SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ પ્રભુનું વન કચ્છી જૈન સર્વોદય કેન્દ્રનુ રાહતકાર્ય મુંબઇનાં તાના દરમિયાન લૂંટફાટ તેમ જ અરાજકતાના ભાયખલાથી દાદર વિભાગ સુધીમાં રહેતા અનેક કચ્છી દુકાનદારો અને કુટુંબીઓ સૌથી વધારે ભાગ બન્યા હતા. તેમની દુકાને લુંટાઇ હતી અને જીંદગી જોખમમાં મુકાઈ હતી. એ વખતે મુંબઈના ઈન્ડીયન ગ્રેન ડીલર્સ ફેડરેશનના સહકારમાં શાહ માલશી ઘેલાભાઇ ગુંદાલાવાળા કચ્છી જૈન સર્વોદય કેન્દ્રે પણ અદ્ભુત કામગીરી બજાવી હતી. એ સંસ્થાના પ્રમુખ શ્રી. રામજી રવજી લાલન તરફથી સંસ્થાના પ્રસ્તુત રાહતકાર્ય માં જેણે જેણે સહકાર આપ્યો તે સના વિગતવાર આભાર માનતા એક પરિપત્ર બહાર પાડવામાં આવેલ છે. તે પરિપત્રમાં તેઓ જણાવે છે કેઃ— “સંયુકત મહારાષ્ટ્ર આંદોલન અંગે મુંબઈમાં ફાટી નીકળેલાં ભયંકર અને ઝનુની તાકાતેના કારણે ખાસ કરીને ઉત્તર વિભાગના કચ્છી દાણાવાળા ભાઈનાં અને અન્ય ગુજરાતી તેમજ મારવાડી ભાઓનાં માલ, મીલકતા અને જાતે જોખમમાં મૂકાઈ ગયાં હતાં, સર્વાંત્ર ભય અને ત્રાસનું વાતાવરણ ફેલાઈ ગયું હતું. સેંકડો નહિ પણ હજારો દુકાનો અને એરડી લુંટાઈ ગઇ હતી અને ગુજરાતી ભાઇઓની સલામતી જોખમમાં મૂકાઈ ગઈ હતી અને ચારે બાજુ ત્રાહી ત્રાહી પોકારાઈ રહી હતી. તેવા સમયે તાક્ાનગ્રત વિસ્તારામાં સપડાયલા કચ્છી દાણાવાળા, મારવાડી અને ગુજરાતીભાઇને રાહત આપવાનું કાર્ય અમારા કેન્દ્ર અમારા કેન્દ્રના કાર્ય કર્તા શ્રી ગાંગજી દેવરાજ છેડાની રાહબરી નીચે હાથ ધર્યું હતું. “ ત્રાસ અને ગભરાટના વાતાવરણના લીધે સવથી પ્રથમ કાનગ્રસ્ત વિસ્તારોમાં સપડાયલા ભાઇઓને ખસેડવાનું અમને યોગ્ય લાગ્યું હતું અને અમારા કેન્દ્રના આગેવાન શ્રી ગાંગજી દેવરાજની આગેવાની હેઠળ ભાતબજારના સંખ્યાબંધ યુવાન કાર્ય કર્તાઓના સહકારથી એ પ્રવૃત્તિ તરતજ હાથ ધરવામાં આવી હતી અને હજારા ભાઇઓને તાકાનગ્રસ્ત લત્તાઓમાંથી ખસેડી માંડવી ખાતેની મહાજનવાડીમાં અને અન્ય સ્થળોએ લાવવામાં આવ્યા હતા, આ કાર્યમાં જે ભાઇઓએ પાતાના જાનના જોખમે હિંમતપૂર્વક આતમાં સપડાયલા ભાઈ બહેના અને બાળકાને ખસેડવામાં અને અમારા કેન્દ્રમાં લાવવામાં તથા ભાતબજારમાંથી અનાજ વિગેરે ખારાકીના તમામ માલ હાથગાડીમાં જાતે ખેંચી પહેોંચાડવામાં વિગેરે તમામ પ્રકારની સહાય અને સુંદર સહકાર આપ્યો છે તે બદ્લ આ પ્રસંગે તેમના અમે જાહેર આભાર માનીએ છીએ. “સડેંટમાં સપડાયલા એ ભાએેને ખસેડવા માટે મેસસ દેવજી કેશવજીની કાં., શેઠ હુસેન અબદુલ કરીમ પ, સરદાર હજારાસિંહ, સરદાર મેં ગળસિંહ,શ્રી ગૌરીશંકર પ્રેમજી જોશી, શ્રી હંસરાજ ( બાબુભાઇ ) વિગેરે . સજ્જનાએ પોતાની એક ડઝન જેટલી લેરીએ આપી અમારા એ. કાર્યમાં પ્રેત્સાહન, સહાય અને સહકાર આપ્યા હતા. તેમના આ કેન્દ્ર અત્યંત ઋણી છે અને એ ભાઇઓના આભાર માનવાની અમે તક લઇએ છીએ. પહેરેલાં કપડે જ ખસેડાયલા સેકડા ભાઇઓ માટે જમવા તથા સુવા ઉઠવાની સગવડ મહાજનવાડી મધ્યે કરવામાં આવી હતી અને આ વ્યવસ્થા જાળવવામાં શ્રી રવજીભાઈ ખીમજી છેડા, શ્રી મેારારજી મેધજી સગાઈ, શ્રી ધનજી ટાકરશી, શ્રી વેલજી દેવજી, શ્રી વિશનજી કુંવરજી કારાણી–આ ભાઇઓએ સુંદર સેવા બજાવી વ્યવસ્થા જાળવી છે તે બદલ તેમના આભાર માનવાનું ભુલી શકાય તેમ નથી. તા. ૧૫-૨-૫૬ પૂર્વનાં વિરૂધ્ધ પશ્ચિમનાં મૂલ્યા ( પ્રબુધ્ધ, જીવનના ગતાંકમાં ભવ્ય ભૂતકાળની ભ્રમણામાંથી મુકત નાઃ આધુનિક જીવન મલ્યે! અપનાવે એ શક નીચે પ્રગટ કરવામાં આવેલ સરદાર કે એમ, પાણીકરના પ્રવચનમાંના અમુક વિવાદાસ્પદ વિધાનાની તા ૨૧-૧-૫૬ ના હિરજન'ઇમાં ઉપર આપેલા મથાળા નીચે શ્રી મગનભાઇ દેસાઇએ એક વિશદ સમાલોચના કરી છે જે નીચે પ્રગટ કરવામાં આવે છે. તત્રી ) રવીન્દ્રનાથ ટાગોરે તેમના એક નિબંધમાં નીચે મુજબ આ કાર્યમાં ભાત બજારના જથાબંધ અનાજ તથા રસકસ સાકરના વેપારીઓ, રાઈસ મર્ચેન્ટસવાળા અને અન્ય ગૃહસ્યા તથા વેપારીઓએ જે ખેલદીલી ખતાવી વગર કીમતે જરૂરી અનાજના જથ્થા, ધી, ગાળ, તેલ, સાકર અને કપડાં તથા ખીજી ચીજો પુરી પાડી હતી તે બદ્દલ એમના આભાર માનતાં અમને ખરેખર આનંદ થાય છે. સંકટમાં સપડાયલા ભાઇઓને જરૂરી કપડાં તેમજ મુંબઈ છેડી જનાર ભાઇઓને સ્ટીમર અને રેલ્વેની ટીકીટા આપવાનું કાર્ય પણ હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્ય પાર ઉતારવામાં અમને સાથ અને સહકાર આપવામાં જે ભાઈ આ બારામાં પોતાના દરેક જાતના ભોગ આપી અમારા કાર્યમાં ધણા મદદરૂપ નીવહ્યા છે તેમને આભાર માનવાનુ અમે ઉચિત માનીએ છીએ.” લખ્યુ છેઃ “પ્રાચીન ગ્રીસની સંસ્કૃતિ શહેરના કોટની અંદર ખીલી હતી. વસ્તુતાએ, આાધુનિક કાળની સધળી સંસ્કૃતિ। ઈંટ તથા ચૂનાના પાણામાં ઊછરી છે. આ દીવાલા માણસાના ચિત્તની ભૂમિકા પર ઊંડી નિશાનીઓ મૂકતી જાય છે. તે આપણી મનેદશામાં ભેદ પાડીને રાજ્ય કરાતા સિદ્ધાંત નિર્માણ કરે છે. એ વસ્તુ, આપણા સઘળા વિજચાને, તેમની આસપાસ દીવાલ રચીને તથા તેમને એકબીજાથી નિરાળા પાડીને આપણે માટે સલામત બનાવવાની ટેવ આપણા ક્લિમાં પેદા કરે છે. “હિંદુસ્તાનમાં આપણી સંસ્કૃતિ અરણ્યમાં ઉદ્ભવી હતી અને તેણે પોતાના ઊગમસ્થાનનું તથા પોતાની આસપાસની પરિસ્થિતિનુ નિરાળું સ્વરૂપ ધારણ કર્યું “ હિંદની ભૌતિક આબાદીની પરાકાષ્ટાના કાળમાં પણ તેનું હૃદય તપોબળ તેમ જ આત્મ-સાક્ષાત્કારના પોતાના આરંભકાળના આદર્શ ને તથા તપાવનના આશ્રમના સાદા જીવનના ગૌરવને પૂજતુ રહ્યું હતું. ત્યાં આગળ સંચિત થયેલા શાણપણમાંથી તે પ્રેરણા મેળવતું હતું. “ પોતે પ્રકૃતિને બ્રશ કરી રહ્યા છે એમ વિચારવામાં પશ્ચિમના દેશા ગર્વ લેતા જણાય છે.આ ભાવના નગરની દીવાલાના કુંડાળામાં પડેલી 2વા તથા ત્યાં આગળ મળેલી ચિત્તની તાલીમનું ફળ છે. કારણ કે નગરજીવનમાં માણસ પેાતાના માનસિક દર્શનના સધળે પ્રકાશ પોતાના જીવન પર અને પેાતાનાં કાયા પર કેન્દ્રિત કરે છે અને એ વસ્તુ તેની તથા જેના ખેાળામાં તે સૂતેલા છે તે સર્વવ્યાપી પ્રકૃતિની વચ્ચે કૃત્રિમ તા પેદા કરે છે. “ પરંતુ હિંદમાં દૃષ્ટિબિંદુ જુદુ હતુ. તેમાં જગત અને માનવીન એક મહાન સત્યના રૂપમાં સમાવેશ થતા હતા...... (સાધના, પ્રકરણ ૧) સરદાર પાણીકરે વિશ્વભારતીના પદવીદાન સમાર’બને પ્રસંગે શાન્તિનિકેતનમાં હિંદની સભ્યતા તથા સંસ્કૃતિના આ પરમ સત્યને ઉતારી પાડતું, લગભગ તેના ઉપહાસ કરતું વ્યાખ્યાન આપ્યું એ તેમનુ ઉદ્દતાભયું નહીં તે ભારે હિંમતભર્યું પરાક્રમ હતું. સિઁદુ પત્રે (૨૭-૧૨-૫૫) શાન્તિનિકેતનમાં પોતાની ડિગ્રી તથા ડિપ્લેમા મેળવનારા તરુણા આગળ સરદાર પાણીકરે પોતાની છટાદાર વાધારા વહેતી મૂકી તેને નીચે પ્રમાણે વર્ણવી છે અને તે ઉચિત જ છે ઃ ‘સરદાર પાણીકર, પેાતાના વાક્ચાતુર્ય ને બળે સહેલાથી રમેતા કરવા માટે અસંખ્ય કાલ્પનિક ભૃત પેદા કરવામાં ભારે આનંદ માણુતા હાય એમ લાગે છે.' ઇતિહાસકાર અને પંડિતની વાણી દ્વારા નૃત્ય કરવાને પેદા કરવામાં આવેલાં કાલ્પનિક ભૂતા આ હતાં : (૧) હિંદુ ગરીબાઇને રાષ્ટ્રીય આદર્શ ' તરીકે અપનાવી છે, જે ઉચ્ચ પ્રકારની વિચારણાને ઉત્તેજન આપે છે. એમ માનવામાં આવે છે, તે સાદા જીવનનાં સિદ્ધાંત, બીજું કંઈ નહીં પણ ગરીબાઈની આરાધના જ છે; અને (૨) હિંદ બાકીની દુનિયા કરતાં વધારે આધ્યાત્મિક છે. એ કેવળ આત્મવચના જ છે; ભૌતિકવાદ, વસ્તુતાએ, હિંદના જેટલા બહેાળા પ્રમાણમાં ખીજે કયાંયે જોવા મળતા નથી; અને (૩) ગ્રામજીવનની તથા ગ્રામ અને ગૃહઉદ્યોગોના પાયા પર રચાયેલી ગ્રામઅર્થવ્યવસ્થાની પ્રશંસા આપણા ભૂતકાળ વિષેની વિકૃત દૃષ્ટિ પર રચાયેલી છે, કારણ કે, ‘હિંદમાં હરાઈ સમયે પ્રાણવાન નગરજીવન મેાજૂદ હતું.' એથી કરીને તેમણે આશ્રમની મને દશા વખાડી કાઢી. તેમને મન એ ગરીબાઇની આરાધના સિવાય ખીજું કશું જ નથી. ભારત સરકારના ઉદ્યોગખાતાના પ્રધાન શ્રી ટી. ટી. કૃષ્ણામાચારીએ પણુ ગાંધીજીની વિચારસરણી પ્રમાણે કામ કરતા આશ્રમને લગભગ એ જ રીતે ખાડી કાઢ્યા નહાતા Tob
SR No.525941
Book TitlePrabuddha Jivan 1956 Year 17 Ank 17 to 24 and Year 18 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1956
Total Pages260
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy