SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૧-૫૬ પ્રબુદ્ધ જીવન કજિયાનું છેવટે મુંબઇમાં રમખાણે થયાં જ અને નિર્દોષનાં લેહી વહ્યાં. • જે માર્યા ગયા છે એમને માટે અમને ઊંડું દુ:ખ છે. જે ઘટનાઓને પુખ્ત વિચારથી અને સંયમી વનથી અટકાવી શકાઈ હાત તેવી ઘટનાના તે વગર વાંકે શિકાર થયા છે. જે પરિસ્થિતિ પેદા થઈ તેમાં ગુંડા તત્ત્વા ઉપર આવ્યાં અને રમખાણ થયાં. સરકાર ન છૂટકે વળતી હિંસાથી આ બધું દખાવી દેવા પ્રયત્ન કરે છે. ગુંડાગીરીભર્યાં અને હિંસક તત્ત્વા માટે કાઈને ય કદી સહાનુભૂતિ ન હોય. પણ આ પ્રસંગ એકમેકને માથે દોષના ટાણે ઢાળવાના નથી. એ હાથ વિના તાી વાગતી નથી અને મુંબઈમાં પણ વાગી નથી. ગાંધીજીને સ્મરીને, હૃદયમાં ઊંડા ઊતરીને કારણેા તપાસવાની અને નમ્રભાવે પ્રાયશ્ચિત કરવાની આ ઘડી છે. શંકરરાવજીના ઉપવાસને અમે એ દૃષ્ટિએ વધાવીએ છીએ અને આશા સેવીએ છીએ કે ગૂજરાતના દીર્ઘદૃષ્ટિવાળા પુરુષો પણ અંતર–નિરીક્ષણની ભાવનાથી આ આખાયે મામલાને કરી તપાસી જશે. ગુજરાત અને મહારાષ્ટ્ર પડેાસી છે, ભાઈભાઈ છે, ગૂજરાતનુ હૃદય મહારાષ્ટ્રથી ખાલી નથી અને મહારાષ્ટ્રનું હૃદય ગૂજરાતથી વિહેાણું નથી. પૂના, મુંબઈ, વડેદરા, અમદાવાદ–એક એક સ્થાને ગૂજરાત અને મહારાષ્ટ્ર પરસ્પરમાં પરાવાયેલાં છે. આટલાં જે નિકટ છે તેમની વચ્ચે એ જ સબંધો હાઈ શકે: કાં તે અંતે પ્રેમથી હળીમળીને રહે અને કાં ખૂનખાર યુધ્ધે ચઢે. લેાકમાન્ય તિલકની રાજતીતિ–નિપુણતા, ભારત સેવક ગેાખલેની સુશીલ વિનમ્રતા, મહાત્મા ગાંધીની અહિંસા, સરદારની ધીરશાંત કુનેહ અને સંત વિનાબા ઉભય માટેના પ્રેમ, એ ગુજરાત–મહારાષ્ટ્ર બંનેની સહિયારી સંપત્તિ છે. આજે એની જ્યારે સૌથી વધુ જરૂર છે ત્યારે એ કેમ વિસરાઈ ગઈ છે, જરા તપાસીએ તે ખરા ! મુંબઈની માહિની ક્ષણભંગુર છે, અક્ષરશઃ ક્ષણભ’ગુર છે. સમાજવાદી સમાજરચના થાય કે સાયેગી સૌંદય આવે, મૂડીવાદનાં મૂળિયાં કપાઈ ગયાં છે એમાં શંકા નથી. મૂડીવાદનું ઝેરી ઝાડ કાલે સૂકાઈને ઠૂંઠું થવાનુ છે અને શાથે જ મુંબઈનાં આર્થિક આકષ ણુના પ-પાવડર ધાવાઇ જવાના છે. દેશના એક સાધારણ સ્વસ્થ વિનિમયકેન્દ્ર તરીકે મુંબઈ દર રહેશે અને તે જ રીતે દેશનાં નવાં બંદરો તરીકે કંડલા—ખંભાત પણ વિકસશે. દેશની દૃષ્ટિએ વિચાર કરવામાં મે—પાંચ વરસનાં લેખાં ન ગણાય, એ-પાંચ દસકાથી જ હિસાબ કરાય એ ગણતરીથી જોતાં મુંબઈની તિત્તમા માટે ગૂજરાત-મહારાષ્ટ્ર સુદ-ઉપસુંદની જેમ લડશે તેા એવી લડાઇઓને અમને કયાંય અત દેખાતા નથી અને પરિણામે સુદ–ઉપસુંદના જેવા જ હાલ થાય તેવું દેખાય છે. વળી પૈસા એ જ અગત્યની વસ્તુ છે એમ માનવુ તે તે પ્રમાણે વર્તવુ એ આજના યુગની ભાવનાથી પ્રતિકૂળ છે. શ્રમના યુગ એસી ચૂકયા છે. શ્રમિકાનું જ બધે રાજ થશે. આ બદલાતા જતા યુગપ્રવાહમાં સામે વહેણે તરવુ` કે તરતાં દેખાવું કાઇનેય માટે હિતાવહ નથી. દૂર દેશી માટે વિખ્યાત ગુજરાતને અને મુત્સદ્દીપણા માટે મશહૂર મહારાષ્ટ્રને શુભનિષ્ઠા (ગુડવિલ)ની કીંમત સમજાવવી જરૂરી નથી. બે ભાઈઓ વચ્ચે મતભેદ ઉભા થાય ત્યારે ત્રણ રીતે એના અત આવે : એક ખીજાનાં માથાં ફાડીને એય કાં મરે કાં જેલ ભેગા થાય; અથવા કારટ-કચેરીએ ચઢી ખુવાર થઈ જાય અને મનમાં સમસમીને એસી રહે; અથવા સુબુદ્ધિ સૂઝે તે ધરમેળે પતાવટ કરે, તે તેમ ન થાય તે ક્રાઈ નિ ૫ સાધુસંત પાસે જઈને પતાવે કે પછી એમાંથી જે વધુ સજ્જન હોય તે સ્વાર્થ કરતાં શુભનાને કીંમતી ગણીને પડતુ મૂકે, પહેલા રસ્તા અધ વિખવાદના છે, એમાં એય રડે છે. ખીજો રસ્તા ટૂંકી નજરવાળા વિવાદના છે, એમાં એક રડે છે અને ખીજે હસે છે. ને ત્રીજો રસ્તો લાંબી નજવાળા સવાના છે, જેમાં મેય (9) ૧૬૩ • માં કાળુ હસે છે. એક હસે અને ખીજું રડે ત્યારે એકનુ હસવુ નિષ્ઠુર અટ્ટહાસ્ય જેવુ ક્ષગુજીવી નીવડે છે. એકના આનદના ખીજાના દુઃખથી ભાગાકાર થાય છે. લિા વચ્ચે તરાડ પડે છે ને તેથી અંતરનું સમાધાન એકેયને મળતુ નથી. પણ એય હસે છે ત્યારે આનંદને ગુણાકાર થાય છે, દિલ સાથે દિલ ભળે છે અને અંતર ભર્યાં ભર્યાં થઇ જાય છે. - મુંબઈ માટે શુ કરવુ છે—વિખવાદ, વિવાદ કે સંવાદ ? ગુજરાત અને મહારાષ્ટ્રની સામે આ પ્રશ્ન છે. રમખાણે એ વિખવાદની રીત છે. ઉપરથી હાઇકમાંડનું હુકમનામું મેળવીને તે શિસ્તને નામે દંડક ઉર્દૂ વ્હીપ કે ચાબૂકથી પાળવા પળાવવાની રીત એ કારટકચેરીની વિવાદની રીત છે. આપસમાં મળીને પ્રેમભરી વાતચીતથી અને તેમ ન પતે તે સત્તા–સંપત્તિથી નિર્લેપ એવા સંતનેાની સલાહથી બંને હસે તેવા તાડ કાઢવા એ સંવાદની રીત છે. અંગ્રેજો પાસેથી આપણે વિલાયતી લોકશાહી લાવ્યા છીએ અને પ્રામાણિકતા—પૂર્વક શિસ્તની નાથ નાંખેલાં માથાં દંડકથી એકઠાં કરી કરીને ગણાવીએ છીએ. પણ ગાંધીજીએ આપણને સ્વદેશી લેાકશાહી શીખવી છે. ગાંધીજીએ તે વિચારમાં પણ અહિંસા દાખલ કરી બતાવી હતી. તા ખીજા પર પોતાના વિચાર લદાય તેા કૅમ જ ? વિચાર સમજાવાય, વિનતી કરાય, પ્રેમપૂર્વક ખાંધછોડ કરાય, પણ વિચાર ઉપરથી લદાય નહીં. પક્ષનેતાની હામાં હા મેળવનારી વિલાયતી એકમતી અને પોતા કરતાં બીજાને વધુ ખ્યાલ રાખનારી સ્વદેશી સર્વાનુમતિમાં જડ અને ચેતન જેટલા ભેદ છે. મુંબઈના ઝગડા ખેય તરફનાં કારણેાથી વરયેા છે, પણ એની મીમાંસામાં નથી ઉતરવુ. આજે પરિસ્થિતિને થાળે પાડવી અને સત્ય તથા પ્રેમના તત્ત્વની આણ વર્તાવવી એ જ મહત્ત્વની વસ્તુ છે. નવલભાઈ શાહ સત્યભકત સંયુકત મહારાષ્ટ્ર માગનારાઓમાં એ ફાડ છે, જહાલ તત્ત્વાએ એમની રીતે મુંબઇને આંગણે પધારતા મેાંઘેરા રશિયન મહેમાન'ના સ્વાગતાયે* જ ન હોય તેવી ‘ક્રાંતિની કવાયત' યેાજી છે ! બહુ જ . ખાર્ટ સમયે ખેાટી રીતે આ બધું થઈ રહ્યું છે. અને દુઃખની વાત તે એ છે કે સમજૂ તત્ત્વા આને પહેલેથી જ પામી જઇને ટાળી શકયાં હોત, પણ તેઓ એ પક્ષે વહેંચાઈ ગયા હૈાવાથી તેમ નથી કરી શકયાં. શંકરરાવજી અને મહારાષ્ટ્ર કાંગ્રેસ વગેરે આજે આ સ્ફટિક પરિસ્થિતિમાંથી નીકળીને, અલબત્ત પેતાની માન્યતા છેાડયા વિના, પરસ્પરની વાતચીતને રસ્તે ગાડુ વળે એની ચિંતા સેવતા દેખાય છે. આવે વખતે શાણપણનો અને રચનાત્મક રાજદ્વારી કુનેહને રરતા એ છે કે વાતચીતથી ફૈસલા કરવા માંગતા ભાઈને માથે ઉપરથી આણેલુ હુકમનામું બજાવવાનું પડતું મૂકીને એને પ્રેમથી ઘરમાં મેલાવવા અને વાતચીત .કરવી.. કે ગુંડા તત્ત્વો આજે સંયુકત મહારાષ્ટ્રના લોકપ્રિય મુદ્દાના આશરાલઈને બહાર પડયાં છે. એમની ગેરકાયદે હિંસાને કાયદેસરની પ્રતિહિંસાથી દબાવી દેવી એ કાયમી શાંતિના ઉપાય છે એવું તો કાપણુ વિચારવાન માણસ નહીં કહે. એ માર્ગે ગુંડાગીરી પર શહીદીના આપ વિષય સૂચિ પૃષ્ટ પ્રજ્ઞાચક્ષુને ૧ બાલદીક્ષાની અનિ ટતા વિષે જાતઅનુભવના ઘેડાક દાખલાઓ કજિયાનું મોં કાળુ અખર ચરખાનું અર્થ શાસ્ત્ર સમાજની ઉદાસીનતા અને સાધુની દીક્ષાધેલછા રતિલાલ મ. શાહ પટવારી ખીલ–પ્રકરણ પ્રકીર્ણ નોંધ : અનિષ્ટમાંથી પણ કદિ ઋ જન્મે છે, બહેન મંજુને અભિનદન, ભાઈ કિરીટ ઠારીને ધન્યવાદ મનને શરીર સ્વાસ્થ્ય સાથેના સબંધ ર ૬૩ ૪ ૬૫ ६६ પરમાનદ '; '' ડૉ. એમ. ડી. આડતિયા ૬૭
SR No.525941
Book TitlePrabuddha Jivan 1956 Year 17 Ank 17 to 24 and Year 18 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1956
Total Pages260
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy