________________
તા. ૧-૩-૫૬
પ્રબુદ્ધ જીવન
આચાર્ય નરેન્દ્ર દેવ
ભગવાન બુધ્ધ, કાલ માસ અને મહાત્મા ગાંધીની ફિલસુીા જીવન અને વિચારમાં અસાધારણ સમન્વય સાધનાર વિચારક અને લોકનાયક આચાય નરેન્દ્ર દેવનુ ફેબ્રુઆરીની ૧૯મીએ મદ્રાસ રાજ્યના કરાડ ગામમાં અવસાન થયું,
આચાય નરેન્દ્ર દેવના સુગ્રથિત (Integrated) જીવનના પ્રતીક સમી નીચેની હકીકતો છેક અંતકાળ સમયે ખની, ધણા સમયથી તે બુધ્ધ અને લસુરી પરના ગ્રંથ “બુધ્ધધર્મ દર્શન” લખતા હતા તે પૂરા કર્યાં. ભાષાકીય હુલ્લડોથી અકળાઈ જઈને તેમના પચીસ વર્ષના જુના સાથી જયપ્રકાશ નારાયણને તેમણે અંગત પત્ર લખ્યા કે તે એક પ્રતિનિધિ મંડળની આગેવાની લઈ વડા પ્રધાન નહેરૂને મળે અને કાઇ પણ સજોગોમાં દેશની એકતા ન જોખમાય એવી રીતે ભાષાકીય રાજ્યરચનાના પ્રશ્નના ઉકેલ લાવે. તેમના અંગત મિત્ર અને મદ્રાસના ગવનર શ્રી, શ્રીપ્રકાશને તેમણે છેલ્લા શ્વાસ લગી કહ્ય રાખ્યું કે જયપ્રકાશે પ્રજાસમાજવાદી પક્ષ છેડી માત્ર ભૂદાનને જીવન અર્પણુ કર્યું તેથી, અને ડૉ. લેાહિયાએ પક્ષત્યાગ કરી નવા પક્ષ સ્થાપવાથી, સમાજવાદી પ્રવૃત્તિને ભારે નુકશાન થયું છે. આમ હિન્હી સંસ્કૃતિને તલસ્પર્શી અભ્યાસ, રાષ્ટ્રીય એકતા માટે તાલાવેલી અને સમાજવાદ, આચાય નરેન્દ્ર દેવના ભવ્ય જીવનનાં પ્રેરક ખળાં હતાં.
સારૂ થયું કે જ્યારે ૧૯૧૩ માં સંસ્કૃત, પાલી, પ્રાકૃત અને પુરાતત્ત્વના વિષયે લઈ નરેન્દ્ર દેવ એમ.એ. થયા ત્યારે હિન્દી સરકારના પુરાણું વસ્તુ શોધ ( Archeology) ખાતામાં જગ્યા ખાલી ન હતી, નહીં તે! નરેન્દ્ર દેવ એ ખાતામાં જરૂર જોડાઈ ગયા હાત. પણ દશ વરસની ઉમરે ડેલીગેટ પિતાની સાથે અખિલ હિન્દ રાષ્ટ્રીય મહાસભાની બેઠકમાં હાજરી આપનાર નરેન્દ્ર દેવના મનમાં રાજકારણનાં ખી વવાઈ ગયા હતા. ઇટાલીના સ્વાતંત્ર્યવીર મેઝિની, કુમારસ્વામી, ક્રોટ્કીન, અરવિન્દ ધોષ અને ફ્રેન્ચ ક્રાંતિ પર લખાએલા પુસ્તકાએ નરેન્દ્ર દેવને ઉદ્દામ રાષ્ટ્રવાદી બનાવ્યા. ટિળક તેમના આદર્શ બન્યા. તેમને એમ લાગ્યું કે રાજકારણમાં જવા માટે વકીલાતનું ભણવાની જરૂર છે. પિતા તેા પ્રખ્યાત વકીલ હતા જ. નરેન્દ્ર દેવે વકીલાતની પરીક્ષા પાસ કરી ઉત્તર પ્રદેશના ફૈઝાબાદમાં વકીલાત શરૂ. કરી, પણ એ સાથે ફૈઝાબાદમાં હેમલ લીગની શાખાની સ્થાપના કરી તેના મંત્રી પણ બન્યા.
૧૯૨૧ માં કાશી વિદ્યાપીઠ સ્થપાણી. આ રાષ્ટ્રીય વિદ્યાપીઠમાં કાર્ય કરવા નરેન્દ્ર દેવને જવાહરલાલે સમજાવ્યા.Î. ભગવાનદાસ, આચાર્ય કૃપલાની અને ડૅ, સંપૂર્ણાનદ ત્યાં અધ્યાપકો હતા. નરેન્દ્ર દેવ પણ જોડાયા. પાંચ વરસ બાદ ૧૯૨૬ માં તે કાશી વિદ્યાપીઠના આચાર્ય બન્યા. આ સમય દરમિયાન, પ ંડિત નહેરૂ . અને નરેદ્ર દેવ બન્નેએ સાથે મળી ખૂબ કામ કર્યું. જવાહરલાલે આ શરમાળ પણ સમ માણુસે વધુને વધુ જાહેરમાં આવવું જોઇએ એમ નક્કી કર્યું. ગાંધીજીએ તા ૧૯૩૦ માં ગુજરાત વિધાપીઠના પીદાન સમારંભનુ વ્યાખ્યાન આપવા નરેંદ્ર દેવને નાતરી તેમનુ અસામાન્ય બહુમાન કર્યુ આ પહેલા નરેન્દ્રદેવ ઉત્તર પ્રદેશ કેંગ્રેસ કમીટીના પ્રમુખ બની ચૂકયા
હતા.
૧૯૨૯ માં જયપ્રકાશ અમેરિકાથી ભણી પાછા આવ્યા અને થોડા સમયમાં તે નરેંદ્ર દેવના ખૂબ નિકટ પરિચયમાં આવ્યા. જયપ્રકાશ તે એ સમયે લગભગ સામ્યવાદી હતા. નરેદ્ર દેવ અને જયપ્રકાશે કૉંગ્રેસ માત્ર બંધારણવાદી ન બની જાય તે માટે, પક્ષની અંદર જ એક જૂથ રચવાનું નક્કી કર્યું હતું. મહેરઅલી, ડૉ. લોહિયા, મસાણી, અશેક મહેતા, અને અચ્યુત પટવર્ધન પણ અવું વિચારી રહ્યા હતા. ૧૯૩૦-૩૧ ની સત્યાગ્રહની લડતે આ વિચારપ્રવાહને યોગ્ય દિશામાં
૨૦૩
વાળવાની તક આપી, નરેદ્ર દેવ અને નહેરુ સાથે જેલમાં હતા, મહેરઅલી અને બીજા જુવાના નાસિક જેલમાં આ અંગે વિચારતા હતા. ૧૯૩૪ માં કોંગ્રેસના પટના અધિવેશન સમયે કૉંગ્રેસ સમાજવાદી પક્ષની સ્થાપના થઈ. આ જૂથના અધિવેશનના નરેંદ્ર દેવ પ્રમુખ થયા, ત્યારથી મૃત્યુ લગી, નરેંદ્ર દેવ સમાજવાદી ચળવળના સર્વ માન્ય નેતા બન્યા. આ રીતે હિન્દી સમાજવાદના પિતાનું સ્થાન તેમણે પ્રાપ્ત કર્યું.
૧૯૩૬ માં નહેરુ ખીજી વાર કોંગ્રેસના પ્રમુખ ચૂંટાયા. તેમણે નરેંદ્ર દેવની કૉંગ્રેસ કારોબારીના સભ્ય તરીકે નિમણૂક કરી, ત્યારથી ૧૯૪૮ માં જ્યારે સમાજવાદી જૂથ કેંગ્રેસમાંથી છૂટું થયું ત્યાંસુધી, તે કૉંગ્રેસના વરિષ્ઠ મંડળના સભ્ય રહ્યા, નરેંદ્ર દેવે કિસાનાનુ` સંગઠન શરુ કર્યું. અને અખિલ હિંદ કિસાન સભાના એ વાર પ્રમુખ થયા. સ્વરાજ પહેલાની કાંગ્રેસમાં તેમનું એવું સ્થાન હતું કે ગાંધીજીએ, સુભાષ એઝે અને નહેરુએ એકથી વધુ વાર જાહેર કરેલુ` કે નરેદ્ર "વ કોંગ્રેસનાં પ્રમુખ થવા જોઈએ, પણ ઇતિહાસે જુદું જ ધાયું હતું.
આ બધી પ્રવૃત્તિઓ દમના ઉગ્ર વ્યાધિ હોવા છતાં ચાલતી હતી. ગાંધીજીએ ૧૯૪૦ માં વ્યકિતગત સત્યાગ્રહ શરુ કર્યો ત્યારે તેમની તબિયત નબળી હતી. પણ ૧૯૨૦ થી દરેક લડત સમયે કારાવાસ તાતરનાર નરેંદ્ર દેવ કેમ ચૂપ બેસી રહે ? આ સત્યાગ્રહમાં પણ તે જોડાયા અને જેલમાં ગયા. ત્યાં તેમની તબિયત વધુ બગડી, ગાંધીજીએ નરેંદ્ર દેવને જાણ કર્યાં સિવાય સરકારને લખ્યુ` કે નરેદ્ર દેવને છેડી મૂકવા જોઇએ. સરકારે તેમને મુક્ત કર્યાં. ગાંધીજીએ નરેંદ્ર દેવને સેવાગ્રામમાં રાખી કુદરતી ઉપચારારા તેમને દમ લગભગ મટાડી દીધો. .
આઝાદી પછીના પ્રથમ કેંદ્રીય પ્રધાનમંડળનાં પ્રધાન તરીકે નરેન્દ્ર દેવ આવે તેવી નહેરુની ઇચ્છા હતી, પણ તેમણે પ્રધાનપદના અસ્વીકાર કર્યાં. પ્રજાને લોકશાહી સમાજવાદ વિશે શિક્ષણ આપવું તે વધુ મહત્વનુ છે એમ તેમને લાગ્યું. આ પહેલા ૧૯૩૭ માં પણ તેમણે ઉત્તર પ્રદેશના કોંગ્રેસી પ્રધાનમડળના સભ્ય થવાના
અસ્વીકાર કરેલા.
૧૯૪૮ માં સમાજવાદી પક્ષની સ્થાપના થઇ. ત્યાર પછીના ઇતિહાસ જાણીતા છે, નરેંદ્ર દેવ લખનૌ તથા બનારસ યુનિવર્સીટીના ઉપકુલપતિ થયા. લખનૌમાં તેમણે જે કામગીરી બજાવી તે હવે શિક્ષણના ક્ષેત્રે ઐતિહાસિક બની ચૂકી છે, ઉપકુલપતિના વિશાળ બંગલા તેમણે નિરાશ્રિત વિદ્યાર્થીઓને રહેવા આપી દીધો. પોતાના પગારમાંથી દર મહિને તેઓ આઠસો રૂપિયા વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિના કૂંડમાં આપતા, યુનિવર્સિટીના શિક્ષણમાં તેમણે ધણાં પાયાના ફેરફારા કર્યાં; વિદ્યાક્ષેત્રે પ્રવેશેલા રાજકારણને કડક હાથે દબાવી દીધુ. વિધાર્થીઓના તે એટલા પ્રીતિપાત્ર હતા કે તબિયતને કારણે જ્યારે તેમણે રાજીનામું આપ્યું ત્યારે લખનૌ યુનિવર્સિટીના વિદ્યાર્થીએ ભૂખ હડતાળ પર ગયા હતા.
રાજકીય આગેવાન હોય અને ઊંડા રાજકીય વિચારક પણ હાય એવા આપણા દેશમાં એ નામે હતા-પડિત નહેરુ અને નરેન્દ્ર દેવ, આચાય નરેંદ્ર દેવની દેશની દૃષ્ટિએ મોટામાં મોટી ખેાટ પડી છે. નરેંદ્ર દેવજી પ્રખર પડિત હતા, અનેક ભાષા જાણતા, અસાધારણ વકતા હતા, મુલાયમ સ્વભાવના ગૃહસ્થ હતા. પણ આ બધા કરતાં તેઓ સ્પષ્ટ વિચારક હતા, તેનું વધુ મૂલ્ય છે. તેમના જેટલી વિશદતાથી રાજકીય વિચાર આ દેશમાં ભાગ્યે જ કાઈ રજુ કરી શકતુ એમ કહેવાય છે તેમાં જરાયે અતિશયોકિત નથી. લેાકસભામાં નરેંદ્ર દેવને અંજલિ આપતા વડા પ્રધાન નહેરુએ તેમના વ્યકિતત્વને દીવાદાંડી કહી બિરદાવ્યું છે એ જેટલું કાવ્યમય તેટલું જ વાસ્તવિક છે. વાડીલાલ ડગલી
મુંબઇ, ફેબ્રુઆરી ૨૫, ૫૬.