SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૧-૫૬ અંધક ખીલના સમર્થનમાં અનેક લેખ, નિવેદન અને ચર્ચાપત્રા ઘણા મોટા પ્રમાણમાં પ્રગટ થતાં રહ્યાં હતાં. મુખ-મહારાષ્ટ્રના પ્રશ્નને પણ વખતાવખત અનેક રીતે ચર્ચવામાં આવ્યા હતા અને નવી નવી પરિસ્થિતિ અને બનતી જતી ઘટનાઓ અંગે ઉચિત માર્ગ– દર્શન કરાવવામાં આવ્યું હતુ. પ્રમુધ્ધ જીવનની આગળનાં વર્ષોની કાલા સાથે સરખાવતાં આ વર્ષ દરમિયાન પ્રગટ થયેલા પ્રબુધ્ધ જીવનના ૨૪ "કાની લેખસામગ્રી વધારે રસાળ, અને વધારે વૈવિધ્ય— ભરી બની હતી. આવું સંતાકારક પરિણામ નીપજાવવામાં મદદરૂપ અનેલા અનેક લેખકાના અને સહકાર્યકર્તાઓના હું અન્તઃકરણ પૂર્વક આભાર માનુ છું અને તે મુજબ તેમને સહકાર વૃધ્ધિગત થતા રહેશે એવી આશા સેવું છું. પ્રબુદ્ધ જીવન આ રીતે વર્ષ ઉપર વર્ષની મજલ કાપતુ પ્રબુધ્ધ જીવન આગળ ચાલતું જાય છે. જ્યારે હરિજનપત્રા જેવા સાપ્તાહિકાને આર્થિક કારણસર બંધ કરવાના વખત આવ્યા છે ત્યારે તેની માક જાહેર ખબર નહિ લેવાની ટેકને વળગી રહેવા છતાં અને આઠ પાનાની મર્યાદાને માત્ર અપવાદ રૂપે જ જાળવવા છતાં અને ખીજી બાજુએ વિશાળ જનતાના અત્યન્ત ન જીવા ટકા હાવા છતાં પ્રબુધ્ધ જીવનનું પ્રકાશન હજુ સુધી ચાલુ રહી શકયુ છે એ વિષે પ્રબુધ્ધ જીવનના અમેા સંચાલકા ચાઠું અભિમાન લઈ શકીએ છીએ. પણ સાથે સાથે જણાવ્યા વિના રહી શકાતુ નથી ૐ દિન પ્રતિ દિન અમારો પ્રવાસ પણ આર્થિક કારણાને અંગે વધારે ને વધારે વિકટ બનતો જાય છે. પ્રમુખ્ય વનના વહીવટ અને તેટલી કરકસરથી ચલાવવામાં આવે છે, આ પત્ર જ્યાં છપાય છે તે કચ્છી વીશા ઓશવાળ પ્રીન્ટીંગ પ્રેસના માલીકા પણ એછામાં ઓછા ભાવે અમારૂં છાપું છાપી આપે છે. એટલું જ નહિ પણુ, આ છાપાંને પેાતાનુ લેખીને અને તેટલા સહકાર આપે છે. એમ છતાં પણુ કાગળ છપાઇ, પત્રવ્યવહાર, ટપાલ વગેરે પરચુરણ ખર્ચના આંકડા મોટા થઈ જાય છે અને તે ખાતે દર વર્ષે આશરે શ. ૨૦૦૦ ની ખાટ મુંબઇ જૈન યુવક સંધને ભાગવવાની રહે છે, પ્રબુધ્ધ જીવનના વિકાસ અંગે મન અનેક તરેહની કલ્પના સેવે છે, પણ એક બાજુએ નથી લેખક અને ચિન્તાનો પૂરો સહકાર; બીજી બાજુએ આર્થિક મુશ્કેલી તો ઉભેલી જ છે. શુધ્ધ જીવન દ્વારા રજુ કરવામાં આવતી લેખસામગ્રીની ભાત વિષે કશું પણ સ્તુત્યાત્મક ખેલવું કે લખવુ તે આત્મશ્લાધાના દાષ નેતરવા ખરાબર લેખાય, પણ અત્યુકિતને આક્ષેપ સ્વીકારીને પણ એટલું જણાવ્યા વિના રહી શકાતું નથી કે પ્રબુધ્ધ જીવનના સમગ્ર સંપાદન પાછળ કેવળ સત્યની આરાધના અને લોકાયની સાધના રહેલી છે. પ્રત્યેક અંકના આરંભથી તે અત સુધીમાં કશું પણ અઘટિત, અનુચિત, અસત્ય કે અસભ્યમ્ વિધાન થઈ ન જાય તેની પૂરી કાળજી રાખવામાં આવે છે. મારી શિતની મર્યાદા પળે પળે પ્રબુધ્ધ જીવનમાં પ્રતિબિંબિત થતી હુ' જોઉં' ', અને એમ છતાં પ્રબુધ્ધ જીવન સર્વગ્રાહી બને, સૌંદયસાધક સર્વ પ્રશ્નો વિષે ચાલુ માર્ગદર્શન આપતુ' રહે, સરકારને તેમ જ પ્રજાને-જ્યારે જ્યારે જેને જે કાંઇ કહેવા યોગ્ય હેાય ત્યારે ત્યારે તેને−તે નીડરપણે, સ્પષ્ટ ભાષામાં અને વિનયમધુર વાણીમાં કહી શકવાની તાકાત કેળવે અને એ રીતે પ્રબુધ્ધ જીવન રાષ્ટ્રીય સભ્યતા અને સ ંસ્કૃતિનું એક અજોડ પ્રતીક અને એવા આદર્શ મન સદાકાળ સેવતુ રહ્યું છે અને તેથી આ દિશાએ સમાજ અને રાષ્ટ્રના પ્રશ્નોનું સતત ચિન્તન કરતા સેવાપરાયણુ લેખકોના અને વિચારકાને હું સહકાર યાચું છુ. અને આવા સહકાર સુલભ અને તા પ્રબુધ્ધ જીવનને સાપ્તાહિક કેમ ન બનાવવું એવું સ્વપ્ન આજે—જ્યારે શરીર અને મગજ કામ કરતાં કાંઈક થાકતાં જણાય ત્યારે પણ–મન સતત ચિન્તવતું રહ્યું છે. બીજી બાજુએ આ આદર્શ અને સ્વપ્ન સિધ્ધ થવાની વાત તે। દૂર રહી, પણ પ્રબુધ્ધ જીવન ચાલે છે તેમ ચલાવવા માટે પણ આર્થિક અનુકુળતા એટલી જ અપેક્ષિત રહે છે. પ્રબુધ્ધ જીવનની ગ્રાહક સંખ્યા અતિ મર્યાદિત છે એ ક્રાઇ મજાણી થા ગુપ્ત વાત નથી. પણ સાથે એટલી ખબર જ છે કે આજે પ્રબુધ્ધ જીવન અનેક પ્રશંસકેાના ઊંડા પક્ષપાતનું પાત્ર અન્ય છે અને તેમાં કેટલાક ઉચ્ચ કાર્ટિના વિદ્યાના છે અને કેટલાક સ્થિતિસપન્ન ગૃહસ્થા પણ છે, આ પ્રશંસાને મારી નમ્ર વિજ્ઞપ્તિ છે કે “પ્રબુધ્ધ જીવન માં અને આપનુ સહિયારૂ યજ્ઞકાર્ય છે; હું તેમાં મારી સર્વ શકિત સલગ્ન કરૂ છુ; આપ પણ આપથી બને તેટલું અર્ધ્ય આપો. પ્રબુધ્ધ જીવનની પ્રવૃત્વિ લોકસ ગ્રહ-પાષક છે અને સતત વહેતી રાખવા યેાગ્ય છે એવી આપની પ્રતી ત હાય તે આપની એ પ્રતીતિ અને પ્રશંસાને આર્થિક રીતે પ્રબુધ્ધ જીવનને મદદરૂપ થવામાં અને બને તેટલા ગ્રાહકે! મેળવી આપવામાં પ્રવર્તિત કરવી એ આપણા સહિયારાપણામાંથી નીપજતે સ્વાભાવિક ધર્મ છે. આટલું જો આપ મન ઉપર ધ્યે તેા પ્રમુધ્ધ જીવનનું ભાવી સર્વ પ્રકારે ઉજ્વળતર અનતું રહેવાનુ એવી મારી સુદૃઢ શ્રદ્ધા છે.” તંત્રી, પ્રબુધ્ધ જીવન ખોદ્યો ડુંગર અને થોડા સમય પહેલાં ખીકાનેર-બીનાસર ખાતે અખિલ હિંદ જૈન સ્થાનકવાસી કોન્ફરન્સનું અધિવેશન ભરવામાં આવ્યું હતુ તેના અનુસંધાનમાં યેાજાયેલા સ્થાનકવાસી સાધુના સમેલન અંગે કરવામાં આવેલી આલાચના. ) ભીનાસરમાં સ્થા. સાધુસમેલન થઈ ગયુ. દૂરદૂરથી સાધુએ એ સંમેલનમાં ભાગ લેવા આવ્યા. સમાજને આશા હતી કે દાસા ખસે સાધુએ જો એકત્ર થાય તા સાધુસમાજની ઉન્નતિ અને સાથે સાથે શ્રાવક સમાજની ઉન્નતિ થશે. સાડીમાં જ્યારે પ્રથમ સાધુસમેલન થયું ત્યારે શ્રી કુંદનલાલ ક્રિક્રિયાજી તેમની વચ્ચે બેસતા અને જ્યાં ઈંચ આવતી ત્યાં તેને એક પીઢ અનુભવી પુરુષની અદાથી ઉકેલ લાવતા એ સૌના અનુભવની વાત હતી. પણ ક્રાણુ જાણે શાથી કે સાધુસમાજના મનમાં એવું ભૂત ભરાઈ ગયું કે સાધુઓની બાબતમાં વળી શ્રાવકોની દખલ શા માટે હાવી જોખ઼ુએ ? 'આથી ભીનાસરના સમ્મેલનમાં સાધુઓની બેઠકમાં કાઈ પણ શ્રાવકને સાથ લેવામાં આન્યા નહિ. પરિણામ એ આવ્યું કે સાધુસમાજની ઈંચો વધતી જ ગઈ. અને કાર્ય પણ સરળ પ્રશ્નનો પણ ઉકેલ કઠિન બની ગયા, પણ ખેટા અભિમાનની ગાંડને કારણે તેમાંથી કાઇએ શ્રાવકાને ખેલાવવાની હિંમત કરી નહિ. અને આઠ દિવસ સુધી પૂરડીમાં ગોળ ભાંગ્યા કર્યો અને સ ંમેલનનું જે પરિણામ આવ્યું તે જે કાઈ બહાર જાણમાં આવ્યું છે તે ઉપરથી તારવીએ તે કહી શકાય કે ખોદ્યો ડુંગર અને કાઢયો ઉંદર. એક તરફ ભારત સેવક સમાજ ભારતના સાધુઓને સંગતિ કરી ભારત સરકારની સર્વોદયકારી યોજનામાં સાધુસમાજ કઈં રીતે ભાગ લઈ સર્વામુખી ઉદ્યમાં પોતાને ફાળા કેવી રીતે આપી શકે તેની વિચારણા કરી રહ્યો છે ત્યારે આપણા સ્થા. જૈન સાધુસમાજ કળાને સચિત્ત માનવા કે અચિત અને તેને ભિક્ષામાં લેવા તા કઈ સ્થિતિમાં લેવા, બદામને કઇ સ્થિતિમાં લેવી, એલાયચીને કઇ રીતે ભિક્ષામાં લઈએ તો નિર્દોષ કહેવાય, કઈ તિથિએ સંવત્સરી ઉજવવી— આવી તુચ્છ વાતામાં આઠ આઠ દિવસ વિતાવી નાખે એ સાંભળી ખરેખર મનમાં ગ્લાનિ થાય છે. અને આવા દૃષ્ટિશૂન્ય આવા સાધુસમાજના હાથમાં આપણા સમાજની નૌકાનું સુકાન હશે તે તે પાર પડશે કે નહિ એવી શંકા સહેજ થઈ આવે છે. સાધુસમાજમાંના જેએ બહુમાન્ય સાધુએ છે, અને જે પોતાને આચારવંત અને કડક આચારવાળા ગણે છે તેને આગમ કે ખીજા પુસ્તકા સશાધિત કરી છપાવવામાં હવે પ્રાયશ્રિત લેવા જેવુ નથી લાગતુ, પણ એ જ સાધુઓ સામે જ્યારે લાઉડસ્પીકરનો પ્રશ્ન આવે છે ત્યારે વિવેક ગુમાવી ખેસે છે અને લાઉડસ્પીકરમાં એલવાથી પાપ થાય છે એમ કહી પ્રાયશ્ચિતની વાતા કરે છે. સાધુઓના મુખ્ય ધંધો કોઇ હાય તો તે ધર્મપ્રચારના રહ્યો છે અને તેનું સાધન પુસ્તકપ્રકાશન અને લાઉડસ્પીકર સરખી રીતે ઉપયોગી છે. જે સાધન તેમણે
SR No.525941
Book TitlePrabuddha Jivan 1956 Year 17 Ank 17 to 24 and Year 18 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1956
Total Pages260
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy