SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૪-૫૬ -જેમ સાપેક્ષવાદમાં પણ આવા અપેક્ષાયુકત ઉદાહરણા પુષ્કળ મળી આવશે જે નય અને સપ્તભગી દ્વારા સાબિત કરી શકાય, પ્રા. એડીંગ્ટન દિશાની સાપેક્ષ સ્થિતિ ઉપર પ્રકાશ નાંખતાં લખે છે “સાપેક્ષવાદિને સમજવા માટે સૌથી સહેલ ઉદાહરણ પદાર્થની દિશાનું છે.” એડિનબગ ની અપેક્ષાએ કેમ્બ્રીજની એક દિશા છે અને લન્ડનની અપેક્ષાએ ખીજી દિશા છે. આ પ્રમાણે બીજી ત્રીજી “અપેક્ષાઓ વિષે પણ કહી શકાય. કાઈપણ પદાર્થની વાસ્તવિક દિશા કઈ છે તે આપણે કયારેય પણ સમજી શકવાના નથી. તે જ પુસ્તકમાં આગળ જતાં તે ચાલુ સત્ય અને વાસ્તવિક સાયને સ્પષ્ટ કરતાં લખે છે “તમે કાઇ પણ કે પનીની આવક જાવકના કાગળા જુઓ, જે એડીટર દ્વારા તપાસાયા હાય. તમે કહેશે। કે તે સત્ય છે, પણ વાસ્તવમાં તે સત્ય છે શુ? આ કાઈ ધૃત કંપની માટે હું નથી કહેતા. કેક પનીના હિસાબમાં પણ તમે જુએ છે તેમ તે સમયની વસ્તુઓની કિંમતમાં અને હિસાબમાં લખાયેલી કિંમતમાં ક્રક હશે જ. આમ હાવાથી આ કક, hidden reserves ની દૃષ્ટિથી, કંપની જેટલી વધારે સાચી હશે તેટલો વધારે હશે. બાયવ્ય પ્રબુદ્ધ વન ૧ માણસ ઉભા છે અને તેની હથેલીમાં એક સફરજન છે. હવે ધારા આ એલીવેટરને ઉંચે પકડી રાખનાર દારડ એકાએક તુટી જાય છે અને એલીવેટર જમીન તરફ ધસવા માંડે છે. આવા ધસારા દરમિયાન એલીવેટરની અંદર રહેલા માણુસ સજનવાળી હથેલીને ઉંધી વાળે છે. આમ છતાં પણ એ સફરજન તેની હથેલીમાંથી છુટુ પડવાને બદલે હથેલીને વળગી રહેલુ માલુમ પડે છે. કારણ કે ગુરૂત્વાકષ ણુના કારણે જે ગતિમાં એલીવેટર નીચે જતું હશે તે જ ગતિ પેલા સફ્રજનને પણ લાગુ પડશે, અને એલીવેટર, પેલે માણસ અને સંકરજન ત્રણેને એક સરખી ગતિના નિયમ લાગુ પડતાં કાઇ કાથી છુટા પડશે નિહ. આ કાલ્પનિક દૃષ્ટાન્તમાં પૃથ્વીની સપાટી ઉપર ઉભેલા કાઈ આદમીની અપેક્ષાએ એલીવેટર, પેલા માણસ અને સફરજન ત્રણે ગુરૂત્વાકષ ણના કારણે નીચે ગતિ કરતાં માલુમ પડશે જ્યારે એલીવેટરની અપેક્ષાએ પેલા માણસ અને સફરજન સ્થિર માલુમ પડશે અને પેલા માણસને સરજન ગતિશીલ હાવા છતાં તેના ઉપર ગુરૂત્વાકષ ણની જાણે કે કશી અસર ન હેાય એવા અનુભવ થશે. આમ ભિન્ન ભિન્ન અપેક્ષાએ અને ભિન્ન ભિન્ન સ ંયોગામાં ગુરૂત્વાકષ ણુનું અસ્તિત્વ તેમ જ નાસ્તિત્વ ઉભય અનુભવગાચર અનશે. . અહિં યાદ રાખવાનું છે કે આઇન્સ્ટાઇને ગુરૂત્વાકષ ણુને ઉદાહરણને ખાતર જ માન્યું છે. બાકી આમ તા તેણે ગુરૂત્વાકર્ષણનુ અસ્તિત્વ જ મિટાવી દિધુ છે. આ બધાના સાર સ્યાદાદ એમ બતાવે છે કે વસ્તુ અનત ધર્માંત્મક છે અથવા તા અનંત ગુણ અને વિશેષતાઓને ધારણ કરવાવાળી છે; કાઈ પણ વસ્તુના વિષયમાં જ્યારે આપણે કઇ કહીએ છીએ ત્યારે તેના એક ધર્માંને લક્ષમાં રાખી બીજા ધર્મોને ગૌણ કરીને વાત કરીએ છીએ. આપણું તે સત્ય આપેક્ષિક સત્ય છે. અન્ય અપેક્ષાએ તે વસ્તુ અન્ય પ્રકારની પણ હાઇ શકે. લીંબુની અપેક્ષાએ નાર'ગી માટી છે. તરબુચની અપેક્ષાએ નાની. એટલે કે લઘુત્વ અને ગુરૂત્વ જે આપણે વ્યવહારમાં ખેલીએ છીએ તે આપેક્ષિક છે. વાસ્તવિક ગુરૂત્વ તે લેાકવ્યાપી મહાસ્કન્ધમાં છે અને વાસ્તવિક લઘુત્વ પરમાણુમાં સુપ્રસિદ્ધ વૈજ્ઞાનિક એડીંગ્ટન આ વિષયમાં શુ કહે છે તે જોઇએ. તે લખે છે “ મને એમ લાગે છે કે ઘણુંખરૂ આપણે ચાલુ સત્ય અને વાસ્તવિક સત્યની વચ્ચે એક મર્યાદા બાંધીએ છીએ. એક કથન કે જે પદાર્થના ખાહ્ય સ્વરૂપ સાથે સબંધ રાખે છે તેને સત્ય કહી શકાશે ખરૂ, પણ જે કથન માત્ર બાહ્ય સ્વરૂપ નહી પણ તેના મૂળમાં રહેલા સત્યને પ્રગટ કરતું હશે તે વાસ્તવિક સત્ય કહેવાશે.” આ પ્રમાણે સ્યાદ્વાદ અને સાપેક્ષાવાદની વિસ્મયકારક સમાનતાને જોઇને એટલું તે માનવું જ પડશે કે. સ્યાાદ એ કોઇ ઉપરછલાં તત્વના સંગ્રહ નથી; પણ વસ્તુના મૂળ સ્વરૂપને સમજવા માટેના એક યથાર્થ માર્ગ છે જે હજારો વર્ષ પહેલાં જૈન દાર્શનિકાએ શેાધ્યો છે. તેનું સ્વરૂપ જેટલું દાર્શનિક છે તેટલું જ વૈજ્ઞાનિક પણ છે. તે માત્ર કલ્પનાના ગાળા નથી પણુ જીવનના એક વ્યાવહારિક માગ છે. તેથી જ તેા આચાર્ચોએ કહ્યુ છે “એ સ્વાાદ રૂપી મહા સિધ્ધાન્તને મારા નમસ્કાર છે કે જે વિના લાક વ્યવહાર ચાલી શકતા નથી.” મૂળ હિંદી મુનિ નગરાજજી પૂ . અનુવાદક : મેનાઅહેન નરોત્તમદાસ સત્ય શિવ સુન્દરમ સ્યાદાદના વિષયમાં ભગવાન મહાવીર સેંકડા પ્રશ્નોના ઉત્તર અપેક્ષાના આધાર પર વિભિન્ન પ્રકારે આપ્યા છે. સૃષ્ટિના મૂળભૂત સિધ્ધાન્તાને પણ અપેક્ષાયુક્ત બતાવ્યા છે. પરમાણુ નિત્ય છે કે, અનિત્ય આ પ્રશ્નના ઉત્તરમાં એમણે પરમાણુને નિત્ય અને અનિત્ય બન્ને કહ્યો. દ્રવ્યતત્વની અપેક્ષાએ તે નિત્ય છે, પણ પર્યાય આદિની અપેક્ષાએ અનિત્ય છે. તે પ્રતિક્ષણ પરિવત નશીલ છે. આવા જ ઉત્તર આત્માના વિષયમાં પણ ભગવાને આપ્યા. પ્રાકૃતિક સ્થિતિના વિષયમાં આઇન્સ્ટાઇન પણ અપેક્ષાપ્રધાન વાત કરે છે. સાપેક્ષવાદના પહેલા જ સૂત્રમાં તે કહે છે કે પ્રકૃતિ એવી છે કે તેની ગતિને નિર્ણય કાઈ પણ પ્રયોગદ્વારા સિદ્ધ થઇ શકવાના નથી. આનુ શુ કારણ ? તેના ઉત્તરમાં સર જેમ્સ જીન્સ કહે છે: “ગતિ અને સ્થિતિ બન્ને આપેક્ષિક ધર્મ છે. એક વહાણુ કે જે સ્થિર ઊભુ` છે, તે પૃથ્વીની અપેક્ષાએ સ્થિર છે, પણ સૂર્યની અપેક્ષાએ પૃથ્વી ગતિમાન છે તા તેની સાથે તે વહાણુ પણ ગતિમાન છે. જો પૃથ્વીનુ સૂર્યંની આસપાસ કરવાનું બંધ થાય તે સૂર્યની અપેક્ષાએ વહાણુ તેમજ પૃથ્વી સ્થિર કહેવાય પણ વહાણ અને પૃથ્વી ગતિશીલ સૂર્યની અપેક્ષાએ ગતિમાન ગણાશે. સૂર્ય જે તારામફળમાં બીરાજે છે તે તારામ`ડળ ગતિમાન હાઇને સ્થિર દેખાતુ વહાણુ, પૃથ્વી અને સૂર્ય ત્રણે ગતિશીલ કહેવાશે. આ પ્રમાણે આકાશમાં જેમ જેમ આપણે આગળ જઇશું તેમ તેમ આપણને પૂર્ણ સ્થિતિ જેવી કાઇ વસ્તુ મળી શકરો જ નહિ. તાત્પર્યં એ થયું કે અપેક્ષાવાદને અનુસાર પ્રત્યેક ગ્રહ કે પ્રત્યેક પદાર્થ ચર પણ છે અને સ્થિર પણ છે.” સ્યાદ્વાદી પણ કહે છે કે પરમાણું નિત્ય પણ છે, અનિત્ય પણ છે. જગત્ શાશ્વત પણ છે અને અશાશ્વત પણ છે. અહિં એ જોવાનું નથી કે જે નિર્ણય સ્યાદાદના છે તે જ નિ ય સાપેક્ષવાદના છે કે નહિ, અથવા જે નિર્ણય સાપેક્ષવાદના છે તે સ્યાદાદના છે કે નહિ; પણ જોવાનુ એ છે કે વસ્તુતત્વને પરખવાની બન્નેની પધ્ધતિ કેટલી સમાન છે. બન્ને વાદ કેટલા અપેક્ષાનિષ્ઠ છે? “અસ્તિ” “નાસ્તિ”ની વાત જેમ સ્યાદાદમાં ડગલે ને પગલે મળે છે તેમ “છે” અને “નથી” ની વાત સાપેક્ષવાદમાં પગલે પગલે મળે છે. જે પદાથ ના વિષયમાં આપણે એમ કહીએ કે આનું વજન ૧૫૪ પાઉં છે, ત્યાં સાપેક્ષવાદ કહેશે કે એ ખરૂં પણ છે અને ખાટું પણ છે, કેમકે તે જ ૧૫૪ પાઉંડનું વજન દક્ષિણ કે ઉત્તર ધ્રુવ ઉપર ૧૫૫ પાઉંડ થશે. ગતિ અને સ્થિતિની અપેક્ષાએ તે પણ બદલાય છે. આવી રીતે ગુરૂત્વાકષ ણુના વિષયમાં પણ આઇન્સ્ટાઈને એક કાલ્પનિક દૃષ્ટાન્ત દ્વારા સાપેક્ષવાદ સિધ્ધ કરી બતાવ્યો છે. ધારા કે કલ્પનામાં ન આવે એવુ એક ઊંચું મકાન પૃથ્વી ઉપર ઉભું કરવામાં આવ્યું છે અને તે મકાનની ટાચ ઉપર જવા માટે મકાન સાથે એક એલીવેટર અથવા સીક્રેટ જોડવામાં આવેલ છે. આ એલીવેટરની અંદર એક શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયાના લેખસંગ્રહ કાકાસાહેબ કાલેલકર અને પંડિત સુખલાલજીના પ્રવેશકો સાથે કીંમત રૂા. ૩, પોસ્ટેજ િ મુંબઇ જૈન યુવક સંધના સભ્યો તથા પ્રબુધ્ધ જીવનના ગ્રાહકો માટે કીંમત શું. ૨, પેસ્ટેજ પ્રબુદ્ધ જૈન તથા પ્રબુદ્ધ જીવનની ફાઇલા કીંમત રૂા. ૬, પોસ્ટેજ મા ઋષભદેવ ચરિત્ર ચિત્રાવલિ અંક કીંમત રૂા. ના, પોસ્ટેજ ] પ્રાપ્તિસ્થાન : શ્રી મુખ જૈન યુવક સબ, ૪૫૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઇ, ૩
SR No.525941
Book TitlePrabuddha Jivan 1956 Year 17 Ank 17 to 24 and Year 18 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1956
Total Pages260
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy