SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન ૧૩ નીકળે આ કેવળ અસ્વાભાવિક એટલે કલ્પનામાં કાષ્ટ રીતે એસે નહિ તેવી ઘટના લાગે છે. આ ઘટનાને સ્વાભાવિક દર્શાવવા માટે શાલીભદ્રના તેમ જ ધન્નાની મતાભૂમિકા પ્રારંભથી એવી રીતે આલેખાવી જોઇતી હતી કે જેથી પ્રેક્ષકોને પણ એમ લાગ્યા જ કરે કે ભગવાન યુધ્ધ માર્કે આ બન્ને વ્યકિત વૈભવવિલાસથી ઘેરાયલી હાવા છતાં અંદરથી વ્યથિત છે; વ્યાકુળ છે, અસ્વસ્થ છે, અને કા એક નાના સરખા ‘ઇલેકટ્રીક શોક’ની વીજળીના આંચકાની રાહ જોતી એકી છે. આવા કળાપૂર્વક આલેખનના અભાવે શાલીભદ્ર તથા ધનાનું વૈરાગ્ય-આરાહણુ વાસ્તવિક નહિ પણ કેવળ નાટકી લાગે છે, કાઈ પણ બટના નાટકમાં અન્તગત હોવા છતાં પણ નાટકી ન લાગે એમાં જ નાટક રચનારની ખરી કુશળતા રહેલી છે. આ માટે વિશિષ્ટ કલ્પના શકિતની અપેક્ષા રહે છે. સાથે સાથે મૂળ વસ્તુને નાટકને અનુરૂપ બનાવવા માટે કથાની વિગતમાં જરૂરી છૂટ લેવાની હીંમત પણ જરૂરી છે. Al. 24-3-4$. ભજવવામાં આવ્યું હતું. જૈન થાઓને નાટકમાં ઉતારવાના શ્રી ખીમ ચંદભાઇ વર્ષોથી પ્રયત્ન સેવી રહ્યા છે અને તેના પરિણામે ચંદનબાળા, બલિદાન, નેમ–રાજુલ, કસોટી, ધ વન, અભિશાપ ( સતી સુભદ્રા ) અને પ્રસ્તુત શાલિભદ્ર આમ અનેક નાટિકાઓ તેમનાં હાથે જન્મ પામી છે અને તેમાંની કેટલીક રંગભૂમિ ઉપર અનેકવાર ભજવાઇ છે. અને લોકપ્રિયતાને પામી છે. જૈન કથાઓને રંગભૂમિ ઉપર ઉતારવા માટે શ્રી ખીમચંદભાઇને ધન્યવાદ ઘટે છે. આમ કહેવુ જરૂ૨ વિચિત્ર જેવુ લાગશે, પણ એમ છતાં એ હકીકત છે કે, જૈન સમાજ વૈભવના તેમ જ સયમને, પરિગ્રહ વિસ્તારને તેમ જ. અનુપમ ત્યાગના એક સાથે પૂજારી રહ્યો છે અને આ પરસ્પરવિરાધી માનસનુ જૈન કથાકારાએ શાલીભદ્રની જે પ્રકારે કથા આલેખી છે તેમાં આપણુને સુશ્લિષ્ટ પ્રતિબિંબ દેખાય છે. 'કેવળ વૈભવવિલાસમાં ડુબેલા યુવાન, ૩૨ સ્ત્રીઓના સ્વામી, જેના પ્રાસાદમાં હંમેશા ૩૩ રત્નાભૂષણાની પેટીએ સ્વર્ગમાંથી ઉતરી આવતી હતી એવા' કલ્પનાતીત શ્રીમાન, શાસ્ત્રકારાના કહેવા પ્રમાણે પૂર્વભવના અમાપ પુણ્યરાશીનુ ફળ ભાગવત ભદ્રપુરૂષ એટલે શાલીભદ્ર. એ વખતના મગધનરેશ રાજા બિંબિંસાર અથવા શ્રેણિક શાલીભદ્રની આવી રૂિ અને વૈભવથી આકર્ષાતે શાલીભદ્રને નજરે નિહાળવાના આશયથી શાલીભદ્રને ત્યાં આવે છે. પેાતાના માથે બિંબિસાર નામના કાઈ રાજા છે. આ હકીકત તેના ધ્યાન ઉપર આવે છે અને તે એકાએક આંચકા અનુભવે છે, અને આ ભાન તેનામાં આત્મજાગૃતિ પ્રેરે છે અને સયમના માર્ગે તેને એકએક વાળે છે, અને એક દિવસે એક એમ-૩૨ પત્નીઓના ઉત્તરાત્તર ત્યાગના તે નિર્ધાર કરે છે. શાલીભદ્રના ખનેવી ધન્ને. આઠ પત્નીના સ્વામી છે. તેને શાલીભદ્રના આવા નિરધારનાં ખબર પડતાં તે પણ એકાએક ત્યાગભાવના ઉપર ઢળે છે. અને એક સાથે આઠે પત્નીનો ત્યાગ કરી ધર ખેડી નીકળી પડે છે અને શાલીભદ્રને પડકાર કરે છે કે “એક દિવસે એક સ્ત્રીને ત્યાગ કરવા—આ તે કાઇ ત્યાગની રીત છે ?” અને શાલીભદ્ર એ પડકાર ઝીલીને બાકી રહેલી બધી પત્નીઓને એક સાથે ત્યાગ કરી ધન્ના સાથે ચાલી નીકળે છે. આ છે. ટુકમાં શાલીભદ્રની કથા. તેમાં સ્વાભાવિકતા બહુ જ ઓછી છે, અતિશયતા અને કૃત્રિમતા પાર વિનાની છે. આવી જ કથાને આજ રૂપમાં નાટકમાં ઉતારવામાં આવે તે જૈન ધર્માનુરાગી પ્રેક્ષકાને પૂર્વ સંસ્કારના કારણે કશું જ અણાગતું ન લાગે, પણ તટસ્થ . જોનારને આ વસ્તુ કાઇ સ્વાભાવિક મેળવિનાની અને અમુક અંશે હાસ્યાસ્પદ લાગ્યા વિના ન રહે. શ્રી ખીમચ ંદભાઇએ પ્રસ્તુત નાટક મૂળ જૈન કથાનકને સ્થળપણે વળગી રહીને રચ્યું છે તેથી મૂળ કથામાં રહેલી Crudeness. કઢગાપણું નાટકની વસ્તુમાં સંપૂર્ણશ પ્રતિબિંબિત થયું છે અને નાટકના સ્વરૂપ, બાંધણી અને આયોજન વિષે આધુનિક ખ્યાલોના ધારણે માપતાં પ્રસ્તુત નાટક ઉતરતી કાટિનું લાગે છે. તો શાલીભદ્રની માતા ભદ્રા શેઠાણી જ્યારે ભાત ભાતની ચીજોના અત્તર, કાપડ, રત્નક ખલના–માંમાગ્યા, · ‘ઢગલાબંધ એકામપણે દામ આપે છે ત્યારે જરૂર તેની સંપત્તિની છાકમ ળ નજરે પડે છે, પણ સાથે સાથે તે કેવળ વેવલી અને વિવેક વિનાની માલુમ પડે છે. જૈન શેઠાણી આવી ન હેાય. પોતાના ધણીના વેપાર પુરી કુશળતા— • ઉપરની એક નોંધમાં જ્યારે જૈન કેળવણી મડળને તેની સગવડાના લાભ જૈનેતર વિદ્યાર્થીએ તરફ લખાવવાને અનુરોધ કરવામાં આવ્યો છે ત્યારે તેના અનુસધાનમાં જણાવતાં આનંદ થાય છે કે તા. ૧૦-૩૫૬ શનીવારના રોજ શ્રી ચીમનલાલ ચકુભાઇ શાહના પ્રમુખપણા નીચે મળેલી સંયુક્ત જૈન વિદ્યાર્થીગૃહની સામાન્ય સભાએ, યોગ્યતા ધરાવતા જૈનેતર વિદ્યાર્થીઓને – પણ એ સંસ્થાના છાત્રાલયામાં દાખલ કરી શકાશે પૂર્વ ક ચલાવતી, પાઇએ પાછના હિસાંબ‚ રાખતી, કરકસરની દૃષ્ટિ-એવા સર્વાનુમતે ઠરાવ કર્યો છે અને એ ઠરાવને અમલ કરવામાટે જરૂર પૂર્વ કે વૈભવશાલીપણાનું દર્શન કરાવતી; હજારો રૂપીયાનું દાન કરતી અને અનેક, દીન દુ:ખીનું અવલંબન બનતી આવી જૈન શ્રામન્ત શેઠાણીના ઉજ્જળ દૃષ્ટાન્તા જૈન કથાનકામાંથી છુટાં છવાયાં મળી આવે છે. છેલ્લા સકામાં થઈ ગયેલ આવાં એક હરકાર શેઠાણીનું નામ જાણીતુ છે. ભદ્રા શેઠાણીનું આલેખન આ ધારણ ઉપર થવું જોઇતું હતું, જણાય તા ચેરીટી કમીશનર તેમ જ હાકા ની મજુરી મેળવવા માટે જરૂરી પગલાં ભરવાની કાર્યવાહક સમિતિને સત્તા આપવામાં આવી છે. નીતાન્ત વૈભવમાં ડુબેલે માણસ માત્ર મારા માથે કાઇક છે' એ ખ્યાલથી એકાએક ત્યાગ અને સયમ ઉપર ઢળી પડે, અને એ જ રીતે શાલીભદ્રની વાત સાંભળીને ધન્ના પણ ઘર ખેડીને ચાલી પ્રસ્તુત નાટકને અથવા તેા નાટિકાને ઐતિહાસિક નાટકા” તરીકે વર્ણવવામાં આવેલ છે. કાઇ પણ ઐતિહાસિક પાત્ર સાથે કથાનાયકનું નામ જોડાયેલ હાય એ ઉપરથી ' મૂળ વસ્તુ કે તે ઉપરથી . યાજવામાં આવેલ નાટિકા ઐતિહાસિક બની શકતી નથી. શાલીભદ્ર ઐતિહાસિક પાત્ર હાવા માટે કાઈ પ્રમાણુ નથી. તેની કથા કેવળ કાલ્પનિક હાઇ શકે છે અથવા તે એક દ્ધિશાળી યુવાનના એકાએક ગૃહત્યાગને કાઇ. જૈનાચાયે રંગ પૂરીને આવી કથામાં ગુંથેલ હાય એમ પણ બને. આવી કથાને ઐતિહાસિક કહેવી કે વર્ણવવી તે ‘ઇતિહાસ’ શબ્દના અર્થ અને મહત્વની ઉપેક્ષા કરવા બરાબર છે. આવી કથા માટે પૌરાણિક વિશેષણ વધારે ઉચિત લાગે છે. • કોઇ પણ સાહિત્યકૃતિ આલેચના માટે સામે આવે ત્યારે તે વિષે અનુકુળ પ્રતિકુળ પ્રત્યાધાતાને યથા સ્વરૂપે રજુ કરવા એ સમાલોચકની ક્રૂજ બને છે. આમ છતાં પણ જે સમાજમાં સાહિત્ય પ્રવૃત્તિ તરફ ઢળનારાં બહુ ઓછા છે એવા સમાજમાં શ્રી ખીમદ ભાઇના આ પ્રયત્નાની હું ઓછી કીમત નથી આંકતા. તેઓ આ સાધના ચાલુ રાખે અને નવી નવી કૃતિઓના નિર્માણુ વડે પોતાની લેખન કળાને તેમ જ નાટય—આયોજન શકિતને વિકસાવતા રહે અને સાહિત્યના ક્ષેત્રમાં તે એક ઉત્તમ કાટિના નાટક લેખકનું સ્થાન પ્રાપ્ત કરે એવી તેમના વિષે મારી શુભેચ્છા છે. ખાસ કરીને જૈન કથાઓનું વિપુલ સાહિત્ય જે હજુ આજના જગતને અગાચર છે તે તેમની સાહિત્ય · આરાધના દ્વારા બહાર આવે તથા રંગભૂમિ તેમ જ ચિત્રપટા ઉપર રજુ થવા માંડે એમ હુ અન્તરથી ઇચ્છું છું. સંયુકત જૈન વિદ્યાથીગૃહનાં દ્વાર જૈનેતર વિદ્યાથી ઓ માટે ખુલ્લાં મૂકાય છે. કાળનુ પણ કેવું વૈચિત્ર્ય છે કે આજથી આઠ વર્ષ પહેલાં આજ આશયને ઠરાવ સ્થાની સામાન્ય સભા સમક્ષ રજુ કરવામાં આવેલા ત્યારે હાજર રહેલા ધણા ખરા સભ્યો તરફથી તેના સખ્તમાં સખ્ત વિરોધ કરવામાં આવેલા, અને એ જ મતલબના ઠરાવને એ જ સંસ્થાની સામાન્ય સભાએ આજે સર્વાનુમતે વધાવી લીધા છે. સામાન્યતઃ જનમાનસમાં અને વિશેષતઃ જૈન સમાજના માનસમાં સમયના
SR No.525941
Book TitlePrabuddha Jivan 1956 Year 17 Ank 17 to 24 and Year 18 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1956
Total Pages260
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy