________________
પ્રબુદ્ધ જીવન
૧૮૮
શંકા કે બીક સેવે છે કે “પરિસ્થિતિના વિચાર કરી પંડિતજી જો આજના નિયમાં ફેરફાર કરે તો તે અમારે સ્વીકારવા પડશે અને પછી બધા કહેશે કે ખીકના માર્યા અમે એ સ્વીકાર્યાં છે.” ખરી વાત તે એ છે કે આવી ખીક સેવવી એ જ કાયરતા છે.
પાકિસ્તાન હિંદુસ્તાન વચ્ચેના વિખવાદ વધે નહિ એટલા માટે જો આપણે એક અજાણ્યા અંગ્રેજના હાથમાં સત્તા આપી શકયા અને એના નિણૅય આપણે કબૂલ રાખ્યા, તે પંડિત જવાહરલાલ જેવા રાષ્ટ્રમાન્ય, વિશ્વમાન્ય અને પક્ષપાતરહિત વ્યકિતના હાથમાં આપણા નિણૅય આપણે કેમ ન સોંપી દઈએ ?
અન્ને પક્ષની દલીલે જ્યારે તે તે લોકોને મઢે સાંભળું છુ ત્યારે તે નિર્દોષ જેવી લાગે છે. પણ ખરી કસેટી તો કાણુ કઇ રીતે વર્તે છે, એમાં જ થાય છે. વકીલની પેઠે પોતાની બાજુ સરસ રીતે · રજૂ કરવાનો આ સવાલ નથી, પણ આપણા રાષ્ટ્રને બચાવવા માટે અને આપણા રાષ્ટ્રની સંસ્કૃતિ નિષ્કલંક રાખવા માટે પોતાના વલણમાં અને વનમાં પરિવર્તન કરવું એ જ મુખ્ય સવાલ છે.
પક્ષાભિમાન અને દ્વેષવૃત્તિ અનહદ વધી પડયાં છે. એવે પ્રસગે બધા જ સાત્વિક લાંકાએ અન્તર્મુ ખ થઈ આત્મશુદ્ધિ અને સમાજશુદ્ધિના ઉપાયા અમલમાં આણી હિંસાવૃત્તિ સમૂળી કાઢી નાખવી જોઇએ. કેદારનાથજીનુ નિવેદન
આજકાલ મુંબઈમાં તથા મહારાષ્ટ્રના ખીજા કેટલાંક શહેર તથા ગામામાં વાતાવરણ ખૂબ ક્ષુબ્ધ થયુ છે. તદુપરાંત ત્યાં જે પ્રકાર ચાલુ છે તેનાથી કાષ્ઠનું કલ્યાણુ તે થવાનું જ નથી, પણ સની હાનિ જ થવાની છે. સયુકત મહારાષ્ટ્ર પરિષદવાળાઓ જાહેર કરે છે કે આ પ્રકારથી તે સંયુકત મહારાષ્ટ્રની માગણી માટેના પ્રયત્નમાં અવરોધ થાય છે. આ ઉપરથી આવા કોઇ પ્રકાર થાય એવી આન્દોલનના આગેવાનાની ઇચ્છા નથી એવું સ્પષ્ટ થાય છે. જો આ મારી સમજ ખરી હાય તેા ચાલુ પ્રભુધ્ધ વાતાવરણ શાંત કરવું એ આગેવાનોનુ પહેલુ અને ખરૂં કર્તવ્ય છે.
જેમને અહિંસાના, શાંતિના અને લોકશાહીના માર્ગે પોતાની માગણી સિદ્ધ કરવી હશે તેમણે કાઈ પણ ક્ષેાભનેામાં ન પડતાં, ઉતાવળ ન કરતાં તેમ જ પ્રવાહની સાથે સાથે ન તણાતાં તત્ત્વનિષ્ઠાથી
પોતાની ન્યાય્ય ચળવળ ચલાવવી જોઇએ. આવું થાય તો તેમને કઈ
દોષ દઈ શકે નહિ.
ગાંધીજીના નેતૃત્વ હેઠળ
આપણે મહાત્મા ગાંધીજીના નેતૃત્વ હેઠળ શાંતિ અને અહિંસાના માર્ગે સ્વરાજ્ય પ્રાપ્ત કર્યું, આખા જગતને આશ્ચર્ય ચકિત કરી નાખનારી આ ઘટના આપણે સિદ્ધ કરી બતાવી, આથી જ હવે પછી પણ જ્યારે આપસઆપસમાં મતભેદ ઉભા થાય ત્યારે, એનાં નિરાકરણ માટે આપણે એ જ માર્ગ અનુસરીને આપણી ઇષ્ટ સિદ્ધિ આપણે પ્રાપ્ત કરવી જોઇએ. આ પ્રમાણે કરવાનું આપણું બધન છે એ રીતે સ્વીકારીને આપણે વર્તવું જોઈએ. આપણે જો સત્ય અને અહિંસાના સિદ્ધાન્તા જ પચાવ્યા હોય અને એના સામર્થ્ય ઉપર જ જો આપણે સ્વરાજ્ય મેળવ્યુ` હોય તો આપણી વચ્ચે મતભેદ ઉભા થાય ત્યારે ત્યારે પણુ, ગમે તેવડા મોટા લાભ મળતા હોય તે પણુ, આ તત્ત્વા છેાડીને, વન કરવુ યોગ્ય નહિ ગણાય. આપણે એકવાર જે ભૂમિકા પ્રાપ્ત કરી છે તે આપણા માંહેામાંહેના મતભેદને પ્રસંગે પણ આપણે કદી છોડી દેવી જોઇએ નહિ, જો એ આ રીતે આપણે છેડી દઈશું તે સ્વરાજ્યની લડાઈ આપણે સત્ય અને અહિંસાના સિદ્ધાન્તાને આધારે જીત્યા છીએ એવુ સિદ્ધ થવાને બદલે, એ આપણા દંભ જ હતા એવુ સિદ્ધ થશે.
ગાંધીજીના અનુયાચીએ
આજની ચળવળમાં જે નાયકા છે તેમાંના પ્રમુખ નેતાઓ - ગાંધીજીના આદેશ અનુસાર ચાલેલી સ્વરાજ્યની ચળવળમાં કામ કરી આવેલા કેટલાકો પણ છે. આજે જો મહાત્માજી જીવતા હાત તા આજનું આપણું માંહમાંહેનું વૈમનસ્ય, દ્વેષ, ગરીબ પ્રજાની મેહાલી, આપણા દેશની સ ંપત્તિમાં ચંપાયલી આ આગ તેમણે સહન કરી હાત ખરી કે ? આજની આ લૂટાલૂંટ, આપણા જ લોકો પર આપણે કરેલા આ અત્યાચાર જોઇને તેમને કેવી વેદના થઈ હાત ! આ બધાંને આપણે બધાએ વિચાર કરવા જરૂરી છે.
તા.૧૨-૫૬
:
રાજ્ય પુનઃટનાના પ્રશ્ન ઉપર જો કેવળ મતભેદ હાય તા એ મિટાવવા માટે આવી લડાઈની આવશ્યકતા છે ખરી ? આપસઆપસને અવિશ્વાસ એ જ જો આ મતભેદનું કારણ હશે તે એ અત્યારે ચાલતા પ્રયત્નથી નષ્ટ થવાનો સંભવ છે ખરા ? સંયુકત મહારાષ્ટ્રની ઈચ્છા પૂર્ણ થઈ તેા પણ આજ આપણા બધાનુ દુજૈવ છે કે એ મોટા પ્રાન્તમાંની જનતામાં ભેદ પડવાથી જે અવિશ્વાસ, દ્વેષ વગેરે ઉત્પન્ન થઈને વધતાં ગયાં છે તે નષ્ટ થશે ખરાં કે ? આપણી વચ્ચે ઉત્પન્ન થયેલાં વૈમનસ્યનું પરિણામ આખા રાષ્ટ્ર માટે કેટલુ અનકારક નીવડવાને સંભવ છે ? આ માગે રાષ્ટ્રય આપણે કદી પણ સાધી શકીશું ખરા કે આ બધી બાબતને આપણે વિચાર કરવા જરૂરી છે.
વમાન અવિશ્વાસના અને વૈમનસ્યભર્યા વાતાવરણમાં આ પ્રશ્નના સમાધાનકારક કે સૌને માટે કલ્યાણકારી ઉકેલ કાઈ પણ રીતે આવે અથવા તેા આવી શકે તેમ લાગતું નથી. શંકાશીલતા, અવિશ્વાસ ને વૈમનસ્યથી છવાયેલાં વાતાવરણમાં કશે। નિર્ણય થઇ શકે નહીં.
એટલે જ, યોગ્ય નિણૅય પર આવી શકાય એ માટે આપણે સૌએ અનુકુળ વાતાવરણ ઊભું કરવુ. જોષ્ટએ છે. પરસ્પર પ્રેમ ને વિશ્વાસ સબ્યા વિના યોગ્ય નિર્ણય ક્રેઇને પણ સૂઝી શકશે નહિ. એટલે આપણે સૌએ અનુકૂળ વાતાવરણ સર્જાવવા પાછળ આપણી સર્વ શકિત લગાડી દેવી જોઇએ.
વિધાસ અને પ્રેમ ગુમાવી દીધા છે.
આપણે પરસ્પર વિશ્વાસ ને પ્રેમ ગુમાવી દીધાં છે. જીવનમાં આની બહુ જ આવશ્યકતા છે. પ્રાંતનું કે શહેરનું મૂલ્ય પ્રેમ કે વિશ્વાસથી વધારે મોટુ ન હોવું જોઇએ. પરસ્પર અવિશ્વાસ ને વૈમનસ્ય હશે તે આપણામાં રાષ્ટ્રયની ભાવના ઊગશે જ નહિ,
વધવાની તા વાત જ ક્યાં રહી ?
આજની ચળવળમાં મારા કેટલાક મિત્રો સામેલ છે, જેમના પ્રત્યે મને માન–આદર છે. એવા નેતા એમાં જોડાયેલા છે, એમને અને સમગ્ર જનતાને મારી નમ્ર વિન ંતિ છે કે કાઇ પણ ભેગ આપીને અથવા તા કાઈ પણ પ્રલોભન જતું કરીને પરસ્પર ગુમાવેલે વિશ્વાસ ને પ્રેમ પાછો મળે એવા પ્રયત્ના કરીએ. આજે આપણું આ સૌપ્રથમ કર્તવ્ય છે, આપણાં વચનેાથી, કાર્યોથી, તપસ્યાથી આપણું ગુમાવેલુ સત્ત્વ પાછું મેળવવુ જ રહ્યુ તે સિવાય કાઈ આરાવારા નથી. મારી સૌ કોઇને હાથ જોડીને આ વિનંતિ છે.
કે
ત્યાગ સિવાય પ્રેમની સ્થાપના થનાર નથી, પ્રેમના સાતત્ય સિવાય વિશ્વાસ પેદા થવાના નથી, વિશ્વાસ સિવાય સત્વ રહેનાર નથી, સત્વ વિના માણસાઈ નથી, આપણામાં માણસાઈ હશે તે જ રાષ્ટ્રકય આવશે.
મારા મિત્રા, મારા ભાઇઓ, પ્રાંતવાદમાં તણાઇને આપણે મિત્રપ્રેમ પ્રેમને વિસારી બેઠા છીએ, એ કલક આપણે દૂર નહિ કરીએ ખીજુ કાણુ કરશે ? અત્યારની પ્રજા ભ્રમિત થઈ ગઈ છે. ભારતની ગરીબ પ્રજા ! આપણે જ એનાં દુઃખનું કારણ બન્યા છીએ. ૧૯૨૦, ’૩૦ ને 'જર નાં વર્ષામાં જે ઐકયની તે બધુપ્રેમની ભાવના આપણ સૌમાં હતી તે જો પાછી જાગ્રત થશે તે જ પ્રજાનાં દુ:ખ તરત દૂર થશે એની મને ખાતરી છે. ‘જન્મભૂમિ’માંથી સાભાર ઉધ્ધત
તે
મુંબઈ જૈન યુવક સંધ માટે મુદ્રક, પ્રકાશક : શ્રી પરમાનંદ કુવરજી કાપડિયા, ૪૫–૪૭ ધનંજી. સ્ટ્રીટ, મુંબઈ, ૩, મુદ્રણુસ્થાન : કચ્છી વીશા ઓશવાલ પ્રિન્ટીંગ પ્રેસ, મસ્જીદ બંદર રોડ, મુંબઈ ૯. 2. ન'. ૩૪૬૨૯
14