમને વધારે જાણવા સમજવાનુ` બન્યું જ નહિ. એકાદ આખા દિવસ તેમની સાથે ગાળવાના યોગ થયો હાત તા કેવું સારૂ' થાત ? જાગેશ્વરનું પર્યટન કેવળ ઉભડક ભાવે જ કર્યુ. બુઢા જાગેશ્વરનાં દર્શન જ ન કર્યાં અને ત્યાંનું ગામ અને વસ્તીને કોઇ પરિચય જ ન સાખ્યા. વળી દડકેશ્વરનાં તે દર્શન કરવાના જ રહી ગયાં, ગાવિંદ લામાની ઉડતી મુલાકાત જ લીધી અને લી
છેવટે આ મારી વહુ નકથા હું. પૂરી કરી રહ્યો છું ત્યારે મને નરસિહ મહેતાના જીવનના એક પ્રસગ યાદ આવે છે. એ પ્રચલિત કથા મુજબ નરસિંહ મહેતાની પરમ ભકિતથી પ્રસન્ન થઇને મહાદેવ પ્રગટ થાય છે અને પેાતાના ભકતને કહે છે કે “તમારી ભકિતથી .હુ` ખૂબ પ્રસન્ન થયા છુ. તમારે જોઇએ તે માંગા !” નરસિ ંહ મહેતા આ સાંભળીને ઊડી ધન્યતા અનુભવતાં માંગે છે કે “ભગવાન, આપ પ્રસન્ન થયા છે. તે ભારે બીજી કશુ જોતું નથી, મને શ્રીકૃષ્ણની રાસલીલા દેખાડો !” ભગવાને ‘તથાસ્તુ' કહીને નરસિ’હુ મહેતાને શ્રીકૃષ્ણની રાસલીલા દેખાડી, આ કથા સાચી હૈ કે ન હો, પણ હિમાલયના આ વિભાગમાં પરિભ્રમણ કરતાં મારા પૂરતુ તે મને એમ જ લાગ્યું છે કે હિમાલયમાં કરતાં કરતાં મેં તે। ભગવાનની રાસલીલાનાં જ દર્શીન કીધાં છે, મારા પરિભ્રમણ દરમિયાન પરમાત્માના વિરાટ રૂપને જ મારી આસપાસ નાચતુ' મેં' નિહાળ્યું છે, અનુભવ્યું છે. પવ તેમની અનન્ત રેખામાં, વૃક્ષાના પાર વિનાનાં ડાલનમાં, રસ્તાના ઢાળ ઢોળાવમાં અને આમ તેમ ઘુમરી લેતાં વળાંકમાં, ગવમે†ન્ટ રેડવેઝ કે કે. એમ. એ. યુ. લીમીટેડના વાહનાની તાલધ્ધ ગતિમાં, ’પવનની સતત વહ્યા કરતી શીતમધુર લહેરિઓમાં, વાયુસંચાલિત ગાજતી અને ગુંજતી દેવદાર, ચીડ વગેરેની વનાજમાં, શીતળ જળને વહન કરતી સરિતામાં અને ખળખળ વહેત ઝરણાઓમાં અને ગગનચુંબી ગિરિશિખરોમાં મે' વિરાટની અપાર લીલા નિહાળી છે, નૃત્ય, નૃત્ય અને નૃત્ય જ જોયું છે અને મારૂ મન તે સાથે સતત નાચતું રહ્યું છે. નરસિ ંહ મહેતાએ બે ચાર ઘડિ રાસલીલા નીહાળી હશે. મે તે સતત એક માસ સુધી એ રાસલીલા—રંગલીલા નિહાળી છે, મન ભરીને માણી છે. જીવનમાં આથી વધારે કૃતકૃત્યતા બીજી શી હોઈ શકે ? (પરિશિષ્ટ હવે પછી)
પાનંદ પ્રવાસવણુ નને આ હકતા પ્રગટ થઇ રહ્યો છે ત્યારે જણાવતાં આનંદ થાય છે કે ઉપર જણાવેલ મનેરથામાંને બદ્રીનાથ-કેદારનાથની યાત્રાને લગતા મનેરથ ગત મે જુન માસ દરમિયાન પરિપૂણૅ થયા છે અને હિમાલયને અનેક બાજુએથી નિહાળવાનુ અને ચોતરફ વહી રહેલા અગાધ જળરાશિથી પરિપ્લાવિત એવા અઢળક સૃષ્ટિસૌયને માવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયુ છે. પરમાનદ
મુંબઈ જૈન યુવક સૌંધ માટે મુદ્રક પ્રકાશક : શ્રી પરમાનંદ કુવરજી કાપડિયા, ૪૫–૪૭, ધનજી સ્ટ્રીટ, મુબઇ છે. મુદ્રણુસ્થ ન “ ચંદ્ર પ્રિ. પ્રેસ, ૪૫૧ કાલબાદેવી રાડ઼ મુખ્ય ૨. 2. ન. ૨૯૩૦૩